સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 6 July 2016

અમદાવાદમાં રથયાત્રાની શરુઆત ઇસ 1878માં થઇ હતી - બાળકનું પિતૃત્વ જાણવા માટે ગુજરાતમાં ૧૦૦થી વધુ DNA ટેસ્ટ કેન્દ્રો!

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

અમદાવાદમાં રથયાત્રાની શરુઆત ઇસ 1878માં થઇ હતી

- રથયાત્રાની શરુઆત મંદિરના મહંત નરસિંહદાસજી મહારાજે કરી હતી

- જમાલપુરના જગન્નાથ મંદિરનો પણ પ્રાચિન ઇતિહાસ છે,

અમદાવાદ, તા. 6 જુલાઈ 2016
અમદાવાદમાં રથયાત્રાએ સૌથી મોટો લોકપર્વ છે. જેની સ્વયંભૂ અને સ્વયં શિસ્તથી લાખો લોકો ઉજવણી કરે છે. જમાલપુરમાં આવેલું જગન્નાથ મંદિર તેની આગવી ઓળખ બન્યુ છે. રથયાત્રાના દિવસે તમામ રસ્તાઓ મંદિર તરફ જતા હોય તેવો માહોલ જામ્યો છે.
ઓરિસ્સા રાજયના જગન્નાથપુરીમાં નિકળતી રથયાત્રા પછી વિશાળ પાયા પર આયોજન ધરાવતી ભારતની બીજા નંબરની રથયાત્રા છે. જમાલપુરના જગન્નાથ મંદિરનો પણ પ્રાચિન ઇતિહાસ છે. રથયાત્રાની શરુઆત મંદિરના મહંત નરસિંહદાસજી મહારાજે ઇસ 1878માં કરી હતી.

એવું માનવામાં આવે છે કે 400 વર્ષ પહેલા એ સાધુ સાબરમતીના પટમાં રહેતા હતા. તેઓ હનુમાનજીના પરમ ભકત હતા. આ સાધુ ચમત્કારી હોવાથી બિમાર માણસને મોતના મુખમાંથી પાછા લાવ્યા હતા. આથી લોકોએ મહાત્માને અહીંયા જ રોકાઇ જવા આગ્રહ કર્યો હતો. હનુમાનભકત સાધુએ લોકોની વિનંતીને માન આપીને રોકાણ કર્યું હતું. તેમણે હનુમાનજીનું મંદિર બનાવીને સેવા પૂજા કરવા માંડી હતી, દાયકાઓ પસાર થયા પછી આ સાધુની શિષ્ય પરંપરાના જ શિષ્ય સારંગદાસજી મહારાજે પણ લોકોમાં ભારે ચાહના મેળવી હતી.ગુરુ શિષ્યની ગૌરવશાળી પરંપરાના નરસિંહદાસજી મહારાજને પણ લોકો ખૂબજ માનતા હતા,

કહેવાય છે કે આ નરસિંહદાસજી મહારાજને સપનું આવ્યું જેમાં જગન્નાથ ભગવાને અહીં ભાઇ બળદેવ,બહેન સુભદ્રા તથા પોતાનું મંદિર બનાવો તેવી વાત કરી હતી. પોતાને આવેલા આ સપનાની વાત મહંતે જયારે ગામ લોકોને કરી ત્યારે લોકોએ ઉત્સાહથી આ વાતને વધાવી લીધી હતી.આ સાથે જ પુરીના જગન્નાથ ભગવાનની અમદાવાદમાં પધરાણી કરવામાં આવી હતી. ત્યાર પછી ભગવાન નગરચર્યાએ નિકળે એ પરંપરાની શરુઆત ઇસ 1878માં થઇ હતી જે આજે પણ યથાવત છે. સમય અને સંજોગોના બદલાયેલા પ્રવાહ વચ્ચે પણ રથયાત્રા અમદાવાદની આગવી ઓળખ તરીકે પ્રસ્થાપિત થઇ છે. જય રણછોડ,માખણચોરના નાદ સાથે જ જણ જણમાં તેનો અહેસાસ થાય છે.

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની ૧૩૯મી ભવ્ય રથયાત્રા

- અર્ધ લશ્કરી દળ સહિત જડબેસલાક સુરક્ષા વચ્ચે

- સવારે ૭.૦૫ કલાકે પરંપરાગત રૃટ પર રથયાત્રાનો પ્રારંભ થશે

મુખ્યમંત્રીના હસ્તે પહિંદ વિધિ બાદ સવારે ૭.૦૫ કલાકે પરંપરાગત રૃટ પર રથયાત્રાનો પ્રારંભ થશે
અમદાવાદ, મંગળવાર       
જમાલપુર જગન્નાથ મંદિરેથી આજે બુધવારે જડબેસલાક સુરક્ષા વચ્ચે ભગવાન જગન્નાથજીની ૧૩૯મી રથયાત્રા સવારે ૭.૦૫ કલાકે નીકળશે. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે પહિંદ વિધિ કર્યા બાદ જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નારા સાથે રથયાત્રા પરંપરાગત રૃટ પર પ્રયાણ કરશે. અમદાવાદના નગરજનોને દર્શન આપીને ભગવાનની રથયાત્રા રાત્રે ૮.૩૦ કલાકે નીજ મંદિરે પરત ફરશે. રથયાત્રા અને ઇદનો તહેવાર સાથે હોવાથી શહેરમાં અર્ધ લશ્કરી દળ સહિત ૧૪ હજાર જવાનોની જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
અષાઢ સુદ બીજને બુધવારે વહેલી સવારે ૪ વાગે મંગળા આરતી અને ૪.૩૦ વાગે મંદિરમાં વિશિષ્ટ ભોગ (ખિચડી, કોળા, ગવારફળીનું શાક અને દહી) ભગવાનને ધરાવાશે, સવારે ૫.૦૦ વાગ્યાથી ભગવાન જગન્નાથજીનો અતિપ્રિય આદિવાસી નૃત્ય અને રાસ ગરબા, સવારે ૬.૦૦ વાગે રથમાં ભગવાનનો પ્રવેશ અને ત્યારબાદ જમાલપુર જગન્નાથ મંદિરથી સવારે ૭.૦૫ કલાકે રથયાત્રાનો પ્રારંભ થશે.
રથયાત્રાના અગ્રભાગમાં શણગારે ૧૮ ગજરાજો હશે ત્યારબાદ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ૧૦૧ ટ્રકો તેમજ અંગ કસરતના પ્રયોગ કરતા ૩૦ અખાડા બાદ ૧૮ ભજન મંડળીઓ સાથે ત્રણ બેન્ડવાજા રહેશે. રથયાત્રામાં હરિદ્વાર, ્અયોધ્યા, જગન્નાથપુરી, નાસિક તથા સૌરાષ્ટથી આવેલા ૨૦૦૦ સાધુ સંતો ભક્તો ઉપરાંત ૧૨૦૦ જેટલા ખલાસી ભાઇઓ રથને દોરડાથી ખેંચશે.
રથયાત્રા પૂર્વે મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં આજે મંદિરમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા અને પૂજન વિધિ કરવામાં આવી હતી અને ભાવિક ભક્તોને સોનાવેશમાં ભગવાનના દર્શનનો લહાવો મળ્યો હતો.
સાંજે શાંતિ સમિતિના સભ્યો અને વિપક્ષ કોગ્રેસના નેતાઓ મંદિરની મુકાલાત લીધી હતી. ત્યારબાદ સાંજે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ દ્વારા ભગવાનની વિશિષ્ટ પૂજા અને મહાઆરતી કરવામાં આવી હતી. જ્યારે બુધવારે વહેલી સવારે ૪ વાગે જગન્નાથ મંદિરમાં ભગવાનની મંગળા આરતી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ ઉતારશે, જેમાં અતિથિ વિશેષ તરીકે અજયભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. જમાલપુર જગન્નાથ મંદિરમાં આજે દિવસ દરમિયાન ભગવાનના દર્શન કરવા મોટી સખ્યામાં ભાવિક ભક્તો ઉમટયા હતા.
 

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/in-1878-rathyatra-beganing-in-ahmedabad, http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-today-lord-jagannath-rath-yatra

 

બાળકનું પિતૃત્વ જાણવા માટે ગુજરાતમાં ૧૦૦થી વધુ DNA ટેસ્ટ કેન્દ્રો!

- મારું બાળક ખરેખર મારું જ છે કે કેમ? તપાસની વૈજ્ઞાનિક પદ્ધતિ

DNA ટેસ્ટ ૧૩થી ૧૫ હજાર રૃપિયામાં થઈ જતો હોવાથી શંકાનું સમાધાન કરવા લોકો ખર્ચ કરતાં અચકાતા નથી : લેબોરેટરીઓનો બિઝનેસ વધ્યો
અમદાવાદ, મંગળવાર
બાળક ખરેખર કોનું છે, એ જાણવાની જીજ્ઞાાસા આધુનિક ગુજરાતી સમાજમાં વધતી જાય છે. ખાસ તો પતિ-પત્નીના સબંધોમાં વિશ્વાસ ઘટી રહ્યો છે. એટલે ઘરમાં રમતા બાળકનો પિતા ખરેખર હું જ છું કે કેમ એવો સવાલ થતો હોય એવા પુરુષોની સંખ્યા વધતી જાય છે. થોડા દિવસ પહેલા જ રાજકોટમાં એક વ્યક્તિએ પોતાનો દીકરો ખરેખર પોતાનો નથી એવુ ધારીને તેનું ખુન કરાવી નાખ્યુ હતુું. ખુન થયું એટલે પારિવારિક અવિશ્વાસનો એ કિસ્સો બહાર આવ્યો, પણ બહાર ન આવ્યા હોય એવા કિસ્સાઓની ભરમાર છે.
બાળકનો પિતા કોણ છે એ ડીએનએ ટેસ્ટ દ્વારા જાણી શકાય છે. સદ્ભાગ્યે હવે મેડિકલ સાયન્સ ઘણું આગળ વધી ગયું છે. મેડિકલ સાયન્સનો લોકો હાલ તો પોતાની શંકાનું સમાધાન કરવા માટે ઉપયોગ કરી રહ્યાં છે. ગુજરાતમાં હાલ આવા ૧૦૦થી વધુ કેન્દ્રો છે, જે પિતૃત્વનું પરિક્ષણ કરી આપે છે. આ DNA ટેસ્ટનો ખર્ચ વળી સરેરાશ ૧૩થી ૧૫ હજાર જેટલો જ આવે છે. એટલે શંકાનું સમાધાન કરવા માટે લોકો એ રકમ ખર્ચતા અચકાતા નથી.
પેથોલોજી લેબોરેટરીની ચેઈન ધરાવતા ઘણા સેન્ટરો હવે ગુજરાતમાં પણ ખુલવા લાગ્યા છે. તેમનું એવુ કહેવું છે કે ડીએનએ ટેસ્ટની ડિમાન્ડ વધી રહી છે, માટે અમે હવે પેથોલોજી લેબોરેટરી સાથે ડીએનએ ટેસ્ટની સુવિધા પણ આપીએ છીએ. લેબોરેટરી સંચાલકોનું કહેવું છે કે માત્ર ભણેલા-ગણેલા કે શહેરીજનો જ નહીં દૂર-દરાજના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો ડીએનએ ટેસ્ટ માટે આવે છે.
માત્ર દાંપત્યજીવનના અવિશ્વાસને કારણે જ ટેસ્ટ થાય એવુંય નથી. જે દંપતિએ આઈવીએફ ટેકનીક દ્વારા બાળકને જન્મ આપ્યો હોય, એ લોકો પણ બાળકનું પિતૃત્વ જાણવા માટે આ ટેસ્ટ કરાવે છે. કેમ કે બેદરકાર ડોક્ટરો આવીએફ વખતે કદાચ સ્પર્મ બદલી નાખતા હોય અથવા ભુલથી બદલાઈ જતાં હોય તો બાળકના પિતા કોણ એ તપાસનો વિષય બને જ. ઉલ્લેખનીય છે કે ભારતમાં છેલ્લા વર્ષોમાં નિ:સંતાન દંપતિઓ આઈવીએફ પદ્ધતિ દ્વારા બાળકને જન્મ આપતાં થયા છે.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-test-centers-in-more-than-100-dna-paternity-to-a-child-


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment