સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 6 December 2017

ગુજરાત ચૂંટણીઃ પાટીદારોનાં બે મંદિર પર સૌની નજર - વકીલોની વધતી ફી અંગે સુપ્રિમ કોર્ટને ચિંતાઃ સરકાર ધોરણો નક્કી કરે - ભાજપ માટે સારા સમાચારઃ ૧૦ પાટીદાર સંસ્થાઓ હાર્દિકથી અલગ - GST ડેટાથી ઇન્કમટેક્ષ ચોરોને સાણસામાં લેશે સરકાર - નરેન્દ્રભાઇ લોકપાલની નિયુકિત શું કામ નથી કરતા ? અણ્ણા હઝારે ર૩ માર્ચે દિલ્હીમાં વિરોધની ધૂણી ધખાવશે

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

વકીલોની વધતી ફી અંગે સુપ્રિમ કોર્ટને ચિંતાઃ સરકાર ધોરણો નક્કી કરે
વકીલોની તોતીંગ ફીને કારણે ગરીબ વાદીઓને ન્યાય મળતો નથીઃ વકીલો વળતરના કેસમાં પણ હિસ્સો માંગે છે તે ખોટુઃ જવાબદારી નક્કી થવી જોઇએઃ વકીલાતના પ્રોફેશનલનું નિયમન જરૂરીઃ નિયામક મુકવા જોઇએઃ વકીલોની અઘોષિત હડતાલોથી મોટુ નુકસાનઃ બાર કાઉન્સીલે બંધારણમાં સુધારા કરવા જરૂરી
વકીલોની વધતી ફી અંગે સુપ્રિમ કોર્ટને ચિંતાઃ સરકાર ધોરણો નક્કી કરે
   નવી દિલ્હી તા.૬ : સુપ્રિમ કોર્ટે વકીલોની વધતી ફી અંગે ચિંતા વ્યકત કરી છે. કોર્ટે કહ્યુ છે કે વકીલોની બેહિસાબ ફીને કારણે ગરીબવાદીઓને ન્યાય મળતો નથી તેથી કેન્દ્ર સરકાર એક એવો કાયદો બનાવે કે જેનાથી વકીલોની ફી નિર્ધારીત થઇ શકે.
   સુપ્રિમ કોર્ટના અનેક આદેશો અને લો-કમીશનનો રિપોર્ટનો હવાલો આપતા જસ્ટીસ આદર્શ કે. ગોયલ અને યુ.યુ.લલીતની બેન્ચે કહ્યુ છે કે હવે સમય આવી ગયો છે કે કેન્દ્ર સરકાર કાનૂની કાર્યકલાપોમાં હસ્તક્ષેપ કરે કે જેનાથી ગરીબ લોકોને પણ ન્યાય માટે વકીલોની વ્યવસ્થા સુનિશ્ચિત થઇ શકે. એવુ પણ જોવામાં આવ્યુ છે કે વકીલ પોતાના અસીલ પાસે કોર્ટ દ્વારા આપવામાં આવેલ આર્થિક વળતરમાં ભાગ માંગતા હોય છે. કોર્ટે કહ્યુ છે કે આ બાબત ખોટી છે અને આવા વકીલો વિરૂધ્ધ કડક કાર્યવાહી થવી જોઇએ.
   બેન્ચે કહ્યુ છે કે, એમાં કોઇ શક નથી કે લીગલ પ્રોફેશન ન્યાય પ્રાપ્ત કરવા માટે અત્યંત જરૂરી છે અને કાયદાને બનાવી રાખવામાં તેનુ મહત્વનું સ્થાન છે પરંતુ નાગરીકોને ન્યાય અપાવવો અને તેના મૌલિક તથા અન્ય અધિકારોનું રક્ષણ કરવાનું પણ આ પ્રોફેશનનું કર્તવ્ય હોય છે. શું કાનૂની વ્યવસાયમાં કરવામાં આવી રહેલા કદાચારના આધાર પર કોઇને ન્યાય આપવાથી રોકી શકાય છે?
   બેન્ચે કહ્યુ છે કે, લો કમીશનના રીપોર્ટમાં વકાલત માટે એક નિયામક એકમનું સુચન કરવામાં આવ્યુ છે કે જેથી આ વ્યવસાયમાં જવાબદારી નક્કી થઇ શકે. વકીલોની ઉંચી ફીની ચર્ચા કરતા કમીશને કહ્યુ છે કે એ સંસદનું કર્તવ્ય છે કે તે વકીલાતના વ્યવસાય માટે એક યોગ્ય ફી નક્કી કરે. ૧૯૯૮માં આવેલા લો કમીશનના ૧૩૧માં રીપોર્ટમાં જણાવાયુ છે કે વકીલોની ફી નક્કી કરવા માટે પહેલુ પગલુ સંસદ તરફથી લેવાવુ જોઇએ.
   લો કમીશનના ર૬૬માં રીપોર્ટમાં જણાવાયુ છે કે વકીલોના પ્રોફેશનલ અભિગમને કારણે મોટી માત્રામાં મામલા પેન્ડીંગ છે. વકીલોની અઘોષિત હડતાલોના કારણે વર્કીંગ દિવસોમાં ઘણુ નુકસાન ઉઠાવવુ પડે છે જેના કારણે કોર્ટની કાર્યવાહી રદ કરવી પડે છે. આના કારણે ત્વરીત ન્યાય આપવામાં પણ બાધા ઉભી થાય છે. લો કમીશને એવુ પણ સુચન કર્યુ છે કે બાર કાઉન્સીલના બંધારણમાં પણ યોગ્ય ફેરફાર કરવો જોઇએ. ઘણા વર્ષોમાં કેન્દ્રમાં આ બાબતે કાયદો લાવવાની પહેલ નથી કરી પરંતુ સુપ્રિમ કોર્ટે આ રિપોર્ટનું સંદર્ભ આપતા સરકારને યોગ્ય પગલા લેવા કહ્યુ છે.
   કોર્ટે કહ્યુ છે કે જો કે ૧૩૧મો રીપોર્ટ કે જે ૧૯૯૮માં રજુ થયો હતો પરંતુ સરકાર તરફથી વકીલાત ફી નક્કી કરવા કોઇ કાયદો નથી લવાયો. પ્રોફેશનલ દુરાચાર માટે મજબુત નિયામકની જરૂર છે. કાનૂન પ્રશાસન ત્યારે જ સફળ થઇ શકે કે જયારે વકીલાતના વ્યવસાયનું યોગ્ય રીતે નિયમન કરવામાં આવે કે જેથી કલમ-૩૯-એ હેઠળ તમામ નાગરીકોને ન્યાય સુનિશ્ચિત થઇ શકે.
   બેન્ચે કહ્યુ હતુ કે, અમને આશા છે કે સરકારમાં સંબંધિત ઓથોરીટી આ બાબતે વિચાર કરશે કે અને એક એવી નિયામક વ્યવસ્થા બનાવશે કે જેથી વકીલાતના વ્યવસાયમાં મૂલ્યોનું ઉલ્લંઘન ન થઇ શકે અને બધા લોકોને કલમ-૩૯-એ હેઠળ ન્યાય મળી શકે.(૩-૭)

Source :-http://www.akilanews.com/06122017/main-news/1512540226-119209

ગુજરાત ચૂંટણીઃ પાટીદારોનાં બે મંદિર પર સૌની નજર
ખોડલધામ અને ઉમિયા ધામ... પાટીદારોના ગૌરવ અને તાકાતના પ્રતિક
   નવી દિલ્હી તા. ૬ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ટૂંક સમયમાં થશે અને લોકોની નજર રાજયનાં બે મંદિર પર ટકેલી છે. આ મંદિર પાટીદાર સમાજના ગૌરવ અને તાકાતનું પ્રતીક છે અને સમાજમાં તેમનો ઘણો પ્રભાવ છે. રાજકોટ જિલ્લાનું ખોડલધામ મંદિર અને મહેસાણા જિલ્લાનું ઉમિયાધામ મંદિર વિધાનસભા ચૂંટણીઓ માટેના મતદાન પહેલાં રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ બની ગયાં છે.
   ખોડલધામ મંદિરનું નિર્માણ પાટીદાર સમાજની લેઉવા જ્ઞાતિએ જયારે ઉમિયાધામ મંદિરનું નિર્માણ કડવા જ્ઞાતિએ કરાવ્યું છે. સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની કહે છે કે, 'આ મંદિર સંબંધિત સમૂહોનું ગૌરવ અને સત્ત્।ાનું કેન્દ્ર બની ચૂકયાં છે. ખોડલધામ મંદિરના બે ટ્રસ્ટી દિનેશ ચોવટિયા તથા રવિ આંબલિયા કોંગ્રેસની ટિકિટ પરથી અનુક્રમે રાજકોટ દક્ષિણ અને જેતપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે.' શ્રીખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશભાઇ પટેલે અનામત આંદોલન કરનારા નેતા હાર્દિક પટેલ સાથે ગયા અઠવાડિયે જ મુલાકાત કરી હતી. જોકે પાટીદાર ઓર્ગેનાઇઝેશન દ્વારા ગઇકાલે પત્રકાર પરિષદમાં સ્પષ્ટ જાહેરાત પછી ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. ખોડલધામના ચેરમેન પરેશભાઇ ગજેરા, હંસરાજભાઇ ગજેરાએ પણ સ્પષ્ટતા કરી છે કે તેઓ કોઇપણ પક્ષની ફેવર કે અનફેવર કરતા નથી.
   અન્ય એક ટ્રસ્ટી ગોપાલભાઈ વસ્તાપરા અમરેલી જિલ્લાના લાઠી બાબરામાંથી ભાજપની બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે.
   ગુજરાતમાં રાજકીય દૃષ્ટિએ મંદિર હંમેશાં ચર્ચામાં રહે છે. ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ એલકે અડવાણીએ અયોધ્યામાં રામમંદિર બનાવવા માટે ૧૯૯૦માં પોતાની રથયાત્રાની શરૂઆત સોમનાથ મંદિરથી કરી હતી.
   રાજયમાં ૨૦૦૨માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં મંદિર રાજકારણ એ સમયે બહાર આવ્યું હતું, જયારે સાબરમતી એકસપ્રેસને સળગાવી દેવાઈ હતી, જેમાં અયોધ્યાથી પાછા ફરી રહેલા હિંદુ શ્રદ્ઘાળુઓનાં મોત નીપજયાં હતાં. ત્યાર બાદ રાજયના અન્ય ભાગોમાં તોફાનો થયાં હતાં

Source :-http://www.akilanews.com/06122017/main-news/1512540691-119215

ભાજપ માટે સારા સમાચારઃ ૧૦ પાટીદાર સંસ્થાઓ હાર્દિકથી અલગ
કોંગ્રેસે હાર્દિકને આપેલુ અનામતનું વચન કોઇપણ સંજોગોમાં અમલી બની શકે તેમ નથીઃ હાર્દિકનું આંદોલન હવે સામાજીક નથી રહ્યુઃ રાજકીય અને અંગત બની ગયુ હોવાનો આરોપ
   અમદાવાદ તા.૬ : પાટીદાર સમાજની ૧૦ મોટી ધાર્મિક સંસ્થાઓએ ગઇકાલે ફરી એક વખત એક મંચ ઉપર એકઠા થયા હતા. કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં પાટીદારોને અનામત આપવાના વચનને છેતરામણુ ગણાવતા આ નેતાઓએ કહ્યુ છે કે જે બાબત શકય નથી તેને વાયદા તરીકે શા માટે આપવામાં આવી રહ્યો છે.
   વિશ્વ ઉમિયા સંસ્થાના આર.પી.પટેલે કહ્યુ છે કે જે મુસદે હાર્દિકને કોંગ્રેસ તરફથી આપવામાં આવ્યો હતો તે અંગે કાનૂની સલાહ લેવામાં આવી રહી છે. હરીશ સાલ્વેએ સ્પષ્ટ કહી દીધુ છે કે બંધારણીય રીતે અનામત શકય નથી તો પછી શા માટે હાર્દિક કોંગ્રેસનું રાજકીય હથિયાર બની રહ્યો છે. આર.પી.પટેલે એમ પણ કહ્યુ હતુ કે, જે યુવાવર્ગ હાર્દિકની વાતમાં આવીને ભટકી ચુકયો છે તેને ફરીથી સમાજની વિચારધારા તરફ લાવવાનો પ્રયાસ ચાલુ છે.
   આ સંસ્થાએ હાર્દિકને એવુ કહી દુર હડસેલી દીધો હતો કે તેનુ આંદોલન હવે સામાજીક ન રહેતા રાજકીય અને અંગત બની ગયુ છે એટલુ જ નહી વાત-વાતમાં તેઓએ એવુ પણ કહી દીધુ હતુ કે, થોડા સમય માટે ભાજપ પ્રત્યે નારાજગી જરૂર હતુ પરંતુ હવે બધુ ઠીક છે. હવે એ સ્પષ્ટ છે કે સમાજનો એક વર્ગ ભાજપ સાથે ઉભો છે.
   પાટીદારોમાં બે કોમ્યુનીટી છે લેઉઆ અને કડવા. આ સિવાય કચ્છી પટેલ, કાછીયા પટેલ અને કોળી પટેલ પણ છે. કડવા અને લેઉઆ પરસ્પરમાં વૈવાહિક સંબંધ નથી રાખતા અને તેઓની લોકલ લીડરશીપ પણ અલગ-અલગ હોય છે.
   કડવા પટેલના બહુમતીવાળા વિસ્તારોઃ રાજકોટ, જુનાગઢ, જામનગર, ભાવનગર, કચ્છ, મહેસાણા, પાટણ અને પાલનપુર.
   લેઉઆ પટેલના બહુમતીવાળા વિસ્તારોઃ સુરત, આણંદ, ગોંડલ, જેતપુર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો.

Source :- http://www.akilanews.com/06122017/main-news/1512540082-119204


GST ડેટાથી ઇન્કમટેક્ષ ચોરોને સાણસામાં લેશે સરકાર
સરકાર એક એવુ મીકેનીઝમ બનાવી રહી છે જે હેઠળ જીએસટીઃ ફાઇલીંગથી મળેલા ડેટાનું મેળવણું ઇન્કમટેક્ષ ફાઇલીંગ સાથે થઇ શકશે
   નવી દિલ્હી તા.૬ : સરકાર જીએસટી ફાઇલીંગથી મળેલા ડેટા થકી એવા લોકોને પકડી શકે છે જેઓ ઇન્કમટેક્ષ આપવાથી દુર ભાગતા હોય. સુત્રોએ જણાવ્યુ છે કે સરકાર આ દિશામાં પગલા લઇ રહી છે. સરકાર એક મીકેનીઝમ બનાવી રહી છે જે હેઠળ જીએસટી રીપોર્ટીંગથી મળેલા ડેટાનો મેળાપ ઇન્કમટેક્ષ ફાઇલીંગ સાથે કરી શકાશે.
   આ પ્રોજેકટ અત્યારે શરૂઆતના ચરણમાં છે પરંતુ સુત્રોએ ઉમેર્યુ છે કે સરકાર એવો ડેટાબેઝ ઇચ્છે છે કે જે થકી કંપનીઓ અને તેના પ્રમોટરોની ઇન્કમનો મેળાપ ફાઇલ કરવામાં આવેલ ટેકસ રિટર્નથી કરી શકાય. અત્યારે એ સ્પષ્ટ નથી કે સરકાર આ ડેટાનો ઉપયોગ પાછલા વર્ષોમાં કરવામાં આવેલ ટેકસ ચોરીની ભાળ લગાવવામાં કરશે કે નહી ? કે પછી આ ડેટાનો ઉપયોગ ભવિષ્યમાં ટેકસ ક્રુટની માટે જ હશે. અગાઉની ટેકસ સિસ્ટમથી પુલટ જીએસટી સિસ્ટમમાં કંપનીઓ અને મોટા વેપારીઓની લેવડ-દેવડની માહિતી મેળવી શકાય છે અને તેમાં ઇન્કમને ઘટાડી કે ખર્ચ વધારી બતાડવાનુ મુશ્કેલ છે.
   ઉદ્યોગ ઉપર નજર રાખનારાઓએ કહ્યુ છે કે ટેકસ અધિકારીઓને તમામ ડેટા શોધવાની જરૂર નહી રહે કારણ કે બીગ ડેટા એનાલીસ્ટથી આ કામ થઇ શકશે. જેની મદદથી કોમન ડેટા સેટ નક્કી થઇ શકશે અને તેઓ ઝડપથી મેળવણુ કરી શકશે. ઉદાહરણ તરીકે પ્રમોટરોનું ટર્નઓવર પાછલા કેટલાક વર્ષોમાં ૩૦ કરોડ હોય પરંતુ તેઓ ફકત ૪ કરોડ માટે કોર્પોરેટ ટેકસ ચુકવી રહ્યા છે એટલુ જ નહી પ્રમોટર પોતાની આવકને પણ ઓછી બતાવી રહ્યા છે અને ઇન્કમટેક્ષથી બચી રહ્યા છે હવે આવુ થઇ નહી શકે.(૩-

Source :- http://www.akilanews.com/06122017/main-news/1512535358-119203


નરેન્દ્રભાઇ લોકપાલની નિયુકિત શું કામ નથી કરતા ? અણ્ણા હઝારે ર૩ માર્ચે દિલ્હીમાં વિરોધની ધૂણી ધખાવશે
કેન્દ્ર સરકાર નિમણુંક ટાળવા જે બહાનું બતાવે છે એ વાજબી નથી
નરેન્દ્રભાઇ લોકપાલની નિયુકિત શું કામ નથી કરતા ? અણ્ણા હઝારે ર૩ માર્ચે દિલ્હીમાં વિરોધની ધૂણી ધખાવશે
   મુંબઇ તા. ૬ : ચાર વર્ષથી લોકપાલની નિયુકિતમાં સરકારની બેદરકારીથી નારાજ થયેલા ભ્રષ્ટાચારવિરોધી આંદોલનકર્તા અણ્ણા હઝારેએ આવતા વર્ષે ર૩ માર્ચે શહીદ દિને વિરોધ-પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી.
   દિલ્હીમાં એક પત્રકાર-પરિષદને સંબોધતા અણ્ણા હઝારેએ જણાવ્યું હતું કે હાલની બીજેપીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચાર વિરોધી લડત બાબતે ગંભીર નથી.
   અણ્ણા હઝારેએ વિરોધ-પ્રદર્શન વિશે જણાવ્યું હતું કે 'તાજેતરમાં લોકપાલ એકટમાં કરવામાં આવેલા સુધારામાં સરકાર નોકરી કરનાર અને સરકારી-રાજકીય હોદા પરની વ્યકિતઓ માટે મિલકતો જાહેર કરવાની ફરજિયાત જોગવાઇ રદ કરવામાં આવી એ બાબત સરકારના ભ્રષ્ટાચાર વિરૂધ્ધ લડવાના ઇરાદાની ગંભીરતા ઉઘાડી પાડે છે.'
   અણ્ણા હઝારેએ સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે 'લોકસભામાં વિરોધ પક્ષના નેતા ન હોવાથી લોકપાલની નિમણુંક કરી શકાય એમ ન હોવાનું બહાનું બતાવવુ વાજબી નથી. સરકાર બીજેપી શાસિત રાજયોમાં લોકાયુકતની વરણી કરી શકે એમ છે.'
   અણ્ણા હઝારેએ રાજધાની દિલ્હીમાં ગઇ કાલે કરેલી વિરોધ-પ્રદર્શનની જાહેરાતને કારણે ર૦૧૧માં એ વખતની કોંગ્રેસપ્રણીત યુપીએ સરકાર સામે ભ્રષ્ટાચારવિરોધી આંદોલનની યાદો તાજી થાય છે. એ વખતે તેમના વિરોધ-પ્રદર્શન અને ભુખહડતાળથી લાખો લોકો પ્રભાવિત થયા હતા.(૬.૮)

Source :- http://www.akilanews.com/06122017/main-news/1512540833-119219

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App

 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application











Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment