સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 28 December 2017

શાળા વધારે ફી માગે તો ભરવી કે નહી? વાલીઓમાં દ્વિધા - શૈક્ષણિક સંસ્થાઓને મોટી ફી વસુલવા માટે ભાજપના રાજમાં છૂટો દોર મળેલ : મનીષ દોશી - પાકિસ્તાન ઠગારો દેશ છે, ભારતની મૌખિક ધમકીઓથી નહી સુધરેઃ શિવસેના - સરકારને મળ્યો કોંગ્રેસનો સાથઃ ટ્રિપલ તલાક બિલ થશે પસાર

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

શાળા વધારે ફી માગે તો ભરવી કે નહી? વાલીઓમાં દ્વિધા

વધુ ફી પાછી આપશે કે કેમ, ચુકાદાનો અમલ ચાલુ વર્ષથી કે આગામી વર્ષથી તે મુદ્દે અસમંજસ


અમદાવાદ તા. ૨૮ : રાજયની સ્વનિર્ભર સ્કૂલોની ફી અંગે હાઇકોર્ટે આપેલા ચુકાદા બાદ વાલીઓમાં હવે તેનો અમલ કયારથી થશે, હાલમાં ભરેલી ફી કેવી રીતે ગણવામાં આવશે, હવે પછી કેવી રીતે ફી ભરવાની રહેશે તે સહિતના અનેક પ્રશ્નો ઉભા થયા છે. આ પ્રશ્નોના સમાધાન માટે શુક્રવારે કેટલાક વાલીઓએ ડીઇઓ-ડીપીઓની મુલાકાત લઇને આ અંગે સ્પષ્ટતા માગવાનું નક્કી કર્યુ છે.
સ્કૂલોની ફી અંગે હાઇકોર્ટનો ચુકાદો આવ્યા બાદ સમગ્ર રાજયના વાલીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. જે વાલીઓે અત્યાર સુધી ત્રણ તબક્કાની ફી ભરી દીધી છે તેઓ હવે ચોથા તબક્કામાં કેટલી ફી ભરવાની રહેશે તેની પણ મુશ્કેલી ઉભી થઇ હતી. ચુકાદો જાહેર થયા બાદ મોટાભાગના વાલીઓએ આ અંગેની પુછપરછ શરૂ કરી દીધી હતી. આ ઉપરાંત હાઇકોર્ટ દ્વારા વર્ષ ૨૦૧૮થી અમલ એવો નિર્દેશ કરવામાં આવ્યો છે જેના કારણે ચાલુ વર્ષ એટલે કે વર્ષ ૨૦૧૭માં જુદી જુદી શાળાઓએ ફી ઉઘરાવી છે તેનું શુ થશે તેમાં વધારે કેટલી ફી વાલીઓએ ભરવી પડશે તે અંગે પણ દ્વિધા જોવા મળી હતી. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓને પુછતાં તેઓે કહે છે હાલ તો 'થોભો અને રાહ જુઓ' તેવી સ્થિતિ ઉભી થઇ છે. જો શાળા સંચાલકો દ્વારા આવતીકાલથી વાલીઓ પાસે વધારાની ફી માંગવામાં આવે તો શુ કરવું? તેવા પ્રશ્નો પણ વાલીઓ દ્વારા ઉભા કરવામાં આવ્યા હતા. કેટલાક વાલીઓ દ્વારા આ મુદ્દે શુક્રવારે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં જઇને આ તમામ પ્રશ્નો અંગે પુછપરછ કરવાનું નક્કી કર્યુ છે. વાલીઓ કહે છે હાઇકોર્ટે ચુકાદો આપી દીધા બાદ હવે તેનો કડક અમલ કરાવવો તે સરકારની જવાબદારી છે. આગામી દિવસોમાં સરકાર દ્વારા કડક અમલ કરાવવામાં આવે તેવી માંગણી પણ વાલીઓ દ્વારા કરવામાં આવી હતી. જે વાલીઓએ જુદી જુદી સ્કૂલોમાં વધારે ફી ભરી દીધી છે તેમને પાછી મળશે કે કેમ તેની પણ મુંઝવણ ઉભી થઇ છે. જો કે, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સૂત્રો કહે છે હવે કોઇ શાળા સંચાલક દ્વારા વધારાની ફી માંગવામાં આવે તો જયા સુધી કમિટી દ્વારા ફી ભરવાની સ્પષ્ટતા કરવામાં ન આવે ત્યાં સુધી કોઇ ફી ભરવાની રહેતી નથી.
શુ છે દંડની જોગવાઈ?
ફી નિયમન વિધેયક અમલ બાદ તમામ સ્કૂલોએ તેનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. આ માટે સરકાર દ્વારા દંડની જોગવાઈ પણ નક્કી કરી છે. જેમાં પ્રથમવાર કાનુન ભંગ બદલ રૂ. ૫ લાખના દંડની જોગવાઈ છે. ત્યારબાદ બીજી વખતના કાનુન ભંગ માટે રૂ. ૫ લાખથી રૂ. ૧૦ લાખનો દંડ કરવાની જોગવાઈ છે. જયારે ત્રીજી વાર કાનુન ભંગ માટે શાળાની માન્યતા રદ અને એન.ઓ.સી. પરત ખેંચવાની કાર્યવાહીની ભલામણ સમિતિ કરશે તેવી જોગવાઈ કરવામાં આવેલી છે.
બમણી ફી પરત કરવી પડશે
શાળા સંચાલકોએ ફી નિયમન સમિતિ દ્વારા નિયત ફી કરતા વધુ ફી વસુલી હશે તો વધારાની ફી કરતા બમણી ફી પરત કરવાની રહેશે. દંડની અને રીફંડની રકમ હુકમ મળ્યાના પંદર દિવસમાં શાળાએ ચુકવી દેવાની રહેશે. જો તેમાં પણ ચુક થાય તો દંડ અને રીફંડની કુલ રકમ ચુકવવામાં આવે ત્યાં સુધી દરેક દિવસ માટે એવી રકમના ૧ ટકા જેટલો દંડ લેવામાં આવશે. તેમ છતાં ૩ મહિનામાં દંડ અને વધારાની ફી ચુકવવામાં ચુક કરે તો વણચુકવેલી સમગ્ર રકમ જમીન મહેસુલની બાકી તરીકે વસુલ કરવામાં આવશે.

Source :- http://www.akilanews.com/Gujarat_news/Detail/28-12-2017/67862

શૈક્ષણિક સંસ્થાઓને મોટી ફી વસુલવા માટે ભાજપના રાજમાં છૂટો દોર મળેલ : મનીષ દોશી


અમદાવાદ, તા. ર૮ : લાખો રૂપિયાની ફી વસૂલતી મોટી મોટી અને મોંઘી મોંઘી શાળાઓની લુંટ પર લગામ લગાવતા વડી અદાલતના ચૂકાદાને આવકારતા ગુજરાત કોંગ્રેસના પ્રવકતા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ૧પ વર્ષથી ભાજપ શાસનમાં શિક્ષણ વ્યાપરના કેન્દ્રો બન્યા હતા. મોટી મોટી અને મોંઘી મોંઘી કેટલી આ શૈક્ષણિક સંસ્થાઓ ભાજપની ધનસંગ્રહ યોજનાના ભાગીદાર હતા. જેનો સીધો ભોગ સામાજીક-મધ્યમ વર્ગના વિદ્યાર્થી-વાલીઓ બની રહ્યા હતાં. ગુજરાતમાં મોંઘા શિક્ષણ, શિક્ષણના વેપારીકરણ સામે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજય વ્યાપી પ્રચાર-પ્રસાદ કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થી-વાલીઓને શિક્ષણનો અધિકાર મળે તે માટે કોંગ્રેસ પક્ષે પ્રતિબદ્ધતા જાહેર કરી હતી.
ફી નિયમન કાયદાની અમલવારીમાં પણ રાજય સરકારની ઉદાસીનતા ઉડીને આંખે વળગે તેવી હતી જેના લીધે અનેક શહેરો-જિલ્લાઓમાં વિદ્યાર્થી-વાલીઓ અને શાળા સંચાલકો સાથે સંઘર્ષના બનાવો બન્યા હતાં. મોંઘી ફી માટે સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ-વાલીઓ પર દબાણના અનેક ઘટનાઓને લીધે જયારે વિદ્યાર્થી-વાલીઓએ સાંભળવામાં ના આવી. ઉલટાનું સંચાલકો પ્રત્યે રહેમનજર રાખી છૂટો દોર આપ્યો તેમ મનીષ દોશી જણાવે છે.

Source :- http://www.akilanews.com/Gujarat_news/Detail/28-12-2017/67863

પાકિસ્તાન ઠગારો દેશ છે, ભારતની મૌખિક ધમકીઓથી નહી સુધરેઃ શિવસેના

આપણા દેશને બદનામ કરવાની પાકિસ્તાનને આદત પડી ગઇ છે


મુંબઈ તા. ૨૮ : ભારતીય નાગરિક અને ભારતના ભૂતપૂર્વ નેવી ઓફિસર કુલભૂષણ જાધવની પત્ની અને માતા સાથે પાકિસ્તાને કથિતપણે કરેલા અપમાનજનક વર્તાવને શિવસેનાએ આજે સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે. પક્ષના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેએ જણાવ્યું છે કે આ ઘટનાએ પાકિસ્તાન સરકારના બેવડા વલણને ઉઘાડું પાડી દીધું છે.
'આપણા દેશને બદનામ કરવાની પાકિસ્તાનને આદત પડી ગઈ છે. આપણે અહીંયા એ લોકોને ભલે ગમે તેટલો સારો આવકાર આપીએ કે વર્તાવ કરીએ, એ લોકો હંમેશાં ભારત વિરુદ્ઘ ધિક્કારની લાગણી જ રાખે છે,' એમ શિવસેનાના મુખપત્ર સામના અખબારે તંત્રી લેખમાં ઉભરો ઠાલવ્યો છે.
શિવસેનાના લેખમાં વધુમાં લખ્યું છે કે, એ લોકોએ જે રીતે કુલભૂષણ જાધવ અને એમના પરિવારજનો વચ્ચેની મુલાકાત ગોઠવી હતી એના પરથી જ વાસ્તવિકતા જોવા મળી છે. એ લોકો એકબીજાની સામે બેઠાં હતાં, પણ કાચની દિવાલને કારણે એકબીજાને ભેટી શકયાં નહોતાં.
પાકિસ્તાની સત્તાવાળાઓએ જાધવના પત્ની અને માતા પાસે મંગળસૂત્ર, બંગડીઓ અને કપાળ પરથી ચાંદલા દૂર કરાવ્યા અને એમનો પહેરવેશ પણ બદલાવ્યો હતો એની શિવસેનાએ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે.
'પરિવારજનોને એમની માતૃભાષા મરાઠીમાં પણ બોલવા દેવામાં આવ્યાં નહોતાં. પાકિસ્તાનમાં મહેમાનોને આવકાર અપાતો નથી અને આ કિસ્સાએ તો એકદમ પુરવાર કરી આપ્યું છે. આ મુલાકાત ગોઠવીને પાકિસ્તાને સ્પષ્ટ કરી દીધું છે કે એ આંતરરાષ્ટ્રીય સ્તરે ઠગારો-ધૂતારો દેશ છે,' એમ સામનાનાં લેખમાં જણાવાયું છે.
શિવસેનાએ આ વેણ દર્શાવવા ઉપરાંત નરેન્દ્ર મોદી સરકારને એક સલાહ પણ આપી છે, કે એણે કુલભૂષણ જાધવના કેસમાં પાકિસ્તાનને કેવી રીતે ઠીક કરવું જોઈએ.
લેખમાં જણાવ્યું છે કે, ભારતે હવે કડક બનવાની જરૂર છે. માત્ર મૌખિક અને કાગળની ધમકીઓથી કામ પાર નહીં પડે. સખત પગલું લેવાની જરૂર છે તો જ પાકિસ્તાનની સાન ઠેકાણે આવશે.
ઉલ્લેખનીય છે કે, ઈસ્લામાબાદમાં કુલભૂષણને મળ્યાં બાદ એમના પત્ની અને માતા સાથે વિદેશ મંત્રાલયમાં સતામણી કરવામાં આવી હતી.
ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના અધિકારી કુલભૂષણ જાધવ પર ત્રાસવાદી કૃત્યનો તેમજ જાસૂસી કરવાનો આરોપ મૂકીને પાકિસ્તાનની મિલિટરી કોર્ટે એમને ફાંસીની સજા ફરમાવી છે.
કુલભૂષણ જાધવના પરિવારજનો સાથે પાકિસ્તાનમાં કરવામાં આવેલા ખરાબ વર્તાવ મુદ્દે નરેન્દ્ર મોદી સરકાર ગુરુવારે સંસદમાં નિવેદન કરે એવી ધારણા છે. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ લોકસભામાં નિવેદન કરશે.
જાધવ ભારતની ગુપ્તચર એજન્સી રીસર્ચ એન્ડ એનાલિસીસ વિન્ગ (RAW) માટે જાસૂસી કરતા હોવાનો પાકિસ્તાને આરોપ મૂકયો છે.
પાકિસ્તાનની મિલિટરી કોર્ટે જાધવને ફાંસીની સજા સંભળાવ્યા બાદ તરત જ ભારતે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ફરિયાદ કરી હતી અને તે કોર્ટે તરત જ જાધવની ફાંસીની સજાના અમલને અટકાવી દીધો હતો.
(9:37 am IST)

Source :- http://www.akilanews.com/Main_news/Detail/28-12-2017/120691

સરકારને મળ્યો કોંગ્રેસનો સાથઃ ટ્રિપલ તલાક બિલ થશે પસાર

મુસ્લિમ મહિલાઓને હવે મળશે આઝાદીઃ એક સાથે ૩ વખત તલાક બોલવાનુ હવે ગેરકાનૂનીઃ આવુ કરનાર પતિને ૩ વર્ષની સજા થશેઃ તલાક પીડિતા પોતાના અને સગીર બાળકો માટે નિર્વાહ ભથ્થુ માંગવા અપીલ કરી શકશેઃ મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો વિરોધ


નવી દિલ્હી તા.ર૮ : ત્રણ તલાકને ગેરકાનૂની બનાવવા અને અપરાધની શ્રેણીમાં લાવવા માટે કેન્દ્ર સરકારે મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ બીલ રજુ કર્યુ છે. આ ખરડાને કાનૂની કવચ આવે કે તરત જ કોઇપણ સ્વરૂપમાં એક સાથે ત્રણ તલાકનો સહારો લેનારને ૩ વર્ષની સજા ભોગવવી પડશે. ભાજપે પોતાના સાંસદોને આ ખરડાને લઇને વ્હીપ જારી કર્યુ છે તો બીલને પાસ કરાવવા માટે સરકારને કોંગ્રેસનો સાથ પણ મળી શકે છે.
વિપક્ષ કોંગ્રેસ આ સરકારી બીલને સંસદમાં પસાર કરાવવામાં મદદ કરી શકે છે. પક્ષ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ગઇકાલે મોડી રાત્રે કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી જેમાં ત્રણ તલાક બીલનું સમર્થન કરવા નિર્ણય લેવાયો હતો. એ જોતા આ બીલને પાસ કરાવવામાં કેન્દ્ર સરકારને કોઇ મુશ્કેલી નહી પડે. ત્રણ તલાક ખરડાને ગૃહ મંત્રી રાજનાથસિંહના નેતૃત્વવાળા આંતર મંત્રી સ્તરીય સમુહે તૈયાર કર્યો છે. જેમાં મૌખિક, લેખિત કે એસએમએસ કે વોટશેપ થકી કોઇપણ સ્વરૂપમાં ત્રણ તલાકને ગેરકાનૂની ઠેરવવા અને પતિને ૩ વર્ષની સજા કરવાની જોગવાઇ છે.
આ ખરડાને આ મહિને જ કેન્દ્રીય મંત્રીમંડળે મંજુરી આપી હતી. જો કે આ બીલ સામે મુસ્લિમ પર્સનલ લો  બોર્ડને વાંધો છે. બોર્ડે આ બીલને ફગાવી દેવાનો નિર્ણય લીધો છે એટલુ જ નહી બીલને મહિલા વિરોધી ગણાવેલ છે સાથોસાથ ૩ વર્ષની સજાવાળી જોગવાઇને ક્રિમીનલ એકટ પણ ગણાવી છે.
આ બીલમાં એક સાથે ત્રણ કલાક કહેવાનુ ગેરકાનૂની જાહેર કરવાની વિગત છે. આ કાનૂન માત્ર તલાક એ બીદત એટલે કે એક સાથે ત્રણ વખત તલાક બોલવા પર લાગુ થશે. તલાકની પીડિતા પોતાના અને સગીર બાળકો માટે નિર્વાહ ભથ્થુ માંગવા માટે મેજીસ્ટ્રેટને અપીલ કરી શકશે. પીડિત મહિલા મેજીસ્ટ્રેટ પાસે સગીર બાળકોના સંરક્ષણનો પણ અનુરોધ પણ કરી શકશે. આ પ્રસ્તાવિત કાનૂન જમ્મુ-કાશ્મીરને બાદ કરતા સમગ્ર દેશમાં લાગુ થશે. સુપ્રિમ કોર્ટે પણ ત્રણ તલાકને ગેરકાનૂની ઠેરવતા સરકારે તેને દંડનીય અપરાધની શ્રેણીમાં લાવવાનુ નક્કી કર્યુ હતુ. તેથી હવે સરકાર કાયદો બનાવવા માંગે છે.
(9:54 am IST)
Source :- http://www.akilanews.com/Main_news/Detail/28-12-2017/120693

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App




 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application





1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment