સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday 4 December 2017

હાર્દિકની સુરતની સભામાં પાટીદારોએ ભાજપને પાડી દેવાના લીધા શપથ - રાજ્યમાં ઓખીની આગાહી, બંદરો પર 2 નંબરના સંકેત મળ્યા - રાજકોટમાં મેદની બની પ્રતિષ્ઠાનો જંગઃ ભાજપ-કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન - અરે વાહ... હાઇવે પર વારંવાર ટોલ ચુકવવામાંથી મળશે મુકિત

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

હાર્દિકની સુરતની સભામાં પાટીદારોએ ભાજપને પાડી દેવાના લીધા શપથ

પાટીદારો કેશુબાપાની ભારતીય જનતા પાર્ટીમાં હતા આવી લુખ્ખાઓની પાર્ટીઓમાં નહીં
સુરતઃ આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની સભા કરતા પણ હાર્દિક પટેલની સભામાં વધારે લોકો ઉમટી રહ્યા છે. સુરતમાં હાર્દિક પટેલની સભા હાલ યોગી ચોક ખાતે ચાલી રહી છે. જેમાં મોટી સંખ્યામાં પાટીદારોની જનમેદની ઉપસ્થિતી છે. હાર્દિકે આજે જ સુરતમાં હુંકાર રેલી પણ કરેલી હતી. હાર્દિકે આ સભમાં વાત કરતા કહ્યું હતું કે આંદોલનની લડતએ આપણા હકની લડત છે, અમે કોઇ પાર્ટીઓને જીતાડવા કે હરાવવા નથી આવ્યા, ચોખા અને કેરોશીન માટે અનામત નથી જોઇતું, રોજગાર માટે જોઇ છે.
સભાના મુખ્ય મુદ્દાઓઃ
- હાર્દિકે પાટીદારો પાસે ઉભા થઇ ભાજપને મત ન આપવા શપથ લેવડાવ્યા
-પાટીદારો કેશુબાપાની ભારતીય જનતા પાર્ટીમાં હતા આવી લુખ્ખાઓની પાર્ટીઓમાં નહીં
-સુરતમાં આ સભા ન કરવા માટે ઉદ્યોગપતિ મિત્રોએ 5 કરોડની ઓફર કરી હતી
-મુકેશ પટેલનો પડકાર- હાર્દિક વોટ્સએપની ડિટેઈલ આપે કે અમે 5 કરોડની ઓફર કરી તી
-હાર્દિકે કહ્યું જો મારા બાપા ભરત નરસિંહ પટેલ પણ કહે કે ભાજપને મત આપજો તો ન દેતા
-આપણેતો 22વર્ષના વિકાસની સીડી જોવીતી આને તો 22 વર્ષના દિકરાઓની સેક્સ સીડી નહીં
-સુરતના પાટીદારો વગર ગુજરાતની રાજધાની અધુરી છે.
-આપણી વેલ્યુ ચૂંટણી વખતે માત્ર ભજીયા, ચવાણા અને પૈંડા જેટલી જ રહી ગઇ છે
-રેલીમાં લગભગ 12થી 13 લાખ લોકો સાથે હાર્દિકે સંપર્ક કર્યો.
-2007માં આજ ચોકમાં આપણે ભેગા થતા હતા પણ પાટીદારોનો કોઇ વજન ન પડતો.
-મહિલાઓ પર લાઠીઓ પડી હતી ત્યારે કોઇ ધારાસભ્ય આપણી વચ્ચે ફરક્યા ન હતા.
-સરકારના લોકોએ આ વખતે દિલ્હીમાં પણ પાટીદારોની નોંધ લીધી

Source :-https://www.divyabhaskar.co.in/news/DGUJ-SUR-HMU-historical-janakruti-sabha-heart-of-millions-of-patidars-in-the-heart-of-the-hea-5760711-NOR.html?ref=ht

રાજ્યમાં ઓખીની આગાહી, બંદરો પર 2 નંબરના સંકેત મળ્યા

આગમચેતીનાં પગલા લેવા આદેશ : માંગરોળ, માળિયા તાલુકાને હાઇએલર્ટ
જૂનાગઢ: અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ ટાપુ નજીક ઓખી નામનું વાવાઝોડુ કેન્દ્રીત થયુ છે. આ વાવાઝોડુ તા.3 થી 7 ડિસેમ્બર સુધીમાં ભારતનાં દક્ષિણ-પશ્ચિમ તરફનાં કાંઠા વિસ્તારમાં અસર કરે તેવી હવામાન વિભાગે સંભાવના દર્શાવી છે. જેના પગલે જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાનાં દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડાની અસર વર્તાઇ રહી છે. જેને પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે.
જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાનાં આજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. બપોર બાદ વાદળછાયુ વાતાવરણ બન્યુ હતું. તેમજ તેજ ગતિએ પવન ફુંકાયો હતો. જૂનાગઢ જિલ્લા કલેકટર વાવાઝોડાની અને વરસાદની સંભાવનાને લઇ માંગરોળ અને માળિયા હાટીના તાલુકાને હાઇએલર્ટ જાહેર કર્યો છે તથા વાવાઝોડાની અસરરૂપે તા.5 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી વરસાદ પડવાની સંભાવના હોય જૂનાગઢ જિલ્લાનાં તમામ તાલુકાને આગમચેતીનાં પગલા લેવા અને તાલુકા કંટ્રોલ રૂમમાં નાયબ મામલતદારની નિમણુંક કરવા આદેશ કર્યો છે. તેમજ દરેક પરિસ્થિતીથી જિલ્લા કંટ્રોલ રૂમને વાકેફ કરવા આદેશ કર્યો છે.
માંગરોળની 40 ફિશીંગ બોટ બંદરે પરત ફરી, નં.2 નું સિગ્નલ

‘ઓખી’ વાવાઝોડા તેમજ વરસાદની આગાહીને પગલે દરીયામાં ફિશીંગ કરતા માછીમારોને સાવચેત કરાયા છે. ત્યારે માંગરોળની 40 બોટ પરત ફરી છે. જયારે 600 બોટ હજુ સમુદ્રમાં છે. જો કે નુકસાન થયું હોય એવી કોઈ માહિતી આવી ન હોવાનું બોટ એસો.ના પ્રમુખ માધાભાઈ ભાદ્રેચાએ સાંજે જણાવ્યું હતું.બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.બંદરે ફકત 200 બોટ લાંગરવાની ક્ષમતા હોય, ફિશિંગમાં ગયેલી માંગરોળની તમામ બોટો પરત ફરે તો તેને લાંગરવાની મુશ્કેલી સર્જાય શકે.
આવા સંજોગોમાં બોટોને વેરાવળ, પોરબંદર, ઓખા બંદરે લાંગરવી પડે. જયાં બોટોના અતિશય ભરાવા અને ભારે પવન વચ્ચે ફિશીંગ બોટોમાં નુકશાનની શકયતા પણ નકારી શકાતી નથી.
તમામ બંદરો પર 2 નંબરના સિગ્નલ લગાવાયુ, 65 કિ.મી. સુધીની ઝડપે પવન ફૂંકાશે

ઓખી ચક્રવાતના કારણે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં કલાકના 65 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાશે. બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. જેથી તેની સીધી અસર ઠંડી પર પડી છે. મંગળવારે જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદ પડવાની શક્યતા છે.

ફિશરિઝ દ્વારા કન્ટ્રોલ રૂમ શરૂ

ઓખી વાવાઝોડાની હવામાન વિભાગની આગાહીના પગલે જામનગર ફિશરીઝ વિભાગ દ્વારા રાઉન્ડ ધી કલોક કંન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેના નંબર 0288-2564904 છે. ઉપરાંત માછીમારોને અન્ય સૂચના ન મળે ત્યાં સુધી દરિયામાં ન જવા તાકીદ કરવામાં આવી છે. જે બોટો દરિયામાં છે તેને તાત્કાલિક કિનારે આવી જવા સૂચના અપાઇ છે.

જરૂર પડયે ઓખા-બેટ વચ્ચેની ફેરી બોટ સર્વિસ બંધ કરાશે

દ્વારકા મત્સ્ય ઉધોગના નિરીક્ષક એસ.વી.ચૌધરીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાની અસરને પગલે દરિયો તોફાની બનશે તો ઓખા-બેટ વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ તાકીદની અસરથી બંધ કરવામાં આવશે.

કોસ્ટગાર્ડ જહાજો, વિમાન તહેનાત થશે

કોસ્ટગાર્ડના અધિકારી એ.કે.મહાપાત્રાએ જણાવ્યુ હતુ કે, માછીમારોના જીવ જોખમમાં ન મુકાય અને મોટુ આર્થિક નુકશાન વેઠવુ ન પડે તે માટે કોસ્ટગાર્ડ સર્તક બન્યુ છે. એટલુ જ નહી દરીયામાં કોઈ પણ ઘટના બને તો માછીમારોને બચાવવા માટે કોસ્ટગાર્ડ ધ્વારા એરક્રાફટ અને શીપ તૈનાત કરવામાં આવ્યા છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-40-phishing-boats-of-mangrol-return-to-the-port-gujarati-news-5760789-NOR.html?ref=ht

રાજકોટમાં મેદની બની પ્રતિષ્ઠાનો જંગઃ ભાજપ-કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન


કોંગ્રેસની સભામાં જંગી જનમેદની તો ભાજપની સભામાં મેદાન ટૂંકુ પડતા લોકોએ રસ્તા પર લગાવેલી સ્ક્રિનમાં સભા નિહાળી
રાજકોટ: સૌરાષ્ટ્રના રાજકારણના એપી સેન્ટર રાજકોટમાં રવિવારે ભાજપ અને કોંગ્રેસ બન્નેએ એક પછી એક સમાંતર જાહેરસભા યોજી શક્તિપ્રદર્શન કર્યું હતું. સાંજે કોંગ્રેસના ચારેય ઉમેદવારોની સંયુક્ત સભા ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં યોજાઈ હતી. સભા પૂરી થઈ કે તરત નાનામવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા ભારતીય જનતા પાર્ટીએ યોજી હતી. બન્ને પક્ષોએ એકબીજા પર આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બન્ને પક્ષો પોતાની સંપૂર્ણ તાકાત લગાવી રહ્યા છે અને તેને કારણે રાજકોટનું રાજકારણ ગરમી પકડી રહ્યું છે. બન્ને સભાઓથી મતદારો પર શું અસર થશે તેના તર્ક વિતર્ક ચાલું થઈ ગયા છે. રાજકીય પંડિતો બન્ને સભાના સૂચિતાર્થો કાઢવામાં વ્યસ્ત થઈ ગયા છે.
કોંગ્રેસની સભામાં જંગી જનમેદની તો ભાજપની સભામાં મેદાન ટૂંકુ પડ્યું
ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં યોજાયેલી કોંગ્રેસની સભામાં જંગી જમમેદની ઉમટી પડી હતી તો નાના મવા સર્કલ પાસેના મેદાનમાં યોજાયેલી મોદીની સભામાં પણ જંગી મેદની યોજાઇ હતી અને મેદાન ટૂંકુ પડ્યું હતું. મેદાન ટૂંકુ પડતા રસ્તા પર લગાવેલી સ્ક્રિનમાં લોકોએ મોદીની સભા નિહાળી હતી. આમ બન્નેની સભામાં જંગી જનમેદની થતા પ્રતિષ્ઠાભર્યો જંગ રહ્યો હોય તેમ ભાજપ-કોંગ્રેસમાં ચર્ચા થઇ રહી હતી.

Source :- https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-c-120-LCL-yesterday-bjp-and-congress-sabha-in-rajkot-and-many-people-present-in-both-sabha-NOR.html?ref=ht&seq=1


અરે વાહ... હાઇવે પર વારંવાર ટોલ ચુકવવામાંથી મળશે મુકિત
મોદી સરકાર નવી ટોલ નીતિ ઉપર કામ કરે છે કે જેથી વાહન ચાલક પોતાની યાત્રા સરળતાથી કરી શકેઃ વારંવાર અટકવુ ન પડેઃ રાજમાર્ગ ઉપર બે ટોલ બુથ વચ્ચેનું અંતર પ૦ કિ.મી. રખાશે અને એ ફકત ર લાખની વસ્તીવાળા શહેરની વચ્ચે જ રહેશે
અરે વાહ... હાઇવે પર વારંવાર ટોલ ચુકવવામાંથી મળશે મુકિત
   નવી દિલ્હી તા.૪ : રાજમાર્ગો ઉપર ટોલના ચુકવણાની રીત જ નથી બદલાતી પણ સાથે-સાથે કયા ટોલ વસુલવામાં આવશે તેમાં પણ ધરખમ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. સરકાર એક એવી નીતિ ઉપર કામ કરી રહી છે જેનાથી ટોલ બુથને કારણે થતા ટ્રાફીકજામમાંથી મુકિત મળી જશે. રાજમાર્ગો ઉપર બે ટોલ બુથો વચ્ચેનું અંતર ઓછામાં ઓછુ પ૦ કિ.મી. રહેશે અને એ ફકત મુખ્ય શહેરોમાં જ રહેશે. મુખ્ય શહેરોની પરિભાષા હેઠળ ર લાખથી વધુ વસ્તીવાળા શહેરોને સામે કરવામાં આવશે.
   માર્ગ અને પરિવહન મંત્રાલય હાલ આ પ્રસ્તાવ ઉપર કામ કરી રહ્યુ છે. હવે આ પ્રસ્તાવને કેબીનેટ મંજુરી આપશે. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે વિગત તૈયાર થયા બાદ અમે તેને સુચનો માટે સંબંધિત મંત્રાલયો પાસે મોકલીશું તે પછી અંતિમ મંજુરી માટે મંત્રીમંડળ પાસે મોકલાશે. આ પ્રસ્તાવનો હેતુ મુસાફરો માટે રાષ્ટ્રીય રાજમાર્ગો ઉપર સરળતાથી મુસાફરી ઉપલબ્ધ કરાવવાનો છે. કોઇ વ્યકિત રાજસ્થાન જેવા રાજયમાં એક શહેરથી બીજા શહેરની યાત્રા કરે તો તેને ઓછામાં ઓછા ચાર વખત ટોલ દેવો પડે છે કારણ કે ત્યાં પ૦ કિ.મી. પર એક ટોલ પ્લાઝા છે.
   અધિકારીએ કહ્યુ છે કે એક જ રાજયમાં યાત્રા કરનાર વ્યકિતને ૩ થી ૪ વખત ટોલ શા માટે આપવો જોઇએ. ટોલ ફકત મુખ્ય શહેરો વચ્ચે જ વસુલવો જોઇએ અને બે લાખથી વધુ વસ્તીવાળા શહેરોને મુખ્ય શહેર માનવા જોઇએ. જો કોઇ વ્યકિત રાષ્ટ્રીય રાજમાર્ગ નં.૧ પર નવી દિલ્હીથી હરિયાણાના અંબાલા સુધીની યાત્રા કરતો હોય તો તેને ફકત બે જ જગ્યાએ ટોલ આપવો પડશે. જયારે અત્યારે તેને ૪ થી પ જગ્યાએ ટોલ ચુકવવો પડે છે.
   આ પ્રસ્તાવ ઉપર અત્યારે કામ ચાલી રહ્યુ છે. ઇલેકટ્રોનીક ટોલ વસુલાત બાદ રાષ્ટ્રીય રાજમાર્ગ પર યાત્રા સુગમ બનાવવાની દિશામાં આ બીજુ પગલુ હશે. ઓગષ્ટમાં નેશનલ હાઇવે ઓથોરીટીએ બે મોબાઇલ એપ માઇફાસ્ટટેગ અને ફાસ્ટ ટેગ પાટનર શરૂ કરી હતી. જેનો હેતુ ઇલેકટ્રોનીક ટોલ ચુકવણાની સુવિધા પ્રદાન કરવાનો છે. ફાસ્ટ ટેગને વાહનના કાચ ઉપર લગાવવામાં આવે છે અને તેમાં રેડીયો ફ્રીકવન્સી આઇડેન્ટીફીકેશન ટેકનોલોજી હોય છે અને આ ટેગ ઓટોમેટીક રીતે ટોલના પૈસા માટે પ્રિ-પેઇડ ખાતા સાથે જોડાઇ જાય છે તેમાં વાહનને રોકડેથી ટોલ ચુકવવા માટે ટોલ બુથ પર ઉભા રહેવાની જરૂર નથી રહેતી. અત્યારે ઇ-ટોલ સુવિધા દેશના ૩૦૦ ટોલ પ્લાઝા પર ઉપલબ્ધ છે.

Source :- http://www.akilanews.com/04122017/main-news/1512361879-119072

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App








 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application









Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment