સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 12 December 2017

જનતાએ રામ બની રાવણ જેવી ભાજપ સરકારને પાડી દેવાની છે : હાર્દિક - બાપુનગરમાં હાર્દિક પટેલની રેલી પર પથ્થરમારો, જુઓ શું છે આખી ઘટના? - હાર્દિકની રેલીમાં એક વ્યક્તિએ ઢીંગલા સાથે લખ્યું- "મેરે ભવિષ્ય કી ફિકર કરો, આનેવાલા પાટીદાર બચ્ચા" - હાર ભાળી ગયેલ ભાજપે મતદારોના ધ્રૂવીકરણ માટે સાંપ્રદાયિક કાર્ડની રમત શરૂ કરી, કયા નેતાએ આપ્યું આ નિવેદન, જાણો વિગતે - ઉનાની ઘટના પર મોદી મૌન, દલિતોને ફક્ત અસુરક્ષા: રાહુલનો 14મો સવાલ

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

જનતાએ રામ બની રાવણ જેવી ભાજપ સરકારને પાડી દેવાની છે : હાર્દિક

અમદાવાદના નિકોલ ખાતે હાર્દિક પટેલ નિકોલ ખાતે જનક્રાતિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતીના કન્વીનર હાર્દિક પટેલે અમદાવાદના નવા નિકોલ ખાતેની સભાની શરૂઆત કરવામાં આવી છે. સવારથી 9 વાગ્યાથી લઇને 52 કિલોમીટરના રોડ શોમાં હાર્દિકે મોટી જન મેદના જોડાઇ તે માટે પાટીદાર સમાજનો સાથ માન્યો હતો. પાટીદારોએ હવે અમદાવાદની સભામાં 16 બેઠકો પર ભાજપને હાકી કાઠવા માટે આહવાન કર્યું હતું. ગુજરાતમાં વડાપ્રધાન મોદી પર પ્રહારો કર્યા હતા. અને કહ્યું કે પાકિસ્તાન અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીને શુ લેવા દેવા છે. મોદી સાહેબ વિકાસની વાતો કરે છે. નોટબંધી કરવાપાછળનું કારણ વેપારીઓને હેરાન કરવાનું હતું


આ પાટીદારોની લડાઇ નથી 6 કરોડ ગુજરાતીઓએ પોતાની તાકાત બતાવાની જરૂર છે. આપણીમાંગ શુ છે એની ઉપર કોઇ ચર્ચા નથી. કેશુબાપાની સભામાં પણ 5 લાખ લોકો આવતા હતા. પણ વોટમાં તબદીલ નહોતા થયા. આપણે એવી ભૂલ નથી કરવાની આપણે તો પાડી દેવાના છે. લાખો અને કરોડો રૂપિયા આપીને શિક્ષણ વેચાઇ રહ્યું છે. ગામડાની જમીન છોડીને શહેરમાં આવવું પડે છે. રોજગારી અને બેરોજગારીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. કયો વિકાસ થયો છે. વિકાસનો મતલબ એ થાય છે, કે બાળકોને મફત શિક્ષણ મળી શકે રૂપિયા આપ્યા વગર રોજગારી મળે તે વિકાસ કહેવાય

ભાજપનો ખેસ હશે તો જ FIRલેવામાં આવશે. અને તો જ સાતબારના ઉતારા મળશે. આ તાના સાહિની સરકાર છે. 18 તારીખે રીઝલ્ટ શારૂ નહિ આવ્યું તો ફરી 14 વર્ષ માટે મને જેલમાં ધકેલી દેવામાં આવશે તો હુ તૈયાર છું. ઘાટલોડિયા અને નારપુરા ગમે તેનો ગઢ હોય પણ આ જનતા સાથે રેલી કરી અને લોકો જોતા પણ રહી ગયા. જનતા પર અત્યાચાર કરવાનો મોકો હવે આ સરકારને નહિ મળે હવે તો આ તાનાશાહ સરકારને બદલવી પડશે. નોકરીઓ પૈસાથી મળવા લાગી છે. તલાટી અને પી.એસ.આઇની ભરતીમાં 50-50 લાખ રૂપિયા આપીને નોકરી મળે છે.

વિકાસ તો વડાપ્રધાન મોદી અને સ્મુતી ઇરાનીનો થયો છે. મોદી સાહેબ 1.50 લાખ રૂપિયાનો જભ્ભો પહેરે છે.અને સ્મૃતિ ઇરાની 2 લાખની સાડી પહેરે છે. આ કોનો વિકાસ કહેવાય એ જનતા સમજે છે. મોદી સહેબ ગોળાતો એવા મારે છે જાણે માથું ફૂટી જાય. પાટણમાં મોદી સહેબે કહ્યું કે હું પાટણની સ્કૂલમાં ભણેલો છું, તો મોદી સહેબ કેટલી મોટી ફેકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોટા ફેકું કહીને મજાક ઉડાવી હતી. આપણે રામ બનીને આ ભાજપ સરકાર જેવા રાવણને હવે મારી નાખવાનો સમય આવી ગયો છે. છેલ્લે મોબાઇલની ટોર્ચ લાઇટ ચાલુ કરીને ભાજપને મત નહિ આપવાના લપથ લેવડ્યા હતા.

Source :- https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-pass-hardik-started-the-janakruti-samaj-in-nikol-ahmedabad-gujarati-news-5766939-NOR.html?ref=ht

બાપુનગરમાં હાર્દિક પટેલની રેલી પર પથ્થરમારો, જુઓ શું છે આખી ઘટના?અમદાવાદઃ 

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે આજે રોડ શો કર્યો હતો. હાર્દિકનો આ રોડ શો સવારે ઘુમાથી શરૂ થયો હતો જે નિકોલમાં પૂર્ણ થવાનો હતો. પરંતુ હાર્દિકનો રોડ જેવો બાપુનગર વિસ્તારમાં પહોંચ્યો કે તેના રોડ શો પર પથ્થરમારો થયો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભાજપના  કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે પાસના કાર્યકરોએ બાપુનગર ખાતે ભાજપના ધારાસભ્ય જગરૂપસિંહ રાજપૂતની ઓફિસ પર હુમલો કર્યો હતો. આરપીએફ અને એસઆરપીએફ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા.  ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તે સિવાય એક હજાર પોલીસ જવાનોને નિકોલ સભામાં તૈનાત કરવામાં આવ્યા હતા.

Source :- http://abpasmita.abplive.in/videos/stone-attack-on-hardik-patel-convoy-in-bapunagar-207360/

હાર્દિકની રેલીમાં એક વ્યક્તિએ ઢીંગલા સાથે લખ્યું- "મેરે ભવિષ્ય કી ફિકર કરો, આનેવાલા પાટીદાર બચ્ચા"

Source :- http://abpasmita.abplive.in/videos/hardik-hold-rally-in-ahmedabad-207359/

હાર ભાળી ગયેલ ભાજપે મતદારોના ધ્રૂવીકરણ માટે સાંપ્રદાયિક કાર્ડની રમત શરૂ કરી, કયા નેતાએ આપ્યું આ નિવેદન, જાણો વિગતે

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 14 તારીખે બીજા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી દીધું છે. ત્યારે દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ સોમવારે જણાવ્યું હતું કે હારની બીકે ભારતીય જનતા પાર્ટી વિકાસનો ખોટો દેખાડો બંધ કરવા મજબૂર થઈ મતદારોના ધ્રૂવીકરણ માટે સાંપ્રદાયિક કાર્ડ રમી રહ્યો છે.

મેવાણીએ કહ્યું હતું કે, સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા પાસેથી 50 હજાર રૂપિયાનો ચેક લેવા પર ભાજપ સાંપ્રદાયિક આધાર પર તેના પર નિશાન સાધી રહી છે. તેને બદલે પાર્ટીએ પોતાના અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહની સંપત્તિમાં અસાધારણ વધારાનું કારણ જણાવવું જોઈએ.

મેવાણીએ કહ્યું હતું કે, જો એસડીપીઆઈને કોઈ આતંકવાદી સંગઠન કે જેહાદી જૂથ સાથે કોઈ લેવા દેવા છે તો પછી કેમ અમિત શાહ, રાજનાથ સિંહ અને નરેન્દ્ર મોદી આટલા વર્ષ ચૂપ રહ્યા?
મેવાણીએ જણાવ્યું હતું કે તેમણે મને 50 હજાર રૂપિયાનો ચેક આપ્યો. શું એના પર સવાલ કરવો જોઈએ કે જય શાહની કમાણીમાં 16 હજાર ગણા વધારા પર? મેવાણી 2014માં ભાજપ સત્તા પર આવ્યા બાદ અમિત શાહના પુત્ર જય શાહની એક કંપનીના ટર્નઓવરમાં અનેકગણા વધારાના આરોપોનો ઉલ્લેખ કરી રહ્યા હતાં. ભાજપ અને અમિત શાહના પુત્ર જય શાહે આ અહેવાલ ખોટા અને અપમાનજનક જણાવતાં ફગાવી દીધા હતાં.
જીજ્ઞેશ મેવાણી જણાવ્યું હતું કે, ભાજપ તેને નિશાન બનાવી રહી છે કેમ કે ચૂંટણીમાં તેનો કોઈ એજન્ડા નથી. તેણે કહ્યું હતું કે આ પ્રકારની ચાલ કામ નહીં આવે. ગુજરાતની જનતા જાણે છે કે જીજ્ઞેશ મેવાણી પ્રામાણિક વ્યક્તિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તેની વિરુદ્ધ પ્રચારમાં ઉતારી ભાજપ પોતાના ગભરાહટ બતાવી રહી છે.
તેણે વધુમાં કહ્યું હતું કે, મને જીતનો વિશ્વાસ છે. ગુજરાતમાં વિકાસનો મુદ્દો પાછળ જતો રહ્યો છે કેમ કે સત્તાધારી ભાજપ છેલ્લા ઉપાય તરીકે સાંપ્રદાયિક કાર્ડનો ઉપયોગ કરી રહ્યો છે. આ બધાં પોતાનો વાસ્તવિક રંગ બતાવી રહ્યા છે. મહિનાઓ સુધી વિકાસની વાત કરશે, પરંતુ છેલ્લા સમયે મતદારોનું ધ્રુવીકરણ કરશે.


Source :- http://abpasmita.abplive.in/ahmedabad/nervous-bjp-using-communal-card-to-polarise-electorate-dalit-leader-jignesh-mevani-207450/#image6

ઉનાની ઘટના પર મોદી મૌન, દલિતોને ફક્ત અસુરક્ષા: રાહુલનો 14મો સવાલ

રાહુલે પૂછ્યું કે ગુજરાતમાં દલિતો માટે ન જમીન છે, ન રોજગાર છે, ન શિક્ષણ છે, તેમને અહીંયા ફક્ત અસુરક્ષા મળી છે

નવી દિલ્હી: ગુજરાત ચૂંટણીને અનુલક્ષીને રાહુલ ગાંધી દરરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી સરકારને ટ્વિટર પર સવાલ પૂછી રહ્યા છે. મંગળવારે તેમણે વડાપ્રધાન મોદી અને રાજ્યની બીજેપી સરકારને 14મો સવાલ કર્યો. રાહુલે પૂછ્યું કે ગુજરાતમાં દલિતો માટે ન જમીન છે, ન રોજગાર છે, ન શિક્ષણ છે, તેમને અહીંયા ફક્ત અસુરક્ષા મળી છે. રાહુલે મોદી પર ઉનાની ઘટના પર મૌન સેવવાનો પણ આરોપ લગાવ્યો. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ગુજરાતના ઉનામાં મરી ગયેલી ગાયની ખાલ કાઢવા માટે ચાર દલિતોને ક્રૂરતાથી મારવામાં આવ્યા હતા. વિરોધમાં દલિતોએ ગુજરાતના સરકારી કાર્યાલયોની સામે મરેલી ગાય નાખી દીધી હતી. ગુજરાત સહિત દેશભરમાં આ ઘટનાના વિરોધમાં પ્રદર્શન થયા હતા.

રાહુલનો 14મો સવાલ
ન જમીન, ન રોજગાર, ન સ્વાસ્થ્ય, ન શિક્ષણ
ગુજરાતના દલિતોને મળી છે બસ અસુરક્ષા
ઉનાની દર્દનાક ઘટના પર મોદીજી છે મૌન
આ ઘટનાની જવાબદેરી લેશે પછી કોણ?
કાયદા તો ઘણા બન્યા દલિતોને નામ
કોણ આપશે પરંતુ તેને યોગ્ય અંજામ?
સોમવારે કહ્યું હતું- મૌનસાહેબ પાસેથી જવાબની અપેક્ષા
- સોમવારે પોસ્ટ કરવામાં આવેલા પોતાના 13મા સવાલમાં રાહુલે કેન્દ્ર સરકાર પર લોકપાલને બાજુએ કરી નાખવાનો, કથિત ગોટાળાઓ અને કેટલાક વેપારીઓને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવ્યો. રાહુલે પૂછ્યું હતું કે ‘મૌનસાહેબ’ પાસેથી જવાબની અપેક્ષા છે, કોના ‘અચ્છે દિન’ માટે બનાવી સરકાર?
BJP માટે શું હવે ભાષણ જ શાસન છે?
- રાહુલ ગાંધીએ શનિવારે ટ્વિટમાં લખ્યું- ગુજરાતમાં 22 વર્ષોથી બીજેપીની સરકાર. હું ફક્ત એટલું પૂછીશ, “શું કારણ છે કે આ વખતે વડાપ્રધાનના ભાષણોમાંથી ‘વિકાસ’ ગુમ છે? મેં ગુજરાતના રિપોર્ટકાર્ડ ઉપરથી 10 સવાલો પૂછ્યા, તેમનો પણ જવાબ ન મળ્યો. પહેલા તબક્કાનો પ્રચાર ખતમ થવા સુધી ચૂંટણી ઢંઢેરો નથી. તો શું હવે ‘ભાષણ જ શાસન છે’?”
ટ્વિટર પર સીરીઝ ચલાવીને સવાલ પૂછી રહ્યા છે રાહુલ
- રાહુલ ટ્વિટર પર ’22 સાલોંકા હિસાબ, ગુજરાત માંગે જવાબ’ નામની એક સીરીઝ ચલાવીને દરરોજ મોદીને સવાલ પૂછી રહ્યા છે. પોતાની ટ્વિટમાં ગુજરાતની પરિસ્થિતિ પર ‘પ્રધાનમંત્રીજી સે સવાલ’ લખીને ટ્વિટ કરી રહ્યા છે.
રાહુલના છેલ્લાં કેટલાક સવાલ
13મો સવાલ: કહેતા હતા આપીશું જવાબદાર સરકાર, કેમ કર્યું લોકપાલને દરકિનાર? GSPC, વીજળી-મેટ્રો કૌભાંડો, શાહજાદા પર દર વખતે મૌન, મિત્રોના ખિસ્સા ભરવા માટે છે બેકરાર. લાંબી છે લિસ્ટ અને ‘મૌનસાહેબ’ પાસેથી છે જવાબની દરકાર, કોના ‘અચ્છે દિન’ માટે બનાવી સરકાર?
12મો સવાલ: નાના-મધ્યમ વેપારીઓ છે ત્રસ્ત, મોટા ઉદ્યોગપતિઓ છે મસ્ત. GST અને નોટબંધીનો બેવડો માર, સુરત-રાજકોટ-અલંગ-અંજાર, નષ્ટ કર્યા ગુજરાતના વેપાર. શું જવાબદારી લેશે તમારી સરકાર?
11મો સવાલ: 80% એન્જિનિયર્સ બેઠાં છે બેકાર, ટાટા નેનો હુમલો ચાલી નહીં આ કાર, નોકરી માંગનારાઓને મળે છે ગોળી, યુવાનના ભવિષ્યની લગાવી દીધી તમે બોલી, વેચ્યું શિક્ષણ, વેચી પરીક્ષા, સ્કૂલ-કોલેજ બની ગયા દુકાન. શિક્ષણકેન્દ્રોનું મોદીજી કેમ વેચ્યું તમે ઇમાન?
10મો સવાલ: આદિવાસીઓ પાસેથી છીનવી જમીન, ન આપ્યો જંગલનો અધિકાર, અટકી પડ્યા છે લાખો જમીનના પટ્ટા, ન ચાલી સ્કૂલ ન મળી હોસ્પિટલ, ન બેઘરને ઘર, ન યુવાનને રોજગાર, પલાયને આદિવાસી સમાજને તોડ્યો. મોદીજી, ક્યાં ગયા વનબંધુ યોજનાના 55 હજાર કરોડ.
- આ પહેલા રાહુલ પોતાના સવાલોમાં મહિલા સુરક્ષા, શિક્ષણ, ખેડૂતો અને બેરોજગારી પર સવાલો પૂછી ચૂક્યા છે.
સાતમા સવાલમાં કરી દીધી હતી ગણતરીમાં ભૂલ
- રાહુલે મંગળવારે મોદીને સાતમો સવાલ કર્યો હતો. તેમાં તેમણે ગુજરાતમાં ત્રણ વર્ષમાં વધેલા જરૂરી ચીજવસ્તુઓના ભાવ પર જવાબ માંગ્યો હતો. તેમણે તેની સાથે એક ચાર્ટ પોસ્ટ કર્યો હતો. તેમાં કિંમતોનો વધારો પર્સન્ટેજમાં જણાવવામં આવ્યો હતો. પરંતુ ચાર્ટમાં આ પર્સન્ટ 100% વધારે લખવામાં આવ્યા હતા.
- મીડિયામાં આ સમાચાર આવ્યા પછી રાહુલે ચાર્ટ ડિલિટ કરી દીધો અને એક નવો ચાર્ટ પોસ્ટ કર્યો હતો. જેમાં કિંમતોમાં વધારો ટકાવારીના બદલે રૂપિયામાં જણાવવામાં આવ્યો હતો.

Source :- https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-rahul-gandhis-14th-question-to-modi-on-twitter-in-context-of-gujarat-poll-2017-g-5767371-PHO.html?ref=ht

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App

 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment