સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 4 January 2018

કાલથી ગાંધીનગરમાં ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમીટનો પ્રારંભ - કેબીનેટની મીટીંગમાં વિજય રૂપાણી - નીતિન પટેલ બાખડી પડયા - કોળી-પાટીદાર મતદારો ભાજપનું લોકસભા ગણિત વાળી શકે છે ઊંધું! - મહારાષ્ટ્ર બંધની અસરઃ સુરતમાં કરાયો ચક્કાજામ, ટ્રેનો અટકાવાઈ - વર્ગવિગ્રહની આગ ગુજરાતમાં ન ભડકે તે માટે રૂપાણી સરકાર સચેત - ૮૦(સી) હેઠળ રોકાણની ટોચમર્યાદા ૨ લાખ કરાશે? - પાકિસ્‍તાનમાં માત્ર ૨ ટકા વસતિ ધરાવતી હિન્‍દુ લઘુમતિ કોમ ઉપર વધી રહેલા અત્‍યાચાર

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

કોળી-પાટીદાર મતદારો ભાજપનું લોકસભા ગણિત વાળી શકે છે ઊંધું!

હાલ બીજેપી પાસે 5 કોળી ધારાસભ્યો જ્યારે કોંગ્રેસ પાસે 9 કોળી એમએલએ હોવાથી લોકસભા ચૂંટણીમાં બીજેપીને પડી શકે છે ભારે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં પાતળી બહુમતી સાથે રચાયેલી ભાજપ સરકારના માથે વધુ એક સંકટ તોળાઈ રહ્યું છે. જેમાં ખાતાની ફાળવણી મામલે સૌથી વધુ વર્ચસ્વ ધરાવતી જ્ઞાતિના નારાજ મંત્રીઓએ નારાજગી વ્યક્ત કરી છે. જેમાં પાટીદારમાં વર્ચસ્વ ધરાવતા નીતિન પટેલ અને કોળી જ્ઞાતિમાં વર્ચસ્વ ધરાવતા પરસોત્તમ સોલંકીનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં કોળી-પાટીદાર મતદારોની સંખ્યા 1 કરોડ 25 લાખ
આ બન્ને જ્ઞાતિઓ ગુજરાતમાં 1 કરોડ 25 લાખ મતદારો ધરાવે છે. જો આ બન્ને જ્ઞાતિના મતદારો ભાજપથી નારાજ થઈ જાય તો આગામી લોકસભા ચૂંટણીમાં બીજેપીનું ગણિત ઉંધી વાળી શકે છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી ભાજપને તમામ એટલે કે 26 બેઠકો મળી હતી. જ્યારે આગામી 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 26 બેઠકો મેળવવાનો લક્ષ્યાંક મળવાની સંભાવના નથી, કારણ કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની બેઠકો ઘટીને 99 પર આવી ગઈ છે.
લોકસભામાં ઘટી શકે છે ભાજપની બેઠકો
આ ઉપરાંત વર્તમાન મંત્રી મંડળમાં પોતાની જ્ઞાતિમાં પ્રભુત્વ ધરાવનારા નારાજ ધારાસભ્યો અને મંત્રીઓનો સિલસિલો લાંબો ચાલે તો ગુજરાતમાંથી લોકસભાની વધુ બેઠકો મેળવવાનું ગણિત ઉલટું પડી શકે છે. હાલ ભાજપના રાજકીય પંડિતો ગુજરાતમાંથી 20 બેઠકો મળી શકે તેમ હોવાના તારણો કાઢી રહ્યા છે. પરંતુ જો પાટીદાર અને કોળી સમાજના મતદારો પણ લોકસભાની ચૂંટણી સુધી બીજેપીથી નારાજ રહે તો ભાજપને 10 બેઠકો મેળવવી પણ મુશ્કેલ બની શકે તેમ છે.
સોલંકીની પડખે છે કોળી ધારાસભ્યો
રૂપાણી સરકારમાં નારાજ પરસોતમ સોલંકીનું વર્ચસ્વ જ્ઞાતિવાદના આધારે વધેલું છે, ત્યારે જ્ઞાતિના નામે વધુ ખાતા મેળવવા માટે સોલંકી સરકાર પર દબાણ કરી રહ્યા છે. આ દબાણના મુખ્ય કારણમાં વિધાનસભાની ચૂંટણીમાં કોળી સમાજના કુલ 14 ધારાસભ્યો(કોળી પટેલ અને ઠાકોરને બાદ કરતા) ચૂંટાયા છે. જેમાં સોલંકી સમર્થિત આ તમામ ધારાસભ્યો ઉપરાંત કોળી સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો પણ સોલંકીની સાથે જોડાયા છે.
બીજેપીએ સોલંકીના દબાણને વશ થવું પડે એવી સ્થિતિ
ગુજરાતમાં કોળી મતદારોની કુલ સંખ્યા 45 લાખથી વધુ છે. આથી વર્તમાન ભાજપ સરકારે પરસોતમ સોલંકીના દબાણને સંપૂર્ણ પણે વશ થવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. આમ છતાં જો સોલંકીને સંતોષકારક ખાતાઓ ના આપવામાં આવે તો લોકસભા ચૂંટણીમાં કોળી સમાજ ભાજપનું ગણિત બગાડી દે તો નવાઈ નહીં.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-koli-and-patidar-voters-can-damage-the-bjp-in-loksaba-election-2019-NOR.html?ref=ht

મહારાષ્ટ્ર બંધની અસરઃ સુરતમાં કરાયો ચક્કાજામ, ટ્રેનો અટકાવાઈ

ઉધના સ્ટેશન ખાતે લોકો રસ્તા પર ઉતર્યા છે. અને ચક્કાજામની સ્થિતિ ઉદભવી છે
સુરત: મહારાષ્ટ્રના પુણેમાં સોમવારે ભીમા-કોરે ગાંવ યુદ્ધની 200મી સાલગીરી નિમિત્તે યોજાયેલા સંમેલનમાં થયેલી હિંસાને પગલે સુરતમાં બુધવારે દિવસભર દેખાવો થયા હતા. મુંબઇ, ઔરંગાબાદ અને અહમદનગર સહિતનાં શહેરો બાદ બુધવારે સુરતના દલિત સંગઠનોએ ઉધના રેલવે સ્ટેશનથી રિંગ રોડ સ્થિત આંબેડકર પ્રતિમા સુધી રેલી કાઢી હતી. આ રેલી દરમિયાન તેમણે બે ટ્રેન અટકાવી, ચક્કાજામ કરી અને ભાજપના કાર્યાલય બહાર સૂત્રોચ્ચારથયા હતા.આજે દલિત સમાજ માનદવરાજા આંબડકર પ્રતિમા પાસે એકત્ર થઇ કલેક્ટરને આવેદન આપશે.
રિંગ રોડ ખાતે ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કર્યા, આજે કલેક્ટરને રજૂઆત થશે
મહારાષ્ટ્રના પુણેમાં સોમવારે ભીમા-કોરે ગાંવ યુદ્ધની 200મી સાલગીરી નિમિત્તે સંમેલનમાં હિંસામાં એક વ્યક્તિનું મોત થયું હતું. દલિત સંગઠનોએ મંગળવારથી મહારાષ્ટ્રના જુદા-જુદા ભાગોમાં વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું હતું. બુધવારે 12:30 કલાક આસપાસ દલિત સંગઠનોએ સુરત ઉધના રેલવે સ્ટેશન ખાતે એક પેસેન્જર ટ્રેનને તેમજ એક માલગાડીને અટકાવી હતી. પોલીસે દલિત સંગઠનોને સમજાવીને ટ્રેનને રવાના કરી હતી. જેને કારણે અડધો કલાક ટ્રેન મોડી પડી હતી.
જ્યાંથી આ સંગઠન નીકળીને ઉધના ત્રણ રસ્તા ખાતે પહોચી ચક્કાજામ કર્યું હતું. જ્યાં પણ અડધો કલાક વિરોધ પ્રદર્શન ચાલ્યું હતું. જેથી ઉધના પોલીસે તેમને ફરી સમજાવીને અાગળ રવાના કર્યા હતા. જ્યાંથી આ સંગઠન સીધું ઉધના સ્થિત ભાજપા કાર્યાલયનો ઘેરાવ કર્યો હતો અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. કેટલાક લોકોએ એવી અફવા ઉડાવી હતી કે, ભાજપા કાર્યાલય પર સંગઠને પથ્થરમારો કર્યો છે.
શાંતિ માટે દેખાવ મોકૂફ રાખ્યા

સુરત દલિત સંગઠનના શહેર પ્રમુખ કૃણાલ સોનવણેએ કહ્યુંં કે, માનદરવાજા આંબેડકર પ્રતિમા પાસે એકત્રિત થઇ ગુરૂવારે અમે આવેદન અાપીશું. આ અગાઉ મોડી સાંજે પોલીસ કમિશનર સાથે અમારી એક બેઠક થઇ હતી જેમાં અમે શહેર શાંતિના હિતમાં દેખાવ અને અન્ય એલાન મોકૂફ રાખ્યા છે.
મહારાષ્ટ્ર જતી બસોનાં પૈંડાં અડધે રસ્તે અટક્યાં
મહારાષ્ટ્રમાં થઈ રહેલી હિંસાની ઘટનાને પગલે સુરત એસ ટી નિગમની મુંબઇ, ધુલિયા અને શેરડી જતી 15 જેટલી બસોનાં પૈડાં અડધે રસ્તે વચ્ચે જ થંભાવી દેવાની નોબત આવી છે. એસ ટીની મુંબઇ જતી બસને વાપી પર, શેરડી જતી બસને સાપુતારા પર અને ધુલિયા જતી બસને સોનગઢ પર અટકાવી દેવાની ફરજ પડી હતી. સુરત એસ ટી નિયામક એન. એમ. રાજ્યગુરૂએ કહ્યું હતું કે, મહારાષ્ટ્રની બસ ગુજરાતમાં પ્રવેશવાનું શરૂ કરશે એટલે તરત જ અમારી બસો પણ રાબેતા મુજબ ચાલુ થઈ જશે.

મુંબઈ તરફ જતી ટ્રેનો ધીમી ગતિએ દોડી

મુંબઇ રેલવે સ્ટેશનથી આવતી તમામ ટ્રેનો ધીમી ગતિએ ચલાવાઈ હતી. પશ્ચિમ રેલવેના પીઆરઓ વિભાગએ કહ્યું કે, 200 જેટલી લોકલ ટ્રેનોને અસર પહોચી છે. જોકે, લાંબા રૂટની દરેક ટ્રેનો સામાન્ય રીતે ચાલી છે. ગોરેગાંવ અને વિરાર-નાલાસોપારા રેલવે સ્ટેશન વચ્ચે અપ-લાઇન પર થોડી વાર માટે રેલરોકો આંદોલન કરવામાં આવ્યું હતું. જેને કારણે મુંબઇ અને બાન્દ્રા ટર્મિનસથી ઉપડનારી ટ્રેનો અડધો કલાક મોડી દોડી હતી. સુરત આવતી કોઇ ટ્રેન રદ કરવાની ફરજ પડી નથી.

Source :-https://www.divyabhaskar.co.in/news/DGUJ-SUR-c-99-LCL-communal-riots-maharashtra-effect-in-surat-two-train-prevented-NOR.html

વર્ગવિગ્રહની આગ ગુજરાતમાં ન ભડકે તે માટે રૂપાણી સરકાર સચેત

મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના પોલીસતંત્રને પણ આ મામલે એલર્ટ રહેવા માટેની સૂચનાઓ આપી
અમદાવાદ: મહારાષ્ટ્રમાં ફાટી નીકળેલા વર્ગવિગ્રહની આગ ગુજરાતમાં ન ભડકે તે માટે ગુજરાત સરકાર સચેત બની ગઇ છે. આજે મળેલી રૂપાણી સરકારની કેબિનેટની બેઠકમાં આ મુદ્દે ગંભીર ચર્ચા કરીને તમામ વિભાગો અને મંત્રીઓને સૂચના આપવામાં આવી છે કે ગુજરાતમાં જ્ઞાતિવાદનું જોર વર્ગવિગ્રહમાં ન ફેરવાય તે માટે સમયસૂચકતા વાપરીને વાણી અને વર્તનમાં કાબૂ રાખવો જોઇએ. મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના પોલીસતંત્રને પણ આ મામલે એલર્ટ રહેવા માટેની સૂચનાઓ આપી છે.
CM બંગલે ઉચ્ચસ્તરીય બેઠક
બુધવારે બપોરે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને ઉત્તર સ્તરીય બેઠક મળી હતી. જેમાં મહારાષ્ટ્ર ક્રાઇસિસને લઈને સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, ચીફ સેક્રેટરી જે. એન. સિંહ અને મુખ્યપ્રધાનના અગ્રસચિવ કે. કૈલાશ નાથન સહિત વાહન વ્યવહાર વિભાગ અને ગૃહ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. મહારાષ્ટ્રમાં દલિત આંદોલનના કારણે દક્ષિણ ગુજરાતમાં વાહન-વ્યવહાર પ્રભાવિત થઈ જતા અને મહારાષ્ટ્રનું દલિત આંદોલન ગુજરાતમાં ના આવી જાય તેને લઈને સમીક્ષા કરાઇ હતી. જોકે, આ મુદ્દે
સરકાર હવે દલિત નેતાઓ અને આગેવાનોને શાંતિ જળવાઈ રહે અને ગુજરાતમાં આ મુદ્દે ઘર્ષણ થાય નહીં તે માટે અપીલ કરી રહી છે.
ગુજરાતમાં છેલ્લા 2 વર્ષથી આંદોલનો ચાલી રહ્યાં છે
ગુજરાતમાં રૂપાણી સરકારની રચના બાદ ખાતાની વહેંચણીના મુદ્દે થયેલી તકરાર વચ્ચે આજે ફરી એકવાર મંત્રીમંડળની બેઠક મળી હતી. બે કલાક સુધી ચાલેલી આ બેઠકમાં મહારાષ્ટ્રમાં વર્ગવિગ્રહના કારણે ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં આવી કોઇ ઘટનાઓ ન બને તેનું ધ્યાન રાખવા લંબાણપૂર્વકની ચર્ચા આ બેઠકમાં થઇ હતી. ખાસ કરીને ગુજરાતમાં છેલ્લા 2 વર્ષથી દલિત, ઠાકોર અને પાટીદાર સમાજના આંદોલનો ચાલી રહ્યાં છે, પરંતુ અત્યાર સુધી આ આંદોલનો માત્ર ચોક્કસ જ્ઞાતિ પૂરતા જ સીમિત છે.


Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-gujarat-government-alert-on-communal-riots-due-to-maharashtra-NOR.html


કાલથી ગાંધીનગરમાં ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમીટનો પ્રારંભ
મોદી હાજર નહિ રહેઃ વિડીયો કોન્ફરન્સીંગ થકી કદાચ સંબોધન કરશેઃ રૂપાણી-પટેલ દ્વારા સમીટનું ઉદ્દઘાટનઃ ૩ર દેશોના ૧૦,૦૦૦ ઉદ્યોગ પાટીદારો હાજર રહેશેઃ ત્રણ દિવસમાં ૩ લાખ લોકો હાજરી આપશેઃ પ્રદર્શનમાં પ૦૦ જેટલા સ્ટોલઃ ટોચના ઉદ્યોગપતિઓ હાજર રહેશેઃ એમઓયુ પણ અકિલા કરશે નવી દિલ્હી તા.૪ : ગાંધીનગરમાં આવતીકાલથી શરૂ થનાર ત્રણ દિવસ માટેના ગ્લોબલ પાટીદાર બીઝનેસ સમીટમાં હાજર નહી રહેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ણય લીધો હોવાનુ જાણવા મળે છે. વડાપ્રધાનને આ ઇવેન્ટનું અકીલા ઉદ્દઘાટન કરવા આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. જો કે આવતીકાલે આ કાર્યક્રમનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ કરશે.   આ સમીટનું આયોજન સરદારધામ વિશ્વ પાટીદાર કેન્દ્રના નેતૃત્વ હેઠળ પાટીદાર સમુદાયે કર્યુ છે. એવી આશા રાખવામાં આવે છે કે ૩ર જેટલા દેશોમાંથી ૧૦,૦૦૦ જેટલા પાટીદાર ઉદ્યોગપતિઓ આ ઇવેન્ટમાં હાજર રહેશે. આ કાર્યક્રમમાં રોજ ૩ લાખ લોકો ઉપસ્થિત રહે તેવી શકયતા છે. એકઝીબીશનમાં પ૦૦ જેટલા સ્ટોલ નાખવામાં આવ્યા છે. આ ઇવેન્ટને પાટીદાર સમુદાયને મજબુત કરવાના ભાગરૂપે પણ જોવામાં આવી રહી છે. અત્રે એ નોંધનીય છે કે ગુજરાતમાં અઢી વર્ષથી પાટીદારો અનામતની માંગણીસર આંદોલન કરી રહ્યા છે. આ ઇવેન્ટમાં અનેક રાજકીય, બીઝનેસ અને મોટા ગજાના નેતાઓ-ઉદ્યોગપતિઓ હાજર રહેવાના છે. જેમાં સુઝલોનના ફાઉન્ડર તુલસી તંતી, જાયડસ કેડીલાના સીએમડી અને ચેરમેન પંકજ પટેલ, અમેરિકા સ્થિત બીઝનેસમેન કિરણ પટેલ, ડો.વિઠ્ઠલ ધડુક, બાલાજી વેફર્સના ફાઉન્ડર અને ડાયરેકટર ચંદુભાઇ વિરાણી, શ્રીરામકૃષ્ણ એકસપોર્ટના ચેરમેન ગોવિંદભાઇ ધોળકીયા, ગણપત યુનિ.ના ગણપત પટેલ વગેરે હાજર રહેશે. જાણીતા લેખકો ચેતન ભગત, શિવ ખીરા પણ ઉપસ્થિત રહી સેમીનારમાં સંબોધન કરશે. આમાંથી અનેક લોકો બીઝનેસ અને પાટનરશીપ અંગે પ્રવચન પણ કરશે. એવુ કહેવાય છે કે પીએમ મોદી કદાચ વિડીયો કોન્ફરન્સીંગ થકી ઇવેન્ટને સંબોધન કરશે. જો કે સરદારધામના સીઇઓ ટી.જી.ઝાલાવડીયાએ કહ્યુ છે કે, અમને વડાપ્રધાનની મુલાકાત કે સંબોધન અંગેનુ કોઇ કન્ફોર્મેશન મળ્યુ નથી. આ સમીટનો હેતુ સમુદાયમાં ગ્લોબલ બીઝનેસ ભાગીદારી ઉભી થાય તે માટેનો છે. પાટીદાર યુવકોને રોજગારી મળે, નવા ઉદ્યોગો શરૂ કરવા પ્રેરણા મળે તેવા પ્રયાસ થશે. તેમણે કહ્યુ હતુ કે, યુપીએસસી, જીપીએસસી અને અન્ય પરીક્ષાઓ ઉપરાંત લો અને ફાઇનાન્સ વિભાગ માટે વિદ્યાર્થીઓને ટ્રેનીંગ આપવા અને તેમનુ કૌશલ્ય વધારવા ૯ જેટલા ટ્રસ્ટો સાથે એમઓયુ થશે. જેમાં ઉમિયા કેરીયર ડેવલપમેન્ટ ટ્રસ્ટ-મહેસાણા, કડવા પાટીદાર સમાજ-ગાંધીનગર, ઉમિયાધામ-સોલા, કેળવણી નિકોલ અને ઉંઝા કેળવણી મંદિરનો સમાવેશ થાય છે. સરદારધામ આ વિદ્યાર્થીઓનો પ૦ ટકા ખર્ચ ઉપાડશે અને બાકીનો ખર્ચ આ ટ્રસ્ટો ઉપાડશે. ૭મી જાન્યુઆરીના રોજ ૧પ૦૦૦ ગામોમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ઇવેન્ટમાં ભાગ લેશે. કૃષિ સંલગ્ન બાબતો અંગેના સેમીનાર પણ યોજાશે. સરદારધામના પ્રેસીડેન્ટ ગાબજી સુતરીયાએ કહ્યુ છે કે ઉદ્યોગપતિઓ એમએસએમઇ અને એસએમઇ અંગે એમઓયુ પણ કરશે. પાટીદાર ઉદ્યોગરત્ન એવોર્ડ પણ આ સમીટ દરમિયાન અપાશે. (9:42 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/04-01-2018/121148

કેબીનેટની મીટીંગમાં વિજય રૂપાણી - નીતિન પટેલ બાખડી પડયા
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચેના મતભેદો ચરમસીમાએઃ જાહેરમાં બાખડી પડતા અનેક લોકો ભવા ઉંચા થઇ ગયાઃ ટાઇમ્સનો અહેવાલઃ મગફળી-ખેડુતોના મુદે બંને વચ્ચે મતભેદો બહાર આવ્યાઃ સીએમના પગલાનો નીતિનભાઇએ જાહેરમાં વિરોધ કર્યોઃ સરકાર-પક્ષ માટે સારી બાબત ન અકિલા હોવાનો ગણગણાટ નવી દિલ્હી તા.૪ : ઉપમુખ્યમંત્રી નીતિન પટેલને નાણાં વિભાગ ફળવાયો પછી પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પટેલ વચ્ચે દોરડા ખેંચ ચાલુ જો હોય તેવુ લાગી રહ્યું છે. આ કારણે ગુજરાત ભાજપના અકીલા ટોચના બે નેતાઓ વચ્ચેના મતભેદો જાહેરમાં આવી જાય તેવી શકયતા છે. બુધવારે નવી સરકારની રચના પછી મળેલી બીજી કેબિનેટ મીટીંગમાં રૂપાણી અને પટેલ જાહેરમાં બાખડી પડતા અનેક લોકોના ભવા ઊંચા થઈ ગયા હતા. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે. નામ ન આપવાની શરતે એક મંત્રીએ જણાવ્યું, મુખ્યમંત્રીએ પ્રસ્તાવ આપ્યો કે જો રાજય સરકારની એજન્સીઓ પાસે રહેલો મગફળીનો વધારાનો જથ્થો વાપરીને ખેડૂતોનો અસંતોષ દૂર કરી શકાય તેમ છે. મુખ્યમંત્રીએ પ્રસ્તાવ આપ્યો કે મગળફળીમાંથી તેલ કાઢવાનો અને તેને જાહેર વિતરણ અને રેશન તથા મધ્યાહન ભોજનમાં વાપરી શકાય. આ રીતે સરકાર ગયા વર્ષનો સ્ટોક વાપરી શકશે અને નવા સ્ટોક માટે જગ્યા કરી શકશે. જાણકારી મુજબ નીતિનભાઈએ આ પગલાનો જાહેરમાં વિરોધ કર્યો. તેમણે જણાવ્યું કે સરકાર તેલ કાઢવા અને તેનું વિતરણ કરવાનો વધારાનો ખર્ચ ઊઠાવી શકે તેમ નથી. તે કપાસિયા તેલ કરતા પણ મોંદ્યુ પડશે. સૂત્રોના જણાવ્યા મુજબ, વિજય રૂપાણીએ આ વિચાર પર જોર આપ્યું જયારે પટેલ તેનો વિરોધ કરતા રહ્યા. આ બધુ મંત્રીઓ અને વરિષ્ઠ સેક્રેટરીઓની હાજરીમાં થયુ. આથી મુખ્યમંત્રીએ વધુ ચર્ચા ટાળવા અધિકારીઓને આ સંભાવનાઓને ચકાસવા માટે આદેશ આપ્યો. મીટીંગમાં હાજર એક મંત્રીએ જણાવ્યું, ઙ્કઆ ઝદ્યડો મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં થયો. આ વાત સરકાર અને પાર્ટી માટે સારી નથી.ઙ્ખ બીજા કેટલાંક મંત્રીઓ અને સેક્રેટરીઓએ પણ આ ઝદ્યડો થયો હોવાની વાત સ્વીકારી હતી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, સરકારમાં જયારે બે પાવર સેન્ટર હોય તો તેની અસર કામકાજ પર પડે જ છે. અહીંની બ્યુરોક્રસી એક જ વ્યકિત પાસેથી આદેશ લેવા ટેવાયેલી છે. આ કારણે ભવિષ્યમાં પરિસ્થિતિ વણસે તેવી શકયતા છે. (૩-૨)   (9:42 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/04-01-2018/121147

૮૦(સી) હેઠળ રોકાણની ટોચમર્યાદા ૨ લાખ કરાશે?
બજેટમાં જાહેરાત થવાની સંભાવનાઃ હાલ લિમિટ ૧.૫૦ લાખ છે નવી દિલ્હી તા. ૪ : કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલી ૨૦૧૮ના અંદાજપત્રમાં આવકવેરાની કલમ ૮૦ (સી) હેઠળ રોકાણની ટોચમર્યાદા રૂપિયા પચાસ હજાર વધારીને રૂપિયા બે લાખ કરે એવી આશા રખાય છે.   બેન્કની પાંચ વર્ષની અકિલા બાંધી મુદતની થાપણ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, કર્મચારીઓની ભવિષ્ય નિધિ, જીવન વીમાના પ્રીમિયમ, પોસ્ટ ઓફિસના નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (એનએસસી), બે બાળકના શિક્ષણની ફી અને ચોક્કસ મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત વિવિધ અકીલા જગ્યાએ કરાતા રોકાણને આવકવેરાની કલમ ૮૦ (સી) હેઠળ બાદ અપાય છે. હાલમાં તેની ટોચમર્યાદા રૂપિયા દોઢ લાખ છે અને તે વધારીને આગામી વર્ષે રૂપિયા બે લાખ કરવાની આશા રાખવામાં આવે છે. કરદાતાઓ સોના જેવી ચીજોમાં ઓછું રોકાણ કરે અને તેને બદલે બેન્કો, વીમા, પોસ્ટ ઓફિસ જેવી જગ્યાએ વધુ રોકાણ કરે તે હેતુસર સરકાર ૮૦ (સી) હેઠળની રોકાણની ટોચમર્યાદા વધારવા માગતી હોવાનું કહેવાય છે. જો તમારી વાર્ષિક આવક રૂપિયા ૧૦,૦૦,૦૦૦ હોય તો તેમાંથી ૮૦ (સી) હેઠળ કરાયેલું રોકાણ બાદ કરીને બાકી રહેતી રકમ પર આવકવેરાની ગણતરી કરાય છે. અરુણ જેટલીએ ૨૦૧૪-૨૦૧૫માં રજૂ કરેલા પોતાના પ્રથમ અંદાજપત્રમાં આવકવેરાની કલમ ૮૦ (સી) હેઠળના રોકાણની ટોચમર્યાદા રૂપિયા પચાસ હજાર વધારીને રૂપિયા દોઢ લાખ કરી હતી. કેન્દ્રના નાણાપ્રધાન સાથે અંદાજપત્રની પહેલાંની બેઠકમાં બેન્ક અને નાણાકીય સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓએ રોકાણ વધારવા આવકવેરાની કલમ ૮૦ (સી) હેઠળની ટોચમર્યાદા વધારવાની ભલામણ કરી હતી. ભારતમાં ૨૦૧૫-૨૦૧૬માં કુલ સ્થાનિક બચત ૩૩.૩ ટકા હતી, જયારે તે વર્ષે ઘરેલુ બચત (હાલના બજાર ભાવ મુજબ) કુલ સ્થાનિક ઉત્પાદનના ૧૯.૨ ટકા હતી.(૨૧.૮) (9:42 am IST)

Source :- http://www.akilanews.com/Main_news/Detail/04-01-2018/121146

પાકિસ્‍તાનમાં માત્ર ૨ ટકા વસતિ ધરાવતી હિન્‍દુ લઘુમતિ કોમ ઉપર વધી રહેલા અત્‍યાચાર
 શીખોને ઇસ્‍લામ ધર્મ અંગીકાર માટે મજબુર કરવા, હિન્‍દુ યુવતિઓના અપહરણ, યુવકો સાથે નોકરીમાં ભેદભાવ સહિતની બાબતે ભારત સરકાર ગંભીરઃ વિદેશમંત્રી સુશ્રી સુષ્‍મા સ્‍વરાજ પાક સરકાર સમક્ષ રાવ કરશે ઇસ્‍લામાબાદઃ પાકિસ્‍તાનમાં માત્ર અકિલા બે ટકા જેટલી વસતિ ધરાવતા હિન્‍દુઓને સતત હેરાનગતિનો સામનો કરવો પડતો હોવાની, હિન્‍દુ યુવતિઓના અપહરણ તથા ફરજીયાત ધર્મપરિવર્તન કરાવવાની, તેમજ શીખોને ઇસ્‍લામ ધર્મ અંગીકાર કરવા મજબુર કરવાની, નોકરીમાં અકીલા પણ ભેદભાવ રાખવાની, સહિતની બાબતોને ભારત સરકારે ગંભીરતાથી લીધી છે. જે માટે વિદેશમંત્રી સુશ્રી સુષ્‍મા સ્‍વરાજ પાકિસ્‍તાન સરકાર સમક્ષ રાવ કરશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

Source :- http://www.akilanews.com/Main_news/Detail/04-01-2018/121125

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App






 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application






1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment