સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 30 June 2016

સરકારે જાહેરાત કરી છતાં ખેડૂતોને ૧ ટકાની લોન મળતી નથી - પૃથ્વીની માફક જીવન શકય હોય તેવા ત્રણ ગ્રહો શોધાયા

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

સરકારે જાહેરાત કરી છતાં ખેડૂતોને ૧ ટકાની લોન મળતી નથી

- આનંદીબહેન સરકારની ભ્રામકતાની પરાકાષ્ટા

- લોન લેવા જતા ભૂમિપુત્રોને રાષ્ટ્રીયકૃત બેંકોના મેનેજરો એવો જવાબ આપે છે કે સરકારે અમને ફંડ મોકલ્યું જ નથી

અમદાવાદ, બુધવાર
ગુજરાત સરકાર દ્વારા થોડા મહિનાઓ પહેલા ખુબ જ મોટા ઉપાડે જાહેરાત કરી હતી કે ખેડૂતોને વ્યાજનું બહુ ભારણ ન પડે તે માટે એક ટકાના દરથી બેંકોમાંથી ધિરાણ અપાશે. પરંતુ ભાજપની આનંદીબહેન પટેલ સરકારની ભ્રામકતાની પરાકાષ્ટા હોય તેમ હજુ સુધી ખેડૂતોને ૧ ટકાનાં દરની લોનનો લાભ મળ્યો નથી.

ભૂમિપુત્રો બેંકમાં ૧ ટકાની લોન અંગે પૂછપરછ કરે ત્યારે મેનેજરો એવો જવાબ આપે છે કે સરકારે અમને કોઈ સૂચના આપી નથી કે ફંડ મોકલાવ્યું નથી.
SPG દ્વારા પાટીદારોનાં આંદોલનમાં સમાધાન કરવાના ભાગરૃપે લગભગ ૨૯ માગણીઓ કરાઈ હતી. જેમાં ખેડૂતોને ૧ ટકાના દરે પાક ધિરાણ આપવાની વાત મુખ્ય હતી. જોકે સરકારે આ માગણીને સ્વીકારી લીધાની સત્તાવાર જાહેરાતો પણકરી છે. તેમજ પ્રસિધ્ધિ મેળવવા માટે પ્રચાર માધ્યમોમાં જોરશોરથી તેની જાહેરાતો પણ આપી દીધી હતી.

માત્ર એક ટકાના દરે લોન મળવાની હોઈ હજારો ખેડૂતો જુદ જુદી રાષ્ટ્રીયકૃત બેંકમાં ગયા હતા. પરંતુ કોઇને પણ એક ટકાના દરથી લોન અપાઇ નથી. મોટાભાગનાં બેંક મેનેજરોએ ખેડૂતોને એવો જવાબ આપ્યો છે કે સરકાર દ્વારા હજુ સુધી આ અંગેની કોઈ જ સત્તાવાર જાણકારી આપી નથી. જો સરકારમાંથી ફંડ આવશે તો અમે ૧ ટકાના દરની લોન આપીશું.

સરકારની સત્તાવાર જાહેરાત હોવા છતાં બેંકો શા માટે ૧ ટકાના દરથી ધિરાણો નથી આપતી ? એવા પ્રશ્નનાં જવાબમાં રાષ્ટ્રીય કૃત બેંકના એક મેનેજરે જણાવ્યું કે, હાલમાં ત્રણ લાખ સુધીનું ધિરાણ અમે ૭ ટકાના દરથી ખેડૂતોને આપીએ છીએ. ૩ લાખથી વધુની રકમ પર ૯.૭૦ ટકા લેખે વ્યાજ લાગે છે. ખેડૂતે લીધેલી લોન એક વર્ષમાં ભરી દેવી પડે છે. અગાઉની યોજના મુજબ ખેડૂતોએ ભરેલા વ્યાજમાંથી બે તબક્કામાં પાંચ ટકા વ્યાજની રકમ માર્ચ, જૂન, સપ્ટેમ્બર કે ડિસેમ્બરમાં પરત આપી દેવામાં આવે છે.
પરંતુ સરકારે તાજેતરમાં ૧ ટકા લેખે લોન આપવાની જે જાહેરાત કરી છે તેનું ફંડ આવ્યા બાદ અમે ખેડૂતોને ૧ ટકાના દરથી ધિરાણ આપી શકીશું.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/anandi-patel-a-farmer-loans-by-the-government-of-gujarat

પૃથ્વીની માફક જીવન શકય હોય તેવા ત્રણ ગ્રહો શોધાયા

ટેલિસ્કોપની મદદથી ધૂંધળી ચમક ધરાવતા આ તારાઓને ટ્રેક કર્યા

આ ત્રણેય ગ્રહોનું અંતર પૃથ્વીથી ૩૯ પ્રકાશવર્ષ જેટલું છે

પરગ્રહો પર જીવસૃષ્ટીની શકયતા તપાસવા માટે અવકાશ વિજ્ઞાનીઓ વર્ષોથી પ્રયાસ કરી રહયા છે ત્યારે વૈજ્ઞાનિકોની આંતર રાષ્ટ્રીય ટીમે એવા ત્રણ ગ્રહ શોધી કાઢયા છે જેના પર પૃથ્વીની જેમ જીવન શકય છે.આજ સુધી માત્ર મંગળ ગ્રહ પર  જ જીવન શકય હોવાનું માનવામાં આવતું પરંતુ હવે તેમાં નવા ત્રણ ગ્રહોનો ઉમેરો થયો છે.આ ત્રણેય ગ્રહોનું અંતર પૃથ્વીથી ૩૯ પ્રકાશવર્ષ જેટલું છે.

સાયન્સ જર્નલ નેચરમાં પ્રકાશિત અહેવાલ મુજબ આકાર અને તાપમાનની દ્રષ્ટીએ આ ગ્રહોની તુલના પૃથ્વી અને શુક્ર સાથે થઇ શકે છે.શોધ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોનું માનવું છે પૃથ્વી ઉપરાંત પણ જીવનું અસ્તિત્વ શકય હોવાના પહેલીવાર રાસાયણીક પુરાવાઓ હાથ લાગ્યા છે.આ ગ્રહો પૃથ્વીથી ઘણા નજીક છે હોવાથી તેના પર જીવન નકારી શકાય તેમ નથી. વધુ સંશોધનો માટે વર્તમાન આધુનિક ટેકનોલોજિનો ઉપયોગ કરી આ ગ્રહોના વાતાવરણ અંગે જાણકારી મેળવવી જરુરી છે.આ શોધમાં જોડાયેલા અવકાશ વિજ્ઞાાની માઇકલ ગિલોન અને તેમની ટીમે ચિલીમાં ગોઠવવામાં આવેલા ૬૦ સેન્ટીમીટરના ટ્રેપિસ્ટ નામના ટેલિસ્કોપનો ઉપયોગ કર્યો હતો.આની મદદથી  ધૂંધળી ચમક ધરાવતા નાના ૧૨ તારાઓને ટ્રેક કર્યા હતા.જેને ખગોળ વિજ્ઞાાનની ભાષામાં ડવૉફ સ્ટાર્સ કહેવામાં આવે છે.
આ ડવૉફ સ્ટાર્સમાંથી ત્રણ નાના તારાઓ એવા તારવામાં આવ્યા જેના પર જીવન હોવાનું અનુમાન બાંધવામાં આવી રહયું છે.આકાર અને તાપમાન ઉપરાંત આ ગ્રહોની તરલ પાણીની સ્થિતિ પૃથ્વીને મળતી આવતી હોવાનું પણ માનવામાં આવે છે.આમ જીવસૃષ્ટી ધરાવતી પૃથ્વીને પણ પોતાના જેવા પાડોશી ગ્રહો મળે તેવી સંભવના હોવાનું સંશોધન થતા ખગોળ વિજ્ઞાાનમાં હલચલ પેદા થઇ છે.
  
Source:- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/new-satelite-found-like-a-earth

GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment