સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday 6 January 2018

પાટીદાર સમાજ યુવાનોને જોબ સીકર નહી પરંતુ જોબ ગીવર બનાવે: CM - આધારની મદદથી પકડાયા ૮૦,૦૦૦ 'નકલી' શિક્ષકો - નેતા વિપક્ષ પદે પરેશ ધાનાણીનું નામ નક્કી, રાહુલને મળવા પહોંચ્યા દિલ્હી - J&K: સોપોરમાં આતંકીઓ દ્વારા IED બ્લાસ્ટ, 4 પોલીસકર્મી શહીદ - ચીનનું ભારત પર ધાક જમાવવાનું નવું કાવતરું: PAKમાં બનાવશે નેવી બેઝ - પાકિસ્તાનમાં બે હિન્દુ વેપારી ભાઈઓની ગોળી મારી કરી હત્યા - ૬ મહિનામાં ખેડુતો માટે વિજળીની અલગ ફિડર લાઇન

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

પાટીદાર સમાજ યુવાનોને જોબ સીકર નહી પરંતુ જોબ ગીવર બનાવે: CM


સંચાલન ક્ષેત્રેની ભુમીકામાં આગળ વધે તે અંતર્ગત પાટીદાર ગ્લોબલ સમિટનુ આયોજન કરાયુ છે
ગાંધીનગર: પાટીદાર સમાજ દ્રારા ઉત્પાદન કરવામાં આવતી તમામ પ્રોડક્ટને વૈશ્વિક ટચ મળે તથા પાટીદાર સમાજના યુવક-યુવતીઓ વહિવટી ક્ષેત્રે અને સંચાલન ક્ષેત્રેની ભુમીકામાં આગળ વધે તે અંતર્ગત પાટીદાર ગ્લોબલ સમિટનુ આયોજન કરાયુ છે. ગાંધીનગરમાં ત્રણ દિવસ ચાલનારી પાટીદાર ગ્લોબલ સમિટમાં વર્ષ 2026 સુધીમાં 10 લાખ પાટીદાર સમાજના યુવકો-યુવતીઓ પગભર કરવાના એમઓયુ કરવામાં આવશે.


સમિટના ઉદ્દધાટનમાં સીએમ વિજય રૂપાણીએ સંદેશો આપ્યો હતો કે પાટીદાર સમાજ યુવાનોને જોબ સીકર નહી પરંતુ જોબ ગીવર બનાવે. નિતીન પટેલે સમિટમાં જણાવ્યુ હતુ કે સરકાર સરકારનુ કામ કરે છે, પરંતુ અમુક સમાજ હોય છે જે આવુ કામ કરે છે. પરેશ ધાનાણીએ કટાક્ષ કર્યો હતો કે નિતીનભાઇ સુંદર-મજાની સરકાર ચલાવે છે, તેમા કોઇ ત્રુટી હોય તો રાતના અંધારામાં આવીને કઇ જજો અમે રીપેર કરી આપીશુ.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-LCL-patidars-do-not-have-job-seekers-makes-a-job-giver-in-gandhinagar-gujarati-news-5785399-PHO.html?ref=ht

નેતા વિપક્ષ પદે પરેશ ધાનાણીનું નામ નક્કી, રાહુલને મળવા પહોંચ્યા દિલ્હી

રાહુલ ગાંધી સાથેની બેઠક બાદ 6 જાન્યુઆરીના રોજ સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
અમદાવાદઃ વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ વિજય મેળવ્યા બાદ રૂપાણીના નેતૃત્વમાં સરકારની પણ રચના કરી દીધી છે. તેમજ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તથા મંત્રીઓએ પોત પોતાનો કાર્યભાર પણ સંભાળી લીધો છે. તો બીજી તરફ 77 બેઠકો મેળવનારી કોંગ્રેસ નેતા વિપક્ષ નક્કી કરી શકી નથી. પરંતુ આ મામલે છેલ્લા એક વીકથી ચાલી રહેલી ચર્ચાનો ટૂંક સમયમાં અંત આવી શકે છે. નેતા વિપક્ષની રેસમાં હાલ પરેશ ધાનાણી સૌથી આગળ ચાલી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, પરેશ ધાનાણી આજે(5 જાન્યુઆરી) કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને મળવા માટે દિલ્હી પહોંચી ગયા છે.

6 જાન્યુઆરીએ સત્તાવાર જાહેરાત
આમ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીનું નામ લગભગ નક્કી થઈ ચૂક્યું છે. રાહુલ ગાંધી સાથેની બેઠક બાદ 6 જાન્યુઆરીના રોજ સત્તાવાર જાહેરાત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કોંગ્રેસમાંથી નેતા વિપક્ષ બનવા માટે પરેશ ધાનાણી સિવાય કુંવરજી બાવળિયા, વિક્રમ માડમ અને અશ્વિન કોટવાલના નામ પણ ચર્ચામાં હતા.
બે દિવસ ચાલી હતી નેતા પસંદગીની બેઠક
વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની પસંદગીની પ્રક્રિયા બુધવાર(3 જાન્યુઆરી) અને ગુરૂવારે(4 જાન્યુઆરી) હાથ ધરવામાં આવી હતી. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે મળેલી બેઠકમાં નિરીક્ષકો ગુજરાત પ્રભારી અશોક ગેહલોત અને જીતેન્દ્રસિંહની હાજરીમાં બેઠક યોજાઈ હતી. બેઠકને અંતે વિપક્ષના નેતા કોને બનાવવા તેનો નિર્ણય રાહુલ ગાંધી પર છોડ્યો હતો. અહીં નિરીક્ષકોએ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના ધારાસભ્યોના અભિપ્રાય લીધા હતા.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-paresh-dhanani-is-leader-of-opposition-of-gujarat-assembly-NOR.html?ref=ht

J&K: સોપોરમાં આતંકીઓ દ્વારા IED બ્લાસ્ટ, 4 પોલીસકર્મી શહીદ

જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરમાં આજે IED બ્લાસ્ટ થયો
જમ્મુ-કાશ્મીર: અહીંયા બારામુલા જિલ્લાના સોપોરમાં આજે આતંકવાદીઓ દ્વારા IED બ્લાસ્ટ કરવામાં આવ્યો. આ બ્લાસ્ટમાં 4 પોલીસકર્મી શહીદ થયા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાંઅન્ય પોલીસકર્મી ઘાયલ પણ થયા છે જેમને સારવાર માટે શ્રીનગર લઈ જવામાં આવી રહ્યા છે

Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-ied-blast-in-baramullas-sopore-in-jk-3-policemen-lost-their-lives-updates-gujara-5785662-PHO.html?ref=ht

ચીનનું ભારત પર ધાક જમાવવાનું નવું કાવતરું: PAKમાં બનાવશે નેવી બેઝ

આ પહેલાં ચીને આફ્રિકામાં જિબૂતીમાં નેવી બેઝ બનાવ્યું હતું
બેઈજિંગ: ચીન વિદેશમાં તેમનું બીજું નેવી બેઝ બનાવવાનું પ્લાનિગં કરી રહ્યું છે. ચીન આ વખતે પાકિસ્તાનમાં તેમનું બીજુ નેવી બેઝ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. ચીનના મિલેટ્રી એનાલિસ્ટ ઝોઉ ચેનમિંગના જણાવ્યા પ્રમાણે, નેવી બેઝ પાકિસ્તાનના ગ્વાદર પોર્ટની પાસે બનાવવામાં આવશે. ચીન પાકિસ્તાનમાં નેવી બેઝ બનાવીને ભારત પર પ્રભુત્વ મેળવવા ઈચ્છે છે. આ પહેલાં ચીને આફ્રિકામાં જિબૂતીમાં નેવી બેઝ બનાવ્યું છે. અન્ય એક રિપોર્ટમાં એવુ પણ કહેવામાં આવ્યું છે કે, જો અમેરિકા પાકિસ્તાન ઉપર પ્રેશર વધારશે તો તે ચીનની નજીક પણ જઈ શકે છે. નોંધનીય છે કે, 46 અબજ ડોલરમાં બનેલુ ચીન-પાક ઈકોનોમિક કોરિડોર (CPEC) ગ્વાદરને શિનજિયાંગ સાથે જોડશે.

વોરશિપના મેન્ટેનન્સ માટે ચીન આવુ કરી રહ્યું છે

- ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ચેનમિંગ દ્વારા સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે જણાવ્યું છે કે, ચીનને તેમના વોરશિપ્સ માટે ગ્વાદરમાં એક બેઝની જરૂર છે. કારણકે ગ્વાદર અત્યાર સુધી એક સિવિલિયન પોર્ટ છે.
- કારણકે મર્ચન્ટ અને વોરશિપ્સનું અલગ-અલગ ઓપરેશન્સ થાય છે તેથી બંને માટે અલગ-અલગ સુવિધા હોવી પણ જરૂરી છે. મર્ચન્ટ શિપ્સ માટે મોટી જગ્યાવાળું પોર્ટ જોઈએ, જેમાં વેરહાઉસ અને કંટેનર હોય. પરંતુ વોરશિપ માટે મેન્ટેનન્સ અને લોજિસ્ટિકલ સપોર્ટ સર્વિસની જરૂર હોય છે.
ભારત પર કેવી રીતે પડશે અસર?

- બલુચિસ્તાનમાં આવેલું ગ્વાદર મુંબઈ પાસે છે. ગ્વાદર પાસે નેવી બેઝ બનાવીને ચીન અરબ સાગરમાં ઘુસણખોરી કરી શકે છે.
- જિવાની, ચાબહાર (ઈરાન)થી ખૂબ ઓછા અંતર આવેલું છે. નોંધનીય છે કે, ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન મળીને ચાબહાર પોર્ટ બનાવી રહ્યા છે. જે ભારત-અફઘાનિસ્તાન વચ્ચે એક ટ્રેડ કોરિકોડર તરીકે કામ કરશે.
ગ્વાદર વોરશિપની જરૂરિયાત પૂરી કરવા માટે સક્ષમ નથી

- પીપુલ્સ લિબરેશન આર્મી સાથે જોડાયેલા અન્ય એક ઓફિસરે પણ ગ્વાદર નજીક નેવી બેઝ બનાવવાની વાત સ્વીકારી છે.
- ગ્વાદર પોર્ટ વોરશિપ્સને ખાસ સુવિધાઓ આપવામાટે સક્ષમ નથી. અહીંથી લોજિસ્ટિક સપોર્ટ નથી મળી રહ્યો.
- સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના ન્યૂઝ પહેલાં વોશિંગ્ટનની એક વેબસાઈટે ધી ડેલી કોલરે પણ ગ્વાદર પાસે ચીનના નેવી બેઝ બનાવવાની વાત કરી હતી.
- યુએસ આર્મીએ કર્નલ રહેલા લોરેન્સ સેલિન પ્રમાણે, પાક અને ચીન ઓફિસરો વચ્ચે વાતચીત થઈ ગઈ છે. તેમાં ગ્વાદર પાસે જીવાની પેનિનસુલામાં નેવી બેઝ સ્થાપિત કરવા વિશે સહમતી થઈ છે. તે ઈરાન બોર્ડરની નજીક આવેલું છે.
તો ચીનની નજીક જઈ શકે છે પાક.

- ચીનના સરકારી ન્યૂઝ પેપર ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે જો અમેરિકા પાકિસ્તાન પર પ્રેશર વધારશે તો તે ચીન સાથે ઈકોનોમિક અને ડિફેન્સ રિલેશનને વધારે મજબૂત બનાવી શકે છે. તે સાથે જ ચીન ઈરાનના ચાબહાર પોર્ટ પાસે પાક મિલેટ્રી બેઝને તેમના કબજામાં લખ્યું છે.
- ટ્રમ્પે 1 જાન્યુઆરીએ ટ્વિટ કરીને પાકિસ્તાન પર આતંકવાદને સપોર્ટ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે.
- રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાકે બાયલેટરલ ટ્રેજ અને ફાઈનાન્સ ટ્રાન્ઝેક્શન માટે ચિની કરન્સીને પહેલેથી જ મંજૂરી આપી રાખી છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/INT-CHN-HDLN-china-to-build-second-foreign-naval-base-in-pakistan-gujarati-news-5785640-PHO.html?ref=ht


પાકિસ્તાનમાં બે હિન્દુ વેપારી ભાઈઓની ગોળી મારી કરી હત્યા

કચ્છની સામે પાર આવેલા મિઠી ગામમાં રોકડ ભરેલા થેલાની લૂંટ સાથે ગોળીબાર
ભુજ: કચ્છની સામે પાર આવેલા પાકિસ્તાનના મિઠી શહેરમાં આજે સવારે બે હિન્દુ વેપારી ભાઇઓની અજાણ્યા હુમલાખોરોએ લૂંટના ઇરાદે બંદુકની ગોળી મારીને હત્યા કરી હતી. આખા બનાવના પાકિસ્તાનમાં ગંભીર પ્રત્યાઘાત પડ્યા છે. દિલીપ કુમાર (ઉ.વ. 37) અને ચંદરકુમાર રાઠી (ઉ.વ.34) નામના આ બંને વેપારી ભાઇઓની મિઠીમાં અનાજની દુકાન છે. આજે સવારે પાકિસ્તાનના સમય મુજબ સવારે આઠ વાગ્યે તેઓ દુકાન ખોલતા હતાં ત્યારે બાઇક પર હેલ્મેટ પહેરેલા બે શખ્સો તેમની પાસે આવ્યા અને હાથમાં રહેલો થેલો કે જેમાં રોકડ હતી તે ઝુંટવવાનો પ્રયાસ કર્યો.

આ બનાવની વિગત એવી છે કે ચંદરકુમાર પાસે રોકડ ભરેલો થેલો હતો. તે ઝુંટવવાનો લુંટારૂઓએ પ્રયાસ કરતા તેમણે પ્રતિકાર કર્યો હતો. એટલે તેના પર ગોળીઓ દાગવામાં આવી હતી. આ જોઇને મોટો ભાઇ દિલીપ પણ દોડી આવ્યો હતો અને તેને સામે આવતો જોઇને લૂંટારૂઓએ તેના પર પણ ત્રણ ગોળી મારતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તો ચંદરકુમારને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતાં જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં.
આ બનાવને પગલે હિન્દુઓનું વર્ચસ્વ ધરાવતા આ વિસ્તારમાં વેપારીઓએ પોતાની દુકાનો ફટોફટ બંધ કરી નાખી હતી. રોડ પર લોકો એકત્ર થઇ ગયા હતા અને વિરોધ સ્વરૂપે ટ્રાફિક પણ અવરોધ્યો હતો. સ્થાનિક લોકોએ એવો આક્ષેપ મૂક્યો હતો કે પોલીસ ઘટનાસ્થળે મોડી પહોંચી હતી અને તેને લીધે લૂંટારાઓ નાસી છુટવામાં સફળ થયા હતાં. આ બંને ભાઇઓને એક-એક પુત્ર અને પુત્રી છે. દરમિયાન, સિંધના ગૃહ મંત્રી સોહેલ અનવર સિયાલે ઉમરકોટના એસએસપીને હત્યાના બનાવની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

કચ્છની સીમાથી મિઠી માત્ર 60 કિમી દૂર

ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમાએથી પાકિસ્તાનનું મિઠી શહેર માત્ર 60 કિમી જ દૂર છે. ત્યાં હિન્દુઓની વસતી નોંધપાત્ર છે. ગુજરાતના અમદાવાદ, પાલનપુર, મોરબી અને ગાંધીધામ જેવા શહેરમાં મિઠીથી સ્થળાંતર કરીને આવેલા અનેક લોકો વસી રહ્યા છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/KUT-BUJ-OMC-LCL-two-hindu-merchant-brothers-shot-dead-in-pakistan-gujarati-news-5785375-PHO.html?ref=ht


૬ મહિનામાં ખેડુતો માટે વિજળીની અલગ ફિડર લાઇન
મોદીએ જુલાઇ સુધીમાં કામ પુરૂ કરવાના આદેશો આપ્યાઃ આ પગલાથી ખેડુતોના બેન્ક ખાતામાં વિજળી સબસીડી જમા કરવાનો માર્ગ પણ થશે મોકળોઃ ૨૦૨૨ સુધીમાં ખેડુતોની આવક બમણી કરવા માટે તેઓને પુરતી વિજળી મળે એ જરૂરી છેઃ મોદીના આદેશથી હવે અનેક રાજયોએ દોડવુ પડશે નવી દિલ્હી અકિલા તા.૬ : ખેડુતો માટે વિજળીની ફીડર લાઇન પર વાતો તો છેલ્લા દોઢ દાયકાથી થઇ રહી છે પરંતુ હવે તેના ઉપર અમલની પ્રક્રિયા શરૂ થઇ રહી છે. આ મામલામાં રાજયોના સ્તરે થઇ રહેલ વિલંબ અને કેન્દ્રીય વિજળી મંત્રાલયના અકીલા ઠંડા વલણથી નારાજ પીએમ મોદીએ હવે સમય સીમા નક્કી કરી છે. વિજળી મંત્રાલયને જણાવાયુ છે કે, જુલાઇ સુધીમાં સમગ્ર દેશમાં ખેડુતો માટે અલગ ફીડર લાઇન બનાવવાનુ કામ પુરૂ કરવામાં આવે. પીએમના આ નિર્દેશનો અમલ કરવા માટે હવે યુપી, બિહાર, ઓરિસ્સા, રાજસ્થાન સહિત અનેક રાજયોએ ઝડપથી કામ કરવુ પડશે. સરકારી સુત્રોના જણાવ્યા પ્રમાણે વિજળી સુધારની દિશામાં છેલ્લા બે વર્ષમાં જોરદાર સફળતા સાથે હવે એ સુનિશ્ચિત કરવાનુ છે કે, દેશના નીચલા સ્તર સુધી તેનો ફાયદો પહોંચે. આ માટે પીએમ સહજ વિજળી હર ઘર યોજના લોન્ચ કરવામાં આવી છે તેનો ફાયદો ગ્રામીણ વિસ્તારોને થશે પરંતુ ખેડુતોને ફાયદો આપવા માટે હવે ફિડર લાઇનને અલગ કરાશે. અનેક રાજયોમાં આવુ થઇ ચુકયુ છે પરંતુ ઉત્તર અને મધ્ય ભારતના રાજયોમાં આ કામ ઘણુ પાછળ ચાલે છે. સરકાર માને છે કે, વર્ષ ર૦રર સુધીમાં ખેડુતોની આવક બમણી કરવા માટે એ જરૂરી છે કે, તેઓને યોગ્ય માત્રામાં વિજળીનો પુરવઠો મળે. આનાથી ખેડુતોના ખાતામાં સીધી વિજળી સબસીડી આપવાનુ કામ પણ સરળ થશે. સરકાર જો આવુ કરવામાં સફળ થઇ જાય તો તેના માટે આવતી ચૂંટણીમાં બતાડવા માટે આ એક મોટુ પગલુ હશે. સરકારની એવી પણ તૈયારી છે કે ર૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા દરેક ઘરને વિજળી કનેકશન પણ મળી જાય. એવામાં સરકાર વિજળી ક્ષેત્રમાં બે મોટી ઉપલબ્ધીઓ સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરશે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, ગુજરાત જેવા રાજયોમાં ખેડુતો માટે અલગ વિજળી ફીડર લાઇનની વ્યવસ્થા થઇ ચુકી છે અને તેના સારા પરિણામો પણ મળ્યા છે. આનાથી ખેડુતોને વિજળી સબસીડી સીધા બેન્ક ખાતામાં આપવાની વ્યવસ્થા પણ શરૂ થઇ છે. સાથોસાથ ખેડુતોને સમયસર પુરતી વિજળીનો પુરવઠો પણ સુનિશ્ચિત થયો છે. (11:29 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/06-01-2018/121319

આધારની મદદથી પકડાયા ૮૦,૦૦૦ 'નકલી' શિક્ષકો 
પ્રકાશ જાવડેકરે આપી જાણકારી નવી દિલ્હી તા. ૬ : આધારને લઇને તમામ આશંકાઓ વચ્ચે એક મોટો ખુલાસો થયો છે. આધાર નંબર અનિવાર્ય કરાયા પછી ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોને લઇ દેશભરમાં કરાયેલા સર્વે (AISHE) ૨૦૧૬-૧૭માં ૮૦ હજારથી વધારે શિક્ષક પકડાયા છે. જેઓ દેશમાં ત્રણ અથવા તેનાથી અકિલા વધાર ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં ફેકલ્ટી મેમ્બર હતાં. શુક્રવારે માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે AISHE ૨૦૧૬-૧૭નો રિપોર્ટ જાહેર કરતાં આ જાણકારી આપી હતી. હકીકતમાં, HRD મંત્રાલયે આધાર દ્વારા અકીલા દેશની વિભિન્ન કોલેજ અને વિશ્વવિદ્યાલયોમાં આશરે ૮૦ હજાર એવા શિક્ષકોની ઓળખ કરી છે. જેમનું કોઇ અસ્તિત્વ જ નહોતું. જોકે, પ્રકાશ જાવડેકરે એ સ્પષ્ટ કર્યું છે. આ શિક્ષકોમાંથી કોઇપણ કેન્દ્રિય વિદ્યાલયમાંથી નથી. મંત્રાલયનું માનવું છે કે નકલી ટીચર્સની સંખ્યા હજુ વધી શકે છે. જાવડેકરે કહ્યું કે, 'કેટલાક એવા નકલી શિક્ષક છે જે પ્રોકસી રીત અપનાલે છે અને અનેક જગ્યાઓ પર પૂર્ણકાલિન કર્મચારી તરીકે કામ કરી રહ્યાં છે. આધાર શરૂ થયા પછી ૮૦ હજાર શિક્ષકોની ઓળખ થઇ છે અને તેમના પર કાર્યવાહી થશે.' મંત્રાલયે દરેક વિશ્વવિદ્યાલયોના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ આધારીત સંખ્યાનું આધાર માગવાનું કહ્યું છે. જાવડેકરે કહ્યું કે, 'આધાર નંબર શેર કરવો એ તમારા મોબાઇલ નંબર અને ઇમેઇલ શેર કરવા જેવું જ છે. જો તમે તમારો મોબાઇલ નંબર શેર કરો છો તે તેનો મતલબ એ નહીં કે એ તમારો મેસેજ જોઇ શકે છે. આધાર પણ તે રીતે જ કામ કરે છે અને બિલકુલ સુરક્ષિત છે.' રિપોર્ટમાં આ સેકટરમાં ગ્રોથનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો પાંચ વર્ષ પહેલા ૨૧.૫%ની તુલનામાં હવે ૨૫.૫% થઇ ગયો છે. ગત પાંચ વર્ષમાં મુસ્લિમો અને અન્ય અલ્પસંખ્યક સમુદાયોમાં GER ધીમો થઇ રહ્યો છે. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે પાંચ વર્ષમાં ઉચ્ચ શિક્ષણમાં ૧૮થી ૨૩ વર્ષના સ્ટૂડન્ટ્સની સંખ્યા ૩૫ લાખ વધી છે. જોકે, માત્ર યુવતીઓ માટે કોલેજ ૯.૩% છે. ૧૦ રાજયમાં ૧૫ વૂમન એકસકલૂઝિવ યુનિવર્સિટિઝ છે. આટલું જ નહીં પાછલા પાંચ વર્ષમાં કોલેજ અને વિશ્વવિદ્યાલયોની સંખ્યા ઝડપથી વધી છે. પ્રાઇવેટ કોલેજની સંખ્યા વધારે છે. બેંગલુરૂ ૧૦૨૫ કોલેજ સાથે એજયુકેશન હબ બની રહ્યું છે તો બીજા સ્થાન પર ૬૩૫ કોલેજ સાથે જયપુર છે અને ૪૮૭ કોલેજ સાથે હૈદરાબાદ ત્રીજા સ્થાન પર છે. (10:27 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/06-01-2018/121307

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App






 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application





1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment