સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday 9 July 2016

રાજદ્રોહના ગુનામાં હાર્દિક પટેલના જામીન હાઇકોર્ટે મંજૂર કર્યા - 'થઇ ગયું તે થઇ ગયું' તેમ કહી ડો. જયેશ પટેલે ગુનો કબુલી લીધો - ગુજરાતમાં સરેરાશ ૧૨.૪૨ ટકા જેટલો વરસાદ થયો છે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

રાજદ્રોહના ગુનામાં હાર્દિક પટેલના જામીન હાઇકોર્ટે મંજૂર કર્યા

- પાટીદાર અનામત આંદોલન અંગે અમદાવાદ અને સુરત પોલીસે નોંધેલા

- છ માસ માટે ગુજરાત બહાર રહેવું પડશે

વિસનગરનો કેસ બાકી હોઇ જેલમાંથી ૧૧ મી પછી બહાર નીકળશે
અમદાવાદ,શુક્રવાર
પાટીદાર અનામત આંદોલન દરમ્યાન થયેલા તોફાનો અને ભડકાઉ ભાષણ આપવા સહિતની હરકતો અંગે અમદાવાદ અને સુરત પોલીસે હાર્દિક પટેલ સામે નોંધેલા રાજદ્રોહના ગુનામાં જામીન અરજી મંજૂર કરી છે. હાર્દિકે ગુજરાત બહાર રહેવાની આપેલી બાંયેધરીના સંદર્ભમાં કોર્ટે છ માસ માટે ગુજરાત બહાર રહેવાની શરતે જામીન મંજૂર કર્યા છે. જો કે હાર્દિક સામે વિસનગરના કેસ બાકી હોઇ તેની જામીન અરજી ૧૧મી એ નિયત થઇ હોવાથી તે હાલમાં જેલમાંથી બહાર આવશે નહીં.
જસ્ટિસ એ.જે.દેસાઇ આજે બપોર બાદ ભરચક કોર્ટમાં હાર્દિકના જામીન મંજૂર કરવામાં આવ્યા હોવાનો ચુકાદો જાહેર કર્યો હતો. તે સાથે હાર્દિકના સમર્થકોમાં ખુશાલી છવાઇ ગઇ હતી. કોર્ટે હાર્દિકને અમદાવાદ અને સુરતના રાજદ્રોહના ગુનામાં શરતી જામીન મંજૂર કર્યા હોવાની જાહેરાત કરી હતી અને નવેસરથી બાંયેધરી આપવા ફરમાન કર્યું હતું. હાર્દિકને જામીન મંજૂર કરવાના હુૂકમમા તેણે છ માસ સુધી ગુજરાતની બહાર રહેવાની શરતનો સમાવેશ થાય છે. અન્ય શરતો જામીન અરજીની સુનાવણી દરમ્યાન તેણે આપેલી બાંયેધરી મુજબની છે.જેમાં ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉદ્દભવે તેવી પ્રવૃત્તિથી દૂર રહેવાનો સમાવેશ થાય છે.
અમદાવાદ અને સુરતમાં દાખલ કરવામાં આવેલા રાજદ્રોહના ગુનામાં ઓગસ્ટ ૨૦૧૫ થી જેલમાં છે. તેની જામીન અરજી અમદાવાદ અને સુરતની સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. આથી તેણે હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી અને જામીન અરજીની સુનાવણી દરમ્યાન અન્ય બે આરોપીઓને જે શરતે જામીન પર મુક્ત કર્યા છે તેવી બાંયેધરી પણ આપવાની તૈયારી બતાવી હતી.
જો કે રાજ્ય સરકારે તેની જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને જામીન આપવામાં આવશે તો ફરીથી એ જ પ્રકારના ગુનાઓ આચરવાની સંભાવના રહેલી છે. તેમજ કાયદો અને વ્યવસ્થાના સ્થિતિમાં પણ પ્રશ્નો ઉભા થઇ શકે તેવી દહેશત છે.ઉપરોક્ત બન્ને ગુનાઓમાં હાઇકોર્ટે તેના જામીન મંજૂર કર્યા છે. પરંતુ વિસનગરના કેસમાં તેની જામીન અરજીની સુનાવણી બાકી છે. જ ૧૧ મી જુલાઇ પર નિયત થઇ છે. હાઇકોર્ટ આ જામીન અરજી માન્ય રાખે તે પછી તેનો છૂટકરો થશે અને જામીન પર જેલમાંથી બહાર આવશે.

હાર્દિક સામેના કેસની ટ્રાયલ નજીકના ભવિષ્યમાં પૂરી થવાની સંભાવના નથી
અરજદારે જ બાંયધરી આપી હોેઇ જામીન આપવા માટે યોગ્ય કેસ :કોર્ટ

અમદાવાદ,શુક્રવાર
રાજદ્રોહના આરોપસર પકડાયેલા પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને હાઇકોર્ટે આજે રૃા.૫૦ હજારના જામીન પર મૂક્ત કરવાનો હુકમ કર્યો છે. હાર્દિકને શા માટે જામીન પર છોડવો જોઇએ તે માટે જસ્ટિસ એ.જે.દેસાઇ કેટલાક અગત્યાના તારણો નોંધ્યા છે.
(૧) જામીન અરજીની સુનાવણી દરમ્યાન તેણે છ માસ માટે ગુજરાત બહાર રહેવાની તૈયારી બતાવી છે.
(૨) તેની સામે સુરત અને અમદાવાદમાં નોંધાયેલા રાજદ્રોહના કેસ નજીકના ભવિષ્યમાં પૂરાં થઇ શકે તેમ નથી. સુરતના કેસમાં ૧૪૮ સાક્ષીઓ છે. અમદાવાદના કેસમાં ૫૦૩ સાક્ષીઓ છે. આરોપી ઓક્ટોબર ૨૦૧૫ થી જેલમાં છે.
(૩) અરજદાર જામીન પર છૂટયા પછી એ જ પ્રકારના ગુનાઓનું પુનરાવર્તન કરશે તેવી સંભાવનાઓ સૂચવતા કોઇ પુરાવાઓ રજૂ થયા નથી.
(૪) તેની સાથેના આ જ કેસોમાં અન્ય ત્રણ આરોપીઓને જામીન પર મૂક્ત કરવામાં આવ્યા છે. તે સંજોગોમાં અરજદારને જેલમાં રાખી શકાય નહીં.
(૫) આ કેસમાં સાક્ષીઓ સાથે ચેડાં થવાનો કે ધમકી આપવાનો કોઇ પ્રશ્ન નથી. કારણ કે ફરિયાદી જ નાયબ પોલીસ કમિશનર કે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર દરજ્જાના અધિકારીઓ છે. સાક્ષીઓ પોલીસ અધિકારી છે અથવા તો સરકારી અધિકારી છે.
(૬) રાજદ્રોહના આરોપ અંગે રજૂ કરાયેલી સામગ્રી ટીવી ઇન્ટરવ્યૂ, એપ્પસ વગેરે જોઇ છે. પરંતુ આ સમગ્ર બાબત એફઆઇઆર રદ્દ કરવાનો મામલો સુપ્રીમકોર્ટની વિચારણા હેઠળ છે.
આરોપીને જામીન પર છોડવા માટેનો યોગ્ય કેસ હોવાનું ઠરાવીને નીચે મુજબની શરતો મૂકી છે.
૧. દરેક કેસમાં રૃા. ૫૦ હજારના બોન્ડ આપવા. ૨૫-૨૫ હજારના બે વ્યક્તિઓના જામીન આપવાના રહેશે.
૨. સ્વતંત્રતાનો દુરપયોગ કરવો નહીં કે ગેરલાભ ઉઠાવવો નહીં.
૩. પ્રોસીક્યુશનને અસર થાય તે રીતે ન વર્તવુ.
૪. ટ્રાયલકોર્ટ સમક્ષ છ માસ માટે ગુજરાત બહાર રહેવા અંગેની બાંયેધરી રજૂ કરવી.
૫. ઇન્વેસ્ટિગેશન એજન્સીએ જે તે સ્થાનિક પોલીસને તેની જાણકારી આપવી.
૬. જવાબદાર અધિકારીએ ગુજરાત બહાર તે જ્યાં રહેવાનો હોય ત્યાં સુરક્ષિત પહોંચે તે માટે યોગ્ય પગલાં ભરવા.
૭. અરજદારે જે તે સ્થાનિક પોલીસ સમક્ષ દર મહિનાના સોમવારે હાજરી ભરાવવી.
૮. પાસપોર્ટ હોય તો કોર્ટમાં જમા કરાવવો.
૯. ગુજરાતમાં પ્રવેશ્યા પછી ટ્રાયલ પૂરી ન થાય ત્યાં સુધી દર સોમવારે અમદાવાદમાં અને દર ગુરૃવારે સંબંધિત પોલીસ મથકે હાજરી ભરાવવી.
૧૦. કોર્ટની પરવાનગી વગર રહેઠાણના સરનામામાં ફેરફાર કરવો નહીં.
 

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-hardik-patel-granted-bail-by-the-high-court-treason-charges

'થઇ ગયું તે થઇ ગયું' તેમ કહી ડો. જયેશ પટેલે ગુનો કબુલી લીધો

- રેન્જ આઇ.જી. અને ડી.એસ.પી. કહે છે

- બીજી વખતના રિમાન્ડ પછી પોલીસની કડક પૂછપરછમાં ડો. જયેશ પટેલ માનસિક રીતે ભાંગી પડયો હતો

(પ્રતિનિધિદ્વારા)   વડોદરા,શુક્રવાર
પારૃલ યુનિવર્સિટીની નર્સીંગની વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજારવાના કેસમાં બીજી વખત રિમાન્ડ મળતા ડો. જયેશ પટેલ ગઇકાલે પૂછપરછ દરમિયાન ભાંગી પડયો હતો અને છેવટે પોતાના ગુનાની કબૂલાત કરી લીધી છે. જોકે, અચાનક સવારે તેની તબિયત બગડતા વિગતવાર નિવેદન લઇ શકાયુ નથી.

આ અંગેની વિગત એવી છે કે, પારૃલ યુનિવર્સિટીમાં નર્સીંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં નાટયાત્મક ઢબે પકડાયેલા પારૃલ યુનિવર્સિટીના પૂર્વ ચેરમેન ડો. જયેશ પટેલે અત્યાર સુધી પોલીસને ગોળ-ગોળ ફેરવી હતી. પરંતુ ગઇકાલે ડો. જયેશ પટેલના વધુ ત્રણ દિવસના રિમાન્ડ સેશન્સ કોર્ટે મંજૂર કર્યા ત્યારબાદ જિલ્લા પોલીસે ગઇકાલ સાંજથી તેની ઘનિષ્ઠ પૂછપરછ શરૃ કરી હતી. ગઇકાલે રાત્રે અને ત્યારબાદ આજે સવારે પણ પોલીસે તેની પૂછપરછ કરી હતી. પરંતુ, ડૉ. જયેશ પટેલના અગાઉના વર્તન અને ગઇકાલના વર્તનમાં ઘણો તફાવત દેખાયો હતો. અને છેવટે માનસિક રીતે ભાંગી પડેલા ડૉ. જયેશ પલેટે ''થઇ ગયુ તે થઇ ગયુ તેમ કહી. પોતાનો ગુનો કબૂલી લીધો હોવાનું ડી.એસ.પી. એ તેમજ રેેન્જ આઇ.જી.એ જણાવ્યું છે.

જોકે, ત્યારબાદ તેનું વિગતવાર નિવેદન લેવાનું હતું. પરંતુ અચાન ડૉ. જયેશ પટેલની તબિયત બગડતા તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. આવતીકાલે હોસ્પિટલમાંથી રજા આપ્યા પછી તેનું વિગતવારનું નિવેદન લેવામાં આવશે તેવું ડીએસપીએ જણાવ્યું છે.

LCB પી.આઇ.નું આશ્ચર્યજનક વલણ
ડૉ. જયેશ પટેલે પોતાના ગુનાની કબૂલાત કરી નથી
પીઆઇ ચૌધરી અગાઉ પણ આ ચર્ચાસ્પદ કેસની વિગતો આપવાનું ટાળતાં હતાં


(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શુક્રવાર
ડૉ. જયેશ પટેલના કેસનીતપાસ કરતા એલ.સી.બી. પીઆઇ કે.જે. ચૌધરી આ કેસની માહિતી આપવાનું કોઇક કારણોસર શરૃઆતથી જ ટાળી રહ્યા છે. આજે પણ ડો. જયેશ પટેલે પોતાના ગુનાની કબૂલાત કરી છે ? તેવું પૂછતાં તેમણે આ બાબતે જણાવ્યું હતું કે ડો. જયેશ પટેલે ગુનાની કબૂલાત કરી નથી. જયારે બીજી તરફ ડીએસપી અને રેન્જ આઇ.જી.એ પત્રકારોને જણાવ્યું હતું કે ડો. જયેશ પટેલેગુનાની કબૂલાત કરી છે.

સમગ્ર રાજયમાં ચકચાર જગવાનાર આ કેસની તપાસ શું વિગતો બહાર આવી? તે જાણવાની ઇંતેજારી સૌ કોઇને હોય તે સ્વાભાવિક છે. તેવા સંજોગોમાં કેસની તપાસ અધિકારી અને એલ.સી.બી પીઆઇ કે.જે. ચૌધરીનું આવું વલણ આશ્ચર્ય પમાડનારૃ છે.

આ વાત પરથી એવી પ્રતિતિ થાય છે કે ડો. જયેશ પટેલના ચકચાર ભર્યા કેસનીતપાસમાં જિલ્લા પોલીસ વચ્ચે જ સંકલનનો અભાવ છે.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/jayesh-patel-gujarat-baroda-rape-crime
 

ગુજરાતમાં સરેરાશ ૧૨.૪૨ ટકા જેટલો વરસાદ થયો છે

- ચાર તાલુકામાં વરસાદનો છાંટો પણ પડયો નથી

- આગામી ત્રણ દિવસ માત્ર હળવા ઝાપટાંની આગાહી

અમદાવાદ, શુક્રવાર
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ જેમ ખેંચાતો જાય છે તેમ ચિંતાના વાદળો વધુને વધુ ઘેરા બની રહ્યા છે. હવામાન ખાતાની આગાહીને વિશ્વસનીય ગણવામાં આવે તો અમદાવાદમાં આગામી ચાર થી પાંચ દિવસ માત્ર હળવા વરસાદની સંભાવના છે. વર્તમાન સિઝનમાં અમદાવાદ શહેરમાં કુલ ૧.૨૫ ઈંચ જયારે અમદાવાદ જિલ્લામાં સરેરાશ ૦.૬૬ ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ ગત વર્ષે ૮ જુલાઇ સુધી અમદાવાદ શહેરમાં ૬.૩૩ ઈંચ અને અમદાવાદ જિલ્લામાં સરેરાશ ૪.૬૪ ઈંચ વરસાદ પડી ચૂક્યો હતો.
આ વર્ષે સમગ્ર ગુજરાતમાં હજુ સુધી સરેરાશ ૧૨.૪૨% વરસાદ નોંધાયો છે. વધુ ચિંતાની વાત એ છે કે રાજ્યના ચાર તાલુકામાં હજુ સુધી સહેજપણ વરસાદ પડયો નથી. બીજી તરફ ગત વર્ષે ૮ જુલાઇ સુધી માત્ર એક તાલુકામાં સહેજપણ વરસાદ પડયો નહોતો. આ વર્ષે અત્યારસુધી ૯૫ તાલુકામાં ૫૦ મી.મી, ૭૯ તાલુકામાં ૫૧ થી ૧૨૫ મી.મી., ૫૩ તાલુકામાં ૧૨૬ થી ૨૫૦ મી.મી. સુધી વરસાદ નોંધાયો છે. ગત વર્ષે કચ્છ જિલ્લામાં સરેરાશ ૨.૩૨ ઈંચ વરસાદ પડયો હતો જ્યારે આ વખતે માત્ર ૦.૫૧ ઈંચ વરસાદ નોંધાયો છે.
વરસાદ ખેંચાવવા અંગે હવામાન વિભાગ પાસે પણ કોઇ સ્પષ્ટ જવાબ નથી. હવામાન શાસ્ત્રીઓનું માનવું છે કે પૂર્વ ઉતર પ્રદેશ ડિપ્રેશન સિસ્ટમ છવાઇ હતી જે નબળું પડી લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે. ઓફસર ટ્રફ હાલમાં કેરળથી કર્ણાટક સુધી સક્રિય છે. જે આગામી દિવસોમાં સક્રિય બનતા દક્ષિણ ગુજરાતમાં ચોમાસું લાવી શકે છે.
 
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-gujarat-is-12-42-per-cent-of-the-average-rainfall
 


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment