સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 2 January 2018

BJPના બાહુબલીઓ નીતિન પટેલ સામે ઝૂકયા શું કામ? - નેશનલ મેડિકલ બિલનો વિરોધ: આજે દેશભરમાં ડૉક્ટર્સની હડતાલ - કમ્પોઝીશન સ્કીમમાં કરચોરીઃ સરકાર ચોંકીઃ કરશે સમીક્ષા - 'લવ જેહાદ' અંગે સમગ્ર જૈન સમાજ ચિંતિત - GST બાદ માલ પરિવહનની ઝડપ વધી - ગુજરાતમાં આવતા મહિને યોજાનારી ચૂંટણીઓ ભાજપ માટે મોટો પડકાર - ગુજરાતનો નવતર પ્રયોગઃ નાના બાળકોને 'બાળ ડોકટર' બનાવશે

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

BJPના બાહુબલીઓ નીતિન પટેલ સામે ઝૂકયા શું કામ? 
નાયબ મુખ્ય પ્રધાન સરકાર ઉથલાવવા પણ તૈયાર હતા નવી દિલ્હી તા.૨: નીતિન પટેલને રાજી રાખવા માટે વર્ષના અંતિમ દિવસે, રવિવારે ગુજરાત BJPએ તેમનું માન રાખીને સૌરભ પટેલ પાસેથી નાણાખાતું લઇને  એ ખાતું તેમને આપી દીધું, જેનું આશ્ચર્ય સૌકોઇને છે. BJP કદાવર છે અને BJP અકિલા કયારેય કોઇ નેતા સામે ઝૂકી નથી એવા સમયે BJP અને BJPના બાહુબલી સ્તરના અમિતભાઇ શાહ તથા ખુદ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ માની ગયા અને નીતિનભાઇ પટેલની સામે ઝૂકી ગયા. આવું થવાનું કારણ શું? આ પ્રશ્નના અકીલા જવાબમાં નીતિન પટેલની તાકાત છુપાયેલી છે અને હકીકત એ જ છે કે નીતિન પટેલ ખરેખર BJPની પૂંછડી દબાવીને બેઠા હતા. નીતિન પટેલ ભલે જાહેરમાં ન સ્વીકારે પણ એ સાચું જ છે કે તેમની સાથે દસથી પણ વધારે BJPના વિધાનસભ્યો હતા જે બળવો કરવા માટે તૈયાર હતા. શનિવારે આખી રાત આ બાબતમાં વિચારણાઓ ચાલી છે અને નીતિન પટેલ જો પક્ષ છોડી દે તો શું પરિસ્થિતિ થાય એના પર વિચારણા થઇ હતી. નીતિન પટેલને મોટા ખાતા સિવાયનું કોઇ સમાધાન ખપતું નહોતું એટલે BJPએ તેમની સામે ઝૂકીને નાણાખાતું આપી દીધું.ઙ્ગ એ સો ટકા સાચી વાત છે, પણ જો સોર્સની વાતને સાચી માનો તો નીતિન પટેલ અસંતોષી વિધાનસભ્યોને લઇને વિધાનસભાનો બોયકોટ કરી BJPને લઘુમતીમાં મૂકી દેવા માટે તૈયાર હતા. BJP લઘુમતીમાં આવે અને એ પણ ગુજરાતમાં BJP લઘુમતીમાં આવે તો ચોક્કસ એની અસર આખા દેશમાં પડે અને BJPની આબરૂના લીરા ઊડી જાય. આવું ન બને એટલે સમય સાચવી લેવાના ઇરાદે જ BJPના બાહુબલીઓ નીતિન પટેલ સામે ઝૂકી ગયા અને અત્યાર પૂરતી તેમની ઇચ્છાને માન આપીને નાણાખાતું તેમને આપી દીધું. જોકે એ વાત પણ એટલી જ સાચી છે કે BJPના સિનિયર્સ કિન્નાખોરી રાખી શકે એમ છે અને એ કિન્નાખોરી સાથે જ હવે નીતિન પટેલનું પત્તું કાયમ માટે કાપે અને તેમની રાજકીય કારકિર્દી ખતમ પણ કરી શકે છે.(૧.૨)

Source :- http://www.akilanews.com/Main_news/Detail/02-01-2018/121024

નેશનલ મેડિકલ બિલનો વિરોધ: આજે દેશભરમાં ડૉક્ટર્સની હડતાલ

સંસદમાં આજે નવા બિલ પર ચર્ચા થશે, MCIના બદલે નવા સંગઠનની જોગવાઈ

નવી દિલ્હી: દેશની તમામ ખાનગી હોસ્પિટલોમાં મંગળવારે સ્વાસ્થ્ય સેવાઓ પર અસર પડી શકે છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સ્થાને નવા સંગઠનની રચના માટે સરકાર દ્વારા રજૂ કરાયેલા બિલના વિરોધમાં દેખાવો કરવાનો નિર્ણય લીધો છે. તેના વિરોધમાં આઈએમએ તરફથી 12 ક્લાકના વિરોધ દેખાવોનો નિર્ણય લેવાયો છે. આ દરમિયાન તમામ ખાનગી હોસ્પિટલોમાં રૂટીન સેવાઓ પર અસર થઈ શકે છે. આ આંદોલનના પગલે તમામ ખાનગી હોસ્પિટલોમાં ઓપીડી સેવાઓને અસર થઈ શકે છે, પરંતુ ઈમર્જન્સી અને જરૂરી સેવાઓ ચાલુ રહેશે.


શુક્રવારે સંસદમાં નેશનલ મેડિકલ કમિશન બિલ રજૂ કર્યું હતું. તેમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના બદલે નવા સંગઠનની રચનાનો પ્રસ્તાવ છે. આ સિવાય વૈકલ્પિક સારવાર પદ્ધતિઓને પણ મંજૂરી આપવાની જોગવાઈ છે. સંસદમાં આ બિલ પર મંગળવારે ચર્ચા થઈ શકે છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને એમ કહેતાં આ બિલનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે કે તેનાથી મેડિકલ પ્રોફેશનલ્સના કામ પર અસર પડશે અને તેમણે સંપૂર્ણપણે અમલદારો તથા બિનમેડિકલ વહીવટદારો પ્રત્યે જવાબદાર થવું પડશે.

આઈએમએએ મંગળવારના દિવસને ‘બ્લેક ડે’ જાહેર કર્યો છે. આઈએમએના નવા બનેલા અધ્યક્ષ ડો. રવિ વાંખેડકરે કહ્યું કે વર્તમાન સ્વરૂપમાં નેશનલ મેડિકલ કમિશન બિલને સ્વીકારી શકાય નહીં. તે ગરીબવિરોધી, જનવિરોધી અને બિનલોકતાંત્રિક છે. એટલું જ નહીં તે પોતાનામાં જ સંઘીય માળખા વિરુદ્ધ છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-strike-by-nationwide-private-and-government-doctors-gujarati-news-5782315-PHO.html?ref=ht

કમ્પોઝીશન સ્કીમમાં કરચોરીઃ સરકાર ચોંકીઃ કરશે સમીક્ષા 
વેપારીઓએ ચાલ ચલી... જુલાઇ-સપ્ટેમ્બરમાં માત્ર રપ૧ કરોડનો જમા થયો ટેકસઃ વેપારીઓએ સરેરાશ વેપાર માંડ-માંડ ર લાખ દર્શાવ્યોઃ ૧૦ લાખ વેપારીઓએ આ સ્કીમ પસંદ કરી હતીઃ માત્ર ૬ લાખે રિટર્ન ભર્યુઃ ૪ લાખનું રિટર્ન બાકીઃ સરકાર હવે સ્કીમની સમીક્ષા કરી નિયમો બદલાવશે અકિલા નવી દિલ્હી તા.ર : નાના અને મધ્યમ વેપારીઓની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી જીએસટીની કમ્પોઝીશન સ્કીમ ટેકસ ચોરીનું શસ્ત્ર બનતી જઇ રહી છે. જીએસટી લાગુ થયા બાદ પ્રથમ ત્રિમાસિક ગાળામાં જ આ યોજનાની અકીલા કામગીરી નિરાશાજનક રહી છે. માનવામાં આવે છે કે સરકાર આ યોજનાની સમીક્ષા કરી નિયમોમાં ફેરફારો કરશે.   ૧ કરોડ સુધીના વાર્ષિક ટર્નઓવર કરનાર વેપારી જીએસટીની કમ્પોઝીશન સ્કીમની પસંદગી કરી શકે છે જે હેઠળ આવતા વેપારીઓએ માસિક રીટર્ન ભરવાની જરૂર રહેતી નથી અને તેઓને ટેકસ પણ ઓછો ભરવો પડે છે. જો કે આની શરૂઆત થતા જ સરકારને ચોંકાવનારા પરિણામો મળ્યા છે. ચાલુ નાણાકીય વર્ષના જુલાઇથી સપ્ટેમ્બરમાં ૧૦ લાખ વેપારીઓએ આ સ્કીમની પસંદગી કરી હતી. જેમાંથી માત્ર ૬ લાખ વેપારીઓએ જ રપ ડિસે. સુધીમાં રીટર્ન ભર્યુ છે અને હજુ ૪ લાખ વેપારીએ રીટર્ન ભરવાનું બાકી છે. ચોકાવનારી વાત એ છે કે, જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન આ સ્કીમથી સરકારને માત્ર રપ૧ કરોડ જીએસટી દ્વારા મળ્યા છે. આ રીતે જો ચુકવવામાં આવેલ જીએસટીમાં કમ્પોઝીશન સ્કીમ લાવનાર વેપારીઓના આ ત્રિમાસિક ગાળામાં સરેરાશ ટર્નઓવરને જોવાય તો માંડ ર લાખ બેસે છે. જેનાથી ટેકસ ચોરી થઇ હોવાનુ મનાય છે. વાસ્તવમાં જીએસટી હેઠળ રજીસ્ટ્રેશનની અનિવાર્યતા વાર્ષિક ર૦ લાખથી વધુનો વેપાર કરનાર માટે જ છે. એવામાં સવાલ ઉઠે છે કે જે વેપારીઓએ જુલાઇ-સપ્ટેમ્બરમાં પોતાનો વેપાર ર લાખ આસપાસ ગણાવ્યો હોય તો વાર્ષિક વેપાર ૮ લાખનો થવા જાય છે. જયારે કમ્પોઝીશન લેનાર વેપારીઓનુ વાર્ષિક ટર્નઓવર માત્ર ૮ લાખ રૂપિયા હોય તો પછી તેમણે આ સ્કીમ કેમ અપનાવી છે ? ર૦ લાખથી ઓછા કારોબાર પર રજીસ્ટ્રેશનની પણ જરૂર નથી. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ સ્કીમ હેઠળ અત્યાર સુધીના અનુભવથી સ્પષ્ટ સંકેત મળે છે કે આ થકી ટેકસ ચોરી થઇ રહી છે. આ સ્કીમ હેઠળ નોંધાયેલ વેપારીઓએ ટર્નઓવરના માત્ર ૧ ટકા, મેન્યુફેકચરીંગ યુનિટોએ ર ટકા અને રેસ્ટોરન્ટે પ ટકાના દરથી ચુકવણુ કરવાનુ છે. (10:33 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/02-01-2018/121027


'લવ જેહાદ' અંગે સમગ્ર જૈન સમાજ ચિંતિત 
છેલ્લા એક પખવાડિયામાં ગુજરાતમાં જૈન છોકરીઓને ફોસલાવવાના ૧૦ જેટલા બનાવ બન્યાઃ પ્રવર સમિતિની બેઠક સંપન્નઃ ૧૮ સમુદાયના ૨૧ પ્રતિનિધિઓ સહિત જૈન શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા અમદાવાદ તા. ૨ : છેલ્લા એક પખવાડિયામાં જૈન છોકરીઓને ફોસલાવવાનાં ૧૦ જેટલા બનાવ બન્યા હતા. જેને કારણે અકિલા સમગ્ર જૈન સમાજ ચિંતિતિ બન્યો છે અને તેનો પડઘો અમદાવાદમાં જૈનાચાર્ય ભગવંતોની નિશ્રામાં મળેલી બેઠકમાં પડ્યો હતો. ધર્મરક્ષા, શાસન સેવાના અનેકવિધ કાર્યો માટે યોજાયેલી આ બેઠકમાં 'લવ જેહાદ' નો મુદ્દો અકીલા અત્યંત ગંભીર બની રહ્યો હતો.   ઉલ્લેખનીય છે કે તપાગચ્છાધિપતિ આચાર્ય મનોહરકીર્તિસૂરીશ્વરજી મ.સા., આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા., ગચ્છાધિપતિ આચાર્ય જયઘોષસૂરીશ્વરજી મ.સા. અને પ્રવર સમિતિના કન્વીનર ગચ્છાધિપતિ આચાર્ય અભયદેવસૂરીશ્વરજી મ.સા. આદિ ૧૧ આચાર્ય ભગવંતો સહિત ૫૦થી વધુ સાધુ ભગવંતો તથા ૧૮ સમુદાયના ૨૧ શ્રાવકોની નિશ્રામાં આ પ્રવર સમિતિની બેઠક સોમવારે પંકજ જૈન સંઘ, ભઠ્ઠા-પાલડી ખાતે યોજાઈ હતી. સુરતમાં ગયા અઠવાડિયામાં ત્રણ ત્રણ એવા બનાવ બન્યા હતા કે જૈન છોકરીઓ-યુવતીઓને વિધર્મી યુવાનો દ્વારા ફોસલાવવાની પ્રવૃત્ત્િ। ટ્યૂશન કલાસ દ્વારા થતી હતી. સાથે જ આ ઘટના બાદ જૈન અગ્રણીઓ અને જે-તે સમાજના રાજકીય અગ્રણીઓ પણ ભેગા થયા હતા. સાથે જ અનેક ગૂઢ બાબતો પણ સામે આવી હતી. ત્યારબાદ માત્ર સુરત જ નહીં, પરંતુ રાજયનાં વઢવાણ, કડી, અમદાવાદ વગેરે શહેરોમાં તથા મહારાષ્ટ્રના મુંબઈ ખાતેથી પણ આ પ્રકારની ગંભીર બાબતો પ્રકાશમાં આવી હતી. જેને કારણે જૈન શ્રેષ્ઠીઓએ આ પ્રકારની વિગતો આજે યોજાયેલી પ્રવર સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવી હતી. જેને પગલે આ મુદ્દો પ્રકાશમાં આવ્યો હતો. આ મુદ્દે જૈન ભગવંતોએ પણ પોતાની રીતે માર્ગદર્શન આપ્યું હતું. ભવિષ્યમાં આ જ મુદ્દે હિન્દુ ધર્મના સાધુ-સંતો, મહંતો અને હિન્દુ સંગઠનો સાથે મળીને ગંભીર રીતે ચર્ચા-વિચારણા પણ કરવામાં આવનાર છે. આ બેઠકમાં શ્નલવ જેહાદલૃના મુદ્દે જે મહત્ત્વના ઉપાયો રજૂ કરવામાં આવ્યા હતા. તેમાં પ્રથમ છે, સાધ્વીજી ભગવંતો દ્વારા માતા-પિતાને જાગૃત કરવામાં આવે અને બીજા તબક્કામાં કન્યા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવે. સાથે જ યુવાનોને પણ સમાજની બહેનો-દીકરીઓની રક્ષા માટે સજ્જ કરવામાં આવે. આ માટે એક કોમન ટેલિફોન નંબર અથવા હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવે તે માટેનાં પણ સૂચન થયા છે, જેને પણ ગંભીરતાથી લેવામાં આવ્યા છે. ખાસ કરીને ગુરુ ભગવંતો દ્વારા પણ સમયસર ગુરુ ભગવંતો દ્વારા યુવાવર્ગની જાગૃતિ માટેની નિયમિત શિબિર થાય તો યુવાધન બચી શકે છે. આ ઉપરાંત, તીર્થરક્ષા, ધર્મરક્ષા વગેરે વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. સાધુ-સાધ્વીજીના આરોગ્ય માટે ૧૪૦૦ હોસ્પિટલ સાથે ટાઈઅપ અગાઉ યોજાયેલી પ્રવર સમિતિની બેઠકમાં અનેક મુદ્દાઓ વિશે ચર્ચા થઈ હતી. જેમાં જે વયોવૃદ્ઘ થયેલા શ્રમણ ભગવંતોના આરોગ્ય અંગે પણ શ્રાવકો દ્વારા ચિંતા વ્યકત થઈ હતી અને તેના નિરાકરણરૂપ એક મહત્ત્વની ઘોષણા પણ કરવામાં આવી છે. જે અંતર્ગત જીતો દ્વારા 'શ્રમણ આરોગ્યમ્'નામની એક સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે સાધુ-સાધ્વીજીઓના આરોગ્ય માટે એક રૂપિયાથી લઈને લાખો રૂપિયાનો ખર્ચ જીતોના 'શ્રમણ આરોગ્યમ્' પ્રકલ્પ દ્વારા વહન કરવામાં આવશે. જેને માટે માત્ર ગુજરાત જ નહીં, દેશભરની ૧૪૦૦ હોસ્પિટલ સાથે ટાઈ-અપ કરવામાં આવ્યું છે. ખાસ કરીને મોટી સંખ્યામાં યુવાનો દ્વારા પણ સાધુ-સાધ્વીજીઓના વિહાર દરમિયાન જે સંરક્ષણ અને સેવા પુરી પાડવામાં આવે છે, તેને પગલે મોટા અકસ્માતો પણ ટાળી શકવાની સ્થિતિએ પહોંચી શકાયું છે. (10:25 am IST)

Source :- http://www.akilanews.com/Gujarat_news/Detail/02-01-2018/68076

GST બાદ માલ પરિવહનની ઝડપ વધી 
ટ્રક હવે એવરેજ ૧૦૦થી ૧૫૦ કિલોમીટર પ્રતિદિન પરિવહન કરી રહી છેઃ અગાઉ દેશના જુદા-જુદા રાજ્યમાં સીધા અને આડકતરા ટેકસ હોવાના કારણે ટ્રકને એવરેજ ચારથી છ જગ્યાએ રોકાવું પડતું હતું મુંબઇ તા. ૨ : દેશમાં જીએસટી લાગુ થયાને છ મહિના કરતાં વધુ સમય થઇ ચૂકયો છે ત્યારે જીએસટી લાગુ થયા અકિલા બાદ ટ્રકના માલ પરિવહનની ઝડપ વધી ગઇ છે. ટ્રક હવે એવરેજ ૧૦૦થી ૧૫૦ કિલોમીટર પ્રતિદિન પરિવહન કરી રહી છે.   અગ્રણી ટ્રાન્સપોર્ટ કંપનીઓના જણાવ્યા પ્રમાણે જીએસટીનો અમલ થવાના કારણે માલ પરિવહનની ઝડપમાં અકીલા વધારો થયો છે. તેઓના જણાવ્યા પ્રમાણે અગાઉ દેશનાં જુદાં જુદાં રાજયમાં સીધા અને આડકતરા જુદા જુદા ટેકસ હોવાના કારણે ટ્રકને એવરેજ ચારથી છ જગ્યાએ રોકાવું પડતું હતું, જેમાં સમય અને ડીઝલની મોટી બરબાદી થતી હતી, પરંતુ જીએસટીના કારણે તેમાં મોટો ઘટાડો થયો છે. ટ્રાન્સપોર્ટરોના કહેવા પ્રમાણે જીએસટીથી ન માત્ર માલપરિવહન કંપનીઓને ફાયદો થયો છે, પરંતુ તેના કારણે ગ્રાહકોને પણ લાભ થયો છે. ટ્રકના મેન્ટેનન્સ ખર્ચમાં પણ એવરેજ ૩૦ ટકાથી વધુ ઘટાડો નોંધાયો છે એટલું જ નહીં, અવરોધ વગર પરિવહન થવાના કારણે ટ્રકના કિલોમીટરદીઠ માઇલેજમાં ૧૦થી ૧૫ ટકા સુધારો નોંધાયો છે. દરમિયાન 'ઇ-વે બિલ'કે જેનો અમલ મોકૂફ રાખવામાં આવ્યો છે. જીએસટી કાઉન્સિલ દ્વારા ઇ-વે બિલમાં કેટલાક સુધારા-વધારા કરીને આગામી ૧૮ જાન્યુઆરીની બેઠકમાં મહોર મારવામાં આવી શકે છે. ટ્રાન્સપોર્ટ સેકટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી ૧ ફેબ્રુઆરીથી ઇ-વે બિલની અમલવારી થઇ શકે છે.

Source :- http://www.akilanews.com/Main_news/Detail/02-01-2018/121021

ગુજરાતમાં આવતા મહિને યોજાનારી ચૂંટણીઓ ભાજપ માટે મોટો પડકાર
ફેબ્રુઆરીમાં ૭૫ મ્યુનિસિપાલિટી, બે જિલ્લા પંચાયત, ૧૭ તાલુકા પંચાયત અને ૧૪૦૦ ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજવામાં આવશે નવી દિલ્હી તા. ૨ : ૨૦૧૨માં યોજાયેલી ચૂંટણી કરતા ઓછી સીટો સાથે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી જીતેલી ભાજપ સરકાર માટે હજુ પડકારો પૂરા નથી અકિલા થયા. ઉલ્લેખનીય છે કે ૨૦૧૫ની લોકલ બોડીની ચૂંટણીમાં ભાજપ ધોવાઈ ગયુ હતુ. આથી સત્તાધારી પક્ષે અત્યારથી જ ૨૦૧૮ની પ્રથમ ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.   ફેબ્રુઆરીમાં ૭૫ મ્યુનિસિપાલિટી, બે જિલ્લા અકીલા પંચાયત, ૧૭ તાલુકા પંચાયત અને ૧૪૦૦ ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજવામાં આવશે. હવે ભાજપ સત્તામાં છે અને મોટાભાગની સંસ્થાઓમાં ચૂંટણી યોજાવાની હોવાથી ભાજપ માટે ચિંતાનો વિષય છે. અત્યારે ૭૫ મ્યુનિસિપાલિટીમાંથી ભાજપ પાસે ૫૯માં સત્તા છે. જે ૧૭ તાલુકા પંચાયતમાં ચૂંટણી યોજાવાની છે તેમાંથી ૧૩માં ભાજપ પાસે સત્તા છે. બનાસકાંઠા અને ખેડા એમ જે બે જિલ્લા પંચાયતમાં ચૂંટણી યોજાવાની છે તે બંનેમાં ભાજપનું શાસન છે. કોંગ્રેસના ચૂંટાઈ આવેલા સભ્યો ભાજપમાં જોડાઈ જતા આ જિલ્લા પંચાયતોમાં ભાજપની જીત થઈ હતી. ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પાર્ટીના નિશાન પર નથી લડવામાં આવતી. આમ છતાંય મોટા ભાગની ગ્રામ પંચાયતમાં ભાજપ તરફી સરપંચ છે. આથી આ જગ્યાઓએ પોતાની સત્તા ટકાવી રાખવી અને વધારે જગ્યાએ જીત મેળવવી એ ભાજપ માટે મોટો પડકાર બની રહેશે. ભાજપના જૂથે સોમવારે તેમના વિસ્તારક જૂથ સાથે મીટીંગ યોજી હતી અને આવનારી ચૂંટણીઓ માટે રણનીતિ નક્કી કરી હતી. આ સાથે જ વિધાનસભા ચૂંટણીના પરિણામોનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું, 'અમે સળંગ છઠ્ઠીવાર વિધાનસભાની ચૂંટણી જીત્યા છીએ આથી અમે લોકોના સહકારથી આવનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પણ જીતી જઈશું. અમે આજે મ્યુનિસિપાલિટી, જિલ્લા અને તાલુકા તથા ગ્રામ પંચાયતમાં સત્તા જાળવી રાખવાની રણનીતિ અંગે ચર્ચા કરી હતી અને છેલ્લી વખતે જયાં હારી ગયા હતા ત્યાં કેવી રીતે જીતવું તેની સ્ટ્રેટેજી નક્કી કરી હતી.' ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું, 'હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીએ આવનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે પણ માહોલ ઊભો કરી દીધો છે. ગત વખતની સરખામણીએ આ વર્ષે કોંગ્રેસ વધારે સારુ પરફોર્મ કરશે તેવી આશા છે. ૨૦૧૫માં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી દરમિયાન અમે ૨૩ જિલ્લા પંચાયત, મોટાભાગની તાલુકા પંચાયત અને અનેક મ્યુનિસિપાલિટીમાં જીત હાંસલ કરી હતી. આથી અમને વિશ્વાસ છે કે ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં અમે જીતી જઈશું.' (10:34 am IST)

Source :- http://www.akilanews.com/Main_news/Detail/02-01-2018/121028

ગુજરાતનો નવતર પ્રયોગઃ નાના બાળકોને 'બાળ ડોકટર' બનાવશે
આ બાળ ડોકટર્સ નાની બીમારીઓમાં આયુર્વેદીક પધ્ધતિથી ઇલાજ કરશેઃ ટોર્ચ એપ્રોન અને દવાઓથી સજ્જ કરશેઃ આવા ડોકટરોને પહેલા ટ્રેનીંગ અપાશેઃ દરેક પ્રાઇમરી સ્કુલમાં એક બાળ ડોકટર નિમાશેઃ જો કે મેડીકલ એસોસીએશનનો વિરોધ નવી દિલ્હી તા.ર : ગ્રામીણ વિસ્તારોમાં અકિલા ડોકટરોની અછતનો સામનો કરી રહેલી ગુજરાત સરકાર એક નવો આઇડિયા લઇને આવી છે અહી 'બાળ ડોકટર્સ' રાજય સ્કુલ સ્વાસ્થ્ય પ્રોગ્રામ હેઠળ બાળકોના સ્વાસ્થ્યની દેખરેખ રાખશે. ગુજરાતના અરવલ્લી જીલ્લાના નવગ્રામ ગામડાની અકીલા સરકારી સ્કુલમાં અભ્યાસ કરતા છઠ્ઠાવર્ગના કાજલ ભુપતભાઇ નામના બાળ ડોકટરને પ્રાઇમરી સ્કુલના પાઇલોટ પ્રોજેકટ માટે નોમીનેટ કરવામાં આવ્યો છે. આ બાળ ડોકટર સ્ટેથોસ્કોપ અને આયુર્વેદીક દવાઓથી સજ્જ રહેશે. આ દવાઓ તેમના સહ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. અધિકારીઓના કહેવા મુજબ તેઓને આયુર્વેદીક દવાઓનો જથ્થો અપાશે કે જેથી તેઓ કોઇપણ સ્વાસ્થ્ય સંબંધી મુદાને નિપટી શકશે. દરેક પ્રાઇમરી સ્કુલમાં એક બાળ ડોકટર નિયુકત કરાશે. જે માટે રાજયનો શિક્ષણ અને સ્વાસ્થ્ય વિભાગ સંયુકત રીતે કામ કરશે.   આ બાળ ડોકટર નાની બીમારીઓમાં આયુર્વેદીક પધ્ધતિથી ઇલાજ કરશે. તેઓ મધ્યાહન ભોજન પહેલા બાળકોને હાથ ધોવા માટે પ્રેરીત કરશે. આ સિવાય દર બુધવારે આયરન અને ફોલીક એસીડ સપ્લીમેન્ટ પ્રોગ્રામને પણ મોનીટર કરશે. તેઓ અન્ય વિદ્યાર્થીઓને લત્ત છોડાવવા અને હવામાન અંગેની બિમારીઓ અંગે માહિતગાર કરશે. એક સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યુ છે કે, દરેક બાળ ડોકટરને એક એપ્રોન અને બેચ આપવામાં આવશે કે જેથી તેઓ ડોકટર જેવા દેખાય. આ સિવાય તેમને ટોર્ચ, આયુર્વેદીક દવાઓની કીટ, બુકલેટ અને સ્વાસ્થ્ય સંબંધિત પોસ્ટર પણ અપાશે. રાજયના હેલ્થ કમિશ્નર ડો.જયંતિ રવિએ કહ્યુ હતુ કે, છાત્રોને પહેલા ટ્રેનીંગ અપાશે. સ્વાસ્થ્ય અને શિક્ષણ દ્વારા એક નોડલ ટીચર નિયુકત કરવામાં આવશે જે તેમના કામકાજ ઉપર નજર રાખશે. જો કે ગુજરાતના ઇન્ડિયન મેડીકલ એસોસીએશને આ વિચાર ગમ્યો નથી. બ્રાન્ચ અધ્યક્ષ ડો.યોગેન્દ્ર મોદીએ કહ્યુ છે કે મને આ બાબત અંગે કોઇ માહિતી નથી પરંતુ આવુ થવુ ન જોઇએ. આપણે માત્ર એલોપેથીક દવાઓ ઉપર ભરોસો કરીએ છીએ અને આપણે જેણે એમબીબીએસ કર્યુ હોય તેને જ ડોકટર માનીએ છીએ.

Source :- http://www.akilanews.com/Main_news/Detail/02-01-2018/121023

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App





 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application




1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment