સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 7 February 2018

નર્મદા નદીને સૂકીભઠ કરનારી ગુજરાત સરકારને જગાડવા સંતો મેદાનમાં - ગુજરાતનું વિકાસ મોડેલઃ આ સ્લમ વિસ્તારનાં લોકોને ખાવાના પણ વલખા - MPએ 70% પાણી ઓછું છોડ્યું, ‘સૌની’ના નામે સરકારે લાખો લિટર પાણી વેડફ્યું - બેફામ વધતા પેટ્રોલ-ડિઝલના ભાવઃ ૪ વર્ષના ઉચ્ચત્તમ સ્તરે - IT રિટર્નમાં સામાન્ય ગરબડ પર હવે નહિ મળે નોટીસ - કોઇને જેલમાં મોકલતા પહેલા જ્જો માનવીય વલણ અપનાવેઃ સુપ્રિમ - UIDAIએ જારી કરી ચેતવણી... આધારનું લેમિનેશન કરાવશો તો નિરાધાર થઇ જશો! - મોદી સરકાર માત્ર સપના બતાડે છેઃ ૩૦ દિવસમાં પુરા કરવાના વચન ૩ વર્ષે પણ પુરા નથી કર્યાઃ અન્ના હઝારે

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Holy Tally Mobile App

Offer Time :- 02 Feb 2018 to 28 Feb 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

નર્મદા નદીને સૂકીભઠ કરનારી ગુજરાત સરકારને જગાડવા સંતો મેદાનમાં

​નર્મદા નદીને સુકીભઠ કરનારી સરકારને જગાડવા સંતો મેદાનમાં : ખેતી, પ્રવાસન અને માછીમારીના વ્યવસાયને મરણતોલ ફટકો
ભરૂચ: પાવન સલિલા મા નર્મદામાં ડુબકી લગાવી શ્રધ્ધાળુઓ ધન્યતાનો અનુભવ કરતાં હોય છે પણ ભરૂચના કાંઠે હવે નર્મદામાં ડુબકીએ દરિયામાં ડુબકી લગાવવા સમાન બની છે. છેલ્લા ચાર વર્ષથી ડેમમાંથી પાણી છોડવામાં આવતું નહિ હોવાને કારણે નદી સુકીભઠ બની છે. ભરૂચમાં એક સમયે નદીનો પટ 1,250 મીટર જેટલો વિશાળ હતો જે હવે સુકાઇને માત્ર 500 મીટરનો રહી ગયો છે.

ડેમમાંથી પાણીની આવક નહિ હોવાથી નદીમાં ભરતીના સમયે આવતાં દરિયાના પાણી ડાઉનસ્ટ્રીમ વિસ્તારમાં ફરી વળ્યાં છે. દર ભરતીના સમયે નાંદ અને અંગારેશ્વરના પંપિંગ સ્ટેશન ખારાશના કારણે બંધ કરવાની ફરજ પડી રહી છે. ભરૂચના કાંઠા પર હાલ નર્મદા નદીમાં દરિયાના પાણીની હાજરી જોવા મળી રહી છે. નર્મદા સ્નાનનું પુણ્ય લેવા હવે શ્રધ્ધાળુઓને ચાણોદ સુધીનો ફેરો ફરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
ભરૂચ નજીકથી પસાર થતી નર્મદા નદીનો પટ 1250 મીટરથી સંકોચાઈને 500 મીટરનો રહી ગયો છે. અમાસ અને પૂનમના દિવસે આવતી ભરતીના કારણે નર્મદા નદીમાં પાણી જોવા મળે છે. પરંતુ આ પાણી દરીયાના જ છે. ડેમમાંથી પાણી છોડવામાં નહી આવતું હોવાથી ભરતીના પાણી પરત દરીયામાં જઈ શકતા નથી.
નર્મદા નદીમાં પાણી નહિ હોવાથી શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઇ છે. છઠ્ઠપૂજા, નર્મદા જયંતિ સહિતના તહેવારોની ઉજવણીમાં વિધ્ન નડી રહયાં છે. નર્મદા મૈયાને જીવંત કરવાની માંગ સાથે આગામી દિવસોમાં સાધુ સંતો ગાંધીનગરમાં સરકારને જગાડવા ઉપવાસ આંદોલન કરે તેવા એંધાણ છે.

ઝાડેશ્વર સ્થિત ગાયત્રી મંદિરના અલખગીરીજી મહારાજે જણાવ્યું હતું કે, કેવડીયાથી ભાડભુત સુધીના નર્મદા નદીના પટ્ટા પર 200થી વધારે મંદિરો અને આશ્રમો આવેલાં છે. સ્કંદપુરાણમાં દર્શાવ્યાં પ્રમાણે શિવાલયોમાં નર્મદા મૈયાના પવિત્ર જળથી શિવલિંગને અભિષેક કરવામાં આવતો હોય છે. છેલ્લા ચાર વર્ષથી નર્મદા નદી સુકીભઠ બની છે અને નદીમાં દરિયાના ખારા પાણી પ્રવેશી ગયાં છે ત્યારે શિવજીના અભિષેક માટે નર્મદા નીર પર રહયાં ન હોવાથી સંતોમાં રોષ જોવા મળી રહયો છે.

કાંઠા વિસ્તારના આશ્રમોમાં અન્નક્ષેત્ર તથા ગૌશાળામાં પણ નર્મદા નદીના પાણી જ વાપરવામાં આવતાં હોય છે પણ હવે તે પણ નસીબમાં રહયાં નથી.નર્મદા નદીને ડેમ બનાવી કેદ કરી દેવામાં આવી છે. નર્મદા નદી વહીને સાગરને મળી શકે તેટલું પણ પાણી રહેવા દીધું નથી. નદીમાં સ્નાન કરવા જેટલું પાણી રહયું નથી. અત્યારે જે પાણી છે તે દરિયા અને ગટરના પાણી છે. આવા પાણીથી લોકો સ્નાન કરે છે અને બોટલોમાં ઘરે લઇ જાય છે તે મહાપાપ છે. નર્મદા નદી સતત વહેતી રહે તેટલું તો પાણી છોડો.
નર્મદા નદી સુકીભઠ બની જવાને કારણે હિલ્સા માછલીનો 60 કરોડ રૂપિયાનો કારોબાર ઠપ થતાં 25 હજારથી વધારે માછીમારોની રોજગારી સામે સવાલો ઉભા થયાં છે. ફેબ્રુઆરી માસમાં શરૂ થતી હિલ્સા માછલીની સીઝન નિષ્ફળ જવાની ભિતિ સેવાઇ રહી છે.

ભાડભુતના માછીમાર આગેવાન પ્રવિણ ટંડેલે જણાવ્યું છે કે, ભરૂચ જિલ્લામાં 25 હજાર કરતાં વધારે માછીમાર પરિવારો વસવાટ કરે છે. તેઓ દરિયામાંથી નદીના મીઠા પાણીમાં પ્રજનન માટે આવતી હિલ્સા માછલીનો શિકાર કરી રોજગારી મેળવે છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતું નહિ હોવાને કારણે નદીના મીઠા પાણી ખારા બની ગયાં છે જેના કારણે દરિયામાંથી નદીમાં આવતી હિલ્સા માછલીની સંખ્યા ઘટી છે.

ચોમાસામાં પહેલા એક બોટમાં 500થી વધારે હિલ્સા પકડવામાં આવતી હતી તેના સ્થાને હવે માંડ 10 માછલી હાથ લાગે છે. માછીમારીનો વ્યવસાય પડી ભાંગતા નદી કિનારે બોટનો ખડકલો જોવા મળી રહયો છે. ચોમાસા ઉપરાંત ફાગણ અને ચૈત્રમાં હિલ્સા માછલીની માછીમારી કરાય છે. ફેબ્રુઆરી અને માર્ચની સીઝન પણ નિષ્ફળ જવાની છે. ડેમમાંથી રોજના 6 હજાર કયુસેક પાણી છોડાઇ તો પણ નદીમાંથી ખારાશ દુર થાય તેવી સ્થિતિ નથી. આખો માછીમાર સમાજ આજે બેકારીના ખપ્પરમાં હોમાઇને ઘરે બેઠો છે. નર્મદા હવે નદી જ રહી નથી. હજી તો ઉનાળામાં આનાથી ભયંકર સ્થિતિ જોવા મળશે તેમ તેમણે ઉમેર્યું હતું.
નર્મદા ડેમના પાણી કેનાલો મારફતે સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પહોંચી ગયાં છે પણ ભરૂચ અને નર્મદાના 300થી વધારે ગામો હજી સિંચાઇ માટે નર્મદાના પાણી માટે વલખી રહયાં છે.  

ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના અગ્રણી નિપુલ પટેલ જણાવે છે કે, ડાઉન સ્ટ્રીમના 300થી વધારે ગામોમાં સિંચાઇના પાણીની સમસ્યા છે. 1.66 લાખ હેકટરના કાર્યક્ષેત્રમાં માંડ 20 થી 25 હજાર હેકટર જમીનને નર્મદા કેનાલના પાણી મળે છે. દરીયાના ખારા પાણી નદીમાં નાંદની આગળ સુધી પહોંચી જતાં ખારપાટની સમસ્યા વિકટ બની છે. નર્મદા નદીના બંને છેડા તરફના 10 કીમીના વિસ્તારમાં ભુર્ગભ જળ ખારા બની ગયાં છે. સરકારે સૌની યોજના, રીવર ફ્રન્ટમાં સી પ્લેન માટે પાણીનો વેડફાટ કરી નાંખતા નર્મદા ડેમમાં પાણી ખલાસ થઇ ગયું છે.

ડેમમાંથી મોટાભાગનું પાણી ઉદ્યોગોને આપી દેવામાં આવતાં ખેડૂતોની હાલત દયનીય બની છે. નદીમાં પાણી નહિ છોડાતાં શાકભાજી, કેળા, પપૈયા સહિતના પાકોનું વાવેતર કરતાં ખેડૂતોને 3 કરોડ રૂપિયા ઉપરાંતનું નુકશાન થયું છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે નર્મદા ડેમમાં પાણી રહેતું હતું. આજે તેઓ વડાપ્રધાન છે અને જયારે જયારે ભરૂચમાં અાવે છે તેના પહેલા નદીમાં પાણી છોડવામાં આવે છે. અાનો અર્થ એ થાય છે કે ડેમમાંથી પાણી છોડી શકાઇ છે પણ સરકાર નદીમાં પાણી છોડવા માંગતી નથી તેમ તેમણે ઉમેર્યું હતું.

Source :-https://www.divyabhaskar.co.in/news/DGUJ-BHA-OMC-LCL-if-you-want-to-take-bath-in-narmada-go-to-chandanad-there-is-only-the-sea-in-bha-5807336-PHO.html?ref=ht

ગુજરાતનું વિકાસ મોડેલઃ આ સ્લમ વિસ્તારનાં લોકોને ખાવાના પણ વલખા

20 થી વધુ વર્ષોથી રહેતા અહીંનાં ગરીબ લોકો તંત્રની પાયાગત સુવિધાથી પણ હજારો જોજન દુર
અમરેલી: અમરેલી શહેરના કોઇ પણ છેવાડાનો ખુણો પકડશો તો છાપરાઓ જ જોવા મળશે. આ છાપરાઓમાં રહેતા લોકોની પુરી જીંદગી ગરીબીમાં જ નિકળી જાય છે અંતે દમ તોડી દે છે.

અપના કામ બનતા ભાડ મેં જાયે જનતા

અમરેલી શહેરના ચકકરગઢ રોડ પર છેલ્લા 20 વર્ષથી 1500થી વધુ લોકો રહે છે. જે લોકોને આજ દિન સુધી પણ પ્રાથમિક સુવિધાઓ મળી નથી. અને જ્યારે કોઇ પણ ચુંટણી હોય ત્યારે રાજકારણીઓ આવીને મોટી મોટી વાતોના વડા કરીને જતા રહે છે. આ બાદ લોકોની ખબર પુછવા પણ આવતા નથી.
સાંસદનું નિવાસસ્થાન પણ આ વિસ્તારની પાસે
સાંસદ નારણભાઇ કાછડીયા પણ આજ વિસ્તારમાં રહે છે. જેઓના ઘરથી થોડે જ દુર આ ઝુપડપટ્ટીઓ આવેલી છે. વર્ષોથી તેઓનું અહી ચાલવાનો રસ્તો છે. પરંતુ આજ દિન સુધી તેઓને પણ આ લોકોની તકલીફો દેખાતી નથી ?
સ્થળ પર જઇ કાર્યવાહી કરીશ : ચિફ ઓફીસર
પાલિકાના ચિફ ઓફીસર વસાવા સાથે દિવ્ય ભાસ્કરે વાત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, વધુ પ્રમાણમાં લોકો રહેતા હોય તો તેઓને પ્રાથમિક સુવિધા તો મળવી જ જોઇએ અને કદાચ કાયદાકીય ન પણ રહેતા હોય તેમ છતા પણ તંત્ર દ્વારા પાયાગત સુવિધાઓ મળવી જોઇએ. આ બાબતને તેઓ નજર અંદાજ નહિ કરે અને તેઓ ખુદ સ્થળ પર જઇને કાર્યવાહી કરશે.
મતદાન માંગતી વખતે મોટી મોટી વાતો કરી જાય છે : ગૌરીબેન પ્રજાપતિ

આ વિસ્તારમાં રહેતો મોટા ભાગના લોકો ચુંટણીકાર્ડ ધરાવે છે. અને જ્યારે પણ ચુંટણી આવે ત્યારે આ વિસ્તારમાં રાજકીય નેતાઓ મોટા મોટા વાયદાઓ કરે છે કે, રોડ બનાવી આપીશુ, શૌચાલય બનાવી આપીશુ, લાઇટ કનેક્શન આપીશુ વિગેરે વાયદાઓ કરીને મત લઇ જાય છે.
રાશન પણ મળતું નથી : લાભુબેન સોલંકી

લાભુબેન જયંતિભાઇ સોલંકી નામની મહિલા પાસે રાશનકાર્ડ નથી. આ કારણે તેઓને કોઇ પણ રાશનની સામગ્રી મળતી નથી. આ કારણે તેઓના પરિવારનું ગુજરાન ચલાવવું ખુબ જ મુશ્કેલી ભર્યુ બન્યુ છે.
વરસાદ હોય ત્યારે બાળકોની સાથે છાપરામાં પડ્યા રહિએ : હર્ષાબેન ગણોદીયા

જ્યારે ચોમાસાનો સમય હોય અને વાદળોમાંથી અવાઝ થતો હોય ત્યારે ડરના કારણે અંદર છાપરામાં તેઓના નાના બાળકો સાથે છાપરામાં પડ્યા રહીએ છીએ અને ડર લાગતો રહે છે કે તેઓનું છાપરૂ વરસાદ કે પવનના કારણે ઉડી ના જાય.
ચોમાસાના સમયે માંડ માંડ જીવ બચાવ્યો,  સાધનાબેન પ્રજાપતિ 

સાધનાબેન પ્રજાપતિ નામની મહિલાએ જાણાવ્યુ હતુ કે, ગત ચોમાસાના સમયે તેના ઘરની અંદર પાણી આવી ગયુ હતુ. કેમ કે તેઓના ઘરની પાસે જ મોટો પાણીનો હોકળો આવેલ છે. આ કારણે પાણી અંદર આવી ગયુ હતુ. અને માંડ માંડ તેઓના પરિવારનું જીવ બચ્યો હતો.
રાતના મચ્છર કરડવાના કારણે ઉંઘ પણ આવતી નથી : વસંતબેન ચંદુભાઇ

વસંતબેન ચંદુભાઇ નામની વૃધ્ધાના ઘરે લાઇટ પણ નથી. આ કારણે આખી રાત દિવાના આધારે રહેવુ પડે છે અને રાત્રીના સુવાના સમયે મચ્છરો કરડવાના કારણે તેઓને ઉંઘ પણ આવતી નથી.

Source :-https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-lack-of-primary-facilities-in-amreli-slum-area-gujarati-news-5807308-PHO.html?ref=ht

MPએ 70% પાણી ઓછું છોડ્યું, ‘સૌની’ના નામે સરકારે લાખો લિટર પાણી વેડફ્યું

નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીના આદેશનું MP અને ગુજરાત દ્વારા કરાયેલું ઉલ્લંઘન
ગાંધીનગર: નર્મદા ડેમનું તળિયું દેખાવા પાછળ બે મહત્ત્વના કારણો બહાર આવ્યાં છે. એક તરફ ગુજરાત સરકારે સૌની યોજનાના માત્ર સ્ટેસ્ટિંગ માટે લાખો લિટર પાણી વહેંવડાવી દીધું હતું. બીજી તરફ છેલ્લા 10 દિવસથી મધ્ય પ્રદેશે નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીના આદેશનું ઉલ્લંઘન કરી 70% પાણી ઓછું છોડ્યું છે. જેના કારણે હાલમાં ડેમમાંથી દર બે કલાકે એક સેન્ટીમીટર પાણી ઓછું થઈ રહ્યું છે.

MP અને ગુજરાત સરકારની બેદરકારીનું પરિણામ છે સુકાયેલી નર્મદા
27 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધીના આંકડા મુજબ, નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ગુજરાતને રોજ 9881 ક્યુસેક પાણી ઉપયોગ કરવા જણાવાયું હતું જેની સામે ગુજરાત દ્વારા પાંચેક દિવસ 10 હજારથી વધુ ક્યુસેક પાણી ઉપયોગ કરવામાં આવ્યો છે. બાકી દિવસોમાં ૯ હજાર ક્યુસેક પાણીનો ઉપયોગ થયો. જ્યારે મધ્યપ્રદેશને 10963 ક્યુસેક પાણી રોજ છોડવા કહેવાયું છે જેની સામે સરેરાશ માત્ર 3200 ક્યુસેક પાણી છોડવામાં આવે છે.

સૌની યોજનાના ટેસ્ટિંગ માટે નર્મદાનું હજારો લિટર પાણી વહાવી દેવામાં આવ્યું હતું. સૌની યોજનામાં 0.01 મિલિયન એકર ફૂટ એટલે કે 12335 મિલિયન લિટર પાણી વહી ગયું હતું. નર્મદા યોજનાના વધારાના વહી જતા એક મિલિયન એકર ફૂટ પાણીને સૌરાષ્ટ્ર તરફ લઇ જવા સૌની યોજના લોન્ચ રજૂ કરાઈ હતી. સારી વાત છે. ગુજરાતની પ્રજાના હિતમાં લેવાતા કોઈ પણ નિર્ણય, વચન, દાવાની પડખે દિવ્ય ભાસ્કર હંમેશાં ઊભું રહેશે. સાથે જ આ દાવા માત્ર કાગળ પર નહીં હોય, તેના પર પણ તે પોતાની નજર રાખશે.

હવે, એક બીજી વાત. સરકારે એ કારણો તરફ પણ નજર કરવી જોઈએ, જેના કારણે નર્મદાની આવી સ્થિતિ સર્જાઈ છે. તમે સૌરાષ્ટ્રને પાણી આપવાની વાત કરી રહ્યા હતા, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, નર્મદાના કિનારે વસેલાં ગામોને જ પાણી નથી મળી રહ્યું. સારી વાત એ છે કે, સ્થિતિ હજુ કાબુ બહાર ગઈ નથી. હજુ પણ આપણે ઘોર નિદ્રામાંથી જાગી જઈએ તો ઘણું બધું સંભાળી શકાય એમ છે. માત્ર, નિર્ણય લેવા અને તેને અમલમાં મૂકવાની ઈચ્છાશક્તિ જોઈએ.
આશા છે કે, સરકાર આ ઈચ્છાશક્તિ બતાવશે. એક અપીલ પ્રજાને પણ કરીશું. દિવ્ય ભાસ્કર પોતાના વાચકો સાથે ‘જલ હૈ તો કલ હૈ’ અભિયાન ચલાવતું રહ્યું છે. પાણી આપણા માટે ખૂબ જ અનમોલ છે. આપણે તેનું મહત્ત્વ સમજવું જોઈશે. માત્ર સરકારને ભરોસે કે કુદરતના આશરે રહેવાને બદલે આપણે જાતે જ પહેલ કરવી પડશે. તેની શરૂઆત આપણે ઘરથી જ કરી શકીએ છીએ. જેટલું જરૂરી હોય, એટલા જ પાણીનો ઉપયોગ કરો. બિનજરૂરી પાણીનો વ્યય કરતાં બચો. મા નર્મદાએ આપણને ઘણું બધું આપ્યું છે. આપણે પણ સંતાન હોવાની ફરજ અદા કરીએ. પાણીનાં એક-એક ટીપાંને બચાવીએ.
સરકારનો દાવો- કેનાલના બદલે પાઈપ દ્વારા પીવા માટે પાણી આપીશું

નર્મદા સુકાઈ રહી હોવાનો અહેવાલ મંગળવારે પ્રસિદ્ધ થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ચીફ સેક્રેટરી સહિત છ સીનિયર અધિકારીઓએ દિવ્ય ભાસ્કર સાથે બેઠક કરી હતી જેમાં સરદાર સરોવર નિગમના ચેરમેન એસ. એસ. રાઠોડે પ્રેઝન્ટેશન આપી સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. 

-સરદાર સરોવર ડેમમાં પાણી કેમ ઘટી ગયું છે?
ચોમાસામાં મધ્યપ્રદેશમાં વરસાદ ઓછો હતો. અન્ય બીજા રાજ્યોમાં પણ પાણીની ઘટ છે. ઘણીવાર તંત્ર પણ કુદરત આગળ લાચાર બની જતું હોય છે. ગત વર્ષ કરતા આ વર્ષે 50 % જેટલો પાણી કાપ મૂકવાની ફરજ પડી છે.
-  ઉનાળામાં ખેતઉત્પાદનને કેવી અસર થશે?
બહુ જ ઓછા લોકો ઉનાળાની ખેતી કરતા હોય છે. એટલે બહુ અસર નહિ થાય. ગત ચોમાસામાં ગુજરાતમાં સારો વરસાદ થવાને કારણે ખેતીમાં સારું ઉત્પાદન થયું છે. માર્ચ 15  સુધી તો પાણી મળવાનું જ છે. 
-  સૌની યોજનામાં નર્મદાનું કેટલું પાણી છોડવામાં આવ્યું
પ્રમાણમાં બહુ નહિવત. ખાસ કરીને ટેસ્ટિંગ માટે અપાયું.
-  રિવરફ્રન્ટમાં પાણી સુકાઈ જશે
ના, સાવ એવું નહિ થાય. એ સ્થિર પાણી છે. ધરોઈમાંથી પાણીની આવક ચાલુ હતી એટલે એ પાણી રિવરફ્રન્ટમાં હતું. 

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-LCL-the-result-of-the-negligence-of-the-mp-and-the-government-of-gujarat-is-the-drie-5807359-PHO.html?ref=ht

બેફામ વધતા પેટ્રોલ-ડિઝલના ભાવઃ ૪ વર્ષના ઉચ્ચત્તમ સ્તરે
૩ દિવસથી ક્રુડના ભાવ સતત ઘટી રહ્યા છે છતાં પેટ્રોલ અને ડિઝલના ભાવ વધી રહ્યા છેઃ મોંઘવારીનો રાક્ષસ કનિદૈ લાકિઅ બિહામણી રીતે ધુણે તેવી શકયતાઃ મુંબઇમાં પેટ્રોલ અને ડિઝલ સૌથી મોંઘાઃ પેટ્રોલનો ભાવ ૮૧.ર૪ અને ડિઝલ ૬૮.૩૯: હવે નવો ભાવ ૮પ સુધી પહોંચે તેવી કનિદૈ લાકિઅ શકયતા નવી અકિલા દિલ્હી તા.૭ : નાણામંત્રી અરૂણ જેટલી દ્વારા પેટ્રોલ-ડિઝલને જીએસટીમાં લાવવાની અટકળોને વિરામ આપવામાં આવતા બંનેના ભાવ ચાર કનિદૈ લાકિઅ વર્ષની ટોચની સપાટીએ પહોંચી ગયા છે. જો કે ચાર રાજયો દ્વારા વેટના દરોમાં ઘટાડાનું અકીલા એલાન કરવામાં આવ્યુ છે પરંતુ તેનો ફાયદો સમગ્ર દેશમાં કનિદૈ લાકિઅ મળતો નથી.   દેશના ચાર મહાનગરોની વાત કરીએ તો અત્યારે સૌથી વધુ મોંઘુ પેટ્રોલ અને ડિઝલ મુંબઇમાં છે. અહી પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ૮૧.ર૪ કનિદૈ લાકિઅ રૂ. થઇ ગયો છે તો ડિઝલનો ભાવ ૬૮.૩૯ રૂ. પ્રતિ લીટર થઇ ગયો છે. દિલ્હી, કોલકતા અને ચેન્નાઇમાં પેટ્રોલનો ભાવ અનુક્રમે ૭૩.૩૮, ૭૬.૦૭ અને ૭૬.૧ર રૂ. કનિદૈ લાકિઅ પ્રતિ લીટર છે તો ડિઝલની વાત કરીએ તો દિલ્હી, કોલકતા અને ચેન્નાઇમાં તે ૬૪.રર, ૬૬.૮૯ અને ૬૭.૭૩ રૂ. પ્રતિ લીટર છે. દેશમાં એક તરફ પેટ્રોલ કનિદૈ લાકિઅ અને ડિઝલના ભાવ સતત વધી રહ્યા છે તો બીજી તરફ છેલ્લા ૩ દિવસથી ક્રુડના ભાવ ઘટવા લાગ્યા છે. ક્રુડનો ભાવ ૧.૧ ટકો ઘટી ગયો છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ કનિદૈ લાકિઅ અને ડિઝલ સસ્તુ કરવાના અહેવાલ પર કહ્યુ છે કે તે સસ્તા નહી થાય. નાણા સચિવ હસમુખ અઢીયાએ કહ્યુ છે કે, બજેટમાં જેટલી એકસાઇઝ ડયુટી ઘટાડવામાં આવી એટલી જ સેસને વધારી દેવામાં આવી છે. આ સિવાય અત્યારે જીએસટીમાં આ બંનેને સામેલ કરવામાં થોડો સમય લાગશે. જો પેટ્રોલ અને ડિઝલના ભાવ આમને આમ વધતા ગયા તો મોંઘવારી વધતી રહેશે. જેના ઉપર કાબુ મેળવવાનું મુશ્કેલ બનશે. જેને કારણે સામાન્ય લોકોની હાલત કફોડી થઇ જશે. જે રીતે ભાવ વધે છે તે જોતા પેટ્રોલનો ભાવ ૮પ રૂ. થઇ શકે છે. ર૦૧૮માં બ્રિન્ટ ક્રુડનો સરેરાશ ભાવ ૬૪ ડોલર રહેવાનુ અનુમાન છે.(૩-૬) (10:30 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/07-02-2018/123621

IT રિટર્નમાં સામાન્ય ગરબડ પર હવે નહિ મળે નોટીસ
૧ એપ્રિલથી નિયમ લાગુઃ આંકડામાં ગરબડ હશે તો મળશે નોટિસ નવી દિલ્હી તા. ૭ : ઇનકમ ટેકસ રિટર્નમાં મામૂલી કનિદૈ લાકિઅ ગરબડને કારણે ઇનકમ ટેકસ વિભાગની નોટિસનો સામનો કરનારા લાખો ટેકસપેયર્સને મોટી રાહત મળવા જઈ રહી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેકટ ટેકસીસ (સીબીડીટી)એ કનિદૈ લાકિઅ શુક્રવારે અકિલા તેની જાણકારી આપી હતી. ફોર્મ-૧૬ (એમ્પલોયર દ્વારા) અને ફોર્મ ૨૬ એએસ (ઇનકમ ટેકસ વિભાગ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલું ટેકસ કનિદૈ લાકિઅ ક્રેડિટ સ્ટેટમેન્ટ)માં સામાન્ય ગરબડ થવા બદલ ટેકસપેયર્સને હવે નોટિસ નહિ મળે. અકીલા જોકે આંકડામાં મોટી ગરબડ કે શંકા જશે તો પહેલાંની જેમ જ નોટિસ કનિદૈ લાકિઅ આપવામાં આવશે. અગાઉ કોઈ પણ ટેકસપેયરને બેંકો અને અન્ય ફાઇનાન્શિયલ ટ્રાન્જેકશનનો ડેટા જો તેના દ્વારા આઈટીઆરમાં આપવામાં આવેલી જાણકારીથી કનિદૈ લાકિઅ થોડો પણ મેળ ખાતો નહોતો, તો તેમને ઇનકમ ટેકસ વિભાગ તરફથી નોટિસ મોકલવામાં આવતી હતી. હવે આવા ટેકસપેયર્સને રાહત આપવાની તૈયારી થઈ રહી છે. ઘણી કનિદૈ લાકિઅ વાર ટેકસપેયર્સ દ્વારા ફોર્મ ભરતી વખતે અજાણ્યે આંકડામાં મામૂલી ગરબડ થઈ જાય છે અને તેને આ કારણે ઘણી પરેશાનીનો સામનો કરવો પડે છે. આવા લોકોને કનિદૈ લાકિઅ રાહત આપવા માટે હાલમાં જ ફાઇનાન્શિયલ બિલમાં જોગવાઈ કરવામાં આવી છે. તેમાં ફોર્મ-૧૬ (એમ્પલોયર દ્વારા) અને ફોર્મ-૨૬ એએસ (ઇનકન ટેકસ વિભાગ દ્વારા કનિદૈ લાકિઅ પ્રાપ્ત કરવામાં આવેલું ટેકસ ક્રેડિટ સ્ટેટમેન્ટ)માં સામાન્ય ગરબડ થવા પર લોકોને રાહત આપવાની જોગવાઈ છે. આ નિર્ણયથી સૌથી વધુ સેલરિડ અને નાના ટેકસપેયર્સને રાહત મળવાની આશા વ્યકત થઈ રહી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેકટ ટેકસીસ (સીબીડીટી) ચેરમેન સુશીલ ચંદ્રાએ પીટીઆઈ સાથે વાત કરતા જણાવ્યું કે, 'આ પ્રકારના મામલે ડેટામાં સામાન્ય મિસમેચ થવા પર નોટિસ ન મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમે ટેકસપેયર્સ પર ભરોસો કરીએ છીએ અને ઇનકમ ટેકસ રિટર્ન ફાઇલિંગને સરળ બનાવવા પ્રયાસ કરી રહ્યા છે.' સુશીલ ચંદ્રાના અનુસાર, ૧ એપ્રિલ, ૨૦૧૮થી આ નવો નિયમ લાગુ કરી દેવાશે. હાલ આવકવેરા વિભાગના બેંગલુરૂ સ્થિત સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટરના આંકડા મિસમેચ થાય તો ટેકસપેયર્સને નોટિસ મોકલવામાં આવે છે. સુશીલ ચંદ્રાના અનુસાર આંકડામાં મોટો મિસમેચ કે શંકા થતાં પહેલેથી આપવામાં આવતી રહેશે.(૨૧.૧૦) (10:28 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/07-02-2018/123617

કોઇને જેલમાં મોકલતા પહેલા જ્જો માનવીય વલણ અપનાવેઃ સુપ્રિમ
આપરાધિક ન્યાયશાસ્ત્રની મહત્વની બાબતમાંથી એક એ છે કે જામીન આપવાનો સામાન્ય નિયમ છે અને વ્યકિતને કનિદૈ લાકિઅ જેલમાં નાખવો એ અપવાદ છેઃ જામીનની શરતો એટલી કઠોર હોવી ન જોઇએ કે તેનુ પાલન થઇ ન શકેઃ દુર્ભાગ્યથી આ પાયાના સિધ્ધાંતોમાંથી કેટલાકે દ્રષ્ટિ ગુમાવી કનિદૈ લાકિઅ દીધી છે અકિલા જેના કારણે વધુને વધુ લોકો લાંબા સમય સુધી જેલમાં રહે છે જે આપરાધિક ન્યાયશાસ્ત્ર અને સમાજ માટે યોગ્ય નથી નવી દિલ્હી કનિદૈ લાકિઅ તા.૭ : સુપ્રિમ કોર્ટે જણાવ્યુ છે કે, જામીન નહી મળવાને કારણે મોટી સંખ્યામાં અકીલા લોકોને લાંબા સમય સુધી જેલમાં પડયુ રહેવુ પડે છે જે આપરાધિક કનિદૈ લાકિઅ ન્યાયશાસ્ત્ર તથા સમાજ માટે સારૂ નથી. સુપ્રિમ કોર્ટે ન્યાયધીશોને કહ્યુ છે કે ધરપકડના આદેશ સંભળાવતી વખતે કરૂણા અને માનવીય વલણ અપનાવે. 'જમાનત કનિદૈ લાકિઅ કી જગહ જેલ'ને ન્યાયશાસ્ત્રનો કાયદો બનવાને ગંભીર ગણતા સુપ્રિમ કોર્ટે કહ્યુ છે કે જેલ મોકલવાના આદેશ આપતા પહેલા જ્જોએ માનવીય વલણ અપનાવવુ કનિદૈ લાકિઅ જોઇએ. ન્યાયમુર્તિ મદન બી. લોકુરની અધ્યક્ષતાવાળી બે સભ્યોની પીઠે કહ્યુ છે કે ન્યાયશાસ્ત્રનો મુળ એ છે કે લોકોને નિર્દોષ માની ચાલવુ જોઇએ. કનિદૈ લાકિઅ તેથી અદાલતે આરોપીને જેલમાં મોકલતા પહેલા કેટલાક બિંદુઓ ઉપર વિચારવુ જોઇએ. ન્યાયમુર્તિ લોકુર અને દિપક ગુપ્તાની ખંડપીઠે કહ્યુ છે કે જામીનની શરતો કનિદૈ લાકિઅ એટલી કઠોર હોવી ન જોઇએ કે તેનુ પાલન થઇ ન શકે અને જમાનત ભ્રમ થઇ જાય. ખંડપીઠે કહ્યુ છે કે, ન્યાયશાસ્ત્રની એક મહત્વની બાબત એ છે કે જામીન આપવાનો નિયમ છે અને જેલ કે સુધારગૃહ મોકલવાનુ અપવાદ છે પરંતુ દુઃખની વાત એ છે કે મુળ બાબતને નજર અંદાજ કરવામાં આવે છે. ખંડપીઠે કહ્યુ છે કે આજ કારણ છે કે લોકોને લાંબા સમય સુધી કેદમાં રહેવુ પડે છે  જે યોગ્ય નથી. ન તો ન્યાયશાસ્ત્ર માટે કે ન તો સમાજ માટે. સુપ્રિમ કોર્ટે કહ્યુ છે કે બંધારણની કલમ-ર૧ લોકોને સમ્માનજનક રીતે જીવવાનો હક્ક આપે છે એ બાબતને પણ ધ્યાનમાં રાખવી જોઇએ કે જેલમાં કેદીઓની ભીડ છે. જેથી મુશ્કેલી પડી શકે છે. સુપ્રિમ કોર્ટે આ ટિપ્પણી છેતરપીંડીના કેસમાં આરોપીની જામીન અરજી પર સુનાવણી દરમિયાન જણાવી હતી. ગોરખપુરની નીચલી અદાલત અને અલ્હાબાદ હાઇકોર્ટથી ધરપકડ સામે રક્ષણ ન મળવાને કારણે આરોપીએ સુપ્રિમના દ્વાર ખટખટાવ્યા હતા. પીઠે કહ્યુ છે કે જો જામીન આપવા કે ન આપવા સંપુર્ણ રીતે મામલા પર સુનાવણી કરી રહેલા ન્યાયધીશનો વિશેષાધિકાર છે પરંતુ ન્યાયીક વિશેષાધિકારના ઉપયોગને સુપ્રિમ કોર્ટ અને દેશની બધી હાઇકોર્ટે પોતાના અનેક ફેંસલાઓ થકી સીમીત કરેલ છે. પીઠે કહ્યુ છે કે જામીન અરજી પર ફેંસલો કરતી વેળાએ શું આરોપીની તપાસ દરમિયાન ધરપકડ થઇ છે ? તેનો ભુતકાળ, અપરાધમાં તેની કથિત ભુમિકા, તપાસમાં સામેલ થવાની તેની ઇચ્છા અને ગરીબી કે ગરીબનો દરજ્જો જેવી અનેક બાબતો ઉપર ધ્યાન આપવાની જરૂર છે. સુપ્રિમ કોર્ટે કહ્યુ છે કે સંક્ષિપ્ત કહીએ તો સંદિગ્ધ કે આરોપીને પોલીસ કે જેલમાં મોકલવા માટે અરજી પર વિચાર કરતી વખતે ન્યાયધીશે માનવીય વલણ અપનાવવાની જરૂર છે. (૩-૪) (10:30 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/07-02-2018/123620

UIDAIએ જારી કરી ચેતવણી... આધારનું લેમિનેશન કરાવશો તો નિરાધાર થઇ જશો!
નવી દિલ્હી તા. ૭ : જો તમે તમારા આધાર કાર્ડનું કોઈ દુકાનમાં લેમિનેશન કરાવ્યું છે કનિદૈ લાકિઅ અથવા પ્લાસ્ટિક સ્માર્ટ કાર્ડ તરીકે તમે ઉપયોગ કરો છો તો સાવધાન રહેજો. આમ કરવાથી તમારા આધાર કાર્ડનો કયુઆર કોડ કામ કરવાનું બંદ કરી દે તેવું કનિદૈ લાકિઅ બની શકે છે અકિલા અથવા તમારી વ્યકિતગત માહિતીની ચોરી પણ થઈ શકે છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આ પ્રકારના પ્લાસ્ટિક આધાર કાર્ડના કનિદૈ લાકિઅ ઉપયોગને લઈને ચિંતા વ્યકત કરી છે. યુઆઈડીએઆઈનું કહેવું છે કે આમ કરવાથી તમારી અકીલા મંજૂરી વગર તમારી માહિતી અન્ય સુધી પહોંચી શકે છે.   યુઆઈડીએઆઈએ કનિદૈ લાકિઅ કહ્યું કે આધારનો કોઈ પણ એક હિસ્સો અથવા મોબાઈલ આધાર સંપર્ણ રીતે વેલિડ છે. આધાર સ્માર્ટ કાર્ડ્સના પ્રિન્ટિંગ માટે રૂ.૫૦-રૂ.૩૦૦નો કનિદૈ લાકિઅ ખર્ચ થાય છે, જે સંપૂર્ણ રીતે બિન-જરૂરી છે. યુઆઈડીએઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, 'પ્લાસ્ટિક અથવા પીવીસી આધાર કાર્ડ્સ બિનજરૂરી હોય છે. કનિદૈ લાકિઅ તેમાં કયુઆર કોડ સામાન્ય રીતે કામ કરતું બંધ થઈ જાય છે. આ પ્રકારની બિન-અધિકૃત પ્રિન્ટિંગથી કયુઆર કોડ કામ કરવાનું બંધ કરી દે તેવું બની શકે કનિદૈ લાકિઅ છે.' આધાર એજન્સી દ્વારા નિવેદનમાં જણાવ્યા મુજબ, 'આ ઉપરાંત એવું પણ બની શકે કે તમારી મંજૂરી વગર અન્ય ખોટી વ્યકિતના હાથમાં તમારી વ્યકિતગત કનિદૈ લાકિઅ વિગતો પહોંચી જાય.' યુઆઈડીએઆઈના સીઈઓ અજય ભૂષણ પાંડેએ જણાવ્યું કે પ્લાસ્ટિકનું આધાર સ્માર્ટ કાર્ડ સંપૂર્ણ રીતે બિન-જરૂરી અને વ્યર્થ છે. સામાન્ય કાગળ પર ડાઉનલોડ કરેલું આધાર કાર્ડ અથવા મોબાઈલ આધાર કાર્ડ સંપૂર્ણ રીતે વેલિડ છે. પાંડેએ જણાવ્યું કે, 'સ્માર્ટ અથવા પ્લાસ્ટિક આધાર કાર્ડનો કોઈ કોન્સેપ્ટ નથી.' તેમણે સલાહ આપતા કહ્યું કે કોઈપણ બિન-અધિકૃત વ્યકિત પાસેથી આધાર નંબર આપવો જોઈએ નહીં. આટલું જ નહીં યુઆઈડીએઆઈએ આધાર કાર્ડ્સની વિગતો મેળવતી અનઅધિકૃત એજન્સીઓને પણ ચેતવણી આપતા કહ્યું કે આધાર કાર્ડની માહિતી પ્રાપ્ત કરવી અથવા તેનું ગેરકાયદે પ્રિન્ટિંગ કરવું સજાપાત્ર ગુનો છે. આવું કરનારને કાયદા હેઠળ સજા પણ થઈ શકે છે.(૨૧.૧૨) (10:29 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/07-02-2018/123619

મોદી સરકાર માત્ર સપના બતાડે છેઃ ૩૦ દિવસમાં પુરા કરવાના વચન ૩ વર્ષે પણ પુરા નથી કર્યાઃ અન્ના હઝારે
જબલપુરઃ સામાજીક કાર્યકર અન્ના હઝારેના મોદી સરકાર કનિદૈ લાકિઅ ઉપર પ્રહારોઃ સત્તામાં આવતા પહેલા સરકારે જે વચનો ૩૦ દિવસમાં પુરા કરવાના આપ્યા હતા તે ૩ વર્ષે પણ પુરા નથી થયાઃ બધા પક્ષો સત્તાથી પૈસા અને પૈસાથી કનિદૈ લાકિઅ સત્તા કમાવવામાં અકિલા લાગ્યા છેઃ મોદી સરકાર માત્ર સપના બતાવે છેઃ ૩૦ દિવસમાં કાળુ નાણુ ભારત લાવવા કહ્યુ હતુ, ૧પ-૧પ લાખ દરેકના ખાતામાં કનિદૈ લાકિઅ લાવી દેવાની વાત કહી હતી પરંતુ આજ સુધી ૧પ લાખ તો શું ૧પ રૂપિયા પણ નથી આવ્યાઃ અકીલા હું સરકારને ઘેરવા ર૩ માર્ચથી આંદોલન કરીશઃ જે થકી ખેડુતોની કનિદૈ લાકિઅ દશા સુધારવા અને લોકપાલ ખરડો લાવવાની માંગ કરાશે. (10:31 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/07-02-2018/123622


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો



સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો

2 કિલો વોટ - 1,38,000/-
(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)

30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-

ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-

રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ

જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*
ગુજરાત
સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)




Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Holy Tally Mobile App

Offer Time :- 02 Feb 2018 to 28 Feb 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135



 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application





1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment