સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday 15 December 2017

હવે, હાર્દિકે જાહેર કર્યો પોતાનો 'એકિઝટ પોલ'! - સામા કાંઠે ભાજપના ઉમેદવાર અરવિંદ રૈયાણીની મારામારીઃ વિડીયો વાઇરલ - પાનપાર્લરો-નાસ્‍તા ગૃહો પર ફુડ શાખા ત્રાટકીઃ ૩૪ વેપારીઓને નોટીસો ફટકારાઇ - જો ઈવીએમ અને વીવીપેટ સ્‍લીપની ગણતરીમાં કોઈ ફેરફાર આવશે તો વીવીપેટની સ્‍લીપ મુજબની ગણતરી ફાઈનલ ગણાશે - ખેડૂત, યુવા અને સારા લોકોની સરકાર આવશે ઘમંડીઓની નહીં: હાર્દિક

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

હવે, હાર્દિકે જાહેર કર્યો પોતાનો 'એકિઝટ પોલ'!

હાર્દિક પટેલે કર્યો એકિઝટ પોલથી બિલકુલ ઉલટો દાવો : હાર્દિકે કહ્યું એકિઝટ પોલ ખોટા, પરિણામ કોંગ્રેસ તરફેણમાં


નવી દિલ્હી તા. ૧૫ : ગુજરાતમાં બીજા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જે બાદ ગુરૂવારે જાહેર થયેલા એકિઝટ પોલના આંકડા ભલે રાજયમાં ગુજરાતની જીતનો દાવો કરતા હોય પરંતુ પાટીદાર નેતા હાર્દિક પટેલના આધારે તો ગુજરાતમાં કોંગ્રેસ જ સરકાર બનાવશે. હાર્દિકનું માનીએ તો ગુજરાતમાં કોંગ્રેસને ૧૦૦-૧૦૫ જેટલી બેઠકો મળશે.
ઉલ્લેખનીય છે કે ૧૪ ડિસેમ્બરના રોજ ગુરુવારે યોજાયેલા બીજા તબક્કાના મતદાન દરમિયાન હાર્દિક પટેલ પાટીદાર સમાજને ૧૪ યુવા પટેલોની શહીદીના મુદ્દે ભાવુક અપીલ કરતો જોવા મળ્યો હતો. ગુજરાતની કુલ સંખ્યામાં ૧૪ ટકા જેટલી વસ્તી પાટીદારોની છે ત્યારે રાજયમાં સત્તા હાંસલ કરવા માટે સંગઠીત પાટીદારોના વોટ કોઈપણ પક્ષ માટે ખૂબ જરૂરી છે. હાર્દિકે પોતાની અપીલમાં વોટ ફોર ચેંજનો નારો લગાવતા અપીલ કરી હતી કે જે લોકોએ પાટીદાર યુવાનોને માર્યા છે તેના વિરુદ્ઘ વોટ કરીને કોંગ્રેસને વિજયી બનાવો.
મહત્વપૂર્ણ છે કે આ વખતે ગુજરાત ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન અને હાર્દિકને એકસ ફેકટર માનવામાં આવી રહ્યું હતું અને તેના કારણે કોંગ્રેસને પણ હાર્દિક અને પાસ પર ભરસો હતો કે તેમના પ્રભાવમાં પાટીદારો કોંગ્રેસને મત આપશે અને રાજયમાં સહેલાઈથી તેમની સરકાર બનશે. પરંતુ ગરુવારે સામે આવેલા તમામ એકિઝટ પોલમાં કોંગ્રેસની આશા પર પાણી ફરી વળતું દેખાય રહ્યું છે. જે પ્રમાણે હાર્દિક દાવો કરતો હતો તેવો તેનો જાદૂ ચાલ્યો હોય તેવું દેખાતું નથી.
જોકે હાર્દિક અને કોંગ્રેસ બંને દાવો કરી રહ્યા છે કે ભૂતકાળમાં અનેક એકિઝટ પોલ ખોટા પડ્યા હતા તેમ આ વખતે પણ એકિઝટ પોલ ખોટા પડશે અને ૧૮મી ડિસેમ્બરે પરીણામ કોંગ્રેસની તરફેણમાં જ આવશે. હાર્દિકે દાવો કરતા જણાવ્યું કે, 'એકિઝટ પોલ ભલે ગમે તે દાવા કરે પરંતુ તેના ગ્રાઉન્ડ રીપોર્ટ મુજબ ગુજરાતમાં કોંગ્રેસ ૧૦૦-૧૧૦ બેઠકો જીતશે.'
તમને જણાવી દઈએ કે, અમારા સહયોગી નવભારત ટાઈમ્સના NBT-C voter સર્વેમાં ભાજપને ૧૧૧ જેટલી બેઠકો મળવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જયારે કોંગ્રેસને ૭૧ બેઠકો મળી શકે છે. જોકે ખરૂ પરીણામ તો ૧૮ ડિસેમ્બરે જ જોવા મળશે.
(3:52 pm IST)

Source :- http://www.akilanews.com/Gujarat_news/Detail/15-12-2017/67285


સામા કાંઠે ભાજપના ઉમેદવાર અરવિંદ રૈયાણીની મારામારીઃ વિડીયો વાઇરલ

૬૮-માં કોંગ્રેસ જીતે છે તેવું બોલતાં મારામારી થયાની સોશિયલ મિડીયામાં હવેતી થયેલી વાતોઃ અરવિંદ રૈયાણી કહે છે-બંને છોકરીની મશ્કરી કરતાં હોઇ સમજાવવા જતાં મને ગાળો દીધી એટલે માથાકુટ


રાજકોટઃ સામા કાંઠે બ્રાહ્મણીયા પરામાં વિધાનસભા-૬૮ના ભાજપના ઉમેદવાર અરવિંદ રૈયાણીએ એક દૂકાનમાં મારામારી કરી હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ થતાં રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઇ છે. પીળો ઝભ્ભો અને સફેદ લેંઘો પહેરીને એક દૂકાનમાં આવતાં અરવિંદ રૈયાણી દૂકાનદારને લાફો મારે છે, બાદમાં ઝપાઝપી કરીને ધોલધપાટ કરે છે...આવો વિડીયો વ્હોટ્સએપ પર વહેતો થયો છે. આ બનાવ આજે સવારે દસેક વાગ્યે બન્યાનું સીસીટીવી ફૂટેજ પરથી જણાય છે. જેની સાથે અરવિંદ રૈયાણીએ મારામારી કરી એ દૂકાનદારોના નામ ગોૈતમ લીંબાસીયા અને ધર્મેશ લીંબાસીયા હોવાનું જાણવા મળ્યું છે. આ યુવાનોએ '૬૮માં કોંગ્રેસ જીતે છે' એવું બોલતાં માથાકુટ થયાનું પણ સોશિયલ મિડીયામાં વહેતુ થયું છે. તસ્વીરોમાં મારામારીના ફૂટેજ જોઇ શકાય છે. આ મામલે બપોર સુધી કોઇ ફરિયાદ થઇ નથી. આ બનાવ અંગે અરવિંદ રૈયાણીનો સંપર્ક સાધતાં તેણે જણાવ્યું હતું કે ગોૈતમ અને ધર્મેશ લીંબાસીયાનું કારખાનુ મારા કારખાનાની બાજુમાં જ છે. આ બંને કેટલાક દિવસથી છોકરીઓની મશ્કરી કરતાં હોઇ જેથી સવારે મારો ભાઇ તેને સમજાવવા ગયો હતો. બાદમાં હું સમજાવવા જતાં મને ગાળો ભાંડતા માથાકુટ થઇ હતી.


Source :- http://www.akilanews.com/Rajkot_news/Detail/15-12-2017/88708

પાનપાર્લરો-નાસ્‍તા ગૃહો પર ફુડ શાખા ત્રાટકીઃ ૩૪ વેપારીઓને નોટીસો ફટકારાઇ

ચૂંટણી પુરી થતા જ ધોંસ શરૂ


રાજકોટ તા.૧પ : મ્‍યુ.કોર્પોરેશનના આરોગ્‍ય વિભાગે છેલ્લા એક મહિનાથી લગભગ નિષ્‍ક્રીય જેવો થઇ ગયેલ. દરમિયાન હવે ચૂંટણી પુર્ણ થતા જ આરોગ્‍ય વિભાગે આળસ ખંખેરી આજે પાનપાર્લરો-નાસ્‍તા ગૃહચાની લારીઓ સહિતના સ્‍થળોએ ચેકીંગ કરી ફુડ લાયસન્‍સ અંગે ૩૪ વેપારીઓને નોટીસો ફટકારી છે.
આ અંગે નાયબ આરોગ્‍ય અધિકારી ડો. રાઠોડનાં જણાવ્‍યા મુજબ  આજે ફુડ ઇન્‍સ્‍પેકટરોની ટીમે રૈયા રોડરૈયા ચોકડી વિસ્‍તારમાં રેસ્‍ટોરન્‍ટો પાનની દુકાનોધાબાચાની લારીઓપ્રોવીઝન સ્‍ટોરકોલ્‍ડ્રીંકસ પાર્લર સુપર માર્કેટ સહીતનાં સ્‍થળોએ ફુડ લાયસન્‍સનું ચેકીંગ કર્યુ હતું.
જેમા રિયલ મોમ્‍સ રેસ્‍ટોરન્‍ટરાજુ પાંઉભાજી એન્‍ડ રેસ્‍ટોરન્‍ટડીલકસ પાનની ૭ થી દુકાનોસ્‍વીટ બજારસુપર માર્કેટ (સાધુ વાસવાણી રોડ)એપોલો ફાર્મસીશિવા મદ્રાસ કાફેબાલાજી ચાઈનીઝપંજાબીપાર્થ પ્રોવિઝન સહિતના કુલ ૩૪ વેપારીઓને ફુડ લાયસન્‍સ લેવા નોટીસો અપાઈ હતી.

આ અંગે વિશેષ માહિતી આપતા ડો. પંકજ રાઠોડે જણાવ્‍યુ હતું કે ફુડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એકટ-૨૦૦૬ના નીતિ નિયમોનું પાલન ન કરનાર ગુનેગાર સામે કલમ ૩૧ મુજબ દરેક ફુડ બિઝનેશ ઓપરેટરોએ પરવાનો મેળવવો ફરજીયાત છે. જેના વગર ધંધો કરનારને કલમ ૬૩ મુજબ ૬ માસ સુધીની કેદ અને ૫ લાખ સુધીના દંડની જોગવાઈ છે.

Source :- http://www.akilanews.com/Rajkot_news/Detail/15-12-2017/88674

જો ઈવીએમ અને વીવીપેટ સ્‍લીપની ગણતરીમાં કોઈ ફેરફાર આવશે તો વીવીપેટની સ્‍લીપ મુજબની ગણતરી ફાઈનલ ગણાશે

વીવીપેટ સ્‍લીપ ગણવા અંગે ગુજરાત હાઈકોર્ટનો મહત્‍વનો ચુકાદો


રાજકોટતા. ૧૫ : ગુજરાતની સામાન્‍ય ચૂંટણી પારદર્શકન્‍યાયી અને નિર્ભય બની શકે હે હેતુથી ૧૦૦% અને ઓછામાં ઓછા ૨૫% વીવીપેટની સ્‍લીપોની ફરજીયાત ગણતરી કરવાની માંગણી સાથે રાજકોટના એક જાગૃત મતદાર શ્રી શૈલેષભાઈ પાનસુરીયા દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ખાસ દિવાની અરજી નં. ૨૨૦૭૪/૨૦૧૭એડવોકેટ શ્રી ભરત ટી. રાવ દ્વારા દાખલ કરેલ હતી. જેમાં તા.૧૨-૧૨-૧૭ના રોજ બંને પક્ષ તરફથી લંબાણપૂર્વક અને ઉગ્ર દલીલો કરવામાં આવેલ. ઈલેકશન કમિશનના એડવોકેટો દ્વારા આ પીટીશનને રદ્દ કરવા અથવા પી.આઈ.એલ. તરીકે ગણવા અને યેનકેન પ્રકારે કેસને લંબાવવા ઉગ્ર દલીલો કરવામાં આવેલ. જેને નામદાર હાઈકોર્ટે ફગાવી દીધેલ હતી.
છેવટે કોઈ જ રસ્‍તો ન બચતા ઈલેકશન કમિશનના એડવોકેટો દ્વારા દ્વારા વધુ પ્રસિદ્ધ ન થયેલ નિયમનો હવાલો આપીરીટર્નીંગ ઓફીસરને નિયમ ૫૬(ડી) હેઠળ વીવીપેટની સ્‍લીપ ગણવાની સંપૂર્ણ સત્તા હોવાનો સ્‍વીકાર કર્યો હતો. કન્‍ડકટ ઓફ ઈલેકશન રૂલ્‍સના રૂલ - ૫૬(ડી) મુજબ કોઈપણ ઉમેદવાર કે તેના ઈલેકશન એજન્‍ટ કે તેના કાઉન્‍ટીંગ એજન્‍ટ દ્વારા ઈવીએમનું કાઉન્‍ટીંગ પૂરૂ થયા પછી અને રીઝલ્‍ટ શીટ તૈયાર થયા બાદરીટર્નીંગ ઓફીસર દ્વારા કાઉન્‍ટીંગ અંગે કોઈને વાંધો હોય તો લેખિતમાં વાંધા આપવા જણાવવામાં આવશે અને સમય પણ આપવામાં આવશે. આ દરમિયાન જો કોઈ દ્વારા કોઈ એક કે તમામ મતદાન મથકોની વીવીપેટ સ્‍લીપ ગણવા અંગે કોઈ લેખિતમાં વાંધો આપેતો તે અરજી ઉપર રીટર્નીંગ ઓફીસર દ્વારા કોઈ એક કે તમામ મતદાન મથકોની વીવીપેટ સ્‍લીપ ગણવા કે ન ગણવા બાબત કારણે સાથે સ્‍પીકીંગ ઓર્ડર કરવાનો રહેશે. આ બાબત નામદાર ગુજરાત હાઈકોર્ટે તેમના ચુકાદામાં નિયમ - ૫૬(ડી)નો વિસ્‍તારપૂર્વક ઉલ્લેખ કરેલ છે.
આ ઉપરાંત નિયમ ૫૬(ડી) મુજબની વીવીપેટની સ્‍લીપની ગણતરી કર્યા બાદકમિશનની તા.૧૧/૧૦-૧૭ તથા ૧૩-૧૦-૨૦૧૭ની સુચના મુજબ બાકી રહેલા ઈવીએમ બુથમાંથી ઉમેદવારની તથા ઓબ્‍ઝર્વરની હાજરીમાં એક બુથનું રેન્‍ડમ સિલેકશન ડ્રોથી કરી તે બુથની વીવીપેટ સ્‍લીપની ફરજીયાત ગણતરી વીડીયોગ્રાફી સાથે કરવામાં આવશે. જો ઈવીએમ અને વીવીપે સ્‍લીપની ગણતરીમાં કયાંય પણ કોઈ ફેરફાર આવશે તો વીવીપેટની સ્‍લીપ મુજબની ગણતરી ફાઈનલ ગણવાની રહેશે અને તે મુજબ રીઝલ્‍ટમાં સુધારો કરવાનો રહેશે તેવી સ્‍પષ્‍ટતા નામદાર કોર્ટે તેના હુકમમાં કરેલ છે.
અરજદારના વકીલ શ્રી ભરત ટી. રાવ દ્વારા ધારદાર દલીલો કરતા નામદાર કોર્ટનું ધ્‍યાન દોરેલ કે ઈવીએમ અને વીવીપેટની વિશ્વસનીયતા બાબત વારંવાર પ્રશ્નો ઉપસ્‍થિત થાય છે. તાજેતરમાં તા.૯-૧૨-૧૭ના પ્રથમ તબક્કાના મતદાનમાં સંદેશ અખબારના રીપોર્ટ મુજબ ૩૫૮ કન્‍ટ્રોલ યુનિટ૩૨૨ બેલોટ મશીન અને ૯૮૮ વીવીપેટ મશીનો ચાલુ મતદાને બગડી ગયેલ અને તેને બદલવા પડેલ હતાં તેવા સંજોગોમાં તથા જ્‍યાં પણ મશીનો અંગે બ્‍લુટૂથ કનેકટીવીટી કે અન્‍ય કોઈપણ પ્રકારની ફરીયાદ હોય તથા ફોર્મ ૪૯ (એમએ) મુજબ ફરીયાદ થયેલ હોય તથા જીતના મારજીનને અનુલક્ષીને તથા મતદાન મથકો પર ફરીયાદ તથા અન્‍ય કોઈપણ પ્રકારની અનિયમિતતા કે વીવાદ જણાય તો તે તમામ મતદાન મથકોની વીવીપેટ સ્‍લીપોની ફરજીયાત ગણતરી નિયમ ૫૬ (ડી) મુજબ તથા વીવીપેટ મેન્‍યુઅલ જાન્‍યાઆરી,૨૦૧૭ અને તા.૧૬/૧૦/૨૦૧૭ની ઈલેકશન કમિશનની સુચના મુજબ રીટર્નીગ ઓફિસર દ્વારા ફરજીયાત પણે કરવાની થાય છે. જો ઈવીએમ અને વીવીપેટ સ્‍લીપની ગણતરીમાં ક્‍યાંય પણ કોઈ ફેરફાર આવે તથા જો કદાચ વધારે મતદાન મથકો પર અનિમિતતા કે વીવાદ જણાય તો તેવા સંજોગોમાં તેમજ અન્‍ય કોઈપણ યોગ્‍ય કારણોએ રીટર્નીસ ઓફિસરને નિયમ ૫૬ (ડી) મુજબ તમામ બુથોી પર વીવીપેટ સ્‍લીપો ગણવા માટે હુકમ કરવાની પણ સ્‍પષ્‍ટ સત્તા છે. આ અંગે જો રીટર્નીંગ ઓફીસર કાઉન્‍ટીંગ સમયે યોગ્‍ય કાર્યવાહી ન કરે તો ઓબ્‍ઝર્વરડી.ઈ.ઓ. તેમજ ચીફ ઈલેકશન ઓફીસર ગુજરાત તથા ઈલેકશન કમિશન ઓફ ઈન્‍ડિયાને તાત્‍કાલીક લેખિતમાં કે ઈમેઈલ દ્વારા કે ફોન દ્વારા કે ફેકસ દ્વારા ફરીયાદ કરી શકે છે. આમ કરવા છતાં પણ જો યોગ્‍ય કાર્યવાહી ન થાય તો આ પુરાવાઓને આધારે ભવિષ્‍યમાં કોર્ટમાં ઈલેકશન પીટીશન પણ થઈ શકે છે. આ તમામ બાબતોનો ઈલેકશન કમિશનના એડવોકેટો દ્વારા સ્‍વીકાર કરવામાં આવેલ હતો.
 ઈલેકશન કમિશન દ્વારા એવી રજૂઆત થયેલ કે તાજેતરમાં નામદાર સુપ્રિમ કોર્ટમાં આ વિષય ઉપર પીટીશન થયેલ જેનો નિકાલ સુપ્રિમ કોર્ટ દ્વારા ઈલેકશન કમિશનને તેમની વિવેકબુદ્ધિ વાપરવા જણાવી નિકાલ કરેલ. તે સંજોગોમાં અને હાલ ગુજરાતની ચૂંટણીની પ્રક્રિયા ચાલુ છે અને એક તબક્કાનું મતદાન પણ થઈ ગયેલ હોઈ તાત્‍કાલીક ઈલેકશન કમિશન વિશેષ કંઈ કરી શકે તેમ ન જણાતાહાલ પુરતી ફરજીયાત વીવીપેટ સ્‍લીપોની ગણતરીની ટકાવારી નક્કી કરવા બાબત કોઈ હુકમ કરવાનું ટાળેલ.
નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમના હુકમના અંતે સ્‍પષ્‍ટપણે નોંધેલ છે કે  એવું કયાંય રેકર્ડ ઉપર નથી કે ઈલેકશન કમિશન વીવીપેટ  સ્‍લીપની ફરજીયાત ગણતરી માત્ર એક મતદાન મથક માટે જ કરી શકે. જો તેઓ ધારે તો ફરજીયાતપણે વીવીપેટ સ્‍લીપની ગણતરી દરેક બેઠક દીઠ એક કરતા વધુ મતદાન મથક માટે કરી શકે છે. જો કદાચ મતદાન મથકો પર વધારે અનિયમિતતા કે વધારે વિવાદ જણાય તો તેવા સંજોગોમાંનામદાર ગુજરાત હાઈકોર્ટે આશા અને વિશ્વાસ સાથે ઈલેકશન કમિશનને વધારે મતદાન મથકો માટે પણ વીવીપેટ સ્‍લીપની ફરજીયાત ગણતરી કરવા સલાહ આપી છે.
આમ અરજદારની પીટીશન કરવાની પાછળની જે ભાવના હતી કે ચૂંટણી પ્રક્રિયા નિર્ભયપણેમુકત રીતે અને પારદર્શી રીતે થવી જોઈએ અને તેમ વિશ્વાસ સાથે જનતા જનાર્દનને પણ લાગવુ જોઈએતે હેતુ પૂરો થયો છે. ઈવીએમ અને વીવીપેટમાં ગેરરીતિની ફરીયાદો અને આશંકા આ હુકમના પાલનથી દૂર થશે અને તેની આ ચૂંટણીમાં તથા આગામી ચૂંટણીમાં દૂરોગામી અસરો વર્તાશે તેમ સ્‍પષ્‍ટપણે નામદાર ગુજરાત હાઈકોર્ટની ડીવીઝન બેન્‍ચના આ હુકમથી જણાઈ રહ્યુ છે.

Source :- http://www.akilanews.com/Gujarat_news/Detail/15-12-2017/67279


ખેડૂત, યુવા અને સારા લોકોની સરકાર આવશે ઘમંડીઓની નહીં: હાર્દિક

હાર્દિક પટેલ અંબાજી જતા પહેલા વડાલી ગામની મુલાકાત લેતાં પાટીદારો આવી પહોંચ્યા હતા
અંબાજી/વડાલી: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન પુરૂ થયા બાદ હાર્દિક પટેલ અંબાજી દર્શન કરવા નીકળ્યા હતા. તે દરમિયાન સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા વડાલી ખેડબ્રહ્મા ધોરીમાર્ગ પર આવેલી પરિવાર હોટલ આગળ બપોરે 10 મિનિટનું રોકાણ કર્યું હતું. વડાલી પાસ દ્વારા અભિવાદન કરવાનું આયોજન કરાતા મોટી સંખ્યામાં પાસના કાર્યકરો અને પાટીદારો ઉમટી પડ્યા હતા અને લોકોએ સેલ્ફી લેવા પડાપડી કરી જય જય સરદારના નારા લગાવ્યા હતા.


- અંબાજી દર્શનને જતાં પહેલા હાર્દિક વડાલીમાં રોકાયો
- હાર્દિક સાથે સેલ્ફી લેવા પાટીદારોએ પડાપડી કરી

પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલ શુક્રવારે અંબાજી જતા પહેલા વડાલી ગામની મુલાકાત લેતાં પાટીદારો આવી પહોંચ્યા હતા અને તેણે કહ્યું કે, મા ઉમા-ખોડલ પર વિશ્વાસ રાખો જે થશે એ સારુ જ થશે. ત્યારબાદ હાર્દિક પટેલ મા અંબાના આશીર્વાદ મેળવવા અંબાજી આવી પહોંચ્યા હતા. જેમાં માતાજીની પૂજા-અર્ચના કરી હતી. હાર્દિક પટેલે જણાવ્યું કે ‘મા ના ખૂબ જ નજદીકથી દર્શન કર્યા છે. ખેડૂતો, યુવાનો અને સારા માણસોની સરકાર આવશે અને ઘમંડીઓની સરકાર જશે.’ તેમજ જૈન સમાજના ચાંદમલ જૈન અને દિનેશ મહેતાએ કુમકુમ તિલક કરી ફુલહારથી સ્વાગત કર્યું હતું.


આ પ્રસંગે હાર્દિક પટેલે જણાવ્યું કે, વિધાનસભાની ચૂંટણી કે પરિણામ બાબતે વાદ વિવાદ છોડી મા ઉમા ખોડલ ઉપર ભરોસો રાખો જે થશે એ સારુ જ થસે.આપણા માટે ચૂંટણીનું પરીણામ મહત્વનું નથી પાટીદારોની એકતાનું મહત્વ છે.
Source :- https://www.divyabhaskar.co.in/news/UGUJ-SBK-OMC-LCL-hardik-patel-visit-a-vadali-village-of-sabarkantha-gujarati-news-5770279-PHO.html?ref=ht

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App

 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment