સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday 5 January 2018

જેલ એ મારૂ બીજું ઘર છે : હાર્દિક પટેલે - સમાજ સેવાથી રાષ્ટ્ર સેવા દ્વારા શ્રેષ્ઠ ભારતનુ નિર્માણ કરીએ - નોર્થ કોરિયાની બેલાસ્ટિક મિસાઇલ લૉન્ચ બાદ પોતાના જ શહેરો પર પડી - ખુદને આંબેડકરના ભકત ગણાવતા પીએમ મોદી કોરેગાવ હિંસા પર ચુપ કેમ છે ? અમે ર૦૧૯માં તેમને મજા ચખાડશુ હું દિલ્હી આવી રહયો છુઃ જીજ્ઞેશ ભીમા - અમિતસર હવે એકેક વિધાનસભ્યનો કલાસ લેશે - રિયલ્ટી પર જીએસટી બાદ પણ લાગશે સ્ટેમ્પ ડયુટી અને પ્રોપર્ટી ટેક્ષ

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

જેલ એ મારૂ બીજું ઘર છે : હાર્દિક પટેલે લીધી લાજપોર જેલની મુલાકાત :લાજપોર જેલમાં બંધ પાટીદાર યુવાનોને હાર્દિકે નિર્દોષ ગણાવ્યાઃ હાર્દિક પટેલે કરી વાતચીત: (3:39 pm IST)

હું દિલ્હી આવી રહયો છુઃ જીજ્ઞેશ ભીમા- કોરેગાંવ હિંસા અને મારા પર લાગેલ આધારહિન આરોપ ઉપર પ્રેસ કોન્ફરન્સ કરીશઃ જજ્ઞેશ મેવાણી એ ટ્વીટ દ્વારા આપી માહીતી: (3:39 pm IST)

Source :-http://www.akilanews.com/

નોર્થ કોરિયાની બેલાસ્ટિક મિસાઇલ લૉન્ચ બાદ પોતાના જ શહેરો પર પડી

આ મિસાઇલ નોર્થ કોરિયાની રાજધાની પ્યોંગયાંગથી 90 માઇલ દૂર તોકચોન શહેરમાં પડી ગઇ
ઇન્ટરનેશનલ ડેસ્કઃ નોર્થ કોરિયા અમેરિકાને પડકારવાના હેતુથી મિસાઇલ પરીક્ષણ કરી રહ્યું છે. પરંતુ આ મિસાઇલ તેઓના પોતાના માટે પણ ઘાતક સાબિત થઇ રહી છે. એક રિપોર્ટ અનુસાર, નોર્થ કોરિયાની એક મિસાઇલ પરીક્ષણની થોડી મિનિટો બાદ પોતાના જ શહેરમાં પડી હતી. જો કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ હોવાના સમાચાર નથી. નોર્થ કોરિયન મિસાઇલ Hwasong-12 ઇન્ટરમિડિયેટ-રેન્જ બેલાસ્ટિક મિસાઇલ (IRBM) પરિક્ષણની થોડી મિનિટો બાદ પોતાના જ શહેરમાં પડી હતી.


- અમેરિકન અધિકારીઓએ જણાવ્યું કે, ગયા વર્ષે 28 એપ્રિલના રોજ મધ્યમ ગતિની બેલાસ્ટિક મિસાઇળ હવૉસોન્ગ-12 પરીક્ષણની થોડી મિનિટો બાદ હવામાં ટુકડાંઓમાં વહેંચાઇ ગઇ હતી. 
- જો કે, નવા ડેટા અનુસાર, આ મિસાઇલ નોર્થ કોરિયાની રાજધાની પ્યોંગયાંગથી 90 માઇલ દૂર તોકચોન શહેરમાં પડી ગઇ. તોકચોનની વસતી 2 લાખ છે.
- ધ ડિપ્લોમેટ મેગેઝીનના રિપોર્ટ અનુસાર, મિસાઇલમાં સંભવતઃ બ્લાસ્ટ થયો જેના કારણે શહેરમાં મોજૂદ કેટલીક ઇમારતોને નુકસાન થયું. મેગેઝીનનો આ રિપોર્ટ યુએસ ઇન્ટેલિજન્સના સૂત્રો અને સેટેલાઇટના હવાલાથી છાપી છે. 
- પ્રાપ્ત માહિતી અનુસાર, આ મિસાઇલ પુકેંગ એરપોર્ટથી લૉન્ચ કરવામાં આવી હતી, ત્યારબાદ તે 38 કિલોમીટરના અંતરે ઉડી અને 69 કિલોમીટરની ઉંચાઇ પર ગઇ. - અમેરિકન સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, મિસાઇલના પહેલાં સ્ટેજનું એન્જિન લૉન્ચની થોડી મિનિટો બાદ જ ફેલ થઇ ગયું હતું. જો કે, મેગેઝીને એમ પણ કહ્યું કે, આનાથી કોઇના મોતના સમાચાર નથી મળી શક્યા, કારણ કે નોર્થ કોરિયામાં સમાચાર ગુપ્ત રાખવામાં આવે છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/INT-CHN-HDLN-north-korea-accidentally-hit-one-of-its-own-cities-with-a-missile-gujarati-news-5785150-PHO.html?ref=ht

પોતાને આંબેડકરના ભક્ત કહેતા PM કોરેગાંવ હિંસા પર મૌન કેમ?- મેવાણી

પત્રકાર પરિષદ સંબોધી અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા.
નવી દિલ્હીઃ ગુજરાતના અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા એવા જિજ્ઞેશ મેવાણીએ દિલ્હીમાં એક પત્રકાર પરિષદ સંબોધી હતી. આ દરમિયાન મેવાણીએ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. મેવાણીએ કહ્યું કે, "પોતાને બાબા આંબેડકરના ભક્ત બતાવનાર પીએમ મોદી ભીમા કોરેગાંવ હિંસા મામલે મૌન કેમ છે."

'મારી સામે કેસ કરવો તે સરકારની નાદાનિયત છે'
- ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ શુક્રવારે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી કેન્દ્રની ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા.
- મેવાણીએ કહ્યું કે, "મારા વિરૂદ્ધ કેસ દાખલ કરવો તે સરકારની નાદાનિયત છે. હું ભીમા-કોરેગાંવ ગયો જ નથી કે મેં કોઈ ભડકાઉ ભાષણ પણ નથી કર્યું. તમે મારી સ્પીચ સોશિયલ મીડિયા પર જઈને સાંભળી શકો છો."
- મેવાણી વધુમાં કહ્યું કે, "જે બંધનું એલાન કરવામાં આવ્યું હતું તેમાં મેં ભાગ પણ લીધો ન હતો, તો મારા કારણે હિંસા કઈ રીતે થઈ?"
'મને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે'
- મેવાણીએ વ્યંગ કરતાં વધુમાં કહ્યું કે, "સંઘ પરિવાર અને ભાજપના લોકો ગુજરાતમાં 150 સીટ લાવવાનું અભિમાન કરતા હતા જે 99 પર અટકી ગઈ જેના કારણે મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે."
વડાપ્રધાન મૌન કેમ છે? - મેવાણી

- જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે રોહિત વેમૂલાની હત્યા, સહારનપુર ઘટના અને ઉનાની ઘટના પર વડાપ્રધાન મોદી ચૂપ રહે છે. 
- સમય આવી ગયો છે કે સરકાર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરે. મેવાણીએ કહ્યું કે "જો આવી રીતે જ ચાલતું રહ્યું તો 2019માં મોદીજીને મજા ચખાડીશું. 9 જાન્યુઆરીએ દિલ્હીમાં સામાજિક ન્યાય માટે યુવા હુંકાર રેલી કરીશું. આ રેલીમાં અખિલ ગોગાઈ પણ સામેલ થશે. ત્યારબાદ હું વડાપ્રધાન કાર્યાલય જઈશ અને એક હાથમાં બંધારણ અને મનુસ્મૃતિ લઈને મોદીજીને પૂછીશ કે તેમ બંનેમાંથી શું પસંદ કરશો.”
મેવાણી-ખાલિદ વિરૂદ્ધ FIR

- ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને JNUના વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ વિરૂદ્ધ કલમ 153(એ), 505, 117 અંતર્ગત પુણેમાં FIR દાખલ કરવામાં આવી છે.
- આ બંને પર પુણેમાં થયેલાં કાર્યક્રમ દરમિયાન ભડકાઉ ભાષણ દેવાનો આરોપ છે.
- મહારાષ્ટ્ર બંધ દરમિયાન બુધવારે થયેલી હિંસા પછી મુંબઈ પોલીસે દલિત નેતા જિજ્ઞેશ મેવાણી અને વિદ્યાર્થી નેતા ખાલિદને કાર્યક્રમના આયોજન માટે અનુમતી આપી ન હતી.
શું છે સમગ્ર મામલો

- આ પૂરો વિવાદ 1લી જાન્યુઆરી, 1818નાં રોજ થયેલાં તે યુદ્ધને લઈને છે જેમાં અંગ્રેજો અને પેશવા બાજીરાવ બીજા વચ્ચે કોરેગાંવ ભીમાં લડાઈ થઈ હતી.
- આ યુદ્ધમાં અંગ્રેજોએ પશવાને હરાવ્યાં હતા જેમાં સૌથી મહત્વપૂર્ણ વાત તે હતી કે ઇસ્ટ ઈન્ડિયાની સેનામાં મોટા ભાગના લોકો દલિત હતા.
- આ યુદ્ધમાં જીતનો જશ્ન મનાવવા માટે દલિત જૂથ દ્વારા પુણેમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જે મુદ્દે વિવાદ થયો હતો.
- દલિત અને મરાઠા જૂથનાં લોકો આમનેસામને આવી ગયા હતા. આ કાર્યક્રમમાં જ જિજ્ઞેશ મેવાણી અને ઉમર ખાલિદે ભાષણ આપ્યું હતું. 
- સોમવારે પુણેથી ભડકેલી હિંસાની આગ મંગળવારે મુંબઈ સહિત રાજ્યના અને વિસ્તારોમાં ફેલાઈ હતી. દલિત અને હિંદુવાદી સંગઠનો આમને સામને આવી ગયા હતા.

Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-bheema-koregao-issue-mla-jignesh-mewani-target-on-pm-modi-gujarati-news-5785062-NOR.html?ref=ht

અમિતસર હવે એકેક વિધાનસભ્યનો કલાસ લેશે 
અસંતોષની આગ ઠારવા અધ્યક્ષ ખુદ મેદાને નવી દિલ્હી તા. ૫ : વધુ ખાતાંની માગણી કરનારા પરષોત્ત્।મ સોલંકી ગઈ કાલે સવારે માની ગયા હતા, તો પ્રધાન બનાવવાની માગણી કરનારા જેઠા ભરવાડ અને બાબુ બોખીરિયાએ પણ ગઈ કાલે સ્ટેટમેન્ટ આપી દીધું હતું કે મેં માત્ર મારી ઇચ્છા વ્યકત કરી અકિલા છે, પણ એમ છતાં લાગતું નથી કે ગુજરાતમાં BJPના વિધાનસભ્યો શાંત થયા હોય કે પછી શાંત બેસી રહે. RSS દ્વારા અંદરખાને કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે આ વખતે વિધાનસભ્યોમાં અસંતોષની માત્રા ભારોભાર અકીલા છે અને તેઓ કોઈ પણ સમયે કોઈ પણ પગલું ભરી શકે એમ છે. આ સર્વે પછી હવે નક્કી થયું છે કે અમિત શાહ પોતાના ઓરિજિનલ મૂડમાં આવે અને એકેક વિધાનસભ્યનો કલાસ લઈને તેમનામાં રહેલા અસંતોષને અંદર જ ધરબી દે. ગુજરાતના જ એક વિધાનસભ્યઅઓફ ધ રેકોર્ડ કહ્યું હતું કે 'આ અત્યારના તબક્કે જરૂરી પણ છે. BJP પહેલી વાર શિસ્ત ગુમાવીને વાત કરે છે જે BJPના શાખને ખૂબ ખરાબ અને મોટી અસર પહોંચાડી રહ્યું છે. અમિત શાહે ઓલરેડી અંસતુષ્ટ હોય કે અસંતુષ્ટ બની શકે એવા બાવીસથી વધુ વિધાનસભ્યોનાં નામ મગાવીને તેમની સાથે ટેલિફોનિક વાતો શરૂ કરીને તેમના કલાસ લેવાનું ચાલુ કરી દીધું છે. બની શકે કે બહુ ઝડપથી એ લોકોને અમિત શાહના રોષનો પરચો મળી જાય અને પાર્ટીની શિસ્ત તોડવા બદલ તેમને કફોડી કહેવાય એવી અવસ્થામાં પણ મૂકી દેવામાં આવે.' (12:30 pm IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/05-01-2018/121239


ખુદને આંબેડકરના ભકત ગણાવતા પીએમ મોદી કોરેગાવ હિંસા પર ચુપ કેમ છે ? અમે ર૦૧૯માં તેમને મજા ચખાડશુ 
દલિત નેતા જીજ્ઞેશ મેવાણી દિલ્હીમાં: પત્રકાર પરિષદમાં ભાજપ-મોદી ઉપર તીખા પ્રહારો નવી દિલ્હી તા.પ : દલિત નેતા અને ગુજરાતના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ દિલ્હીમાં એક પત્રકાર પરિષદ યોજી ભાજપની કેન્દ્ર સરકાર અને અકિલા પીએમ નરેન્દ્ર મોદી ઉપર તીખા પ્રહારો કર્યા હતા. મેવાણીએ કહ્યુ હતુ કે ખુદને બાબા સાહેબ આંબેડકરના ભકત ગણાવતા પીએમ મોદી ભીમા કોેરેગાવ હિંસા મામલે ચુપ કેમ છે. જીજ્ઞેશ મેવાણીએ કહ્યુ હતુ કે, સરકાર મારી અકીલા સામે ખોટા કેસો કરી રહી છે હું ભીમા કોરેગાવ ગયો જ નથી ન તો મેં ભડકાઉ ભાષણ આપ્યુ છે. તમે મારી સ્પીચ સોશ્યલ મીડીયા પર સાંભળી શકો છો. બંધમાં પણ મેં ભાગ નહોતો લીધો, તો મારા કારણે કઇ રીતે હિંસા થઇ ? મેવાણીએ કહ્યુ હતુ કે, સંઘ પરિવાર અને ભાજપના લોકોનો ગુજરાતમાં ૧પ૦ બેઠકો લાવવાનો ઘમંડ હતો જે ૯૯ બેઠક પર આવી ઉભો રહ્યો જેને કારણે મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. મેવાણીએ કહ્યુ હતુ કે, રોહીત વેમુલાની હત્યા, સહારનપુર ઘટના અને ઉનાની ઘટના પર મોદીજી ચુપ રહે છે સમય આવી ગયો છે કે, સરકાર પોતાની પોઝીશન સ્પષ્ટ કરે. તેમણે કહ્યુ હતુ કે, જો આવુ જ ચાલતુ રહ્યુ તો ર૦૧૯માં મોદીજી મજા ચખાડશુ. ૯ જાન્યુ.એ દિલ્હીમાં સામાજીક ન્યાય માટે હુંકાર રેલી કરશુ તે પછી હું પીએમ કાર્યાલય જઇશ અને હાથમાં બંધારણ અને મનુ સ્મૃતિ લઇ મોદીને પુછીશ કે આપ બંનેમાંથી કોને પસંદ કરશો. દલિત નેતાએ કહ્યુ હતુ કે, અમેે જાતિવિહન સમાજ ઇચ્છીએ છીએ. જો આપણે ફાંસીવાદને સમાપ્ત કરવો હોય તો લોકોએ આંદોલનમાં શેરીમાં આવવુ પડશે. તેમણે કહ્યુ હતુ કે, દલિતો પર થઇ રહેલી હિંસા પર મોદીએ બોલવુ જોઇએ. આજે દેશમાં દલિતો સુરક્ષિત નથી. (4:11 pm IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/05-01-2018/121249


સમાજ સેવાથી રાષ્ટ્ર સેવા દ્વારા શ્રેષ્ઠ ભારતનુ નિર્માણ કરીએઃ
 વિજયભાઇ મહાત્મા મંદિરમાં ગ્લોબલ પાટીદાર સમિટ-૨૦૧૮નો પ્રારંભઃ દેશ - વિદેશના પાટીદાર અગ્રણીઓની ઉપસ્થિતિ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આજે ગ્લોબલ પાટીદાર સમિટ-૨૦૧૮નો પ્રારંભ થયો હતો. આ તકે નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલ સહિતના અકિલા ઉપસ્થિત રહ્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે. ગાંધીનગર તા. ૫ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સમાજ સેવાથી રાષ્ટ્રસેવા દ્વારા શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે સૌ સમાજ વર્ગોને સૌના સાથ સૌના વિકાસ ભાવથી અકીલા પ્રેરિત થવાનું આહવાન કર્યુ છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, સમાજ સમાજ વચ્ચે અંતર ઘટાડી હર કોઇ શિક્ષિત-દિક્ષીત- રોજગાર પ્રાપ્ત બને પીડિત-શોષિત- વંચિત પ્રત્યેકને વિકાસના અવસર મળે તે માટે સમાજવર્ગોમાં રચનાત્મક અભિગમ આવશ્યક છે. મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને રાજય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ તેમજ દેશ-દુનિયાના પાટીદાર અગ્રણીઓની ઉપસ્થિતીમાં ગ્લોબલ પાટીદાર સમિટ-ર૦૧૮નો મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે પ્રારંભ કરાવ્યો હતો. શ્રી વિજયભાઇ રૂપાણીએ સરદાર ધામ વિશ્વ પાટીદાર કેન્દ્ર દ્વારા યોજાયેલી આ ગ્લોબલ પાટીદાર સમીટનો સંકલ્પ, સમાજ કલ્યાણ-ઉત્થાનનું વ્રત ૧૦૦ ટકા સફળ થશે તેવો વિશ્વાસદર્શાવતાં કહ્યું કે, અન્ય સમાજ વર્ગો માટે પણ સમાજ સેવાથી રાષ્ટ્રસેવાનો પથ આ સમિટ દર્શાવશે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પાટીદાર સમાજ પ્રામાણિક, પરિશ્રમી અને વિકાસને સમર્પિત સમાજ છે. તેમણે ઉમેર્યું કે, ખેતી જેવો પરિશ્રમી વારસો ધરાવતો પાટીદાર સમાજે હવે બદલાયેલા સમય સાથે ચાલીને યુવા વર્ગોને ઊદ્યોગ-સ્વરોજગાર અને સરકારની સેવાઓમાં ભરતી માટે તૈયાર કરવાનું અભિયાન ઉપાડયું છે તે યુવાનોને જોબ સીકર નહિ, જોબ ગીવર બનાવશે જ. શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયની વિકાસયાત્રાના પાયામાં પાટીદાર સમાજના પ્રદાનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ઉદ્યોગ સાહસિકતા, નવું સાહસ કરવાની હિંમત, જોશ અને ધગશને પરિણામે જ આ સમાજ પ્લ્પ્ચ્, મેન્યુફેકચરીંગ સેકટર, જેવા ઉદ્યોગ ક્ષેત્રે મહત્વનો હિસ્સો ધરાવે છે. તેમણે ઉમેર્યું કે, રાજય સરકાર પણ આવા સમાજ સેવા કાર્યમાં પ્રોત્સાહન પુરૃં પાડશે. 'સબ સમાજ કો લિયે સાથ મેં આગે હૈ બઢતે જાના'ના ભાવ સાથે યુવાનોને કામ-યોગ્ય સન્માન અને સ્થાન આપી ગાંધી-સરદારના ગુજરાતને ગૌરવ પ્રતિષ્ઠા અપાવવા મુખ્યમંત્રીશ્રીએ આવી સમિટના આયોજનને બિરદાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ સાચ અર્થમાં સર્વગ્રાહી વિકાસથી 'ચલો જલાયે દિપ વહાં, જહાં અભી ભી અંધેરા હૈ'નો મંત્ર સૌ સમાજ-વર્ગો સરકાર સાથે મળીને પાર પાડશે તેવી મનસા વ્યકત કરી હતી. આ અવસરે પંચામૃતશકિત યોજના અન્વયે મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં નવયુવકોને નવા ઉદ્યોગ સ્થાપવા, સ્વરોજગાર. ઉચ્ચ સ્પર્ધાત્મક પરિક્ષાઓનું માર્ગદર્શન વગેરે માટેના ૧૦ જેટલા MoU કરવામાં આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે ગ્લોબલ પાટીદાર સમિટ વિશ્વભરના પાટીદાર પરિવારોનો સેતુ બની છે તેનો હર્ષ વ્યકત કર્યો હતો. આ સમિટથી સમાજના યુવાનોને ઉદ્યોગ-શિક્ષણ-સ્વરોજગારી ક્ષેત્રે વૈશ્વિક જોડાણની તક મળશે તેમ તેમણે જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીશ્રીએ સમાજ દ્વારા ૧૦ લાખ યુવાનોને સમાજ સેવાથી રાષ્ટ્રસેવા માટે પ્રેરિત કરવાના આ મહાઅભિયાનને સફળતાની શુભેચ્છા પાઠવી હતી. આ અવસરે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી, મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ, ઊર્જામંત્રી શ્રી સૌરભભાઇ પટેલ, આરોગ્ય રાજય મંત્રી શ્રી કુમાર કાનાણી, ધારાસભ્યો શ્રી પરેશ ધાનાણી, ભૂપેન્દ્રભાઇ પટેલ, વિવેકભાઇ પટેલ તેમજ પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમિટનો પ્રારંભ રાજયશકિત, ઉદ્યોગશકિત અને માતૃશકિત દ્વારા ત્રિદિપ પ્રાગટયથી કરવામાં આવ્યો હતો.સરદાર ધામ વિશ્વ પાટીદાર કેન્દ્રના પ્રમુખ સેવક શ્રી ગગજીભાઇ સુતરિયાએ આ સમિટનો હેતુસ્પષ્ટ કરી સૌને આવકાર્યા હતા. (3:44 pm IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/05-01-2018/68256

રિયલ્ટી પર જીએસટી બાદ પણ લાગશે સ્ટેમ્પ ડયુટી અને પ્રોપર્ટી ટેક્ષ
રિયલ એસ્ટેટને જીએસટી હેઠળ લાવવાની કવાયત શરૂ : કાઉન્સીલની બેઠકમાં પ્રસ્તાવ પર થશે ચર્ચાઃ રાજયોને અમુક ટેક્ષ રાખવાની સુચના નવી દિલ્હી, તા., ૫: સરકાર રિયલ એસ્ટેટને જીએસટીના દાયરામાં લાવવાની દિશામાં પગલા ભરવા જઇ રહયું છે. માનવામાં આવી રહયું અકિલા છે કે જીએસટી કાઉન્સીલની ૧૮ જાન્યુઆરીએ નવી દિલ્હીમાં થનારી બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા થઇ શકે છે. કેન્દ્ર એ જે વિકલ્પ રાજયોને સુચવ્યો છે તેમાં જીએસટીના દાયરામાં રિયલ એસ્ટેટના આવ્યા બાદ પણ સ્ટેમ્પ અકીલા ડયુટી તેમજ પ્રોપર્ટી ટેક્ષને યથાવત રખાશે. સુત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારે આ અંગે પહેલ કરીને જીએસટી કાઉન્સીલની ૧૦ નવેમ્બરે ગોવાહાટીમાં થયેલી ર૩ મી બેઠકના એજન્ડામાં એક પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન રાખ્યું હતું. પરંતુ સમયના અભાવના કારણે તેના પર ચર્ચા થઇ શકી નહી. તેથી હવે આગામી બેઠકમાં તેના પર ચર્ચા થવાના સંકેત છે. સુત્રોના જણાવ્યા મુજબ તેનાથી કેન્દ્ર તેમજ રાજય સરકારોને વધુ રાજસ્વ મળશે. ઇનપુટ ટેક્ષ ક્રેડીટની સુવિધાથી બંદરગાહ, એરપોર્ટ અને હોટેલ જેવા વ્યવસાયોને લાભ મળશે. રિયલ એસ્ટેટમાં કાળા નાણા વિરૂધ્ધમ આ મહત્વનું પગલું હશે. હાલમાં રિયલ એસ્ટેટ પર મુખ્ય ચાર પ્રકારના ટેક્ષ તેમજ ફી લાગે છે. જેમાં સ્ટેમ્પ ડયુટી, પ્રોપર્ટી ટેક્ષ, રજીસ્ટ્રેશન ફીસ અને ભવન નિર્માણ પર સેસ સામેલ છે. સુત્રોના જણાવ્યા મુજબ રિયલ એસ્ટેટ પર જીએસટી લાગુ કર્યા બાદ પ્રોપર્ટી ટેક્ષ અને સ્ટેમ્પ ડયુટીને યથાવત રખાશે. જયારે બિલ્ડીંગ સેસને જીએસટીમાં જ સમાહીત કરવામાં આવી શકે છે. જમીનના વેચાણ પર રાજય સરકારે સ્ટેમ્પ ફી લાગે છે. સ્ટેમ્પ ફીની દર પણ વિવિધ રાજયોમાં આ આઠ ટકા સુધી છે. નીતી પંચે પોતાના ત્રિવર્ષીય એકશન એજન્ડામાં પણ સ્ટેમ્પ ડયુટી ઘટાડવાની વકાલત કરી છે. સુત્રોના જણાવ્યા મુજબ રીયલ એસ્ટેટ પર જીએસટી લગાવા માટે સીજીએસટી અને એસજીએસટી કાયદામાં સંશોધનની જરૂરીયાત રહેશે. જો કે હજુ તે સ્પષ્ટ નથી કે તેના માટે સંવિધાનમાં સંશોધનની જરૂરીયાત પડશે કે નહી આ સંબંધમાં સુત્રોના જણાવ્યા મુજબ કાયદા મંત્રાલયનું મંતવ્ય લેવુ પડશે. સુત્રોના જણાવ્યા મુજબ જીએસટી લાગુ કર્યા પહેલા ચલ અને અચલ સંપત્તિની પરીભાષા નક્કી કરવી પડશે. ઉલ્લેખનીય છે કે કાઉન્સીલના કેટલાક સભ્યોએ રિયલ એસ્ટેટને જીએસટીના દાયરામાં લાવવાની માંગ ઉઠાવી હતી. ત્યાર બાદ આ અંગે વિચાર કરવામાં આવી રહયો છે. આ ઉપરાંત મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે કહયું છે કે જો જમીન અને રીયલ એસ્ટેટને જીએસટીના દાયરામાં લાવવામાં નહી આવે તો કાળા નાણાનું પ્રમાણ ઘટશે નહી. (4:17 pm IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/05-01-2018/121243

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App




 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment