સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday 20 June 2016

ગુજરાતમાં આ વખતે ૧૧૩% વરસાદ પડશે : હવામાન વિભાગની આગાહી - પાટીદાર દીકરી પર બળાત્કાર છતાંયે આનંદીબેનનું ડૉ.જયેશને રાજકીય કવચ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ગુજરાતમાં આ વખતે ૧૧૩% વરસાદ પડશે : હવામાન વિભાગની આગાહી

- ગત વર્ષે ગુજરાતમાં ૮૧.૫% વરસાદ પડયો હતો

- વરસાદનું પ્રમાણ જુલાઇ- સપ્ટેમ્બરમાં સૌથી વધુ રહેશે જ્યારે ઓગસ્ટમાં નહિવત્

અમદાવાદ, રવિવાર
ગુજરાતમાં આ વખતે ચોમાસાના આગમનમાં વિલંબ થયો હોય પણ આ વખતની સિઝનમાં વરસાદનું 'બારે મેઘ ખાંઘા' જેવું રૃપ જોવા મળે તેવી પૂરી સંભાવના છે. હવામાન ખાતાની આગાહી અનુસાર ગુજરાતમાં આ વખતે ૧૧૩%  વધુ વરસાદ પડે તેવી પૂરી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ગુજરાતમાં જૂન મહિનામાં કુલ ૬.૭૭ ઈંચ વરસાદ પડયો હતો.
હવામાન ખાતાના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે 'છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીએ આ વખતે ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ પડી શકે છે. ભારતમાં આ વખતે ૧૦૬% વધુ વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે. બીજી તરફ દેશના સેન્ટ્રલ રિજિયોનમાં સિઝન દરમિયાન ૧૧૩% વરસાદ પડી શકે છે. ગુજરાત પણ સેન્ટ્રલ રિજિયોનમાં જ આવે છે. જેના લીધે ગુજરાતમાં અપેક્ષા કરતો ખૂબ જ સારો એવો ૧૧૩% વરસાદ પડે તેવી પૂરી સંભાવના છે. '  ગત વર્ષે ગુજરાતમાં કુલ ૮૧.૫% વરસાદ પડયો હતો. રાજ્યમાં ચોમાસા દરમિયાન સરેરાશ ૩૧ ઈંચ વરસાદ પડતો હોય છે.
હવામાનશાસ્ત્રીઓના મતે આ વખતે જુલાઇ અને સપ્ટેમ્બરમાં સરેરાશ કરતા વધુ સારો પડશે. ઓગસ્ટમાં મોટાભાગના દિવસો કોરા રહેશે.
અમદાવાદ ભૌગોલિક દ્રષ્ટિએ એવી રીતે આવેલું છે કે તેને એપ્રિલ-મે, ઓગસ્ટ-સપ્ટેમ્બર એમ બે વખત અકળાવનારી ગરમીનો સામનો કરવો પડે છે. ઓગસ્ટ-સપ્ટેમ્બર દરમિયાન ચોમાસું વિદાય લે છે ત્યારે ગરમીનો પારો ૪૦ ડિગ્રીએ પહોંચી જતો હોય છે. અમદાવાદમાં ગત વર્ષે જૂન મહિનામાં ૬ ઈંચથી વધુ વરસાદ પડયો હતો. બીજી તરફ અમદાવાદ જિલ્લામાં જૂન મહિનામાં ગત વર્ષે સરેરાશ ૪.૬૪ ઈંચ વરસાદ પડયો હતો.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-113-of-the-time-it-will-rain

પાટીદાર દીકરી પર બળાત્કાર છતાંયે આનંદીબેનનું ડૉ.જયેશને રાજકીય કવચ

- ગુજરાત સરકારે જ પોલીસના હાથ બાંધી રાખ્યા છે

- ગાંધીનગર કહે છેકે,રિપોર્ટ આવવા દો,પછી ધરપકડ કરો

ગુનેગારને સમય આપી પુરાવાનો નાશ કરી ફરિયાદ સ્કોવોસ કરાવી શકે
અમદાવાદ ,રવિવાર
એક તરફ, ભાજપ સરકાર બેટી બચાવો, નારી સુરક્ષા, મહિલા સશક્તિકરણની સુફિયાણી વાતો કરે છે , બીજી તરફ, વડોદરામાં પારૃલ યુનિવર્સિટીમાં નર્સિગની વિદ્યાર્થીનીએ ડૉ.જયેશ પટેલે બળાત્કાર કર્યાની ફરિયાદ કર્યાના ત્રણ ત્રણ દિવસ પછી ય ધરપકડ કરતી નથી. એક પાટીદાર દિકરી પર બળાત્કાર થયા છતાંયે પાટીદાર મુખ્યમંત્રી આનંદીબેન પિડિતાને મદદરૃપ થવાને બદલે દુષ્કર્મ આચરનારા જયેશ પટેલની તાત્કાલિક જેલભેગો ન કરીને રાજકીય રક્ષણ આપવામાં આવી રહ્યું છે.તેવી ચર્ચા વાઘોડિયા અને વડોદરાના શૈક્ષણિક વર્તુળોમાં જોરશોરથી ચાલી રહી છે.
સામાન્ય રીતે બળાત્કારના ગુનામાં ફરિયાદ નોંધાય તો પોલીસ દુષ્કર્મ કરનારાની ધરપકડ કરતી હોય છે પણ આ કિસ્સામાં જાણીજોઇને ડૉ.જયેશ પટેલને મેડિકલ રિપોર્ટના ઓથા હેઠળ ધરપકડ કરાતી નથી. પોલીસને કહેવાયું છેકે, મેડિકલ રિપોર્ટની રાહ જુઓ અને પછી ધરપકડ કરો.
આ કલંકિત ઘટનાને ૭૨ કલાક વિત્યા છતાંયે પોલીસ હજુય જયેશ પટેલની ધરપકડ કરી શકી નથી. આનંદીબેનની સરકાર બળાત્કારના આરોપીને કેસ રફેદફે કરી શકાય તે માટે સમય આપી રહી છે. એક બળાત્કાર પિડીતાએ ફરિયાદ કરી હોવા છતાંયે આનંદીબેન પટેલને હજુ શું પુરાવા જોઇએ તે વડોદરાની જનતાને સમજાતુ નથી. વડોદરા જેવી સંસ્કારી નગરીમાં કલંકિત કૃત્ય કરનારાં જયેશ પટેલને બચાવી ભાજપ સરકાર શું સાબિત કરવા માંગે છે તે લોકોને વાત ગળે ઉતરતી નથી. આરોીપને સમય આપી પુરાવાનો નાશ કરીને ફરિયાદને ક્વોશ કરી શકાય તે માટે ગુજરાત સરકાર પાછલા બારણે મદદ કરી રહી છે. તેવુ પણ ચર્ચાઇ રહ્યું છે. અત્યારે જયેશ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયાં છે.
વિદ્યાર્થીનીની થયેલા મેડિકલ ચેકપમાં તેની સાથે શારીરિક છેડછાડ અને બળજબરી થઈ હોવાનો તબીબી રિપોર્ટમાં ઉલ્લેખ છે. અને રિપોર્ટ પોઝિટિવ હોવાનું બીનસત્તાવાર રીતે જાણવા મળે છે.
દરમ્યાન પોલીસના જણાવ્યા પ્રમાણે ભાવના ચૌહાણે એવું કહ્યું હતું કે તે, 'પીડીતાને ડૉ. જયેશની રૃમ સુધી લઈ ગઈ હતી. મેડિકલ રીપોર્ટ પ્રમાણે પીડિતા સાથે દુષ્કર્મ થયાનું અને શારીરિક અડપલાં થયા હોવાનો નિર્દેશ પણ કર્યો છે.

બળાત્કાર ગુજારનાર ડો.જયેશ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા

- નર્સિંગની વિદ્યાર્થિનીને પોતાના રૃમમાં બોલાવી

- હોસ્પિટલે પ્રાથમિક રિપોર્ટ બંધ કવરમાં સોંપ્યો

ડો.જયેશ પટેલ સાથે બિયર પીનાર ચાર વિદ્યાર્થિની અને પ્રિન્સીપાલની પૂછપરછ
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,રવિવાર
પારુલ યુનિવર્સિટીના સંચાલક તેમજ મુખ્ય ટ્રસ્ટી ડો.જયેશ પટેલે નર્સિગની વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજારવાની ચકચારભરી ઘટનામાં  પોલીસે પુરાવા મેળવવાનું શરૃ કર્યુ છે. દરમિયાન પોલીસ હજી સુધી ડો.જયેશ પટેલને ઝડપી શકી નથી. કોલેજના સંચાલક ભુગર્ભમાં ઉતરી ગયા હોવાનુ મનાય છે. પોલીસે ડો.જયેશ પટેલને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવી હોવાનુ જાણવા મળ્યુ છે.
પ્રાપ્ત માહિતિ મુજબ વાઘોડિયા તાલુકાના લીમડા ગામે પારૃલ યુનિવર્સિટીની નર્સીગ કોલેજની વિદ્યાર્થિનીને હોસ્ટેલ કેમ્પસમાં પોતાની રૃમમાં બોલાવી બીયર પીવાની ઓફર કર્યા  બાદ સાઉથનું મુવી દર્શાવીને ડો.જયેશ પટેલે વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજાર્યો હતો અને વિદ્યાર્થિનીને કોલેજમાંથી રસ્ટીગેટ કરી દેવા તેમજ કારકિર્દી બગાડી નાંખવાની ધમકી આપી હતી. જો કે મહિલા હેલ્પલાઇનની સહાયથી પારૃલ યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાંથી વિદ્યાર્થિનીને બચાવી લેવામાં આવી હતી અને ત્યારબાદ તેણે ડો.જયેશ પટેલ તેમજ હોસ્ટેલના રેક્ટર ભાવનાબેન ચૌહાણ સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.
શિક્ષણજગતમાં ખળભળાટ મચાવી દેનાર ડો.જયેશ પટેલના બળાત્કાર પ્રકરણમાં ફરિયાદ નોધાતાની સાથેજ ડો.જયેશ પટેલ તેમજ ભાવનાબેન ફરાર થઇ ગયા હતાં. પોલીસે વિદ્યાર્થિની પર બળાત્કારની ઘટનાને ખુબ ગંભીરતાથી લીધી હતી અને ડો.જયેશ પટેલને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે. પોલીસ દ્વારા વિદ્યાર્થિનીનું ૧૬૪ મુજબ પણ નિવેદન લેવામાં આવ્યુ છે જેના પગલે પોલીસ પોતાની ફરિયાદને મજબુત માની રહી છે. બળાત્કારની ફરિયાદ બાદ ડો.જયેશ પટેલ ભુગર્ભમા ઉતરી જતા અનેક શંકા કુશંકાઓ ઉભી થઇ છે.
દરમિયાન પોલીસે જણાવ્યુ હતુ કે આજે ડો.જયેશ પટેલ જ્યાં રહેતા હતા તે સ્થળ  પર સર્ચ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ આ ઉપરાંત ડો.જયેશ પટેલ સાથે બીયર પીવા બેસેલી હોમીયોપેથી કોલેજની ચાર વિદ્યાર્થીનીઓના પણ નિવેદનો લેવામાં આવ્યા હતાં આ ઉપરાંત કોલેજના પ્રીન્સીપાલ મળી કુલ ૧૯ વ્યક્તિના નિવેદનો લેવાયા હતાં. પોલીસે જણાવ્યુ હતુ કે બળાત્કારનો ભોગ બનેલી વિદ્યાર્થિનીનું ગઇકાલે સયાજી હોસ્પીટલમાં મેડિકલ ચેકઅપ થયુ હતુ અને તે અંગે હોસ્પીટલ દ્વારા બંધ કવરમાં પ્રાથમિક રિપોર્ટ મળ્યો છે જ્યારે એફએસએલ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-women-rape-in-college, http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-patel-went-underground-oppressors-rape



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment