સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday 8 January 2018

ગુજરાત સરકારની ૩ વેબસાઇટ પર લીક થયો આધાર ડેટા આધારની સુરક્ષા પર સવાલ - હાફીઝ સઇદે ૨૬ જાન્યુ.એ આતંકી હુમલો કરવાના આપ્યા આદેશ - ૮ રાજ્યોમાં ચૂંટણી આવે છેઃ લોકપ્રિય બજેટ રજુ કરવું પડશે - બજેટમાં મધ્યમવર્ગને રાજી કરશે સરકારઃ મળશે ટેક્ષમાં રાહત - એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાના કામો પડકારરૂપ - દરેક વર્ગ માટે સરકાર લાવશે સામાજીક સુરક્ષા યોજના - ૧૫૧ બેઠકો કેમ ન મળી ? આંતરિક સર્વેમાં મળ્યા ચોંકાવનારા તારણો

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

ગુજરાત સરકારની ૩ વેબસાઇટ પર લીક થયો આધાર ડેટા આધારની સુરક્ષા પર સવાલ 
નવી દિલ્હી તા. ૮ : આધાર કાર્ડના ડેટાની સુરક્ષા પર પહેલાથી સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે તાજેતરમાં મિનિસ્ટ્રી ઓફ ઈલેકટ્રોનિકસ એન્ડ ઈન્ફર્મેશન ટેકનોલોજીએ ખુલાસો કર્યો કે ગુજરાતની ત્રણ ઓફિશિયલ વેબસાઈટ પર આધારનો ઉપયોગ કરનાર લોકોની જાણકારી અકિલા જાહેર કરી દેવામાં આવી છે. આ આધાર એકટનું ઉલ્લંઘન છે.   રવિવારના રોજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, તેમને આ ઈશ્યુ વિષે જાણ નહોતી. ગુજરાત સરકાર, ડિરેકટર ઓફ ડેવલોપિંગ કાસ્ટ વેલફેર ઓફ અકીલા ધ સ્ટેટ અને ગુજરાત યૂનિવર્સિટીની વેબસાઈટ પર આધારના ડેટાને જાહેર કરવામાં આવ્યો છે. આમાં આધાર ધરાવતા લોકોના નામ, સરનામાં અને આધાર ડિટેલ્સ વેબસાઈટ પર દર્શાવી દેવામાં આવ્યા છે. ૨૯મી ડિસેમ્બરના રોજ સંસદમાં આધારના ડેટાની સિકયોરિટી બાબતે ચર્ચા થઈ હતી. ઉલ્લેખનીય છે કે દેશભરમાં લગભગ ૨૦૦ વેબસાઈટ એવી છે જેમાં આધારની ડીટેલ્સ જાહેર કરી દેવામાં આવી હોય. આ વેબસાઈટ્સને લોકોનો ડેટા ત્યાંથી રિમૂવ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, મને આ બાબતની કોઈ જાણકારી નથી. સોશિયલ જસ્ટીસ એન્ડ વેલ્ફેર મિનિસ્ટર ઈશ્વર પરમાર જે ડેવલોપિંગ કાસ્ટ વેલ્ફેર ઓફ ધ સ્ટેટ મંત્રાલયના જવાબદાર છે, તેમને પણ આધાર ડેટા લીક વિષે જાણ નહોતી. તેમણે જણાવ્યું કે, મેં તાજેતરમાં જ ચાર્જ સંભાળ્યો છે. માટે મને આ વિષેની કોઈ જાણ નથી. આ સિવાય ગુજરાત યૂનિવર્સિટીના વાઈસ-ચાન્સલર હિમાંશુ પંડ્યાએ કહ્યું કે તેમને પણ આ બાબતે કોઈ જાણ નથી, પરંતુ તે આ ઈશ્યુ પર તપાસ કરાવશે. નિષ્ણાંતોનું કહેવું છે કે, આ ડેટાનો ઉપયોગ ઠગ દ્વારા કરવામાં આવી શકે છે. આ સિવાય આધાર એકટ ૨૦૧૬ના સેકશન ૨૯ મુજબ આ પ્રકારે પર્સનલ ઈન્ફર્મેશનને જાહેર કરવા પર પ્રતિબંધ છે.(૨૧.૧૨) (10:41 am IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/08-01-2018/68380

૮ રાજ્યોમાં ચૂંટણી આવે છેઃ લોકપ્રિય બજેટ રજુ કરવું પડશે
બજેટ કૃષિ અને ગ્રામ્ય ક્ષેત્ર પર વધુ ખર્ચ કરવાવાળુ અને ગ્રામ્ય ઉદ્યોગોની તરફેણવાળુ લાવવું પડશેઃ અર્થતંત્રની ગાડી દોડતી કરવા પગલા લેવા પડશેઃ દેશને સ્થિર આર્થિક નીતિની જરૂરીયાત છે નવી દિલ્હી તા. ૮ : વડાપ્રધાન મોદીએ ૨૦૧૪માં જયારથી દિલ્હીમાં સત્તા અકિલા સંભાળી છે ત્યારથી દેશની ઇકોનોમીનો ગ્રોથ સતત ઘટી રહ્યો છે. તેમાં પણ આગામી વર્ષે GDP પાછલા વર્ષોમાં સૌથી નીચો રહેવાનો અંદાજો લગાવવામાં આવ્યો છે. ત્યારે ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા મોદી સરકાર પર અકીલા જોરદાર પ્રેશર રહેશે. સ્ટેટેસ્ટિક મંત્રાલય દ્વારા શુક્રવારે કહેવામાં આવ્યું કે આગામી માર્ચ સુધી ભારતનો GDP દર ૬.૫ ટકા જેટલો રહેશે. જે બ્લૂમ્બર્ગ દ્વારા કરવામાં આવેલ પ્રોજેકશન ૬.૬ ટકાની ખૂબ નજીકનો આંકડો છે. નવા ટેકસ રીજીમના કારણે દેશમાં માગ અને ઉત્પાદનને ખૂબ મોટી અસર પહોંચી છે. તો બીજીબાજુ મોંઘાવારી દર સતત વધતો જઈ રહ્યો છે જેને લઇને RBI તરફથી ઇન્ટરેસ્ટ રેટ ઓછા કરવામાં આવે તેવી શકયતા પણ ઓછી છે. ત્યારે સરકારે જ એવા પગલા ભરવા પડશે કે અર્થતંત્રની ગાડીને વેગ મળે. જેમાંથી કેટલાક પગલા એવા પણ છે જે વડાપ્રધાન મોદીની અર્થ નીતિને સીધા અસરકર્તા છે. મુંબઈ ખાતે આવેલ નિર્મલા બેંગ ઇકિવટિઝ પ્રા. લી.ના ઈકોનોમિસ્ટ થેરેસા જહોને કહ્યું કે, 'જો દેશના અર્થતંત્રને પાટે ચડાવવું હશે તો ૨૦૧૮નું બજેટ કૃષિ અને ગ્રામ્ય ક્ષેત્ર પર વધુ ખર્ચ કરવાવાળું અને ગ્રામ્ય ઉદ્યોગોની તરફેણવાળુ રજૂ કરવું પડશે.' તેમણે વધુમાં કહ્યું કે, 'અમને આશા છે કે દેશની રાજકોષીય ખાધ ૩.૨ ટકાના અંદાજ સામે નાણાકીય વર્ષ ૨૦૧૮ના જીડીપીના ૩.૫ ટકાના દરે આવે.' બીજીબાજુ દેશમાં પબ્લિક સ્પેન્ડિંગ ઓછું થઈ ગયું છે. લોકો ખર્ચા પર કાપ મુકી રહ્યા છે. કેમ કે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ તેની સૌથી નબળા ગાળામાં પસાર થઈ રહ્યું છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઈકોનોમી નામની થિંક ટેંકના ડેટા મુજબ ડિસેમ્બરના કવાર્ટર એન્ડ સુધીમાં ઇન્વેસ્ટમેન્ટ પ્રપોઝલમાં રુ. ૭૯,૦૦૦ કરોડ જેટલું માતબર રોકાણ થયું છે પરંતુ અર્થતંત્રના સુધારામાં તે જરાપણ સહાયક નથી. તો સરકારની પોલિસી અંગે કોઈ અનિશ્ચિતતા હોવાથી વેપાર ધંધા અને ઉદ્યોગો ખૂબ જ સાવચેત રહીને આગળ વધી રહ્યા છે. જેના કારણે ઉત્પાદન અને નવા વેપારધંધામાં તેજી જોવા મળતી નથી. CMIEના CEP મહેશ વ્યાસ કહે છે કે, 'દેશ સામે સૌથી મોટો પ્રોબ્લેમ એ જ છે કે દેશની આર્થિક સ્થિતિ નવું રોકાણ કરવા માટે સહાયક નથી. આ કારણે ઘણા પ્રોજેકટ આગળ વધી નથી રહ્યા. કંપનીઓ યોગ્ય નાણાંકીય સ્થિતિ આવે તેની રાહ જોઈ રહી છે.' GDPમાં મુખ્ય પાસુ ગણાતા ગ્રોસ વેલ્યુ એડેડનો ગ્રોથ ૬.૧ ટકા ભાંખવામાં આવ્યો છે જે RBI દ્વારા પ્રોજેકટ કરાયેલ ૬.૭ અને ગત વર્ષના ૬.૬ ટકા ગ્રોથ રેટ કરતા ખાસ્સો ઓછો છે. ગ્રોથ નીચો રહેવાવું કારણે મેન્યુફેકચરિંગ અને એગ્રિકલ્ચર ક્ષેત્રમાં નબળા ગ્રોથના એંધાણ છે. મેન્યુફેકચરિંગ ગ્રોથ તેના ૭.૯ ટકાના ગ્રોથથી ઘટીને ૪.૬ ટકા પર આવી ગયો છે જયારે એગ્રિકલ્ચર તેના ૪.૯ ટકાના ગ્રોથથી ઘટીને ૨.૧ ટકાએ આવી ગયો છે. તો બીજી બાજુ ગત વર્ષ કરતા સરકાર તરફથી ખર્ચ કરવામાં આવતી રકમ ૯.૪ ટકાની જગ્યાએ ૧૧ ટકા જેટલી થઈ ગઈ છે. બ્લૂમ્બર્ગના ઈકોનોમિસ્ટ અભિષેક ગુપ્તાનું કહેવું છે કે, 'આ વર્ષે પણ ગ્રોથમાં ઘટાડો એ સંકેત આપે છે કે દેશમાં એક સ્થિર આર્થિક નીતિની જરુરીયાત છે.' અભિષેક ગુપ્તા એ થોડા અર્થશાસ્ત્રીઓમાંથી એક છે જેઓ માને છે કે આગમી નાણાંકીય વર્ષ શરૂ થતાની સાથે જ આરબીઆઈ તેના ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરશે. મોટાભાગના નિષ્ણાંતોનું માનવું છે કે પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યા બાદ મોદી સરકાર પૂર જોશમાં વિવિદ ક્ષેત્રોમાં ખર્ચ કરવાનું ચાલુ કરશે. કેમ કે આ વર્ષે દેશના ૮ રાજયોમાં ચૂંટણી આવનાર છે તેમજ તેની સાથે ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા આ છેલ્લું ફૂલ બજેટ છે. સરકાર શરૂ થનાર નવા ફાઇનાન્સિયલ વર્ષની શરૂઆતમાં પોતાની રાજકોષિય ખાધનો અંદાજ ૩.૨ ટકા કરી શકે છે. કેમ કે આ પહેલા તેમને જાહેર કરેલ ૩ ટકાનો આંકડો મોટો ફીગર લાગતો હતો. જયારે મોટાભાગના નિષ્ણાંતોનું માનવું છે કે બજેટ બાદ ૬-૭ ફેબ્રુઆરીએ RBI પોતાનો ઇન્ટરેસ્ટ રેટ જેમનો તેમ ૬ ટકાએ જ રાખશે અને આ રેટ સાથે જ વર્ષ પૂર્ણ કરશે. જયારે દેશમાં નવેમ્બર મહિનામાં કન્ઝયુમર પ્રાઇઝ વધીને ૪.૯ ટકા થઈ ગઈ હતી જે RBIના અંદાજ ૪ ટકા કરતા ખાસ્સી વધુ છે. તેમજ પાછલા ૧૫ મહિનામાં સૌથી વધુ ઝડપે વધ્યો છે જયારે RBIએ તો પોતાનો મીડ ટર્મ ટાર્ગેટ ૪ ટકાનો નક્કી કર્યો હતો. અકિસસ બેંકના ચીફ ઈકોનોમિસ્ટ સૌગાતા ભટ્ટાચાર્યએ કહ્યું કે, 'RBI હાલ આ મામલે કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી શકે તેવા સ્ટેજમાં નથી કેમ કે કરવામાં આવેલ GVA પ્રોજેકશન કરતા હકીકતમાં ઓછા ગ્રોથ રેટ અને બીજી બાજુ સતત વધતા મોંઘવારી પ્રેશર હેઠળ મુંઝવણની સ્થિતિમાં છે.'(૨૧.૬) (9:51 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/08-01-2018/121417

બજેટમાં મધ્યમવર્ગને રાજી કરશે સરકારઃ મળશે ટેક્ષમાં રાહત
 સરકાર ટેકસ છૂટ, હેલ્થ ઇશ્યોરન્સ પર વધારાના લાભ, એફડી પર વધુ વ્યાજ જેવી જાહેરાત કરી શકે છેઃ સરકારનો એક પક્ષ સ્ટોક માર્કેટ ટ્રાન્ઝેકશન પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેકસ વધારવાના પક્ષમાં છે જે મુજબ રૂ. ૫ લાખ સુધીના ટ્રાન્ઝેકશન પર રાહત મળશેઃ આ ઉપરાંત તેના અકિલા પર લાગતા ટેકસ ચાર્જીસને પણ ૧૦ ટકા સુધી ઘટાડવામાં આવી શકે છે નવી દિલ્હી તા. ૮ : પીએમ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓ પહેલા પોતાના છેલ્લા પૂર્ણ બજેટમાં આ વર્ષે દેશના અકીલા મધ્યમ વર્ગને મોટી રાહતો આપી શકે છે. ચૂંટણીના મેદાનમાં ઉતરતા પહેલા સરકાર મતદારોના મોટાવર્ગને પોતાની તરફ કરવા માટે મિડલ કલાસને ટેકસમાં રાહત આપશે. મધ્યમ વર્ગને પહેલાથી ભાજપનો મોટો સપોર્ટર માનવામાં આવે છે. સરકારમાં હાલ બજેટને લઈને ચાલતી આંતરિક ચર્ચાઓમાં પણ સરકાર તથા પાર્ટીના નેતાઓનું માનવું છે કે બજેટમાં મિડલ કલાસને વિશેષ ફાયદો કરાવવાથી ૨૦૧૯માં ભાજપને ફરી એકવાર ફાયદો થઈ શકે છે. આ માટે સરકાર ટેકસ છૂટ, હેલ્થ ઇંશ્યોરન્સ પર વધારાના લાભ, એફડી પર વધુ વ્યાજ જેવી જાહેરાત કરી શકે છે. કેમ કે પાછલા થોડા સમયથી શેરબજારમાં ઉછાળો અને મ્યચ્યુઅલ ફંડમાં ભારે રિટર્નના કારણે સરકારી રોકાણ યોજનાઓમાં આકર્ષણ ઘટ્યું છે. તેમજ તાજેતરમાં જ નાણાં પ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે સરકાર લોકો પાસે વધુને વધુ ફંડ રહે તેના પર વિશ્વાસ કરે છે. કેમ કે આમ થવાથી લોકો વધુ ખર્ચ કરશે અને રોકાણ કરશે જેનો લાંબાગાળે દેશના અર્થતંત્રને ફાયદો મળશે. જોકે, કોર્પોરેટ ટેકસમાં ઘટાડો અને GSTના કરણે રેવન્યુ ઘટતા સરકારી તિજોરી પર અસર પડી છે. ત્યારે લોકોને વધારનો ફાયદો બજેટમાં આપવા પહેલા સરકારે અન્ય આવકના અન્ય રસ્તાઓ અંગે વિચાર કરવો પડશે. સૂત્રો મુજબ સરકારનો એક પક્ષ સ્ટોક માર્કેટ ટ્રાન્ઝેકશન પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેકસ વધારવાના પક્ષમાં છે. જે મુજબ રૂ.૫ લાખ સુધીના ટ્રાન્ઝેકશન પર રાહત મળશે. આ ઉપરાંત તેના પર લાગતા ટેકસ ચાર્જીસને પણ ૧૦ ટકા સુધી ઘટાડવામાં આવી શકે છે. આ રીતે મોદી સરકાર ગરીબ અને મધ્યમ વર્ગને પોતાની તરફ કરવા માટે રાહતો ધરાવતું બજેટ રજૂ કરવાના મૂડમાં છે. મોદી સરકાર મધ્યમ વર્ગને વધુને વધુ રાહતો આપવા માગે છે જેનો સંકેત એ વાત પરથી મળે છે કે તાજેતરમાં જ સરકારે ૨૦૦ જેટલી આઇટમ્સને GSTના ૨૮% ટેકસના સ્લેબમાંથી બહાર કરીને તેનાથી ઓછા ૧૮ અને ૧૨ ટકાના ટેકસ સ્લેબમાં મુકી છે. નામ ન જણાવવાની શરતે ઉચ્ચ સરકારી સૂત્રે કહ્યું કે, 'સરકારના આ નિર્ણયથી ૫૦૦૦ રોકાણકારોની મૂડી પર સીધી અસર થશે પરંતુ તેની સામે ૫ કરોડ પરિવારોને સીધો જ ફાયદો થશે. આ જોતા સરકારે વધુ લોકોના ફાયદા માટે આ નિર્યણ લીધો છે.' તો સૂત્રો મુજબ વડાપ્રધાન મોદી નાણાં પ્રધાન અરુણ જેટલી સાથે ચર્ચા કર્યા બાદ રાજકીય રીતે પણ અતિ મહત્વની એવી ટેકસમાં છૂટછાટ અંગેની જાહેરાત કરી શકે છે. જોકે સરકાર સામે સૌથી મોટો પ્રશ્ચ એ છે કે જો તેઓ ટેકસમાં રાહતો આપે છે તો ગરીબ તબક્કા માટે શરૂ કરવામાં આવેલ કેન્દ્ર સરકારના કેટલાય ફલેગશીપ કાર્યક્રમોના ભંડોળ પર તેની અસર ન પડે. હાલ ૨.૫ લાખ સુધીની આવક પર કોઈ ટેકસ નથી. તે ઉપરાંત PPF અને પાંચ વર્ષ સુધી બેંક ખાતામાં ૧.૫ લાખના રોકાણ પર ટેકસ છૂટ આપવામાં આવી છે. તો ઇન્કમ ટેકસ એકટના સેકશન 80C અંતર્ગત પણ વિવિધ બાબતે ટેકસ છૂટ અપાઈ છે. (9:52 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/08-01-2018/121418

હાફીઝ સઇદે ૨૬ જાન્યુ.એ આતંકી હુમલો કરવાના આપ્યા આદેશ
 સુરક્ષા એજન્સીઓ એલર્ટ નવી દિલ્હી તા. ૮ : આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનાં સંસ્થાપક અને જમાત ઉલ દાવાનાં ગેંગસ્ટર હાફિઝ સઇદ ભારતમાં હુમલો કરવાનાં ફિરાકમાં છે. આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠને પ્રજાસત્તાક દિવસનાં મોકા પર દેશમાં મોટો આત્મઘાતી હુમલો કરવાનો આદેશ અકિલા જમ્મુ-કશ્મીરમાં સક્રિય લશ્કરી આતંકીઓને આપ્યો છે. દેશનાં ખાનગી વિભાગે દિલ્હી પોલીસને ૫ જાન્યુઆરીનાં રોજ આતંકી હુમલો થવાની આશંકા સાથેનાં લિખિત ઇનપુટ આપવામાં આવ્યાં છે. ત્યાર બાદ વિશેષ પોલીસ આયુકત અકીલા પી કામરાજે શનિવારનાં રોજ ન્યૂ દિલ્હી જિલ્લા પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી. દિલ્હી પોલીસનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે એક ખાનગી એજન્સીએ દિલ્હી પોલીસ અને અન્ય સુરક્ષા એઁજન્સીઓને ઇનપુટ આપ્યાં છે કે હાફિઝ સઇદ પ્રજાસત્તાક દિવસ પર આતંકી હુમલો કરવાની ફિરાકમાં છે. આ કામ એમણે જમ્મુ કશ્મીરમાં સક્રિય લશ્કર આતંકીને સોંપેલ છે. ૨૬મી જાન્યુઆરીની સુરક્ષા વ્યવસ્થા દિલ્હી પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ માટે એક ચેલેન્જરૂપ બની ગઇ છે. ઉલ્લેખનીય છે કે આ વખતે પ્રજાસત્તાક દિવસે પર ૧૦ દેશોનાં પ્રેસિડેન્ટ લોકો આવી રહ્યાં છે. એવામાં ભારતની છબી ખરાબ કરવા માટે હાફિઝ સઇદ આતંકી હુમલો કરવા માગે છે. જેથી પોલીસ આ ઇનપુટને ઘણી ગંભીરતાથી લઇ રહી છે. જેથી આ કારણોસર દરેક દેશનાં પ્રેસિડેન્ટોની સુરક્ષા માટે દેશમાં સુરક્ષાને ઘણી મજબૂત બનાવવામાં આવી રહી છે.(૨૧.૮) ડ્રોન - હવાઇ હુમલાનો ખતરો ૨૬ જાન્યુઆરીને લઈને સુરક્ષા એજન્સીઓ દ્વારા ચેતવણી આપ્યા બાદ ગૃહ મંત્રાલયે કેટલાક રાજયોનાં પોલીસ પ્રમુખોને એલર્ટ પહેવા માટે સૂચના આપી દીધી છે. આ પહેલા પણ આ બાબતે ગૃહ મંત્રાલયે કેટલાક રાજયોને અમુક દિવસ પહેલા જ સાવચેત રહેવા માટે કહી દીધું હતું. મિનિસ્ટ્રીએ ડ્રોન અને હવાઈ હુમલા દ્વારા ખતરો હોવાની જાણકારી આપી છે. આ હુમલાનાં કારણે દિલ્હી સહિત પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન તેમજ હિમાચલ પ્રદેશનાં ઉચ્ચ અધિકારીઓ અને ચીફ સેક્રેટરીને આ બાબતે ચિઠ્ઠી લખી છે.  એલર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૨૬ જાન્યુઆરીનાં રોજ ડ્રોન અને હવાઈ હુમલાનો ખતરો છે. બધા જ રાજયોની પોલીસને જણાવવામાં આવ્યું છે કે જયાં જયાં પણ નાના એરપ્લેન ઉતરવાની જગ્યાઓ હોય તે જગ્યાઓએ સુરક્ષા વધારી દેવામાં આવે અને તેમની સુરક્ષા પણ કરવામાં આવે. એલર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ૨૬ જાન્યુઆરીને ધ્યાનમાં રાખીને પ્રેસિડંન્ટ હાઉસ નજીકમાં ૩૦૦ કિલોમીટરનાં વિસ્તારમાં કોઈ પણ હવાઈ આર્કટિલ ડ્રોન, માઈક્રો લાઈટ એરક્રાફટ ઉડતું ના દેખાવું જોઈએ.(૨૧.૮) (10:01 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/08-01-2018/121419

એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાના કામો પડકારરૂપ
પગાર મુદ્દે થતાં શોષણને લઇ કર્મચારીઓમાં આક્રોશ : લાખો ચાલકોના વાહનમાં એચએસઆરપી લગાવવાની છે : આરટીઓ તંત્ર પાસે પૂરતો સ્ટાફ અને સુવિધા નથી અમદાવાદ,: અમદાવાદ શહેર સહિત રાજયભરના વાહનોમાં જૂની નંબર પ્લેટ બદલી હવે હાઇ સીકયોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ(એચએસઆરપી) ફરજિયાત અકિલા લગાવવા માટેની મુદત સરકારે વધારી હોવાછતાં વાહનચાલકોના ભારે ધસારા, અમલવારીની અસમંજસતા અને આ કપરા કાર્યને પહોંચી વળવા આયોજનના અભાવના કારણે એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાનું કામ આરટીઓ અકિલા તંત્ર અને અકીલા ડીલરો માટે પણ માથાના દુઃખાવા સમાન બન્યુ છે. બીજીબાજુ, વસ્ત્રાલ, મોડાસા સહિતની કેટલીક આરટીઓ કચેરીમાં નંબર પ્લેટ ફીટ કરવાની કામગીરી સાથે સંકળાયેલા ત્રણથી વધુ કર્મચારીઓને પાણીચું પકડાવાતા અકીલા અને નંબર પ્લેટના કામ સાથે સંકળાયેલા કર્મચારીઓના પગારમાં છેલ્લા ઘણા સમયથી વધારો નહી થતાં ખુદ કર્મચારીઓમાં પણ ઉગ્ર અસંતોષ અને આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે. આરટીઓ તંત્ર પાસે પૂરતી માત્રામાં સ્ટાફ કે માણસો જ નથી તો, કેવી રીતે લાખો વાહનચાલકો-નાગરિકોના વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ ફીટ કરી શકાશે તે સૌથી મોટો યક્ષપ્રશ્ન છે. સૌથી આઘાતજનક અને ચોંકાવનારી વાત એ છે કે, એકબાજુ લાખો વાહનચાલકોના વાહનમાં એચએસઆરપી લગાવવાની છે તો, બીજીબાજુ, આરટીઓ તંત્ર પાસે પૂરતો સ્ટાફ અને સુવિધા જ નથી. તા.૧૫મી ફેબ્રુઆરી સુધીમાં વાહનોમાં એચએસઆરપી લગાવવાના સરકારના આ તઘલખી ફરમાન અંગે અમદાવાદ મોટર ડ્રાઇવીંગ સ્કૂલ ઓનર્સ એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ જણાવ્યું હતું કે, સરકારના આ નિર્ણયનો વાસ્તવિક કે વ્યવહારૂ અમલ શકય જ જણાતો નથી. કારણ કે, સરકારે તા.૧૫મી ફેબ્રુઆરી સુધીની જે મહેતલ વધારી છે, તેમાં કોઇકાળે એચએસઆરપી લગાવવાનું કામ પૂર્ણ જ થાય તેમ નથી એવું ખુદ આરટીઓ સત્તાવાળાઓ સ્વીકારી રહ્યા છે. અમદાવાદ સહિત રાજયભરમાં અંદાજે દોઢથી બે કરોડથી વધુ વાહનોમાં નંબર પ્લેટ બદલાવાની થાય છે, માત્ર અમદાવાદમાં જ આવા વાહનોનો આંકડો ૪૦થી ૫૦ લાખથી પણ વધુનો થવા જાય છે. જે રાતોરાત બદલવી ખુદ આરટીઓ તંત્ર કે તેના અધિકારીઓ માટે પણ કોઇપણ રીતે શકય જ નથી. જો આ નિર્ણયનો અમલ કરાવવો હોય તો પણ સરકારે તબક્કાવાર અમલ કરાવવો પડે. વળી, એચએસઆરપી નંબર પ્લેટ કયા વાહનોમાં લગાવવી એટલે કે, કેટલા વર્ષ જૂના વાહનોમાં લગાવવી અને વર્ષો જૂના વાહનો કે જે ભંગારની હાલતના થઇ ગયા છે તેનુ શું ? આ સહિતની અનેક બાબતમાં સરકાર કે આરટીઓ સત્તાવાળાઓ સ્પષ્ટ નથી અને તેના કારણે ભારે અસમંજસતાભરી સ્થિત બની છે. કોઇપણ પ્રકારના ચોક્કસ આયોજન કે વ્યવહારૂ અભિગમ કે વ્યૂહરચના સિવાય આટલું મોટું કાર્ય નિયત સમયમર્યાદામાં શકય ના બને. એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ ઉમેર્યું કે,એચએસઆરપી નંબર પ્લેટના નિર્ણયના મુદ્દે સરકાર પોતે જ બહુ મોડી જાગી છે અને હવે નિર્ણયનો અમલ કરાવવા ઉતાવળી કરી રહી છે. સુપ્રીમકોર્ટની ફટકારથી બચવા સરકાર પબ્લીક પર ખોટુ અને ગેરવાજબી દબાણ ઉભુ કરી રહી છે, જે બિલકુલ અયોગ્ય અને અત્યાચારી વલણ કહી શકાય. બીજીબાજુ, સરકારના આ તઘલખી ફરમાનને લઇ અમદાવાદ સહિત રાજયભરમાં જાહેરજનતામાં ઉગ્ર રોષની લાગણી ભભૂકી ઉઠી છે. આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ આરટીઓમાં સામાન્ય સંજોગોમાં રોજની ૨૫૦થી વધુ એચએસઆરપી નંબર પ્લેટ નવા વાહનોમાં નાંખી આપવામાં આવે છે. હાલ આરટીઓમાં અત્યારે માત્ર દસ જણાંની ટીમ સાથે આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે, જે રૂટીન કામગીરીને પહોંચી વળવા માટે પણ પૂરતી નથી. સરકારની જાહેરાત બાદ દર રવિવારે પણ આરટીઓ કચેરી ખુલ્લી રાખી એચએસઆરપીની રસીદો જારી કરવાનું કામ ચાલુ રખાયું છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં વસ્ત્રાલ, મોડાસા સહિતની આરટીઓ કચેરીમાં નંબરપ્લેટ સાથે સંકળાયેલા ત્રણથી વધુ કર્મચારીઓને છૂટા કરાતાં કર્મચારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. એક તો, લાખો નંબરપ્લેટ લગાવવાના કામનું ભારણ છે, તેવામાં મેનપાવરની ક્ષમતા વધારવાના બદલે તે તંત્ર ઘટાડી રહ્યું છે. વળી, નંબર પ્લેટના કાર્ય સાથે સંકળાયેલા કર્મચારીઓ અને અધિકારીઓના પગારને લઇને પણ શોષણની ગંભીર ફરિયાદો ઉઠવા પામી છે. કર્મચારીઓમાં આર્થિક શોષણને લઇ ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે, જેની સીધી અસર એચએસઆરપી નંબર પ્લેટ ફીટ કરવાના કામના ભારણ પર પડી શકે છે. સરકારના સત્તાવાળાઓ અને તંત્રના અધિકારીઓએ કર્મચારીઓની આ લાગણીને પણ ધ્યાને લેવી જોઇએ કારણ કે, કામના ભારણ વચ્ચે તેઓ રાત્રે દસ-દસ, અગિયાર વાગ્યા સુધી આરટીઓમાં રોકાઇને કામ કરતા હોય છે. (10:00 am IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/08-01-2018/68378


દરેક વર્ગ માટે સરકાર લાવશે સામાજીક સુરક્ષા યોજના

સરકારે શ્રમિકો માટે તૈયાર કરી બ્લુપ્રિન્ટઃ અસંગઠીત ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકોને મળશે સુરક્ષા કવચઃ યોજનામાં અનિવાર્ય પેન્શન, વિકલાંગતા અને મૃત્યુનો વિમો, વૈકિલ્પક ચિકિત્સા, માતૃત્વ અને બેરોજગારીનું કવરેજ સામેલ છે   નવી દિલ્હી તા.૮ : કેન્દ્ર સરકાર અકિલા શ્રમિકો માટે યુનિવર્સલ સોશ્યલ સિકયુરીટી સ્કીમ (સામાજીક સુરક્ષા યોજના)નું માળખુ તૈયાર કરી રહી છે જેનો હેતુ અસંગઠીત ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકોને સામાજીક સુરક્ષા આપવાનો છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે અકીલા સામાજીક સુરક્ષા કોડનો મુસદો તૈયાર કરી લીધો છે જેમાં ઇપીએફઓ અને ઇએસઆઇસીના દાયરામાં ન આવતા લોકોને પણ સામેલ કરવામાં આવશે. આ યોજનામાં અનિવાર્ય પેન્શન, વિકલાંગતા અને મૃત્યુનો વિમો, વૈકિલ્પક ચિકિત્સા, માતૃત્વ અને બેરોજગારીનું કવરેજ સામેલ છે. આ યોજનામાં ભાગીદારી માટે રાજયો સાથે વાત કરવામાં આવી રહી છે. આ યોજના ર૦૧૯ની લોકસભાની ચુંટણી પહેલા લોન્ચ કરવામાં આવશે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે ઇપીએફઓ અને ઇએસઆઇસીમાં માલિક જેટલી રકમનો ફાળો આપે એટલી જ રકમ કર્મચારી આપતા હોય છે. જો આવી યોજનાઓમાં સમગ્ર વસ્તીને લાવવામાં આવતી હોય તો એક વર્ગ એવો પણ હશે કે જે આના માટે સહમત નહી હોય. હવે ગરીબી રેખા નીચે રહેતા લોકો માટે સરકાર આ યોજના બનાવી રહી છે જે રાજયો સાથે મળીને અમલી બનશે. આ પ્રસ્તાવ મંત્રાલયો અને રાજયો વચ્ચે સરકયુલેટ થઇ ગયો છે. હાલ આ અંગેના ફન્ડીંગ ઉપર વાત ચાલી રહી છે. સામાજીક સુરક્ષા માટે ફંડ કેન્દ્ર તરફથી આવે છે પરંતુ તેમાં રાજયની પણ ભાગીદારી હોય છે દા.ત. સરકાર ઓલ્ડ ઇઝ પેન્શન માટે મહિને રૂ.૩૦૦ આપે છે તો રાજય તેમાં વધુ રકમ જોડી વધુ પેન્શન આપે છે. કયાંક ૧૦૦૦ રૂપિયા છે. વિમા યોજનાઓ, વિકલાંગતા લાભ, માતૃત્વ લાભ જેવી યોજનાઓ પણ ચાલી રહી છે. ર૦૧૪માં સત્તા ઉપર આવ્યા બાદ એનડીએ સરકાર ૪૪ શ્રમ કાનુનો મજબુત કરવાની જાહેરાત કરી હતી. જેમાં વેતન, સામાજીક સુરક્ષા, સ્વાસ્થ્ય, ઔદ્યોગિક સંબંધ વગેરેનો સમાવેશ થાય છે. (૩-૪) (10:51 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/08-01-2018/121430

૧૫૧ બેઠકો કેમ ન મળી ? આંતરિક સર્વેમાં મળ્યા ચોંકાવનારા તારણો
દરિયાકાંઠાના વિસ્તારોમાં કેરોસીનના મુદાએ ભાજપની પથારી ફેરવીઃ રેતી અને ખોદકામ પરના પ્રતિબંધની અવળી અસર પડીઃ ખેડુતોની નારાજગી પણ નડીઃ સસ્તી વિજળી અને ઓછા દરે લોન જેવી ઇચ્છાઓ પુરી ન થઇઃ યુવા મતદારોને આકર્ષવામાં વયોવૃધ્ધ નેતાઓ નિષ્ફળ રહ્યાઃ યુવા અકિલા મતદારો યુવા ચહેરો માંગે છે નવી દિલ્હી તા.૮ : ગુજરાતમાં ભાજપ સરકારે પ્રદુષણ ઘટાડવા અને કેરોસીનના કાળાબજાર રોકવા માટે રાજયને કેરોસીન મુકત બનાવવાની પહેલ કરી હતી. તેની અસર પક્ષે ચૂંટણીમાં ભોગવી અકીલા પડી. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભાજપની બેઠકો ઘટવાનુ કારણ માછલીના વ્યવસાય સાથે જોડાયેલા લોકો કેરોસીન મુકત ગુજરાતની પહેલથી નારાજ હતા.   નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે ગુજરાતના દરિયાઇ વિસ્તારોમા રેતી અને ખોદકામ ઉપર પ્રતિબંધ મુકયો છે તેના ઉપરના પ્રતિબંધને કારણે બિલ્ડીંગ નિર્માણમાં કામ આવતી સામગ્રીની કિંમત ઘણી વધી ગઇ છે અને એ દિશામાં ભારત સરકાર તરફથી કોઇ સકારાત્મક પ્રયાસ થયા ન હતા. આ કારણથી ભાજપ વિરૂધ્ધ રાજયમાં થોડો નકારાત્મક માહોલ ઉભો થયો અને પક્ષે તેનુ નુકસાન ઓછી સીટ તરીકે ઉઠાવ્યુ. પક્ષના આંતરીક સર્વેમાં એ વાત સામે આવી છે કે ભાજપના વિજયના અંતરને ઘટાડવાનુ કારણ માત્ર શહેરી અને ગ્રામીણ વિસ્તારનું અંતર નથી. આની પાછળ અનેક નાના-નાના કારણો જવાબદાર છે. આંતરીક સર્વેમાં એ વાત સામે આવી છે કે ભાજપની ચૂંટણી પ્રચારની કમાન ખુદ પીએમ મોદીએ સંભાળી જેની અસર પણ મતદારો ઉપર પડી. જો કે પક્ષ એ વાતનો સ્વીકાર કરે છે કે મોદીએ ગુજરાત છોડયુ તે પછી પક્ષની સ્થિતિ પહેલા જેવી નથી રહી. ર૦૧૯ની લોકસભાની ચૂંટણીને જોતા પક્ષ આ બધી નબળાઇઓ ઉપર વિચાર કરી તેને દુર કરવાના પ્રયાસો કરી રહ્યુ છે. માછલી પાળવાના વ્યવસાય સાથે જોડાયેલા લોકો બોટની મશીનરીમાં કેરોસીનનો ઉપયોગ કરતા હોય છે. કેરોસીનના સ્થાને ડિઝલ સેટવાળા એન્જીનો લગાવવાના લઇને સરકારના ફેંસલાને નિશ્ચિત સમયે પરત ખેંચવામાં આવ્યો ન હતો. ખેડુતોની નારાજગી ન્યુનતમ સમર્થન મુલ્યને લઇને હતી અને તેણે મુખ્ય ભુમિકા ભજવી. ભાજપનું માનવુ છે કે ખેડુતો લોનને લઇને વધુ પરેશાન ન હતા પરંતુ સારો પાક થતા જયારે તેઓ પાક બજારમાં લઇને પહોંચ્યા ત્યા સુધી રાજયમાં આચારસંહિતા લાગુ થઇ ગઇ હતી. સમર્થન મુલ્ય કે ખેડુતોને મદદ પહોંચાડનારી કોઇ યોજના જાહેર થઇ શકી ન હતી. ભાજપના અમુક નેતાઓએ સ્વીકાર કર્યો છે કે ખેડુતો ભાજપ સાથે જ રહ્યા છે. સસ્તા દરે વિજળી અને ઓછા વ્યાજદરે લોન એવા મુદા રહ્યા જેના ઉપર ખેડુતોની અપેક્ષાઓ સરકાર પુરી કરવામાં નિષ્ફળ ગઇ. પક્ષના દેખાવનું મુલ્યાંકન કરી રહેલ કોર ટીમ વડીલોની વોટની અપીલ અને ચૂંટણી પ્રચારમાં તેઓની અસરનું મુલ્યાંકન પણ કરી રહેલ છે. પક્ષને એવો રિપોર્ટ મળ્યો છે કે, રાજયના યુવા મતદારોને આકર્ષવા માટે વડીલ નેતાઓ નિષ્ફળ રહ્યા છે. યુવા નેતાઓ પોતાના જેવા કોઇ યુવા ચહેરાનું નેતૃત્વ જોવા માંગે છે. ગુજરાત ભાજપમાં બુઝુર્ગ નેતાઓની દખલગીરી છે અને આ કારણે નવા નેતૃત્વને આગળ આવવાની તક નથી મળતી. (૩-પ)   (10:52 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/08-01-2018/121431

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App








 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application







1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment