સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday 3 February 2018

બજેટમાં ખેડૂતો માટે કંઇ નથી, દેશવ્યાપી આંદોલન કરવામાં આવશે : ખેડૂત સંગઠનોની ચીમકી - જાણો શું છે આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર ઍક્ટ? અને કાશ્મીર સિવાય કયા કયા રાજ્યોમાં તે લાગુ છે - જેટલીના વાયદા બજારથી શેરબજારમાં કડાકો: પાંચ લાખ કરોડનું ધોવાણ - સેન્સેક્સમાં કડાકો મોદી સરકારના બજેટ સામે અવિશ્વાસ પ્રસ્તાવ : રાહુલ - જેટલીના ખિસ્સામાં સ્વાસ્થ્ય વીમા માટે બે હજાર કરોડ, બણગાં ૧૧૦૦૦ કરોડનાં! - એનડીએના બજેટથી સાથી પક્ષો નારાજ, શિવસેના બાદ ટીડીપી છેડો ફાડવાની તૈયારીમાં - સ્ટાન્ડર્ડ ડિડકશનથી માત્ર રૂ.પ૮૦૦નો જ ફાયદોઃ હવે રૂ.ર.પ૦ લાખ નહિ પરંતુ રૂ.ર,પપ,૮૦૦ સુધીની વાર્ષિક આવક ટેકસ ફ્રીઃ મેડીકલ અને ટ્રાન્સપોર્ટની ૩૪,ર૦૦નો ફાયદો કનિદૈ લાકિઅ પરત લઇ લેવાયો છે

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Holy Tally Mobile App

Offer Time :- 02 Feb 2018 to 28 Feb 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

બજેટમાં ખેડૂતો માટે કંઇ નથી, દેશવ્યાપી આંદોલન કરવામાં આવશે : ખેડૂત સંગઠનોની ચીમકી 
- કાગળ પર ખેતી જેવા સરકારના બજેટથી ખેડૂતોમાં ભારે નારાજગી - પાક.ના ઉત્પાદન ખર્ચની ગણતરી કરવાની સરકારની વર્તમાન પદ્ધતિ છેતરામણી રેલવે કર્મચારી સંગઠનો પણ નારાજ, બજેટને મજુુરો-કર્મચારીઓ વિરોધી ગણાવ્યું નવી દિલ્હી, તા. 2 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર સરકારે જે બજેટ જારી કર્યું છે તેને લઇને ખેડૂતો નારાજ છે અને ખેડૂતોની સમસ્યાઓને પહોંચી વળવા માટે કોઇ જ યોગ્ય અને નક્કર જાહેરાત ન થઇ હોવાની ફરીયાદો ઉઠી છે. અનેક ખેડૂત સંગઠનોએ દેશભરમાં વિરોધ પ્રદર્શનો કરવાની ચેતવણી જારી કરી છે. ખેડૂતોના વિવિધ સંગઠનો સાથે સંકળાયેલા સ્વરાજ ઇન્ડિયા અભિયાનના પ્રમુખ યોગેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે સરકારે બજેટમાં એવા દાવા કર્યા છે કે ખેડૂતોનું હીત બજેટમાં ધ્યાનમાં રાખવામાં આવ્યું છે, જોકે ખરેખર સરકાર ખેડૂતોને મુર્ખ બનાવી રહી છે. કેમ કે કોઇ જ નક્કર પગલા બજેટમાં નથી. યોગેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે સરકાર એવા દાવા કરે છે કે અમે ખરીફ પાકના ઉત્પાદન ખર્ચ કરતા ભાવ ૫૦ ટકા વધુ આપીશું. પણ વાસ્તવીક્તા એ છે કે સરકાર આ ઉત્પાદન ખર્ચની ગણતરી જ ખોટી રીતે કરી રહી છે. અને તેનાથી ખેડૂતોને કોઇ જ ફાયદો નથી. જો ખરેખર સરકાર ઇચ્છતી હોય તો સ્વામીનાથક કમીશનની ભલામણો લાગુ કરે કે જેમાં ખેડૂતોના લાભ અને હીત માટે અનેક જોગવાઇઓ છે. સરકાર ખેતીમાં સુધારા કરવામાં પણ નીષ્ફળ રહી છે અને વાતો ખેડૂતોની આવક બમણી કરવાની કરે છે. યોગેન્દ્ર યાદવે સરકારની ટીકા કરતા કહ્યું હતું કે ખુદ ઇકોનોમિક સર્વેમાં એ બહાર આવી ચુક્યું છે કે દેશમાં કૃષીની સ્થિતિ સાવ નબળી પડી ગઇ છે. આ સર્વે મુજબ છેલ્લા ચાર વર્ષમાં દેશનો કૃષી વીકાસ દર છેલ્લા ૨૫ વર્ષમાં સૌથી નીચલી સપાટીએ છે. અને ખેડૂતોની આવક વધવાને બદલે ઘટી રહી છે. ગયા વર્ષે દિલ્હીમાં અનેક રાજ્યોમાં હજારો ખેડૂતો એકઠા થયા હતા. જેમાં યોગેન્દ્ર યાદવે પણ નેતાગીરી લીધી હતી. યોગેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં દેશવ્યાપી ખેડૂત આંદોલન ચલાવવામાં આવશે. સરકારે અગાઉ કરતા આ બજેટની રકમમાં ૧૩ ટકાનો વધારો કર્યો છે પણ કૃષી બજેટમાં ૧૧ ટકાનો જ વધારો કરાયો છે. આગામી માર્ચ મહિનામાં દેશભરના ૧૮૦ ખેડૂત સંગઠનો સરકારની નીતીઓ સામે બાયો ચડાવશે અને દેશવ્યાપી આંદોલન કરશે તેવી ચીમકી પણ યોગેન્દ્ર યાદવે આપી હતી.  ખેડૂતોની આત્મહત્યા રોકવા માટે તેમજ દેવા અંગે કોઇ જ નક્કર જાહેરાત બજેટમાં નથી કરવામાં આવી, કિસાન ક્રેડીટને વધારવાના પ્રયાસો થશે તેવા વચનો સરકારે આપ્યા છે. બીજી તરફ રેલવે કર્મચારીઓ પણ સરકારના બજેટથી નારાજ છે. રેલવે કર્મચારી સંગઠને જણાવ્યું હતું કે આ બજેટમાં મજુરો માટે કંઇ જ નથી, આ મજુર વીરોધી બજેટ છે. દેશના વિકાસ માટે ભારે મહેનતપૂર્વક કામ કરી રહેલા મજુરો માટે કોઇ જ જોગવાઇ નથી.  આ ખરેખર બહુ જ નીરાશાજનક બજેટ કોઇ જ મહત્વની જાહેરાત નથી થઇ.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/there-is-nothing-for-the-farmers-in-the-budget-farmer-organizations-chime

જાણો શું છે આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર ઍક્ટ? અને કાશ્મીર સિવાય કયા કયા રાજ્યોમાં તે લાગુ છે
 - આસામ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ, મેઘાલયમાં પણ આ કાયદો લાગુ J&K, તા. 3 ફેબ્રુઆરી શનિવાર કાશ્મીરમાં અશાંત ધારાનો વિવાદ આજકાલ જોર પકડી રહ્યો છે. ત્યારે સામાન્ય રીતે પ્રશ્ન ઉઠે કે આ અશાંતધારો શું છે? અને તે ભારતમાં કાશ્મીર સિવાય ક્યા ક્યા લાગૂ છે. આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર ઍક્ટ (AFSPA) ઉપદ્રવથી ઘેરાયેલા નોર્થ-ઇસ્ટમાં સેનાને કાર્યવાહીમાં મદદ માટે 11 સપ્ટેમ્બર, 1958ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જ્યારે 1989માં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદે માથુ ઊંચક્યું ત્યારે 1990માં તેને ત્યાં પણ લાગુ કરવામાં આવ્યો. શું છે અશાંત ધારો? - જ્યારે સંબંધિત રાજ્યની સરકાર તે વિસ્તારને અશાંત વિસ્તાર જાહેર કરે છે ત્યારે અશાંત ધારો લાગુ કરવામાં આવે છે. - બંધારણમાં અશાંત વિસ્તાર કાયદો એટલે કે ડિસ્ટર્બ્ડ એરિયા ઍક્ટ છે, - જે હેઠળ કોઇ વિસ્તારને અશાંત જાહેર કરી શકાય છે. - જે વિસ્તારને અશાંત જાહેર કરી દેવામાં આવે છે - આ કાયદો લાગુ કરી શકાય છે અને તે લાગુ થયા બાદ ત્યાં સેના અથવા સશસ્ત્ર દળો મોકલવામાં આવે છે. - કાયદો લાગુ કરવાનો ફેંસલો અથવા રાજ્યમાં સેના મોકલવાનો ફેંસલો દિલ્હીએ નહીં, રાજ્ય સરકારે કરવો પડે છે. - જો રાજ્યની સરકાર એવું એલાન કરી દે કે હવે રાજ્યમાં શાંતિ છે તો આ કાયદો આપોઆપ પાછો ખેંચાઇ જાય છે. - સેના સ્થિતિ જોઇને બેરેકોમાં ચાલી જાય છે. - કાશ્મીર સિવાય આસામ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ, મેઘાલયમાં પણ આ કાયદો લાગુ છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/know-what-is-armed-force-special-power-act-and-indias-which-state-enforcement-this-law

જેટલીના વાયદા બજારથી શેરબજારમાં કડાકો: પાંચ લાખ કરોડનું ધોવાણ 
- ૧૦ ટકા લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની જોગવાઇ પાછળ ચોમેરથી ગભરાટભરી વેચવાલી - કામકાજના અંતે સેન્સેક્સમાં ૮૪૦ પોઇન્ટનું ગાબડું પડતા ૩૫૦૬૬ નિફ્ટી પણ ૨૫૬ પોઇન્ટના કડાકાના પગલે ૧૦ અમદાવાદ, તા. 2 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર બજેટની આતુરતાપૂર્વક રાહ જોતા શેરબજારમાં આજે બજેટમાં રજૂ થયેલા લોંગટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સની જોગવાઈઓના પગલે ચોમેરથી નીકળેલી વેચવાલીના દબાણના પગલે આજે શેરબજારમાં ધબડકો બોલી જવા પામ્યો તો. વેચવાલીના ભારે દબાણને પગલે આજે સેન્સેક્સમાં ૨૪ ઓગસ્ટ, ૨૦૧૫ પછીનો સૌથી મોટો ૮૪૦ પોઇન્ટનો કડાકો નોંધાયો હતો. જેના પગલે એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં (બીએસઇ માર્કેટ કેપ) રૃા. ૫ લાખ કરોડનું ધોવાણ થઈ જવા પામ્યું હતું. નાણાં મંત્રી જેટલીએ ઇક્વિટી પર ૧૦ ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ તેમ ઇક્વિટી ફંડો પર પણ ૧૦ ટકા ટેક્સની જોગવાઈ રજૂ કર્યાના અહેવાલોની સામાન્ય રોકાણકાર સહિત તમામ રોકાણકારોના માનસ ઉપર પ્રતિકૂળ અસર થવા પામી હતી અને ચોમેરથી ગભરાટભરી વેચવાલીનું દબાણ આવતા શેરોની જાતજાતમાં પીછેહઠ જોવા મળી હતી. આ ઉપરાંત રેટિંગ એજન્સી ફિન્ચ દ્વારા આજે ભારે દેવાનું દબાણ ભારતના રેટિંગ અપગ્રેડ સામે અડચણરૃપ હોવાનું જમાવતા બળતામાં ઘી હોમાયું હતું. આજે ૨૪ ઓગસ્ટ ૨૦૧૫ પછીનો એટલે કે ૨૯ માસનો સૌથી મોટો કડાકો નોંધાયો હતો. ૨૪ ઓગસ્ટ ૨૦૧૫ના દિવસે સેન્સેક્સ ૧૬૨૪.૫૧ પોઇન્ટનો કડાકો નોંધાયો હતો.આજે ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે સેન્સેક્સ એક તબક્કે ઇન્ટ્રા ડે ૯૦૦.૧૯ પોઇન્ટ તૂટીને ૩૫૦૦૬.૪૧ સુધી ઉતરી આવ્યા બાદ કામકાજના અંતે ૮૩૯.૯૧ પોઇન્ટ તૂટીને ૩૫૦૬૬.૭૫ની સપાટીએ નરમ રહ્યો હતો. બીજી તરફ એન.એસ.ઇ.નો નિફ્ટી પણ ઇન્ટ્રા ડે ૧૦૭૩૬. પોઇન્ટ સુધી ખાબક્યા બાદ કામકાજના અંતે ૨૫૬.૩૦ પોઇન્ટ તૂટીને ૧૦૭૬૦.૭૦ની સપાટીએ નરમ રહ્યો હતો. સેન્સેક્સમાં બોલેલા ૮૪૦ પોઇન્ટના કડાકાના પગલે આજે એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં (લિસ્ટેડ કંપનીઓના માર્કેટકેપ) રૃા. ૪.૫૯ લાખ કરોડનું ધોવાણ થતા અંતે તે રૃા. ૧૪૮.૫૪ લાખ કરોડ રહ્યું હતું. આજે વિદેશી રોકાણકારોએ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૃા. ૧૯૮૮ કરોડની વેચવાલી હાથ ધરી હતી. બીજી તરફ સ્થાનિક સંસ્થાઓ દ્વારા રૃા. ૫૦૯ કરોડની વેચવાલી હાથ ધરાઈ હતી. RBIની ધિરાણ નીતિ પૂર્વે બોન્ડ યીલ્ડ વધીને ૭.૬૦ ટકા પહોંચી ભારતીય બોન્ડ માર્કેટમાં બેન્ચમાર્ક ૧૦ વર્ષીય બોન્ડની યીલ્ડ ૮ બેસિસ પોઇન્ટ વધીને ૭.૬૦ ટકા થઈ છેલ્લે ૭.૪૯ ટકા રહી હત. આ યીલ્ડમાં છેલ્લે ૭.૫૫ ટકાના દરે ટ્રેડિંગ થયું હતું. જ્યારે યુ.એસ. ટ્રેઝરી રેટ ૨.૮૪ ટકા પહોંચ્યો હતો. મળતા અહેવાલો મુજબ ઓપન માર્કેટમાંથી સરકારી બોન્ડની ખરીદી હાથ ધરવાની રિઝર્વ બેંકે સરકાર સાથે કોઈ વાટાઘાટ કરી રહી નથી. અગાઉ આ પ્રકારની બોન્ડની ખરીદી યોજવાના અહેવાલો વહેતા થયા હતા. તેના પગલે આ ઉછાળો નોંધાયો હતો. રિઝર્વ બેંકની તા. ૬/૭ ફેબુ્રઆરીની ધિરાણ નીતિની સમીક્ષા પૂર્વે બોન્ડ રોકાણકારોમાં એવી ચિંતા ઉદ્ભવી છે કે બજેટની રજૂઆત બાદ રિઝર્વ બેંક ફુગાવા બાબતે આકરું વલણ અપનાવશે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/jaitley-s-futures-market-collapses-rs-5-lakh-crore-erosion

સેન્સેક્સમાં કડાકો મોદી સરકારના બજેટ સામે અવિશ્વાસ પ્રસ્તાવ : રાહુલ 
- રાહુલે ટોણા સાથે 'બસ એક સાલ ઔર' ટ્વિટ કરીને મોદી સરકારનું આ અંતિમ બજેટ ગણાવ્યું નવી દિલ્હી, તા. 2 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર બજેટની અસરને પગલે સેંસેેક્સમાં આવેલા કડાકાને લઇને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટોણો માર્યો હતો. અને જણાવ્યું હતું કે સેન્સેક્સમાં આવેલા ૮૪૦ પોઇન્ટના કડાકા પરથી એ પુરવાર થાય છે કે સેન્સેક્સ મોદી સરકારના બજેટથી ખુશ નથી. આ મોદી સરકાર વિરુદ્ધનો અવિશ્વાસ પ્રસ્તાવ છે. રાહુલે ટોણો મારતા કહ્યું હતું કે સેંસેક્સમાં કડાકો ખરેખર મોદી સરકારના બજેટ વિરુદ્ધનો અવિશ્વાસ પ્રસ્તાવ છે. બજેટ રજુ થયા બાદ ખુલેલા બજારોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો. એક તરફ સેંસેક્સમાં ૮૪૦ પોઇન્ટનો કડાકો આવ્યો જ્યારે બીજી તરફ નિફ્ટીમાં ૨૫૬ પોઇન્ટનો કડાકો જોવા મળ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે સંસદીય ભાષામાં સેંસેક્સ ૮૪૦ પોઇન્ટનો મોટો કડાકો મોદી સરકારના બજેટની વિરુદ્ધનો અવિશ્વાસ પ્રસ્તાવ છે. ટ્વિટ કરીને રાહુલે આ ટોણો માર્યો હતો. સાથે રાહુલે પોતાના ટ્વિટમાં હેશટેગ સાથે એમ પણ લખ્યું હતું કે હસ એક ઔર સાલ. અગાઉ રાહુલે કહ્યું હતું કે મોદી સરકારનું આ બજેટ હવે આખરી સાબીત થશે. ચાર વર્ષ વીતી ગયા તો પણ હજુ સરકાર માત્ર વચનો જ આપી રહી છે. નક્કર પગલા કોઇ જ નથી લીધા. યુવાઓને રોજગારી નથી મળી, ખેડૂતોને પણ કોરા વચનો જ આપ્યા. માત્ર ફેંસી સ્કીમો જ બનાવવામાં આવી.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/rahul-gandhi-s-proposal-for-anti-modi-budget-sensex

જેટલીના ખિસ્સામાં સ્વાસ્થ્ય વીમા માટે બે હજાર કરોડ, બણગાં ૧૧૦૦૦ કરોડનાં! 
- પૈસા વગરની યોજના દોરી વગરની પતંગ ઊડાવવા જેવું : ચિદમ્બરમ નવી દિલ્હી, તા. 2 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે પોતાનું પાંચમુ બજેટ જારી કર્યું છે. જોકે બજેટની એક યોજના ભારે વિવાદોમાં આવી ગઇ છે. પ્રધાન મંત્રી સ્વાસ્થ્ય વિમા યોજનામાં સરકારે એવી જાહેરાત તો કરી દીધી કે અમે આશરે ૧૦ કરોડ ગરીબ પરિવારને વાર્ષીક પાંચ લાખનો સ્વાસ્થ્ય વિમો આપીશું. જેનો ઉપયોગ ગંભીર બિમારોની સારવાર માટે કરી શકાશે. જોકે સૌથી મોટો સવાલ એ થાય છે કે આ વિમાના પૈસા ક્યાં છે? સરકારે બજેટમાં પણ તેનો કોઇ જ ઉલ્લેખ નથી કર્યો અને આટલી મોટી રકમ વાળી યોજના પાછળ માત્ર ૨૦૦૦ કરોડ રૃપિયાની જ ફાળવણી કરી છે. હાલ યોજનાનો લાભ નહીં મળે, ઓગસ્ટ કે ઓક્ટોબરમાં અમલ શરુ કરાય તેવી શક્યતા છે. બીજી બાજુ ખુદ સરકારના અધિકારીઓ જણાવી રહ્યા છે કે આ યોજના પાછળ આશરે ૧૧,૦૦૦ કરોડ રૃપિયાનો ખર્ચ થઇ શકે છે. જ્યારે સરકારે તો માત્ર ૨૦૦૦ની રકમ જ ફાળવી છે. જેને પગલે વિપક્ષે પણ આ યોજનાને મોદી સરકારનો એક જુમલો જ ગણાવ્યો છે. પી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે સરકારે અને નાણા પ્રધાન જેટલીએ ખુદ એ પુરવાર કરી દીધુ કે સરકાર પાસે આ યોજનાના અમલ માટે પૈસા જ નથી. સરકાર લોકોને એવી યોજનાઓના સપના દેખાડી રહી છે કે જેનો અમલ કરવો શક્ય જ નથી કેમ કે યોજનાના અમલ માટે પૈસા જ નથી. એક પરીવાર પાછળ આશરે ૧૧૦૦ રૃપિયાનો ખર્ચ થશે. જોકે ૧૦ કરોડ પરીવાર સુધી આ યોજનાનો લાભ પહોંચાડવો હોય તો તેના માટે વર્ષે ૧૧,૦૦૦ કરોડ રુપિયાની જરુર પડે. જેટલીએ પોતાના બજેટમાં દાવો કર્યો હતો કે આશરે ૧૦ કરોડ ગરીબ પરીવારને પાંચ લાખ રૃપિયાનો સ્વાસ્થ્ય વિમો આપવામાં આવશે. બીજી તરફ જેટલીએ એવી કોઇ જ સ્પષ્ટતા નહોતી કરી કે આ વિમાના પૈસા ક્યાંથી આવશે અને સરકાર કેવી રીતે તેની ફાળવણી કરશે ? જેને પગલે પૂર્વ નાણા પ્રધાન ચિદમ્બરમે જણાવ્યું હતું કે જો સરકારે જાહેર કરેલી યોજનાનો અંદાજ મુકીએ તો જણાશે કે દર પરિવાર દીઠ વર્ષે આશરે પાંચથી ૧૫ હજારનો ખર્ચ થાય, આટલા પૈસા લાવશો ક્યાંથી? સરકાર માત્ર મુર્ખ બનાવી રહી છે. આ યોજના પણ માત્ર અને માત્ર જુમલો જ છે. પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમે ટોણો મારતા કહ્યું હતું કે કોઇ પણ યોજના માટે જો પૈસા જ ન હોય તો તેના હાલ દોરી વગરની પતંગ ઉડાવવા જેવા થાય. મોદી સરકાર જે સ્વાસ્થ્ય વિમા યોજના લાવી છે તેની સ્થિતિ પણ આવી જ છે. આ યોજના ચલાવવા માટે પૈસા જ નથી તેનો મતલબ એ થયો કે યોજનાથી કોઇને ફાયદો નહીં થાય માત્ર કાગળ પર જ સરકાર વાતો કરી રહી છે. ચિદમ્બરમે જણાવ્યું હતું કે પૈસા વગરની યોજના દોરી વગર પતંગ ઉડાવવા જેવું છે, જોકે મોદી સરકાર પાસે તો પતંગ પણ નથી અને દોરી પણ નથી. આ યોજનાનો કોઇ જ હેતુ નથી. વિપક્ષ એ સવાલ પણ ઉઠાવી રહ્યો છે કે સરકારી હોસ્પિટલોમાં જ સારવારની સુવિધા નથી આવી સ્થિતિમાં આવી યોજનાઓ કેટલી કારગર સાબીત થશે? પીએચસી, સીએચસી સેન્ટરોમાં ડોક્ટરોની અછત છે, ઇમર્જન્સી સેવા પણ ગ્રામીણ વિસ્તારોમાં નથી, ખાસ કરીને હાર્ટ એટેક જેવી બિમારીમાં ગ્રામીણ જનતાએ આજે પણ મોટા શહેર પર નિર્ભર રહેવુ પડે છે. અને મોટા શહેરોમાં આવેલી સીવીલ હોસ્પિટલોમાં પણ સારવારની સુવીધાનો મોટો અભાવ છે. ઉત્તર પ્રદેશની હોસ્પિટલમાં ઓક્સિજનની પણ અછત જોવા મળી અને અનેક બાળકો મોતને ભેટયા હતા.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/jaitley-has-two-thousand-crores-for-health-insurance-in-the-pocket

એનડીએના બજેટથી સાથી પક્ષો નારાજ, શિવસેના બાદ ટીડીપી છેડો ફાડવાની તૈયારીમાં 
- બજેટથી નાખુશ વિપક્ષો સાથે હવે એનડીએના સાથી પક્ષો પણ વિફર્યા - ગુજરાતની ગ્રામીણ જનતાની લપડાકની અસર બજેટમાં જોવા મળી : શીવસેના લોકસભા જીતવા આપેલા વચનો જેવું જ આ બજેટ છે તેવો દાવો નવી દિલ્હી, તા. 2 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર એનડીએ સરકારના બજેટથી ખુદ તેમના જ સાથી પક્ષો નારાજ છે. શીવસેનાએ બજેટની ટીકા કરી છે સાથે ચેતવણી પણ આપી છે કે ભાજપ સરકાર ગ્રામીણ જનતા પર ધ્યાન આપે. તો વળી એનડીએના અન્ય સાથી પક્ષ ટીડીપીએ પણ બજેટ અંગે ભારે નારાજગી વ્યક્ત કરી છે અને ભાજપ વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી. શુક્રવારે ટીડીપીના અધ્યક્ષ અને આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુએ શુક્રવારે એક ઇમર્જન્સી બેઠક પણ બોલાવી હતી. બીજી તરફ ટીડીપીના એક સાંસદે ભાજપ સામે વિરોધ અભિયાન છેડવાની જાહેરાત કરી દીધી છે. જેને પગલે આ બજેટથી ખુદ ભાજપના જ સાથીપક્ષોએ તેને ઘેર્યો છે.  તો શીવસેનાએ ભાજપને ચેતવણી આપી છે કે ગ્રામીણ મતદારોની અવગણના ન કરે. શીવસેનાના મુખપત્ર સામનામાં છપાયેલા એક આર્ટિકલમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતની ચૂંટણી પરથી એ પુરવાર થયું કે ભાજપથી ગ્રામીણ જનતા નારાજ છે, અને તેને કારણે જ આ વખતના બજેટમાં ગ્રામીણ જનતાને વધુ ધ્યાનમાં રાખી ફરી વખત માત્ર વચનો જ આપ્યા છે. શીવસેનાએ દાવો કર્યો હતો કે મોદી સરકારના આ બજેટમાં પણ અગાઉના તેના બજેટમાં જે હતું તે જ છે. માત્ર સરકાર મોટી મોટી વાતો કરી છે. લોકોને સપના દેખાડીને સત્તા મેળવનારી ભાજપે બજેટમાં પણ માત્ર સપના જ દેખાડયા. આખા બજેટમાં ક્યાંય પણ મોંઘવારી શબ્દનો ક્યાંય પણ ઉલ્લેખ ન કર્યો. કેમ  કે અગાઉની સરકારને મોંઘવારીને કારણે જ લોકોએ હરાવી હતી અને હવે આ સરકારમાં પણ મોંઘવારી વધી છે. સરકારે જે બજેટ રજુ કર્યું છે તેમાંથી સરકાર ગ્રામીણ યોજનાઓ પર આશરે ૧૪.૩૪ લાખ કરોડ ખર્ચ કરવાનું વચન આપી રહી છે. બીજી તરફ શીવસેનાની જેમ જ ભાજપના અન્ય સાથી પક્ષ ટીડીપીએ પણ એક બેઠક શુક્રવારે બોલાવી હતી. જેમાં એ નક્કી કરવાનું હતું કે એનડીએ સાથે ટીડીપી ગઠબંધન રાખે કે નહીં. અગાઉ શીવસેનાએ તો જાહેરાત કરી દીધી છે કે તે લોકસભાની ચૂંટણી એકલા લડશે. એનડીએ સાથે ગઠબંધન નહીં કરે. આવી જ જાહેરાત ટીડીપી પણ કરી શકે છે. રવીવારે ટીડીપીને સંસદીય બોર્ડની બેઠક પણ યોજાવાની છે. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ટીડીપી હાલ ભાજપના વર્તમાન બજેટથી નારાજ છે. આંધ્ર પ્રદેશને આ બજેટમાં અવગણવામાં આવ્યું હોનાના દાવા સાથે ટીડીપીએ નારાજગી વ્યક્ત કરી હતી. નાયડુએ ટીડીપીના સાંસદોને કહ્યું કે અમે જનતાને એ જણાવીશું કે કેવી રીતે કેન્દ્રની ભાજપ સરકારે બજેટમાં આંધ્ર પ્રદેશની અવગણના કરી છે. આમ એનડીએ સરકારથી બજેટથી હવે તેના જ સાથી પક્ષો નારાજ છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/after-the-shiv-sena-preparations-to-tear-down-the-tdp

સ્ટાન્ડર્ડ ડિડકશનથી માત્ર રૂ.પ૮૦૦નો જ ફાયદોઃ હવે રૂ.ર.પ૦ લાખ નહિ પરંતુ રૂ.ર,પપ,૮૦૦ સુધીની વાર્ષિક આવક ટેકસ ફ્રીઃ મેડીકલ અને ટ્રાન્સપોર્ટની ૩૪,ર૦૦નો ફાયદો કનિદૈ લાકિઅ પરત લઇ લેવાયો છે 
જેટલીએ ચતુરાઇથી કરદાતાઓને મામા બનાવ્યા હોવાનો સુરઃ કરદાતાને વાસ્તવિક રૂ.૩પનો જ ફાયદો (૧૧૬૦-૧૧રપ): સમજો આંકડાની માયાજાળઃ કનિદૈ લાકિઅ વર્ષે પ લાખ અકિલા સુધીની આવકવાળાએ અગાઉ ૮૦ર૪નો ટેકસ ભરવો પડતો જયારે હવે ૭૮૦૦નો ભરવો પડશેઃ માત્ર રર૪નો ફાયદો નવી દિલ્હી તા.૩ : નાણામંત્રી કનિદૈ લાકિઅ અરૂણ જેટલીએ વર્તમાન સરકારનું અંતિમ પુર્ણ બજેટ તાજેતરમાં રજુ કર્યુ હતુ. અકીલા બજેટ આંકડાઓનો ખેલ છે જેને સમજવાનુ સરળ નથી. જેટલીએ ટેકસ કનિદૈ લાકિઅ સ્લેબમાં ફેરફાર નથી કર્યો પરંતુ સેસ ૧ ટકો વધારી દીધો છે સાથોસાથ સરકારે સ્ટાન્ડર્ડ ડિડકશન હેઠળ ૪૦,૦૦૦ રૂ.ની છુટ આપી છે પરંતુ અત્યાર સુધી કનિદૈ લાકિઅ મળતા ટ્રાન્સપોર્ટ અને મેડીકલ અને રીઅમ્બર્સમેન્ટ તથા અન્ય ભથ્થાઓને સમાપ્ત કરી દીધા છે જેને કારણે દર વર્ષે ૧પ,૦૦૦ રૂ. સુધીનો મેડીકલ એલાઉન્સ કનિદૈ લાકિઅ ટેકસ ફ્રી મળતો હતો સાથોસાથ ટ્રાન્સપોર્ટમાં પણ ૧૯,ર૦૦ રૂ.ની છુટ મળતી હતી. હવે આ બંને છુટને સમાપ્ત કરી દેવામાં આવી છે તો સ્ટાન્ડર્ડ ડિડકશન કનિદૈ લાકિઅ હેઠળ રૂ.પ૮૦૦ની વધારાની છુટ આપવામાં આવી રહી છે જેને કારણે હવે ર.પ૦ લાખ નહી પરંતુ ર,પપ,૮૦૦ રૂ. સુધીની વાર્ષિક આવક ટેકસ ફ્રી થઇ જશે. નાણામંત્રીએ કનિદૈ લાકિઅ બજેટમાં ટેકસના મોરચે મધ્યમવર્ગને કોઇ રાહત આપી નથી. આયકર છુટની સીમામાં કોઇ ફેરફાર નથી કર્યો પરંતુ તેની જગ્યાએ સ્ટાન્ડર્ડ ડિડકશન પાછુ લાવ્યા છે. સ્ટાન્ડર્ડ ડિડકશનથી કરદાતાને રૂ.પ૮૦૦નો ફાયદો થશે કારણ કે ૧૯,ર૦૦નું ટ્રાન્સપોર્ટ એલાઉન્સ પાછુ લેવાયુ છે અને ૧પ૦૦૦ રૂ.ના મેડીકલ એલાઉન્સ પર મળતો ટેકસ બેનીફીટ પણ પાછો ખેંચી લેવાયો છે. આ બંને પરત લઇ લેવાતા હવે તમને સ્ટાન્ડર્ડ ડિડકશનને કારણે પ૮૦૦નો જ ફાયદો થશે. મેડીકલ એલાઉન્સ તરીકે ૧પ૦૦૦ અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ તરીકે ૧૯,ર૦૦ મળતા હતા આ બંનેનો સરવાળો કરીએ તો ૩૪,ર૦૦ રૂ. થાય. હવે સ્ટાન્ડર્ડ ડિડકશનની ૪૦,૦૦૦ રૂ.ની સીમાથી ઘટાડીએ તો તમને માત્ર પ૮૦૦નો ફાયદો થશે. જો તમે ર૦ ટકાના સ્લેબમાં આવતા હો તો તમને રૂ.૧૧૬૦નો જ ફાયદો થશે અર્થાત પ૮૦૦ (૪૦,૦૦૦-૩૪,ર૦૦) એટલે કે માત્ર ૧૧૬૦નો ફાયદો. એજયુકેશન સેસ ૩ ટકાથી વધારી ૪ ટકા કરી દેવામાં આવી છે તેથી જો તમારી આવક ૧૦ લાખ રૂપિયા હોય તો તમારે ૧,૧ર,પ૦૦નો ટેકસ ભરવો પડે એટલે કે ૧ ટકો એડીશ્નલ ટેકસ ગણતા રૂ.૧૧રપ થાય. પરિણામે રૂ.૩પ (૧૧૬૦-૧૧રપ)નો જ માત્ર ફાયદો થાય છે. માની લ્યો કે તમારી વાર્ષિક આવક પ લાખ રૂપિયા છે તો ઇન્કમટેકસને લઇને તે માત્ર રર૪ રૂ.ની બચત કરી શકશે. અગાઉ ૮૦ર૪નો ટેકસ ભરવો પડતો હતો તે હવે ૭૮૦૦ ટેકસ ભરવો પડશે. (12:03 pm IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/03-02-2018/123342


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....



સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો

2 કિલો વોટ - 1,38,000/-
(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)

30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-

ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-

રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ

જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*
ગુજરાત
સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)




Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Holy Tally Mobile App

Offer Time :- 02 Feb 2018 to 28 Feb 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment