સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 27 September 2017

બિનઅનામત આયોગના પ્રસ્તાવને મંજૂરી, પાટીદાર દમન અંગે પંચ નિમાશે - GSTથી આવક ઘટીઃ ઓગસ્ટનું કલેકશન ૯૦૬૬૯ કરોડ - મોંઘવારી વધે છે, પેટ્રોલ-ડિઝલ મોંઘા થાય છે, બેટીઓની ધોલાઇ થઇ રહી છેઃ તમે કયાં સુધી ચુપ રહેશો ?: શિવસેનાનો સવાલ - જો આજે મનમોહન વડાપ્રધાન હોત તો શું કરત ? - આજે કેન્દ્રીય કેબીનેટની બેઠકઃ અર્થતંત્રમાં પ્રાણ ફુંકવા પેકેજનું એલાન થશે

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
 

GSTથી આવક ઘટીઃ ઓગસ્ટનું કલેકશન ૯૦૬૬૯ કરોડ

રૂ. ૪૩૦૦ કરોડનો ધરખમ ઘટાડો
નવી દિલ્હી તા. ૨૭ : ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ લાગુ થયાના બીજા મહિને એટલે કે, ઓગષ્ટમાં કુલ ૯૦,૬૬૯ કરોડ રૂપિયાનું ટેકસ કલેકશન થયું. એક સત્તાવાર વકતવ્યમાં આ જાણકારી આપવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, 'જુદી-જુદી કેટેગરીમાં GST અંતર્ગત ૨૫ સપ્ટેમ્બર સુધી ૯૦,૬૬૯ કરોડનો ટેકસ મળ્યો છે. આમાં કમ્પોઝિશન સ્કીમની પસંદગી કરનારા ૧૦.૨૪ લાખ ટેકસપેયર્સ આપવામાં આવેલા GSTના આંકડા શામેલ નથી. આ જ રીતે જુલાઈ મહિના માટે સંશોધિત આંકલન અનુસાર GST સંગ્રહ ૯૪,૦૬૩ કરોડ રૂપિયા થઈ ગયો. પહેલા અનુમાન ૯૨,૨૮૩ કરોડ રૂપિયાનું હતું.'
   નિવેદન અનુસાર, ઓગષ્ટમાં કેન્દ્રીય GST અંતર્ગત ૧૪,૪૦૨ કરોડ રૂપિયા, રાજય જીએસટી અંતર્ગત ૨૧,૦૬૭ કરોડ રૂપિયા, એકીકૃત GST અંતર્ગત ૪૭,૩૭૭ કરોડ રૂપિયા અને લકઝરી પ્રોડકટ્સ પર ક્ષતિપૂર્તિ સેસ ૭,૮૨૩ કરોડ રૂપિયા પ્રાપ્ત કરાયા. અહીં ઉલ્લેખનીય છે કે, ઓગષ્ટ મહિના માટે GST ચૂકવણી અને GSTR-3B દાખલ કરવાની છેલ્લી તારીખ ૨૦ સપ્ટેમ્બર હતી.
   નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું કે, હજુ પણ ઘણા એવા ટેકસપેયર્સ છે જેમણે જુલાઈ અને ઓગષ્ટનું રિટર્ન દાખલ કર્યું નથી. આંકડામાં થનારા વધારા અંગે આગામી સમયમાં જણાવવામાં આવશે. આમાં કહેવામાં આવ્યું છે કે, ઓગષ્ટ મહિના માટે ૬૮.૨૦ લાખ લોકોને ટેકસ ભરવાનો હતો, પણ ૨૫ સપ્ટેમ્બર સુધી આમાથી ૩૭.૬૩ લાખ લોકોએ GSTR-3B દાખલ કર્યું છે.
   દેશમાં અપ્રત્યક્ષ ટેકસની GST વ્યવસ્થા ૧ જુલાઈથી લાગુ કરવામાં આવી. આમાં એક ડઝનથી વધુ કેન્દ્રિય તથા રાજય સ્તરના અપ્રત્યક્ષ ટેકસને સમાવામાં આવ્યા છે. GST લાગૂ થયા બાદ પહેલા મહિના જુલાઈ માટે ૩૧ ઓગષ્ટ સુધી કુલ ૯૪,૦૬૩ કરોડ રૂપિયા ટેકસ મળ્યો છે.

Source :-http://www.akilanews.com/27092017/main-news/1506487992-114940

મોંઘવારી વધે છે, પેટ્રોલ-ડિઝલ મોંઘા થાય છે, બેટીઓની ધોલાઇ થઇ રહી છેઃ તમે કયાં સુધી ચુપ રહેશો ?: શિવસેનાનો સવાલ
સિસ્ટમ સુધારમાં લોકોને કોઇ મદદ નથી મળતી છતાં તમે મૌન કેમ રહો છો ? શિવસેના
   મુંબઇ તા.ર૭ : ભાજપના સાથી પક્ષ શિવસેનાએ ફરી એક વખત પીએમ મોદીને આડે હાથ લીધા છે. શિવસેનાએ આ વખતે બનારસ હિન્દુ યુનિ.માં છાત્રાઓ ઉપર પોલીસ લાઠીચાર્જને લઇને સવાલ ઉઠાવ્યો છે. શિવસેનાએ પુછયુ છે કે જે મહિલાઓએ જેમને અનેક આશાઓ સાથે ચૂંટી કાઢયા છે શું આ જ તેઓનું સૌભાગ્ય છે ? શિવસેનાએ ૧૬૦૦૦ કરોડની લોન્ચ થયેલી સૌભાગ્ય સ્કીમને લઇને પીએમ મોદી ઉપર કટાક્ષ કર્યો હતો.
   શિવસેનાના મુખપત્ર સામનામાં તંત્રીલેખમાં જણાવાયુ છે કે, મોંઘવારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ છે અને તમે ચુપ છો. પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે છતાં તમે ચુપ છો. સિસ્ટમ સુધારમાં લોકોને કોઇ મદદ નથી મળતી અને તમે ચુપ છો. દેશની બેટીઓ ઉપર લાઠીઓ વરસાવવામાં આવી રહી છે અને તમે ચુપ છો. તમારા પક્ષના કાર્યકરો કહેર વરસાવી રહ્યા છે તમે કયાં સુધી ચુપ રહેશો. તમારા સંસદીય ક્ષેત્રની છોકરીઓ કે જેમણે તમને ઘણી આશાઓ સાથે જીતાડયા હતા શું તેઓનું આ જ સૌભાગ્ય છે ? સાથોસાથ સવાલ ઉઠાવાયો છે કે, એ લોકો બનારસ હિન્દુ યુનિ.માં સીસીટીવી કેમેરા લગાવવા અને આરોપીઓની ધરપકડ કરવાની માંગણી કરી રહ્યા છે તેઓ સામે શું એફઆઇઆર નોંધાવવી યોગ્ય છે ?
   શિવસેનાએ વધુમાં લખ્યુ છે કે, તમે વિચાર્યા વગર પગલા લીધા જેના કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે તમે માત્ર આંબલી-પીપળી બતાડો છો. તમે તમારા કાર્યકર્તાઓને કહ્યુ છે કે સત્તા સુખ ભોગવવા માટે નહી પરંતુ તે લોકોની સેવા માટે હોય છે પરંતુ જો તેઓએ તમને પુછયુ કે, તમે છેલ્લા ૩ વર્ષમાં શું સેવા કરી ? તો તમારો જવાબ શું હશે ?

Source :-http://www.akilanews.com/27092017/main-news/1506486751-114935

આજે કેન્દ્રીય કેબીનેટની બેઠકઃ અર્થતંત્રમાં પ્રાણ ફુંકવા પેકેજનું એલાન થશે
   નવી દિલ્હી : અર્થતંત્રને લઇને સરકારની ચિંતાઓ વચ્ચે આજે મોદી-કેબીનેટની બેઠકઃ અર્થતંત્રમાં પ્રાણ ફુંકવા માટે નાણામંત્રી જેટલી પેકેજનું એલાન કરી શકે છેઃ નોટબંધી બાદ હલબલી ઉઠેલ અર્થતંત્રને દોડતુ કરવા મોદી સરકાર પ૦,૦૦૦ કરોડ ખર્ચ કરવાની યોજના બનાવી રહેલ છે અને ટુંક સમયમાં રાહત પેકેજ જાહેર કરશે.

   

Source :-http://www.akilanews.com/27092017/main-news/1506487950-114938

જો આજે મનમોહન વડાપ્રધાન હોત તો શું કરત ?
<br />જો આજે મનમોહન વડાપ્રધાન હોત તો શું કરત ?
      નવી દિલ્હી : હાલ દેશનો જીડીપી ઘટે છે અને અર્થતંત્ર હલબલી ઉઠયુ છે ત્યારે બીબીસીએ પોતાના વાચકોને પુછયુ હતુ કે, જો આજે મનમોહન ખુરશી ઉપર હોત તો કયાં પગલા લેત ? તો જવાબમાં રસપ્રદ પ્રતિક્રિયાઓ મળીઃ કોઇએ કહ્યુ કે તેઓ મન કી બાત નહી પરંતુ મનમોહન કી બાત જણાવતઃ કોઇએ લખ્યુ કે, ભારતીય અર્થતંત્રની આવી હાલત ન હોતઃ અનેક ગોટાળા થયા છતાં તેમના શાસનમાં ભારતની હાલત ખરાબ ન હતીઃ નોટબંધી જેવુ પગલુ સપનામાં પણ  ન વિચારતઃ અર્થતંત્રને દોડતુ જ રાખતઃ દેશ પ્રગતિ કરત.

Source :-http://www.akilanews.com/27092017/main-news/1506487914-114937

બિનઅનામત આયોગના પ્રસ્તાવને મંજૂરી, પાટીદાર દમન અંગે પંચ નિમાશે

અમદાવાદ: બુધવારે મળેલી બેઠકમાં બિનઅનામત આયોગના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ આયોગને 'બિનઅનામત શૈક્ષણિક વિકાસ નિગમ' નામ આપવામાં આવશે. ખાસ કરીને પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદારો પર થયેલા પોલીસ દમન અંગે પણ તપાસ પંચ બનાવવાની સરકારે જાહેર કરી છે. આ પંચ માટે નિવૃત જજની નિમણૂક કરવામાં આવશે અને પંચના રિપોર્ટના આઘારે કાર્યવાહી કરવામાં આવશે.
કેબિનેટની બેઠકમાં પાટીદારોની માંગણીઓ અંગે ચર્ચા
મંગળવારે પાટીદાર આગેવાનો અને સરકાર વચ્ચે થયેલી બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બિનઅનામત આયોગ અંગે તૈયારી બતાવી હતી. જે બાદ આજે મળેલી કેબિનેટની બેઠકમાં આયોગના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટની બેઠકમાં પાટીદાર આગેવાનોની માંગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

Source :-http://www.akilanews.com/27092017/main-news/1506487914-114937

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App






 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application







Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ
 

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/
 
 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Tuesday 26 September 2017

સરકાર - પાટીદારોની બેઠક શરૃઃ પરિણામ કે ફિયાસ્કો? ઉત્તેજના - અનામત Anamat Live - સરકાર-પાટીદારો બન્ને અડગ; સમાધાનની બેઠક નિષ્ફળ, 'હાય હાય'ના નારા ગૂંજ્યા - પાટીદારો પર થયેલા કેસો પાછા ખેંચવા સરકારની ખાતરીઃ DyCM

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
 

સરકાર-પાટીદારો બન્ને અડગ; સમાધાનની બેઠક નિષ્ફળ, 'હાય હાય'ના નારા ગૂંજ્યા

અમદાવાદ: છેલ્લા બે વર્ષ કરતા પણ વધુ સમયથી ચાલતા પાટીદાર અનામત આંદોલનનો વિધાનસભા ચૂંટણી પહેલા અંત લાવવા ભાજપ સરકાર દ્વારા પ્રયાસ શરૂ કરાયા છે. જેના ભાગરૂપે આજે સરકાર તેમજ પાટીદાર સમાજની મહત્વની 6 સંસ્થાઓના ટ્રસ્ટીઓ, સામાજિક આગેવાનો અને આંદોલનકારી સંસ્થા પાસ અને એસપીજીના હાર્દિક પટેલ, પૂર્વી પટેલ સહિતના કન્વીનરો સહિત 100 જેટલા અગ્રણીઓની બેઠક સરકાર યોજાઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ પાસ દ્વારા 'ભાજપ હાય હાય'ના નારા લગાવવામાં આવ્યા હતા.
  
બેઠકમાં પાટીદારો અને સરકાર બન્ને અડગ
સરકાર અને પાટીદાર આગેવાનો વચ્ચે યોજાયેલી બેઠકમાં હાલ કોઇ ઉકેલ આવ્યો નથી. સરકારે સવર્ણ આયોગ આપવાની વાત કરી હતી, જે પાટીદાર આગેવાનોને માન્ય નથી. સાથે જ સરકાર પાટીદારો પર થયેલા કેસો પરત ખેંચવા તૈયાર થઇ છે, પરંતુ અનામત અને જવાબદાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગનો સ્વીકાર સરકાર દ્વારા કરવામાં આવ્યો નથી.
સરકાર તરફથી નીતિન પટેલ હાજર
પાટીદાર અનામત આંદોલનમાં સમાધાન કરવાના ઉદ્દેશ્યથી સરકારે પાટીદારો સાથે મીટિંગ યોજી હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત સરકાર તરફી મંત્રીઓ સમાધાન માટે ચર્ચા કરી હતી. મીટિંગમાં પાટીદારો વતી હાર્દિક પટેલ, રેશ્મા પટેલ, દિનેશ બાંભણિયા સહિતના આંદોલનકારીઓ અને પાટીદાર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

મીટિંગ પહેલા જીતુ વાઘાણી હાજર રહે તો પાસ દ્વારા મીટિંગ રદ્દ કરવાની ચીમકી આપી હતી

અંગે હાર્દિક પટેલે જણાવ્યું છે કે, જો ભાજપના પ્રદેશ પ્રમુખ વાઘાણી કે પછી કોઈ પણ હોદ્દેદાર બેઠકમાં હાજર રહેશે તો ચર્ચા રદ્દ કરી દેવામાં આવશે. સરકારે આપેલા આમંત્રણને કારણે ગાંધીનગરમાં ‘પાસ’ના આગેવાનોની બેઠક યોજાઇ હતી. બેઠક બાદ ‘પાસ’ના નેતા હાર્દિકે જણાવ્યું કે, સરકાર સાથે મંત્રણાથી સમાજને ફાયદો થાય તેમાં પાસને રસ છે.

મીટિંગ પહેલા હાર્દિકે શું કહ્યું?

હાર્દિકે મીટિંગ પહેલા જણાવ્યું હતું કે, આજે સમાજના આંદોલનનું ભવિષ્ય નક્કી થશે. સમાજને અનામત નહીં આપે અને આચારસંહિતા લાગુ પડવા જઈ રહી છે ત્યારે સમાધાનની ચર્ચા સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ ભાજપ કરી રહી છે. આજે આયોગ અને શહીદ પરિવાર માટેની જાહેરાત હશે અને આ જાહેરાત અમારી લડાઈની ૪૦ ટકા જીત હશે. અનામત માટે વધુ જોશ અને આત્મવિશ્વાસથી લડીશું. અમને અમારી લડાઈ પર વિશ્વાસ છે અમે અનામત લઇને રહીશું.
   હાર્દિક પટેલે જણાવ્યુ કે, આ મીટીંગમાં અમારો ૪૦ ટકા વિજય થવાની શકયતા છે અને સરકાર પાટીદારોને અનામત આપવાની માંગણી નહી સ્વીકારે પરંતુ અમારી અન્ય માંગણીઓ સ્વીકારી   લેશે તેવી આશા છે.(૨-૭)
   રાજકોટમાં ઐતિહાસિક  રોડ-શોઃ ત્રીજીએ મીટીંગ
   રાજકોટ, તા. ૨૬ :. અનામત આંદોલનના પ્રણેતા અને પાસના કન્વીનર હાર્દિક પટેલે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે આગામી સમયમાં રાજકોટમાં ઐતિહાસિક રોડ શોનું આયોજન કરવામાં આવશે.
   આ માટે તા. ૩ ઓકટોબરના રોજ હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં પાસના કન્વીનરો અને પાટીદાર સમાજના આગેવાનોની અધ્યક્ષતામાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા રોડ-શોની તારીખ નક્કી કરવામાં આવશે.(૨-૭)

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-patidar-and-gujarat-government-meeting-on-reservation-hardik-patel-and-other-in-meetin.html?ref=ht

અનામત (Anamat) Live News Click Here

Source :-http://wwitv.com/tv_channels/b6884-Sandesh-News.htm

અનામત (Anamat) Live News Click Here

Source :-http://abpasmita.abplive.in/live-tv/

સરકાર - પાટીદારોની બેઠક શરૃઃ પરિણામ કે ફિયાસ્કો? ઉત્તેજના

પાસના હાર્દિક પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિતઃ ચૂંટણી પૂર્વે પાટીદારોને રાજી કરવા સરકારના પ્રયત્નોઃ પાટીદાર આયોગ, વળતર, દમનની તપાસ માટે સરકાર તૈયાર થાય તેવી શકયતા

   રાજકોટ તા. ૨૬ : છેલ્લા અઢી વર્ષથી રાજ્ય સરકાર અને ભાજપની ઉંઘ ઉડાડી દેનાર પાટીદાર અનામત આંદોલનના ચળવળકારો સાથે રાજ્ય સરકારે બેઠક હાથ ધરી છે. બેઠક પૂર્વે જ પાટીદારોની જીત થઇ હોવાનું જણાય છે. રાજ્ય સરકારે બેઠકમાં એકપણ રાજકીય નેતાને હાજર નહી રાખવાનો નિર્ણય કર્યો છે.
   વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ઓકટોબરમાં થવાની છે ત્યારે ભાજપ સરકાર માટે છેલ્લા બે વર્ષથી માથાના દુઃખાવા સમાન બની રહેલા પાટીદાર અનામત આંદોલનનો અંત લાવવા આજે પાટીદારોની ટોચની સંસ્થાઓ સાથે સરકારની મહત્વની બેઠક યોજાશે જેમાં પાસ-એપીજીના પ્રતિનિધિઓને ભાગ લેવા આમંત્રણ અપાયું છે. આ બેઠકમાં સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલનનો અંત આવે તે રીતે તેમને રિઝવવા માટે તમામ પ્રયાસો કરાશે. પાટીદાર આંદોલનકારીઓની ચાર મુખ્ય માગણી પર ચર્ચા-વિચારણા કરાશે. જેમાં પાટીદાર આયોગની માગણી સ્વીકારવી, આંદોલનમાં મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને વળતર અને જીએમડીસી ગ્રાઉન્ડમાં પોલીસ દમન અંગે તપાસની માગણી પર સીટ કે સમિતિની રચના જેવી તૈયારી પણ સરકાર બતાવી શકે છે.
   નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વડપણ હેઠળ સ્વર્ણિમ સંકુલ-૨ના પાવાગઢ હોલમાં બપોરે બે વાગે બેઠક યોજાઇ રહી છે. બેઠક પૂર્વે ભારે ઉત્તેજના વ્યાપી છે. બેઠકમાં છ મુખ્ય સંસ્થા ઉમિયા માતા ટ્રસ્ટ-ઊંઝા, ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ, રાજકોટ ઉમિયા માતા મંદિર, સિદસર, સમસ્ત પાટીદાર સમાજ-સુરત, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમદાવાદ અને પાસ-એસપીજીના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે. નીતિનભાઇ અગાઉ પણ આંદોલનનું યોગ્ય નિરાકરણ આવે તે માટે તમામ મુદ્દે પ્રતિનિધિઓ સાથે સરકાર હકારાત્મક રીતે ચર્ચા કરવા તૈયાર છે તેમ કહી ચૂકયા છે. જો કે બેઠકમાં પાસ-એસપીજીના પ્રતિનિધિઓ ભાગ લેવા આવે છે કે નહીં તેની પણ અનિશ્વિતતા છે.
   પાટીદાર સમાજની જે ચાર મુખ્ય માગણી છે તેમાં પાટીદારોને બંધારણીય રીતે અનામત આપવાની માગ છે તે શકય નથી કારણકે ૫૦ ટકાથી વધુ અનામત ન હોવી જોઇએ તેવા કોર્ટના ચૂકાદા છે. ભૂતકાળમાં પાટીદાર સહિતના બિનઅનામત આર્થિક રીતે પછાત વર્ગને ભાજપ સરકારે જ ૧૦ ટકા અનામત આપી હતી તેને કોર્ટે રદબાતલ ઠરાવી દીધી હતી. તે જોતા અન્ય માગણીઓ અંગે સરકાર વિચારણા કરવાનું કે ખાતરી આપવાનું બેઠકમાં કહી શકે છે. જેમાં જીએમડીસી ગ્રાઉન્ડ સહિત પાટીદારો પર જે પોલીસ અત્યાચાર હોવાનો આક્ષેપ કરાયો છે તેમાં તપાસ કરાવવા સીટ કે અન્ય રીતે સમિતિ બનાવીને તપાસની ખાતરી આપે તેવી શકયતા છે. આંદોલનમાં મૃત્યુ પામ્યા છે તે યુવકોના પરિવારજનોને આર્થિક રીતે સહાય આપવા પણ સરકારે વિચારણા કરી છે. તે ઉપરાંત પાટીદારો માટે અલગ આયોગ બનાવવા કે સવર્ણ સહિતના વર્ગને ફાયદો થાય તે રીતે પણ કોઇ મોટી જાહેરાત કરવા સરકાર દ્વારા ઓફર કરવામાં આવે તેવી સંભાવના છે. બેઠકમાં ભાજપના પ્રદેશપ્રમુખ જીતુભાઇ વાઘાણી સહિત અન્ય અગ્રણીઓ પણ બેઠકમાં ભાગ લેવાના છે.
   એકતરફી જાહેરાત સામે બહિષ્કાર કરાશેઃ પાસ
   પાસના અગ્રણી દિનેશ બાંભણિયાએ મીટીંગમાં ભાગ લેવા માટે પાસની બેઠક બાદ જણાવ્યું હતું કે, આંદોલનનો અંત આવે તે માટે જ સરકાર સાથે મીટીંગ કરવા તૈયારી છે પરંતુ જો સરકાર અમને સાંભળશે નહીં અને એકતરફી જાહેરાત કરશે તો બેઠકનો બહિષ્કાર કરવામાં આવશે. જે લોકો સક્રિય રીતે આંદોલનમાં જોડાયા હોય તેમની વાત સાંભળવી પણ જરૂરી છે. એસપીજી તરફથી અગ્રણી પૂર્વિન પટેલે જણાવ્યું હતું કે, સમાજનું હિત જળવાતું હોય તો બેઠકમાં ભાગ લેશે.

Source :-http://www.akilanews.com/26092017/gujarat-news/1506423480-63881

પાટીદારો પર થયેલા કેસો પાછા ખેંચવા સરકારની ખાતરીઃ DyCM

આજે સરકાર તેમજ પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ વચ્ચેની મહત્વની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. ત્યાર બાદ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પ્રેસકોન્ફરન્સ યોજી હતી. તેમણે જાહેરાત કરી હતી કે પાટીદારો ઉપર આંદલન દરમિયાન જે પણ કેસ થયા છે તે કેસો પાછા ખેંચવાની ખાતરી આપી છે. પરંતુ અનામત અને જવાબદાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગનો સ્વીકાર સરકાર દ્વારા કરવામાં આવ્યો નથી. પાટીદાર આગેવાનોએ માંગણીઓ અંગે સરકારને બે દિવસનો સમય આપ્યો છે. આ ઉપરાંત શહિદો તેમજ મૃત્યુ પામનાર પાટીદારોને પાટીદાર સંસ્થાઓ જે રકમ નક્કી કરે તે રકમની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત બની અનામત જ્ઞાતિ માટે સવર્ણ આયોજની રચના કરવા માટે કેબિનેટમાં પ્રસ્તાવ મુકવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
ઉલ્લેખનિય છે કે છેલ્લા બે વર્ષથી પણ વધુ સમયથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનનો આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં અંત લાવવા માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપા) દ્વારા પ્રયાસો શરૂ થઇ ગયા છે. આજે સરકારે તેમજ પાટીદાર સમાજની મહત્વની સંસ્થાઓના ટ્રસ્ટીઓ, સામાજિક આગેવાનો અને આંદોલનકારી સંસ્થા પાસના કન્વીનર હાર્દિક પટેલ અને સરદાર પટેલ ગ્રૂપ (એસપીજી)ના લાલજી પટેલ સહિતના 100 જેટલા અગ્રણીઓની બેઠક માટે પહોંચ્યા છે. હાલ ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલ-2માં પાટીદાર અને સરકાર વચ્ચે મીટિંગ ચાલી રહી છે ત્યારે સકારાત્મક વલણણાં શરૂઆત થઇ છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.
મિટિંગ પહેલા હાર્દિકે શું કહ્યું
હાર્દિકે મિટિંગ પહેલા જણાવ્યું હતું કે, આજે સમાજના આંદોલનનું ભવિષ્ય નક્કી થશે. સમાજને અનામત નહીં આપે અને આચારસંહિતા લાગુ પડવા જઈ રહી છે ત્યારે સમાધાનની ચર્ચા સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ ભાજપ કરી રહી છે. આજે આયોગ અને શહીદ પરિવાર માટેની જાહેરાત હશે અને આ જાહેરાત અમારી લડાઈની ૪૦ ટકા જીત હશે. અનામત માટે વધુ જોશ અને આત્મવિશ્વાસથી લડીશું. અમને અમારી લડાઈ પર વિશ્વાસ છે અમે અનામત લઇને રહીશું. વિધાનસભાની ચૂંટણી પહેલાં આજે અમારી 40 ટકા માંગો પૂરી થશે અને 60 ટકા માંગ માટે મજબૂત લડાઇ લડીશું. અનામત મેળવીને જ રહીશું. સરકાર કયાંકને કયાંક ઝૂકી રહી છે.
બેઠકમાં કોણ છે હાજર?
ચીમનભાઈ સાપરિયા, નાનુભાઈ વાનાણી, હાર્દિક પટેલ, PAAS અને SPGના સભ્યો, મુકેશ સવાણી, ભાજપના ધારાસભ્ય નલિન કોટડિયા, કેતન પટેલ, લવજી બાદશાહ, જેરામ પટેલ સહિતના અગ્રણીઓ બેઠકમાં હાજર રહ્યા છે.
પાટીદારોની માંગણીઓ
પાટીદાર સમાજને એક મંચ પર લાવવામાં સરકાર સફળ થઇ છે. PAAS અને SPGની ચાર શરતો પર બેઠકમાં ચર્ચા થશે. ત્રણ માંગો પર સરકારનું હકારાત્મક વલણ છે તેવું સૂત્રોનું કહેવું છે. પાટીદાર સમાજના મૃત્યુ પામેલાને આર્થિક સહાય અને નોકરી, પાટીદાર આયોગની રચના અને અનામતની માંગ, દમન ગુજારનાર અધિકારીઓ સામે પગલા લેવાની માંગણી કરી છે.

Source :-http://sandesh.com/patidar-meeting-with-gujarat-government-at-gandhinagar/

પાટીદારો ચૂંટણીમાં નડી ન જાય તે માટે આ છે BJP અધ્યક્ષ શાહનો પ્લાન?
ચૂંટણીની તૈયારીનું નેતૃત્વ સંભાળ્યું
પાટીદારો ચૂંટણીમાં નડી ન જાય તે માટે આ છે BJP અધ્યક્ષ શાહનો પ્લાન?
   અમદાવાદ તા. ૨૭ : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મંગળવારના રોજ અમદાવાદ પહોંચ્યા છે અને ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીનું નેતૃત્વ સંભાળ્યું છે. અમિત શાહ ત્રણ દિવસ માટે અમદાવાદમાં છે. આ દરમિયાન તે ૧૫૦ સીટનો ટાર્ગેટ પૂરો કરવા માટેની વ્યુહરચના પર કામ કરશે. પાર્ટીને વિશ્વાસ છે કે અમિત શાહની આગેવાનીમાં ભાજપ વિજય મેળવશે.
   અમદાવાદ પહોંચીને તરત જ અમિત શાહે ભાજપના ઉચ્ચ નેતાઓ સાથે કમલમ ખાતે મીટિંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે વિસ્તારક યોજનાના ભાગરુપે અમિત શાહ ૧૧૦ દિવસ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અત્યારની મુલાકાત પણ તેનો જ એક ભાગ છે. અમિત શાહને મળવા માટે પાર્ટીના નેતાઓ કમલમ ખાતે હાજર રહ્યા હતા. તેમણે પોતે કરેલા કામનું પ્રેસન્ટેશન તૈયાર કર્યુ હતું અને કઈ રીતે મહત્ત્।મ વોટ્સ મેળવી શકાય તે અંગેના સલાહસુચનો પણ આપ્યા હતા.
   પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, અમિત શાહ પાર્ટીના અવરોધો અને મુશ્કેલીઓ વિષે જાણશે અને સૌથી પહેલા તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશે. પાટીદાર સમાજના વિરોધને ધ્યાનમાં રાખીને પાર્ટી વર્તમાનના ૫૦ ટકા ધારાસભ્યોના બદલે યુવા પાટીદાર ચહેરાઓને તક આપશે.
   શંકરસિંહ વાઘેલાનું સમર્થન ધરાવતો જન વિકલ્પ મોરચો પણ ૧૮૨ સીટ્સ પર કેન્ડિડેટ્સ ઉભા કરે તેવી શકયતા છે. શંકરસિંહ વાઘેલા ભાજપમાં નથી જોડાયા પરંતુ તેમના કારણે કોંગ્રેસનું ગણિત બગડવાની પુરી શકયતા છે. જન વિકલ્પ મોરચાને કારણે કોંગ્રેસ અને ભાજપ બન્નેને નુકસાન પહોંચી શકે છે.

Source :-http://www.akilanews.com/27092017/gujarat-news/1506487775-63919

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App





 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application






Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ
 

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/
 
 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

અનામત (Anamat) Live News Click Here - વિજયની આશા ઓછી છે, અનામત પ્રશ્ન નહીં ઉકેલાયઃ હાર્દિક પટેલ - GST રજિસ્ટ્રેશનમાં વધારો, પરંતુ રિટર્ન્સ ફાઇલિંગમાં ઘટાડો

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
 
વિજયની આશા ઓછી છે, અનામત પ્રશ્ન નહીં ઉકેલાયઃ હાર્દિક પટેલ
રાજ્ય સરકાર સાથેની મીટીંગમાં હું નહીં જોડાવઃ પાસના કન્વીનરો અને આગેવાનો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાથે બપોર બાદ મીટીંગમાં જોડાશે
વિજયની આશા ઓછી છે, અનામત પ્રશ્ન નહીં ઉકેલાયઃ હાર્દિક પટેલ
   રાજકોટ, તા. ૨૬ :. પાટીદારોને અનામત આપવાની માંગણી સાથે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ પાટીદાર અનામત આંદોલનનો અંત લાવવા આજે રાજ્ય સરકાર સાથે પાટીદાર સમાજના આગેવાનો અને પાસના કન્વીનરોની મીટીંગ યોજાઈ છે. આજે બપોરે ૨ વાગ્યે ગાંધીનગર ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં આ મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ છે.
   પાસના કન્વીનર અને અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, આ મીટીંગમાં હું જોડાઉ પરંતુ પાસના કન્વીનરો અલ્પેશભાઈ કથીરીયા, દિનેશભાઈ બાંભણીયા, લલિતભાઈ વસોયા, વરૂણભાઈ પટેલ, કીરીટભાઈ પટેલ, મનોજભાઈ પનારા, ઉદયભાઈ પટેલ, અમિતભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, ધાર્મિકભાઈ માલવીયા, નિરવ પટેલ, હસમુખભાઈ પટેલ, જીતુભાઈ પટેલ, અભિક પટેલ, રેશ્મા પટેલ, ગીતાબેન પટેલ, અતુલભાઈ પટેલ, રવિ પટેલ સહિતના જોડાનાર છે.
   હાર્દિક પટેલે જણાવ્યુ કે, આ મીટીંગમાં અમારો ૪૦ ટકા વિજય થવાની શકયતા છે અને સરકાર પાટીદારોને અનામત આપવાની માંગણી નહી સ્વીકારે પરંતુ અમારી અન્ય માંગણીઓ સ્વીકારી   લેશે તેવી આશા છે.(૨-૭)
   રાજકોટમાં ઐતિહાસિક  રોડ-શોઃ ત્રીજીએ મીટીંગ
   રાજકોટ, તા. ૨૬ :. અનામત આંદોલનના પ્રણેતા અને પાસના કન્વીનર હાર્દિક પટેલે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે આગામી સમયમાં રાજકોટમાં ઐતિહાસિક રોડ શોનું આયોજન કરવામાં આવશે.
   આ માટે તા. ૩ ઓકટોબરના રોજ હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં પાસના કન્વીનરો અને પાટીદાર સમાજના આગેવાનોની અધ્યક્ષતામાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા રોડ-શોની તારીખ નક્કી કરવામાં આવશે.(૨-૭)

Source :-http://www.akilanews.com/26092017/gujarat-news/1506414595-63879

અનામત (Anamat) Live News Click Here

Source :-http://wwitv.com/tv_channels/b6884-Sandesh-News.htm

અનામત (Anamat) Live News Click Here

Source :-http://abpasmita.abplive.in/live-tv/

સરકાર - પાટીદારોની બેઠક શરૃઃ પરિણામ કે ફિયાસ્કો? ઉત્તેજના

પાસના હાર્દિક પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિતઃ ચૂંટણી પૂર્વે પાટીદારોને રાજી કરવા સરકારના પ્રયત્નોઃ પાટીદાર આયોગ, વળતર, દમનની તપાસ માટે સરકાર તૈયાર થાય તેવી શકયતા
   રાજકોટ તા. ૨૬ : છેલ્લા અઢી વર્ષથી રાજ્ય સરકાર અને ભાજપની ઉંઘ ઉડાડી દેનાર પાટીદાર અનામત આંદોલનના ચળવળકારો સાથે રાજ્ય સરકારે બેઠક હાથ ધરી છે. બેઠક પૂર્વે જ પાટીદારોની જીત થઇ હોવાનું જણાય છે. રાજ્ય સરકારે બેઠકમાં એકપણ રાજકીય નેતાને હાજર નહી રાખવાનો નિર્ણય કર્યો છે.
   વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ઓકટોબરમાં થવાની છે ત્યારે ભાજપ સરકાર માટે છેલ્લા બે વર્ષથી માથાના દુઃખાવા સમાન બની રહેલા પાટીદાર અનામત આંદોલનનો અંત લાવવા આજે પાટીદારોની ટોચની સંસ્થાઓ સાથે સરકારની મહત્વની બેઠક યોજાશે જેમાં પાસ-એપીજીના પ્રતિનિધિઓને ભાગ લેવા આમંત્રણ અપાયું છે. આ બેઠકમાં સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલનનો અંત આવે તે રીતે તેમને રિઝવવા માટે તમામ પ્રયાસો કરાશે. પાટીદાર આંદોલનકારીઓની ચાર મુખ્ય માગણી પર ચર્ચા-વિચારણા કરાશે. જેમાં પાટીદાર આયોગની માગણી સ્વીકારવી, આંદોલનમાં મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને વળતર અને જીએમડીસી ગ્રાઉન્ડમાં પોલીસ દમન અંગે તપાસની માગણી પર સીટ કે સમિતિની રચના જેવી તૈયારી પણ સરકાર બતાવી શકે છે.
   નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વડપણ હેઠળ સ્વર્ણિમ સંકુલ-૨ના પાવાગઢ હોલમાં બપોરે બે વાગે બેઠક યોજાઇ રહી છે. બેઠક પૂર્વે ભારે ઉત્તેજના વ્યાપી છે. બેઠકમાં છ મુખ્ય સંસ્થા ઉમિયા માતા ટ્રસ્ટ-ઊંઝા, ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ, રાજકોટ ઉમિયા માતા મંદિર, સિદસર, સમસ્ત પાટીદાર સમાજ-સુરત, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમદાવાદ અને પાસ-એસપીજીના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે. નીતિનભાઇ અગાઉ પણ આંદોલનનું યોગ્ય નિરાકરણ આવે તે માટે તમામ મુદ્દે પ્રતિનિધિઓ સાથે સરકાર હકારાત્મક રીતે ચર્ચા કરવા તૈયાર છે તેમ કહી ચૂકયા છે. જો કે બેઠકમાં પાસ-એસપીજીના પ્રતિનિધિઓ ભાગ લેવા આવે છે કે નહીં તેની પણ અનિશ્વિતતા છે.
   પાટીદાર સમાજની જે ચાર મુખ્ય માગણી છે તેમાં પાટીદારોને બંધારણીય રીતે અનામત આપવાની માગ છે તે શકય નથી કારણકે ૫૦ ટકાથી વધુ અનામત ન હોવી જોઇએ તેવા કોર્ટના ચૂકાદા છે. ભૂતકાળમાં પાટીદાર સહિતના બિનઅનામત આર્થિક રીતે પછાત વર્ગને ભાજપ સરકારે જ ૧૦ ટકા અનામત આપી હતી તેને કોર્ટે રદબાતલ ઠરાવી દીધી હતી. તે જોતા અન્ય માગણીઓ અંગે સરકાર વિચારણા કરવાનું કે ખાતરી આપવાનું બેઠકમાં કહી શકે છે. જેમાં જીએમડીસી ગ્રાઉન્ડ સહિત પાટીદારો પર જે પોલીસ અત્યાચાર હોવાનો આક્ષેપ કરાયો છે તેમાં તપાસ કરાવવા સીટ કે અન્ય રીતે સમિતિ બનાવીને તપાસની ખાતરી આપે તેવી શકયતા છે. આંદોલનમાં મૃત્યુ પામ્યા છે તે યુવકોના પરિવારજનોને આર્થિક રીતે સહાય આપવા પણ સરકારે વિચારણા કરી છે. તે ઉપરાંત પાટીદારો માટે અલગ આયોગ બનાવવા કે સવર્ણ સહિતના વર્ગને ફાયદો થાય તે રીતે પણ કોઇ મોટી જાહેરાત કરવા સરકાર દ્વારા ઓફર કરવામાં આવે તેવી સંભાવના છે. બેઠકમાં ભાજપના પ્રદેશપ્રમુખ જીતુભાઇ વાઘાણી સહિત અન્ય અગ્રણીઓ પણ બેઠકમાં ભાગ લેવાના છે.
   એકતરફી જાહેરાત સામે બહિષ્કાર કરાશેઃ પાસ
   પાસના અગ્રણી દિનેશ બાંભણિયાએ મીટીંગમાં ભાગ લેવા માટે પાસની બેઠક બાદ જણાવ્યું હતું કે, આંદોલનનો અંત આવે તે માટે જ સરકાર સાથે મીટીંગ કરવા તૈયારી છે પરંતુ જો સરકાર અમને સાંભળશે નહીં અને એકતરફી જાહેરાત કરશે તો બેઠકનો બહિષ્કાર કરવામાં આવશે. જે લોકો સક્રિય રીતે આંદોલનમાં જોડાયા હોય તેમની વાત સાંભળવી પણ જરૂરી છે. એસપીજી તરફથી અગ્રણી પૂર્વિન પટેલે જણાવ્યું હતું કે, સમાજનું હિત જળવાતું હોય તો બેઠકમાં ભાગ લેશે.

Source :-http://www.akilanews.com/26092017/gujarat-news/1506423480-63881

સ્વર્ણિમ સંકુલના ગેટ ઉપર સિકયોરીટી જવાનોએ રોકતા હાર્દિક પટેલ સહિત પાસના આગેવાનો પાછા ફર્યા ! રકઝક બાદ સરકારે મનાવ્યા : ફરી બેઠકમાં જવા રવાના

સ્વર્ણિમ સંકુલના ગેટ ઉપર સિકયોરીટી જવાનોએ રોકતા હાર્દિક પટેલ સહિત પાસના આગેવાનો પાછા ફર્યા ! રકઝક બાદ સરકારે મનાવ્યા : ફરી બેઠકમાં જવા રવાના   હવે પછી સરકાર વ્યવસ્થા કરશે તો જ બેઠક કરશુ : અપમાનિત થયાની લાગણી : દરમિયાન પાસના કન્વીનર દિનેશ બાંભણીયાએ કહ્યુ છે કે જો અમારી માંગણીઓ પૂરી થશે તો અમે ભાજપના એજન્ટ બનીશુ

 

Source :-http://www.akilanews.com/26092017/gujarat-news/1506423435-63880

GST રજિસ્ટ્રેશનમાં વધારો, પરંતુ રિટર્ન્સ ફાઇલિંગમાં ઘટાડો
વેપારીઓ ટેકિનકલ ક્ષતિઓને વધુ જવાબદાર માને છે

   નવી દિલ્હી તા.ર૬ :.. જીએસટી રજિસ્ટ્રેશનમાં વધારો થઇ રહ્યો છે, પરંતુ રિટર્ન્સ ફાઇલિંગમાં ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટ મહિનામાં આવું ચિત્ર જોવા મળ્યું હતું જેનું એક કારણ ટેકિનકલ ખામીઓ હતું અને બીજું કરદાતાઓ માટે  સરકારે લેટ ફાઇલિંગ પર પેનલ્ટી માફ કરવાની જાહેરાત કરી હોવાથી કરદાતાઓ એનો લાભ ઉઠાવી રહ્યા હોવાનું પણ કહેવાતું હતું.
   ઓગસ્ટમાં ૬૭ લાખથી વધુ લોકોએ રિટર્ન્સ ફાઇલ કરવા જોઇતાં હતાં જેની સામે માત્ર ૩પ લાખ લોકોએ રિટર્ન્સ ફાઇલ કર્યા હતાં. જો કે જીએસટી નેટવર્ક પોર્ટલના ડેટા મુજબ ૮૭ લાખ જેટલાં રજિસ્ટ્રેશન થયા છે. આમાં એકસાઇઝ, સર્વિસ - ટેકસ અને સ્ટેટ વેટમાંથી માઇગ્રેટ થયેલા ૬૭ લાખ સામે નવા રપ લાખ બિઝનેસ રજિસ્ટર્ડ થયા હતાં.
   જુલાઇમાં ૪પ લાખ પાત્ર કરદાતાઓ સામે ૩૬ લાખ લોકોએ રિટર્ન્સ ફાઇલ કરીને જીએસટી જમા કરાવ્યો હતો જેમાં સરકારને ૯ર,૦૦૦ કરોડની આવક થઇ હતી. જો કે ર૦ સપ્ટેમ્બર ઓગસ્ટનાં રિટર્ન્સ ફાઇલ કરવાની અંતિમ તારીખ હતી, જેમાં મહત્તમ રજિસ્ટર્ડ ડીલરો રિટર્ન્સ ફાઇલ કરી શકયા નહોતાં. જેનું  કારણ ટેકનીકલ મુશ્કેલીઓ જણાવવામાં આવી હતી. જોકે જીએસટી નેટવર્કના સંચાલકોએ સીસ્ટમ પૂર્ણપણે સજ્જ હોવાનું જણાવ્યું હતું, પણ વેપારી-વર્ગ આ સીસ્ટમથી સંતોષ પામી શકયા નહોતાં. હવે સરકાર આ વિષયમાં ગંભીર પ્રયાસ કરી રહી હોવાનું જાણવા મળે છે.

Source :-http://www.akilanews.com/26092017/main-news/1506406384-114877

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App




 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application





Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ
 

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/
 
 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/