સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday 11 December 2017

હાર્દિકનો હુંકારઃ અ'વાદની સભામાં ફરી GMDC જેવો માહોલ ઊભો થશે - પાટીદાર નેતા પરસોત્તમ ભાગ્યા ઊભી પૂંછડીયે, 200 મહિલાઓ થાળી-વેલણ લઈ પાછળ દોડી - રાષ્ટ્રવિરોધી લોકો સાથે રાહુલ ગાંધીને સીધો સંબંધ છે: અમિત શાહ - પ્રથમ તબક્કામાં 68% મતદાન શાંતિપૂર્ણ સંપન્ન, 2012 કરતા 2% ઘટ્યું - પાટીદાર આંદોલનમાં ૧૪ યુવાનોના મોત માટે હાર્દિક જવાબદારઃ આનંદીબેન

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

હાર્દિકનો હુંકારઃ અ'વાદની સભામાં ફરી GMDC જેવો માહોલ ઊભો થશે

હાર્દિકની પાટણના ચાણસ્મા સભામાં ગર્જના, સૌરાષ્ટ્રમાં ભાજપ 89માંથી 60 સીટો પર હારશે અને 14મીએ ઉત્તરના પવનમાં ફેકાઇ જશે
પાટણ: જય સરદાર બોલાવી હાર્દિક પટેલે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા ગામે ઉત્તર ક્રાતિ સભાની શરૂઆત કરી છે. મહેસાણા જિલ્લામાં પ્રવેશ પાબંધી ઉપર હાર્દિક પટેલે સરકાર પર પ્રહાર કર્યા અને મારા પર મહેસાણા પ્રવેશ પર પાબંધી હોવા છતા અંદોલન ચાલુ છે. અઢી વર્ષથી ચાલી રહેલા આંદોલનને હવે પાર પાડવાનો સમય આવી ગયો છે. સૌરાષ્ટ્રમાં 89માંથી 60 સીટો ભાજપ હારી ગઇ છે. અને હવે ઉત્તરની વારી છે. અમીના છાટણા થઇ ગયા છે કુદરતે વરસાદના અમી છાટણાં કરીને કહ્યું છે. કે હવે જીત તમારી થવાની છે.


ભાજપ સરકારને પાડી નથી દેવાની જમીનમાં અઢી ફૂટ ગાડી દેવાની છે. દરેક સમાજના લોકો નાત જાત ભૂલીને ભાજપ ને હરાવી દેવાની તૈયારી કરી દેવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં લાખો લોકોએ મારૂ સ્વાગત કરે છે. કાલે અમદાવાદમાં ફરી જી.એમ.ડી.સી ગ્રાઉન્ડનું સર્જન થશે. મારા એક મિત્રની જેમ કહુ તો મહેસાણા કે સાથ મેરા પુરાના નાતા હે, કહી ને વડાપ્રધાન મોદી પર પ્રહારો કર્યા હતા. અનામતની લડાઇ માત્ર 18 તારીખ પુરતી નથી જ્યા સુધી અનામત નહી મલે ત્યા સુધી આ આંદોલન પૂર્ણ નહી થાય. સાહેબની સભામાં ખુરશીઓ ખાલી રહી હતી. ભાજપની ઉત્તરમાં છેલ્લી ચાર સભાઓ ફ્લોપ ગઇ છે. જેનાથી મારી ચિંતા દૂર થઇ છે. પાટીદારોની ખુમારી દેખાવાની છે.

જે નગરપાલીકાના ચૂંટાયેલા કાકાને આપણે ડે.સીએમ બનાવ્યા તે જ કાકા પાટીદારોને અત્યારે મૂર્ખ કહે છે. આ વાવાઝોડુ એવું ફુકાશે કે ભાજપ સરકારના તમામ નેતાઓ તેમાં ખોવાઇ જવા જોઇએ. જે લોકો સમાજના હિતની વાત વિધાનસભામાં નથી કરી શક્યા તે લોકો આજે સમાજના હિત માટે કશુંજ નહિ કરી શકે. જો આ વખતે ભાજપ હારી જશે તો આવતી 50 વર્ષની સરકાર સમાજને પૂછીને કશુ જ કરી નહી શકે. સમાજના લોકોએ જાગૃત થવાની જરૂર છે, પટેલે અને ઠાકોરે એક થવાની જરૂર છે. આપણા લાઇવને અટકાવવા માટે નેટ બંધ કરી દેવામાં આવ્યું હતું. 3 વર્ષે જો આપણે ખેતીમાં ઉપયોગ કરવામાં આવતા બળદ બદલી દઇએ તો આ 22 વર્ષથી રાજ કરતી બળદીયાઓની સહરકારને બદલવાની જરૂર છે.

ઉમેદવાર કોણ છે એ મહત્વનું નથી મહેસાણામાં જીવાભાઇની જીત તમારા હાથ છે. અને જીતાડવા પડશે એ નક્કી છે. ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવું પડશે. ભાજપમાં જે આત્યારે હોય એ પાટીદાર સમાજનો નથી. 18 પરીણામ આવ્યા બાદ જો આ સરકાર આવી તો મને જેલમાં ધકેલી દેવામાં આવશે. અને જો આપણી તાકાત દેખાશે નહિ તો હુ જેલ ભોગવવા માટે પણ તૈયાર છું, ભાજપ અને કોંગ્રેસ ધર્મની રાજનીતી કરી રહી છે. ભાજપને હરાવ્યા બાદ કોંગ્રેસ આપણા માટે શું કરશે એ મહ્તવનું નથી પણ જો ભાજપ હારશે તો એંમને ખબર પડે કે પાટીદારો ઇચ્છે તો ગમેત્યારે સરકાર બદલી શકે છે. આ રાજનીતી રમનારાઓને ખબર પડે કે આ સમાજનું જો નઇ માનીએ તો સત્તા ગુમાવી દેવી પડશે.
પટેલો અને ઠાકોરોથી આ લડાઇ નહીં જીતાય, બધા સમાજને સાથે રાખીને આ લડાઇ જીતવી પડશે. હું ધમકીઓથી ડરતો નથી, 23 વર્ષના આ છોકરાનું કાઇ ઉખાડી ના શક્યા તો તમારું શું ઉખાડી શકશે. લણવાવાસીઓ પાસે સપથ લેવડાવ્યા, હું પાકો ગુજરાતી મા ઉમયાની સોંગદ લઇ ને સપથ લઉ છું જે લોકોએ મારા 14 શહિદો અને મહિલાઓ પર અત્યાચાર કર્યો છે તે લોકોને 14 તારીખે મત આપવા નહીં જઉ. અને એવી પાર્ટીને વોટ આપી ને જીતાડી જે ભાજપને હરાવી શકે. લણવાવાસીઓને અમદાવાદની સભા અને રોડ શોમાં આવવા માટે આહવાન કર્યું.(તસવીર- સુનીલ પટેલ)

Source :- https://www.divyabhaskar.co.in/news/UGUJ-PAT-OMC-LCL-hardik-patel-ahmedabad-meeting-will-shout-environment-poses-a-gmdc-again-gujarat-5766162-PHO.html?ref=ht

રૂપાલા ભાગ્યા ઊભી પૂંછડીયે, 200 મહિલાઓ થાળી-વેલણ લઈ પાછળ દોડી

પથ્થરથી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુભાઇ ચૌધરીને ઇજા પહોંચતાં સિવીલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યાં હતા

વિસનગર: ગુજરાતમાં ચૂંટણીનો બીજો તબક્કો પણ પાટીદાર નેતા હાર્દિક પટેલના હાથમાં સરકી રહ્યો છે. તેમણે ઉત્તર ગુજરાતના 15 બેઠકો પરથી ભાજપના તમામ ધારાસભ્યોને હાંકી કાઢવાની રેલીમાં ગઈ કાલે કરેલી હાકલ બાદ આજે મહેસાણા અને વિસનગરમાંથી ભાજપના પાટીદાર નેતા પરસોત્તમ રુપાલાએ ભાગવું પડયું છે. રેલવે સર્કલ પાસે તેમની પાછળ વેલણ અને થાળી લઈને 200 જેટલી મહિલાઓ દોડી હતી.

રૂપાલાની રેલીમાં પથ્થરમારો, મહિલાઓ પાછળ દોડી
મહિલાઓ પાછળ દોડતા રુપાલાએ ભાગવું પડયું હતું તેમાં તેમની પર પથ્થરમારો પણ થયો હતો. પ્રથમ તબક્કાના મતદાન બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો ભાજપે ગુમાવી દીધા બાદ હવે બીજો તબક્કો પણ હાથમાંથી સરકી રહ્યો છે. ઉત્તર ગુજરાતની 28 બેઠકો પર લોકોનો રોષ ફેલાયેલો જોઈને હવે તેમાંથી બચવું ભાજપ માટે મુશ્કેલ જણાય રહ્યું છે

Source :- https://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-OMC-HDLN-opposition-to-play-rally-in-rupala-rally-gujarati-news-5766271-PHO.html

રાષ્ટ્રવિરોધી લોકો સાથે રાહુલ ગાંધીને સીધો સંબંધ છે: અમિત શાહ

કોંગ્રેસ ચૂંટણીમાં રમખાણોનો મુદ્દો ઉઠાવી ધ્રુવીકરણ કરવા માગે છે
      ગાંધીનગર: ગુજરાતની ચૂંટણીમાં ભાજપ સામે પડકાર ફેંકી રહેલી કોંગ્રેસને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રવિવારે અનેક મોરચે ઘેરી હતી. પત્રકાર પરિષદમાં શાહે કોંગ્રેસ પર વોટ બેંકની રાજનીતિ કરવાનો આક્ષેપ પણ કર્યો હતો. શાહે કહ્યું કે માત્ર મતની લાલચમાં કોંગ્રેસ રાષ્ટ્રવિરોધી શક્તિઓ સાથે હાથ મિલાવી રહી છે અને 2017માં પણ 2002નો ઉલ્લેખ કરવા પાછળ તેની આ જ મહેચ્છા છે.

કોંગ્રેસ પર રાષ્ટ્રવિરોધી શક્તિનો સાથ માગવાનો આક્ષેપ કરી ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે પીએફઆઈના પૈસા લેતા જિજ્ઞેશ મેવાણીનો ફોટો વાયરલ થયો છે. પીએફઆઈ સંગઠન હંમેશા દેશ વિરોધી ગતિવિધીનું ભાગ રહ્યું છે. રાહુલ ગાંધી આવી વ્યક્તિને મળે છે જેણે દેશ વિરોધી શક્તિઓ સાથે સંબંધ છે .અને વોટબેંક માટે કોંગ્રેસ આવા લોકોને પોતાની સીટ આપવા માટે પણ તૈયાર છે.
શાહે કહ્યું કે કોંગ્રેસને જિજ્ઞેશના પીએફઆઈ સાથેના સંબંધોની જાણકારી છે. નહીં તો તેઓ તેમને ટિકીટ આપી દેતા. કોંગ્રેસ છતાં વોટ બેંકની લાલચમાં બહારથી તેનું સમર્થન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો શનિવારે સંપન્ન થયો છે અને બીજા તબક્કાનું મતદાન 14મીએ થવાનું છે. અમિત શાહે રવિવારે ગાંધીનગરમાં પત્રકાર પરિષદમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પણ આડેહાથે લીધા હતા. શાહે કોંગ્રેસને ધ્રુવીકરણની જનની ગણાવી કહ્યું કે કોંગ્રેસે ગુજરાતની ચૂંટણીમાં પોતાનો આધાર જ જાતિવાદને બનાવ્યો છે.
કોંગ્રેસના થનારા અધ્યક્ષ (રાહુલ ગાંધી)એ પણ મંદિર-મંદિર ફરવા માંડ્યું છે. કોંગ્રેસ જ ધ્રુવીકરણની જનની રહી છે. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસના નેતા ચરણસિંહે કહ્યું છે કે પીએમ મોદીએ જામા મસ્જિદ જવું જોઈએ અને 2002ના રમખાણો માટે માફી માંગવી જોઈઅે. સમગ્ર દેશ જાણે છે અને સાબિત થઈ ચૂક્યું છે કે કોંગ્રેસે મોદીજી પર લગાવેલા આ આરોપ જૂઠ્ઠાં અને નિરાધાર છે. મોદીજી નિર્દોષ છે તેમ છતાં વોટ બેંક માટે કોંગ્રેસ 2017માં 2002નો મુદ્દો ઉછાળી રહી છે.
Source :- https://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-LCL-rahul-gandhi-is-a-direct-relationship-with-anti-nationalists-amit-shah-gujarati--5766199-PHO.html

પ્રથમ તબક્કામાં 68% મતદાન શાંતિપૂર્ણ સંપન્ન, 2012 કરતા 2% ઘટ્યું

કોંગ્રેસ આ વખતે બરાબરની ટક્કર આપી રહી હોય તેવું ભાજપના 22 વર્ષના શાસનમાં પહેલીવાર જોવા મળી રહ્યું છે
અમદાવાદ: આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાપહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. પહેલા તબક્કાના મતદાનમાં રાજકોટની પશ્ચિમ બેઠક પરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે કોંગ્રેસના સૌથી અમીર ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂનું ભાવી ઈવીએમમાં કેદ થયું છે. આ વખતની ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહી છે. તો કોંગ્રેસ આ વખતે બરાબરની ટક્કર આપી રહી હોય તેવું ભાજપના 22 વર્ષના શાસનમાં પહેલીવાર જોવા મળી રહ્યું છે. કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર હાલ મતદાન ચાલી પૂર્ણ થયું છે. પરંતુ હજુ પણ ઘણી જગ્યાએ મતદાતાઓની લાઈનો લાગેલી હોવાથી તેમને ટોકન આપી દઈને મતદાન જારી રાખવામાં આવ્યું છે. ચૂંટણી પંચે શરતી મતદાનની વાત કરી હોવાથી સત્તાવાર આંકડો મોડી રાતે બહાર આવશે. રાતના 10 વાગ્યા સુધી વોટિંગ કરવાની મંજૂરી આપી છે. પરંતુ સાથે શરત પણ રાખી છે જ્યાં મતદાનનો સમય પૂરો થયા પછી પણ મત આપવા લાઈનો હશે ત્યાં 5 વાગ્યા સુધીમાં ટોકન જેણે લઈ લીધું હશે તેને શરતી મંજૂરી છે.

પહેલા તબક્કામાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત

કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાના 2.12 કરોડ મતદાતા શનિવારે પોતાની આંગળીની તાકાત બતાવશે. 89 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. જેમાં અમરેલી કોંગ્રેસના પરેશ ધાનાણી સામે ભાજપથી દિલીપ સંઘાણી, ભાવનગર પશ્ચિમ પર ભાજપના જીતુ વાઘાણી સામે કોંગ્રેસથી દાનસંગ મોરી, રાજકોટ પશ્ચિમ ભાજપ પર વિજય રૂપાણી સામે કોંગ્રેસના ઈન્દ્રનીલ રાજ્યગુરુ તો પોરબંદરની સીટ પર કેબિનેટમંત્રી બાબુ બોખિરિયા સામે કોંગ્રેસના માજી પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા ચૂંટણી લડી રહ્યા છે.
8 કલાકમાં 60.16 ટકા મતદાન

કચ્છમાં 63 ટકા, સુરેન્દ્રનગર 59.14 ટકા, મોરબી 67.37 ટકા, રાજકોટ 60.32 ટકા, જામનગર 56.83 ટકા, દેવભૂમિ દ્વારકા 53.54 ટકા, પોરબંદર 54.26 ટકા, જૂનાગઢ 58.01 ટકા, ગીર સોમનાથ 63.00 ટકા, અમરેલી 56.38 ટકા, ભાવનગર 55.91 ટકા, બોટાદમાં 56.41 ટકા, નર્મદા 65.81 ટકા, ભરૂચ 62.61 ટકા, સુરત 60.64 ટકા, તાપી 65.72 ટકા, ડાંગ 64.63 ટકા, નવસારી 67.56 ટકા અને વલસાડમાં 63.43 ટકા મતદાન થયું છે.
મતદાનની સાથેસાથે

- ઈવીએમ બ્લૂ ટુથથી કનેક્ટ થતાં હોવાનો અર્જૂન મોઢવાડીયાનો આક્ષેપ
- પોરબંદરના ઉમેદવારે સ્ક્રીનશોટ્સ સાથે કરી ચૂંટણી પંચને ફરિયાદ
- પહેલા એક કલાકમાં આઠ ટકા મતદાન
- રાજકોટ શહેર-જિલ્લાની આઠ વિધાનસભા બેઠક માટે 104 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ
- રાજકોટ જિલ્લામાં 18-19 વર્ષની વયના 54097 મતદારો પ્રથમ વખત મતદાન કરશે
- રાજકોટ શહેર-જિલ્લાની આઠ બેઠકો પર 20, 64,759 મતદારો, 2158 મતદાન મથકો
- રાજકોટ જિલ્લાની 8 બેઠકમાં સૌથી વધુ પાટીદાર ઉમેદવારો 
- રાજકોટ જિલ્લાની 8 બેઠકના 2158 બૂથ પર 13000 પોલીસ જવાનો બંદોબસ્તમાં
- મતદાન મથકો પર પોલીસ , હોમગાર્ડ, પેરા મિલિટરી ફોર્સ, રેપીડ એકશન ફોર્સના જવાનો તૈનાત
- રાજકોટમાં ટાગોર વિદ્યાલય ખાતે મતદાન મથકમાં મશીન બંધ થયાની ફરિયાદ ઉઠી, મતદાન શરૂ થતા જ અડધો કલાકમાં મશીનમાં ખામી સર્જાઇ હતી
- સુરતના કાપોદરામાં આવેલી નગરપ્રાથમિક શાળામાં ઈવીએમમાં ખામી સર્જાઈ, એક કલાક મોડું શરૂ થયું
- સીએમ વિજય રૂપાણીએ પરિવાર સાથે રાજકોટની રૈયારોડ પર આવેલી જ્ઞાનગંગા પ્રાથમિક શાળામાં કર્યું મતદાન
- રાજકોટ 70 બેઠકના ભાજપના ઉમેદવાર ગોવિંદ પટેલે સુર્યમુખી હનુમાન મંદિરની બાજુમાં, વિવેકાનંદ સ્કૂલમાં કર્યું મતદાન
-જસદણ ભાજપના ઉમેદવાર ભરત બોઘરાએ કમળાપુરની શાળામાં કર્યું મતદાન
-રાજકોટ 68 બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મિતુલ દોંગાએ કર્યું મતદાન
- જેતપુર બેઠકના ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાએ જામકંડોરણાની શાળામાં મતદાન કર્યું
- ઉપલેટામાં 116 વર્ષના અજીબેને કર્યું મતદાન
- ચૂંટણી પંચની 6-30 કલાકે પ્રેસ કોન્ફરન્સ, પહેલા તબક્કાની માહિતી આપશે
- વલસાડ જિલ્લામાં 12થી 15 ટકા મતદાન
- સુરતના 327 બુથો પર માઈક્રો ઓબ્ઝર્વર મુકાયા, 483 બુથ અંદર અને બહાર વીડિયોગ્રાફી, 232 બુથ પર લાઈવ કાસ્ટિંગ 
- સુરતમાં 498 બિલ્ડીંગ સંવેદનશીલ, 3200 પોલીસ, 4000 હોમ ગાર્ડ, 3000 જેઆરડી, 311 સેક્ટર પોલીસ વેન ફરતી રહેશે
- સંવેદનશીલ વિસ્તાર કામરેજ, વરાછા, લિંબાયત, અમરોલી જેવી જગ્યાઓ પર 15 જેટલી ટીમ હાજર રહી છે
- દક્ષિણ ગુજરાતની 28 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
- 80 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ: સૈાથી વધુ માંડવી તો ઓછું મતદાન ગાંધીધામમાં નોંધાયું .
- જીવનની ઢળતી સંધ્યાએ પણ લોકશાહીને જીવંત રાખવાનો ઉમંગ કચ્છના વૃદ્ધોમાં દેખાયો.
- EVMની ખોટ કે શારિરીક ખોટ મતદાન માટે કશું આડે ન આવ્યું.
- માણકાવાંઢમાં 94.79, પાનધ્રો-5માં 33.13 ટકા મત પડ્યા.
- મતદાન દરમિયાન 77 વીવીપેટ અને 38 ઇવીએમ બદલાવાયા
- 2012માં 1,38,363 અને 2017માં 1,50,090 મત પડ્યા
- કચ્છમાં સવારે 10થી 12 સુધી મતદાનની સૌથી ઉંચી ટકાવારી

Source :- https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-first-phase-voting-of-gujarat-assembly-election-2017-NOR.html

પાટીદાર આંદોલનમાં ૧૪ યુવાનોના મોત માટે હાર્દિક જવાબદારઃ આનંદીબેન
જો હાર્દિકે આંદોલન કર્યું જ નહોત તો તે યુવકોના મોત ન થયા હોત
પાટીદાર આંદોલનમાં ૧૪ યુવાનોના  મોત માટે હાર્દિક જવાબદારઃ આનંદીબેન
      નવી દિલ્હી તા. ૧૧ : ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં એક તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે ત્યારે બીજા તબક્કા માટે હવે માહોલ વધુ ગરમાયો છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે નિવેદન આપ્યું છે કે પાટીદાર આંદોલનમાં ૧૪ યુવકોના મોત પાછળ હાર્દિક પટેલ જવાબદાર છે. જો હાર્દિકે આંદોલન કર્યું જ નહોત તો તે યુવકોના મોત ન થયા હોત.
      પાટીદાર સમાજ દ્વારા અનામત આંદોલન છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે. આ સમયે આંદોલન દરમિયાન અમદાવાદ ખાતે યોજાયેલી જીએમડીસી સભા બાદ હિંસા ફાટી નીકળી હતી જેમાં ૧૪ પાટીદાર યુવકોના મોત થયા હતા. આ યુવકોના મોત પાછળ હાર્દિક પટેલ અને પાસની ટીમ સરકારને જવાબદાર ગણાવી રહી છે.
      પાટીદાર આંદોલનકારીઓ ભાજપને હરાવવા માટે તેમના ભાષણમાં આ ૧૪ મૃતક યુવકોનો ઉલ્લેખ કરી તેમને ભાજપ સરકારે માર્યા છે તેવો આક્ષેપ કરી રહ્યા છે. આ ઘટના સમયે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા. રવિવારે જયારે તેમને પુછવામાં આવ્યું કે શું તેઓ ૧૪ પાટીદાર યુવકોના મોત માટે માફી માંગશે? તેના જવાબમાં આનંદીબેને કહ્યું હતું કે યુવકોના મોત માટે હાર્દિક પટેલ જવાબદાર છે. જો તેણે આંદોલન ન કર્યું હોય તો તે યુવકો ન મળ્યા હોત.
      આનંદીબેનના આ નિવેદન બાદ પાટીદારો દ્વારા તેમની સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આ સાથે સોશિયલ મીડિયામાં પણ તેમના આ નિવેદનને પાટીદારો વખોડી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે હાર્દિક પટેલ આ મુદ્દે શું કહે છે.

Source :- http://www.akilanews.com/11122017/main-news/1512964522-119514

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App











 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application





















Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment