સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 11 January 2018

ગૃહ માટે ગૃહકાર્ય, નવા ધારાસભ્યો ભણી રહ્યા છે વિધાનસભાનાં પાઠ - આણંદમાં લવ જેહાદ: વિધર્મી યુવાનેતાએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી - ધો.1ના બાળકના શેડા લૂછવાના 1 લાખ રૂપિયા ન હોય : રૂપાણી - કૃષિ-રોજગારી ઉપર ધ્યાન કેન્દ્રિત કરોઃ કોર્પોરેટ ટેક્ષ ઘટાડો - EPFO સબસ્ક્રાઇબર્સનું મીનીમમ પેન્શન ૩૦૦૦ કરવા તૈયારી - GSTR-1ની સમયમર્યાદા પૂરીઃ હવે રોજ રૂ. ૨૦૦ પેનલ્ટી

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

ગૃહ માટે ગૃહકાર્ય, નવા ધારાસભ્યો ભણી રહ્યા છે વિધાનસભાનાં પાઠ

સરકાર મને ટાર્ગેટ કરશે, હું તેને કાઉન્ટર કરવાની રણનીતિ બનાવીશ: જિજ્ઞેશ
ગાંધીનગર : ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારી કરી જનમત હાંસલ કરીને પહેલીવાર ધારાસભ્ય બનનારા વિધાનસભા ગૃહના નવા સભ્યો ગૃહ માટે હાલ ગૃહકાર્ય કરી રહ્યાં છે. ખાસ કરીને ગૃહના નિયમોને ધ્યાનમાં રાખીને કેવી રીતે પ્રશ્નોત્તરીમાં ભાગ લેવો અને શું ધ્યાન રાખવું તે અંગે નવા ધારાસભ્યો તૈયારીઓ કરી રહ્યાં છે. વિધાનસભામાં આવનારા નવા સભ્યો માટે તાલિમ કાર્યક્રમો યોજાતા હોય છે પરંતુ પોતાની રીતે પણ તૈયાર રહેવા માટે નવા ધારાસભ્યોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અલ્પેશ ઠાકોર, કોંગ્રેસ
આ વખતે જનતાએ ખરો મેન્ડેટ કોંગ્રેસને આપ્યો છે, ભાજપ સરકારને પ્રજાના પ્રશ્નોને લઈને કઈ રીતે ગૃહમાં ઘેરી શકાય તે અંગેની તૈયારીઓ કરી રહ્યો છું.
જિજ્ઞેશ મેવાણી, અપક્ષ
સરકાર મને ટાર્ગેટ બનાવશે તેથી હું તેને કાઉન્ટર કરવાની તૈયારી કરું છું. રાજકીય વિશ્લેષકો પાસેથી ગૃહમાં કેવા સવાલ પૂછી શકાય અને તેની માહિતી મેળવી રહ્યો છું.

ઈમરાન ખેડાવાલા, કોંગ્રેસ

હું અત્યારે વિધાનસભાના કાયદા અંગેના પુસ્તકોનું વાંચન કરું છું. વિવિધ વિભાગો કેવી રીતે કામ કરે છે, કઈ રીતે પ્રશ્ન પૂછી શકાય તે અંગે માહિતી મેળવું છું.

ગેનીબેન ઠાકોર, કોંગ્રેસ

અમારા પક્ષ દ્વારા તાલીમ વર્ગ યોજાશે જેમાં વિધાનસભાની શિસ્ત અંગે શું ધ્યાન રાખવું અને વિસ્તારના પ્રશ્નોને કેવી રીતે વાંચા આપવી તે શીખીશું.

લલિત વસોયા, કોંગ્રેસ

મેં વિધાનસભાની કાર્યવાહી અંગેના કેટલાંક પુસ્તકો મેળવ્યાં છે તે વાંચીને તૈયારી કરી રહ્યો છું. હું પહેલાંથી વિધાનસભાના થોડાક નિયમો અંગે વાકેફ છું.

હિતુ કનોડિયા, ભાજપ

મેં પોતે વિધાનસભા પર આખી ફિલ્મ બનાવેલી છે, મારા પિતા પણ ધારાસભ્ય હતા તેથી મને વિધાનસભા અંગે અને તેના નિયમો અંગે મોટેભાગે બધો જ ખ્યાલ છે.

પ્રદીપભાઈ પરમાર, ભાજપ

હું હાલ વિધાનસભાના પટાવાળાથી માંડીને ઉચ્ચ અધિકારીઓ ને મળીને તેમની પાસેથી ગૃહની એબીસીડી શીખી રહ્યો છું. અમુક બાબતો ડાયરીમાં નોંધી લઉં છું.

ભૂપેન્દ્ર પટેલ, ભાજપ

આમા હાલ કોઈ ખાસ તૈયારી કરતો નથી. ત્યાં જઈશું એટલે બધું ધીરે-ધીરે આવડી જશે. થોડું સીનિયરો પાસે માર્ગદર્શન મેળવી લઈશું. ઔડાનો અનુભવ કામમાં આવશે.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-LCL-new-legislators-are-preparing-for-the-assembly-gujarati-news-5788993-PHO.html?ref=ht&seq=1

આણંદમાં લવ જેહાદ: વિધર્મી યુવાનેતાએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી

પોલીસે યુવતીને ગણતરીના કલાકોમાં છોડાવી, યુવક-બનેવીની ધરપકડ, માતા-બહેન ફરાર
 આણંદ: આણંદ શહેરમાં પાયોનિયર હાઇસ્કુલ નજીક રહેતી યુવતી સાથે આણંદના વિધર્મી યુવકે સોશિયલ મીડિયાથી પરીચય કેળવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી પોતાની દુકાને બોલાવી છેડતી કરી હતી. વધુમાં લગ્નના ઈરાદે પરિવારજનો સાથે મળી તેનું અપહરણ કરી તેને નડિયાદ ખાતે ગોંધી રાખી હતી. આ અંગે પરિવારજનોએ આણંદ પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં યુવતીને છોડાવી યુવક-બનેવીની ધરપકડ કરી તેની માતા-બહેનની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

આઝાદ યુવામંચનો પ્રમુખ હોવાનું કહીં યુવતીને વારંવાર ધમકીઓ આપતો હતો

આણંદ શહેર સ્થિત પાયોનિયર હાઇસ્કુલ પાસેની સોસાયટીમાં રહેતી 20 વર્ષીય યુવતીના ચાર માસ અગાઉ સોશ્યલ મીડિયા થકી મેમણ ગલીમાં રહેતા તુફેલ મેમણ નામના યુવકે પરિચય કેળવ્યો હતો. જોકે, યુવકે અવાર-નવાર વાતચીત કરી યુવતીને તેની પ્રેમજાળમાં ફસાવી હતી. વધુમાં તેને રૂબરૂ મળવા બોલાવવાનું શરૂ કર્યું હતું. યુવકે પોતે યુવા નેતા હોવાનો પ્રભાવ પાડીને યુવતીને ઈમ્પ્રેસ કરી હતી. બીજી તરફ, યુવતી પણ તુફેલ મેમણને તેની રીચ ઓપ્ટીકલ નામની દાદા કોમ્પલેક્ષમાં આવેલી દુકાનમાં મળવા જતી હતી.
યુવક-બનેવીની ધરપકડ, માતા-બહેન ફરાર
દરમિયાન, ગત 19મી ઓક્ટોબરના રોજ તુફેલે તેની બર્થડે હોવાનું જણાવી તેની દુકાનમાં બોલાવી તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. બીજી તરફ, યુવકને યુવતીની સગાઈ થઈ ગઈ હોવાનું અને તેના ફેબ્રુઆરીમાં લગ્ન લેવાના હોવાની જાણ થતાં જ તેણે ગત પહેલી જાન્યુઆરીના રોજ તેની બહેન સબીના, માતા સાથે મળીને યુવતીનુ શહેરના સો ફૂટ રોડ સ્થિત વ્રજવાટિકા સોસાયટી પાસેથી રીક્ષામાં અપહરણ કર્યું હતું. તેમણે યુવતીને તેની મરજી વિરુદ્ધ નડિયાદ ખાતે યુવકના બનેવીના ઘરે લઈ જઈ ગોંધી રાખી હતી. આ બનાવની જાણ પરિવારજનોને થતાં જ તેમણે પોલીસ મથકે રજૂઆત કરી હતી. જેને પગલે પોલીસ તાબડતોબ નડિયાદ પહોંચી ગઈ હતી અને યુવતીને છોડાવી હતી.
યુવતી પર શહેરનો ‘બાપ’ અને સોશિયલ મીડિયા પર યુવાનેતા હોવાનો રૂઆબ છાંટતો

તુફેલ મેમણ અવાર-નવાર યુવતી પર પોતે યુવાનેતા હોવાનો અને શહેરનો બાપ હોવાનો રૂઆબ છાંટતો હતો. પોતાના સંપર્કોને કારણે કોઈ મારૂં કશું ઉખાડી શકશે નહીં તેમ કહીને ધમકી આપતો હતો. તેણે જો તે તેની સાથે લગ્ન નહીં કરે તો તે તેના પિતાની દુકાનને બંધ કરાવી દેવાની તેમજ મોબાઈલની દુકાન ચલાવતા તેના ભાઈને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ડરાવતો હતો.
યુવક તુફેલ અને તેના બનેવીની ધરપકડ કરાઇ

યુવક તુફેલ મેમણ અને તેના બનેવીની શહેર પોલીસે ધરપકડ કરી છે. જ્યારે તેની માતા અને બ્હેન હાલ ફરાર છે. જેને પકડવા માટે હાલમાં તપાસ ચાલુ છે. - પારૂલબેન વાઘેલા, પીએસઆઈ, આણંદ શહેર પોલીસ સ્ટેશન.
ગંદી ભાષામાં અરજી લખી’ને કહ્યું કોઈ ભી તેરે કો પૂછે તો તુ ખુદ દેકર આઈ હૈ એસા કહેના...
યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત પહેલી જાન્યુઆરીએ ફોન કરીને યુવતીને યુવકે શાસ્ત્રી બાગ પાસે બોલાવ્યા બાદ યુવકના બહેન અને તેની માતાની હાજરીમાં એક અરજી લખાવી હતી. આ અરજીમાં યુવક તેના મોબાઈલ પરથી વાંચીને યુવતીને અરજી લખાવતો હતો. જેમાં તેણે ગંદી ભાષામાં, યુવતીના મા-બાપ-અને ભાઈનો ઉલ્લેખ કરીને અરજી લખાવી હતી. જે અરજી તેને પોલીસ સ્ટેશને આપવા મોકલી હતી.

નેટ પર યુવાનેતા તરીકે એકાઉન્ટ ધરાવતો

આરોપી તુફેલ મેમણે પોતાના સોશ્યલ મીડિયા પર અલગ-અલગ એકાઉન્ટ બનાવ્યા હતા. તમામ એકાઉન્ટમાં તેણે પોતાના નામના બદલે યુવાનેતા નામ અપનાવ્યું હતું. આમ, રાજકીય પક્ષોના નેતા સાથેના તેના પડાવેલા ફોટા અપલોડ કરતો હતો. આઝાદ યુવા મંચના પ્રમુખ તરીકે ઓળખ આપતો હતો. આઝાદ યુવા મંચ નામની સંસ્થાના ઓથાં હેઠળ વિવિધ પ્રવૃતિઓ કરતો હોવાની પણ ચર્ચા હાલ ટોક ઓફ ધી ટાઉન બની છે.
ભાઈને જોતાં જ યુવતી પરત ફરી 

પરંતુ યુવતીએ તેના ભાઈને જોતાં જ યુવતી પરત ફરી હતી. જોકે, એ પછી યુવકની મા-બહેન યુવતીને લઈને રિક્ષા લઈને નડિયાદ તરફ ગયા હતા. જ્યાં રસ્તામાં યુવકના બનેવીએ યુવતીએ લખેલી અરજી લઈ લીધી હતી. અને તેને કહ્યું હતું કે, આ અરજી પોલીસ સ્ટેશને હું આપી આવીશ. લેકિન કોઈ ભી તેરે કો પૂછે તો તુ ખુદ દેકર આઈ હૈ એસા હી કહેના, એમ કહીને તેને બદનામ કરી દેવાની ધમકી આપી હતી.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-ANA-OMC-LCL-love-jihad-in-anand-youth-trapped-the-girl-with-love-gujarati-news-5788927-PHO.html

ધો.1ના બાળકના શેડા લૂછવાના 1 લાખ રૂપિયા ન હોય : રૂપાણી

સ્કૂલ ફી અધિનિયમ કાયદા પસાર કરવાના સમારોહમાં મુખ્યમંત્રીની કાઠિયાવાડી લહેકા સાથે સંચાલકોને ટકોર
 ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા ફી નિયમન અધિનિયમનો અમલ કરવામાં આવતા રૂપાણી સરકારની કામગીરીને બિરદાવવા માટે અમદાવાદના બોડકદેવ ખાતેના હોલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય શિક્ષણ મંત્રી વિભાવરી દવેને સન્માનવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યા હતો. આ કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમની હળવી શૈલીમાં સંચાલકો પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, પહેલા ધોરણના બાળકના શેડા લૂછવાના લાખ રૂપિયા ન હોય.

મુખ્યમંત્રી રૂપાણીએ અલગ પ્રકારે જ સંચાલકો-શિક્ષકોની ભૂમિકાને ગૂઢાર્થમાં સમજાવતા હોય તેવી રીતે કહ્યું હતું કે, ધો. 1માં બાળકને સાચવવાનું, સંભાળવાનું વધારે હોય છે, છતાં વાલીઓ લાખ રૂપિયા ફી આપે છે અને લેવાય પણ છે. આવું ન હોય, વાજબી કારણો હોય અને તેની વાજબી ફી હોય, આવું ચલાવી લેવાશે નહીં. તેમણે કહ્યું હતું કે, અત્યારે વાલી મંડળના નામે બધા વાલીઓ આવી રહ્યા છે, પણ ફીનો કાયદો પસાર કરતી વખતે તો કોઇ વાલી અમને કહેવા આવ્યું ન હતું, સરકારે જ વાલીની ભૂમિકા ભજવી છે. ફી નો કાયદો વાલીઓ સામેના કાયદો નથી, શાળાના સંચાલકો સામેનો કાયદો છે. આથી વાલીઓએ કોઇ લેભાગુ તત્વોની વાત માનવાની જરૂર નથી. અમદાવાદ શહેર-ગ્રામ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રી-શિક્ષણ મંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-LCL-there-is-no-one-lakh-rupees-worth-littering-the-child-stomach-rupana-gujarati-ne-5788962-NOR.html?ref=dbnotify&utm_source=browser&utm_medium=push_notification&utm_campaign=db_notifications

કૃષિ-રોજગારી ઉપર ધ્યાન કેન્દ્રિત કરોઃ કોર્પોરેટ ટેક્ષ ઘટાડો
દેશના વિકાસ અને રોજગારીના રોડમેપ ઉપર ચર્ચા કરવા માટે પીએમ મોદીએ ૪૦ અર્થશાસ્ત્રીઓ સાથે યોજી કનિદૈ લાકિઅ બેઠકઃ સુચનોનો ધોધ વરસ્યોઃ શેર ઉપર લોંગ ટર્મ કેપીટલ ગેઇન ટેકસ લાદવા સુચનઃ કૃષિ ઉત્પાદનને બદલે ખેડુતોની આવક વધારવા ઉપર ધ્યાન આપવુ જરૂરીઃ મોદીએ કનિદૈ લાકિઅ સાહસિક નિર્ણયો અકિલા લેવા ઇરાદો વ્યકત કર્યો નવી દિલ્હી તા.૧૧ : દેશના વિકાસ અને રોજગારનો રોડમેપ તૈયાર કરવા માટે વડાપ્રધાન મોદીએ ગઇકાલે કનિદૈ લાકિઅ દેશના ટોચના અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં પીએમ મોદીએ કહ્યુ હતુ અકીલા કે, સાહસિક નિર્ણયો લેવામાં સરકાર પાછી પાની નહી કરે. ૧લી કનિદૈ લાકિઅ ફેબ્રુઆરીએ નાણામંત્રી અરૂણ જેટલી દેશનું બજેટ રજુ કરશે. જેમાં આવા નિર્ણયો વિકાસની રફતાર ઝડપી બનાવશે એટલુ જ નહી ર૦૧૯ની ચૂંટણીમાં સરકારને કનિદૈ લાકિઅ ફાયદો પણ થશે. બજેટ પહેલા અર્થશાસ્ત્રીઓની બેઠકમાં મોદીએ સ્પષ્ટ કહી દીધુ હતુ કે અર્થવ્યવસ્થાને લઇને તેમની સરકાર શું વિચારે છે. પીએમ મોદીએ કનિદૈ લાકિઅ આવતા દિવસોમાં પોતાની સરકારનો એજન્ડા પણ રજુ કર્યો હતો. આ બેઠકમાં અર્થશાસ્ત્રીઓએ રોજગારી, કૃષિ અને નાણાકીય કોન્સોલીડેશન ઉપર ધ્યાન કેન્દ્રીત કનિદૈ લાકિઅ કરવા સુચન કર્યુ હતુ.   નીતિ આયોગમાં યોજાયેલી આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે, સરકાર ડર વગર નિર્ણયો લેવામાં સક્ષમ છે અને સરકાર સાહસિક કનિદૈ લાકિઅ નિર્ણયો લેશે. આપણા વિશાળ દેશમાં અનેક અંતઃવિરોધ અને એ વચ્ચે આગળ વધીને વિકાસ કરવાનો છે. એક તરફ રાજકોષીય ખાધ ઘટાડવાની છે તો બીજી તરફ નવી કલ્યાણકારી યોજનાઓ પણ ચલાવાની છે. સંતુલીત જાળવતા વિકાસના પથ પર આગળ વધવાનો સરકારનો એજન્ડા છે.   આ કાર્યક્રમમાં ૪૦થી વધુ અર્થશાસ્ત્રીઓએ અર્થવ્યવસ્થા, કૃષિ અને ગ્રામીણ વિકાસ, રોજગાર, સ્વાસ્થ્ય તથા શિક્ષા, મેન્યુફેકચરીંગ તથા નિકાસ, શહેરી વિકાસ જેવા વિષયો પર પોતાના વિચારો રાખ્યા હતા. પીએમએ ભરોસો આપ્યો હતો કે સરકાર તમારા સુચનો ઉપર વિચારણા કરશે. આ બેઠકમાં નાણામંત્રી જેટલી, નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવકુમાર અને કેન્દ્રના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. કૃષિ, રોજગારી સર્જન અને નાણાકીય કોન્સોલીડેશન ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા અર્થશાસ્ત્રીઓએ સરકારને સુચન કર્યુ હતુ. અર્થશાસ્ત્રીઓએ એવુ પણ સુચન કર્યુ હતુ કે કોર્પોરેટ ટેકસ હાલના ૩૦ ટકાથી ઘટાડવો જોઇએ. અર્થશાસ્ત્રીઓએ લીસ્ટેડ સિકયુરીટી અને મ્યુ.ફંડ ઉપર લોંગ ટર્મ કેપીટલ ગેઇન ટેકસ લાદવા પણ સુચન કર્યુ હતુ. સુત્રોના જણાવ્યા પ્રમાણે ગ્રામીણ વિસ્તારમાં જોબ ક્રિએટ કરવા ચોક્કસ કૃષિ પેદાશો માટે જિલ્લા સ્તરે કલસ્ટર વિકસિત કરવા, કોર્પ જીઓમેટ્રીમાં ફેરફાર કરવા અને બજારો સાથે ખેડુતો માટેની લીકેજ સુધારવા પણ સુચન થયુ હતુ. કૃષિ ક્ષેત્રે ઇન્વેસ્ટમેન્ટ વધારવા પણ સુચન થયુ હતુ. ખાતર સબસીડીનું સરળીકરણ કરવા પણ સુચન કરવામાં આવ્યુ હતુ. અર્થશાસ્ત્રીઓ ઇચ્છતા હતા કે, કૃષિ ઉપર ધ્યાન કેન્દ્રીત થાય, કૃષિ ક્ષેત્રમાં ખેડુતોની આવક વધે અને ઉત્પાદકતા વધે એટલુ જ નહી હેલ્થકેર અને શિક્ષણમાં પ્રોત્સાહન આપવુ જરૂરી છે. સૌથી વધુ ધ્યાન બેરોજગારી દુર કરવા ઉપર લાવવુ જોઇએ. લોંગ ટર્મ કેપીટલ ગેઇન ટેકસ ફરી દાખલ કરવો જોઇએ અને કોર્પોરેટ ટેકસ ઘટાડવો જોઇએ. ખાધ ઘટાડવાનો રોડમેપ નક્કી થવો જોઇએ. નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે જણાવ્યુ હતુ કે, અર્થશાસ્ત્રીઓએ સુચન કર્યુ છે કે કૃષિ પ્રોડકટને બદલે ખેડુતોની આવક વધારવા પર ભાર મુકવો જોઇએ. આ માટે ઉત્પાદકતા વધારવા, પડતર ઘટાડવા, બજાર સુધી પહોંચ વધારવા, કોમોડીટીને બદલે અન્ય પ્રોડકટ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવુ જરૂરી છે. બેઠકમાં શિક્ષિત બેરોજગારી ઉપર ચિંતા પ્રગટ કરવામાં આવી હતી અને જણાવાયુ હતુ કે, લોકોને શિક્ષિત કરવાની સાથે તેમની મહત્વકાંક્ષા વધે છે તેથી તેઓને રોજગાર મળે તે જરૂરી છે. આ બેઠકમાં બધાએ એક અવાજમાં રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ બનાવવાને સમર્થન કર્યુ હતુ.(૩-૩) (10:25 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/11-01-2018/121642


EPFO સબસ્ક્રાઇબર્સનું મીનીમમ પેન્શન ૩૦૦૦ કરવા તૈયારી
પેન્શનરોની લાંબા સમયની માંગણીનો આખરે સ્વીકાર થશેઃ શ્રમ મંત્રાલયે પેન્શન વૃધ્ધિનો પ્રસ્તાવ નાણા મંત્રાલયને કનિદૈ લાકિઅ મોકલ્યોઃ હાલ ૧૦૦૦ રૂ. પેન્શનરોને પેન્શન મળે છેઃ જો પેન્શન વધશે તો પ૦ લાખ પેન્શનરોને ફાયદો થશે નવી દિલ્હી તા.૧૧ : કર્મચારી ભવિષ્ય કનિદૈ લાકિઅ નીધિ સંગઠન અકિલા (ઇપીએફઓ)ના પેન્શનર્સને ટુંક સમયમાં સારા સમાચાર મળી શકે છે. આ સારા સમાચાર હશે મીનીમમ પેન્શન વધારીને ૩૦૦૦ રૂપિયા કરવા કનિદૈ લાકિઅ અંગેના. સરકાર ઇપીએફઓના પેન્શનરોનું ન્યુનતમ પેન્શન ૩૦૦૦ રૂ. કરી શકે છે. આ અંગેનો અકીલા પ્રસ્તાવ શ્રમ મંત્રાલયે તૈયાર કરી નાણા મંત્રાલયને કનિદૈ લાકિઅ મોકલ્યો છે હવે નાણા મંત્રાલય પીએમઓ સાથે વાતચીત કરી અંતિમ નિર્ણય લેશે. તે પછી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી પાસે તેને પસાર કરાવાશે. અત્યારે ઇપીએફઓના કનિદૈ લાકિઅ પેન્શનર્સને ન્યુનતમ ૧૦૦૦ રૂ. પેન્શન મળી રહ્યુ છે. આ રકમ વધારવા પેન્શનરોની લાંબા સમયની માંગણી છે. જો સરકાર આ નિર્ણય લેશે આનાથી લગભગ કનિદૈ લાકિઅ પ૦ લાખ પેન્શનરોને ફાયદો થશે. શ્રમ મંત્રાલયના સુત્રોના કહેવા મુજબ આ બારામાં પેન્શનરો સાથે વાતચીત થઇ ગઇ છે. તેઓની માંગને જોતા ન્યુનતમ પેન્શનમાં કનિદૈ લાકિઅ વધારોનો પ્રસ્તાવ નાણા મંત્રાલયને મોકલાયો છે. શ્રમ મંત્રાલય ઇચ્છે છે કે આ અંગે વહેલી તકે નિર્ણય લેવાય. સુત્રોના કહેવા મુજબ હવે બોલ કનિદૈ લાકિઅ નાણા મંત્રાલયની કોર્ટમાં છે. દરમિયાન સીબીટીના સભ્ય ઉપાધ્યાયનું કહેવુ છે કે, પેન્શનરોના હિતમાં જે કોઇ પ્રસ્તાવ આવશે તેના ઉપર વિચાર કરવામાં આવશે. ઓલ ઇન્ડિયા ઇપીએસ-૯પ પેન્શનર સંઘર્ષ સમિતિ ન્યુનતમ પેન્શન વધારવાને લઇને સંઘર્ષ કરી રહેલ છે. ગયા સપ્તાહે રામલીલા મેદાનથી જંતરમંતર મેદાન સુધી માર્ચ યોજી હતી. જેમાં રર રાજયોના હજારો દેખાવકારોએ ભાગ લીધો હતો. સમિતિના રાષ્ટ્રીય સંયોજક અશોક રાઉતનું કહેવુ છે કે જો ઇપીએફઓ અમારી માંગણી નહી સંતોષે તો અમે દરેક પ્રધાનો, સાંસદો અને ધારાસભ્યોને મળશુ અને આને રાષ્ટ્રીય આંદોલન બનાવશુ. હાલ ૧૦૦૦નું પેન્શન મળે છે જે અપુરતુ છે અને આને વધારવુ જરૂરી છે.(૩-૪)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/11-01-2018/121643

GSTR-1ની સમયમર્યાદા પૂરીઃ હવે રોજ રૂ. ૨૦૦ પેનલ્ટી
પોર્ટલની સમસ્યા યથાવત્ રહી હોવાથી અનેક વેપારીઓ જીએસટીઆર-૧ ભરી શકયા નથી અમદાવાદ તા. ૧૧ : જીએસટી પોર્ટલની કનિદૈ લાકિઅ સમસ્યાઓ વચ્ચે બુધવારે જીએસટીઆર-૧ ભરવાની સમયમર્યાદા પૂર્ણ થઈ હતી અને તેની સમયમર્યાદા વધી હોવાનું ફેક નોટિફિકેશન સોશિયલ મીડિયામાં વાઇરલ કનિદૈ લાકિઅ થતાં સરકારે અકિલા મોડી સાંજે સ્પષ્ટતા કરી હતી કે આ રિટર્ન ભરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી નથી. રિટર્ન નહીં ભર્યું હોય તેવા વેપારીઓએ કનિદૈ લાકિઅ હવે પ્રતિ દિવસ રૂ. ૨૦૦ પેનલ્ટી ભરવી પડશે.. રૂ.૧.૫૦ કરોડથી વધારે ટર્નઓવર ધરાવતા અકીલા વેપારીઓ માટે જુલાઈ-નવેમ્બરના માસિક અને તેનાથી ઓછું કનિદૈ લાકિઅ ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે સપ્ટેમ્બર સુધીના ત્રિમાસિક જીએસટીઆર-૧ ભરવાની છેલ્લી તારીખ અગાઉ ૩૧ ડિસેમ્બર હતી તે વધારીને ૧૦ જાન્યુઆરી કરી હતી. કનિદૈ લાકિઅ બુધવારે એક ફેક નોટિફિકેશન વાઇરલ થયું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે રિટર્નની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે. જોકે, સરકારે મોડી સાંજે કનિદૈ લાકિઅ સ્પષ્ટતા કરી હતી કે ૧૦ જાન્યુઆરી જ છેલ્લી તારીખ છે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જીએસટીઆર-૧ રિટર્ન એ કોઈ પણ વેપારીએ કરેલા વેચાણની કનિદૈ લાકિઅ વિગતોનું વિગતવાર રિટર્ન છે અને જે-તે વેપારીએ દરેક વેચાણના ઈનવોઇસ સહિત તે ભરવાનું રહે છે. જીએસટીઆર-૩બી સમરી રિટર્ન ભર્યા બાદ આ રિટર્ન કનિદૈ લાકિઅ ભરવાની જવાબદારી આવે છે. જોકે, પોર્ટલની સમસ્યા યથાવત્ રહી છે અને જે વેપારીઓ જીએસટીઆર-૧ ભરી શકયા નથી તેમણે સીજીએસટી અને એસજીએસટી પ્રત્યેક માટે પ્રતિ દિવસ કુલ રૂ.૨૦૦ પેનલ્ટી ભરવાની રહેશે. સીએ કરીમ લાખાણીએ જણાવ્યું હતું કે, 'બુધવારે પણ આખો દિવસ સિસ્ટમમાં ખામી જોવા મળી હતી અને રિટર્ન ફાઇલ કરવા શકય બન્યા નહોતા. એચએસએન કોડની સમરીમાં પણ મુશ્કેલી આવી રહી છે. સમરી જનરેટ કરવામાં મુશ્કેલી થાય છે અને ટર્નઓવર વેલ્યૂમાં પણ ભૂલ આવે છે. ઈનવોઇસ અપલોડ અને મોડિફાય કરવામાં બહુ સમય લાગે છે. આ સંજોગોમાં જે વેપારીઓના રિટર્ન ભરી શકાયા નથી તેની જવાબદારી કોની એ પણ નક્કી થવું જોઈએ કારણ કે પેનલ્ટીનો સ્તર બહુ ઊંચો છે.' તેમણે કહ્યું હતું કે નવેમ્બરમાં ટેકસ ભરવાપાત્ર વેપારીઓએ પ્રતિ દિવસ રૂ.૫૦ અને ટેકસ રહિત રિટર્ન ભરતા વેપારીઓએ પ્રતિ દિવસ રૂ.૨૦ પેનલ્ટી કરવામાં આવી હતી પરંતુ જીએસટીઆર-૧માં પેનલ્ટીના દરમાં રાહત આપવામાં આવી નથી.(૨૧.૮) (9:36 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/11-01-2018/121638


Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App




 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application




1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment