સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday 6 May 2016

જામીનનો વિરોધ : હાર્દિક હજુ એક મહિનો જેલમાં જ રહેશે - કુંભ મેળામાં વાવાઝોડાને કારણે તંબુ તૂટી પડતા ૭ શ્રદ્ધાળુના મોત, ૧૦૦ ઇજાગ્રસ્ત

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

જામીનનો વિરોધ : હાર્દિક હજુ એક મહિનો જેલમાં જ રહેશે

- ગુજરાત સરકાર દ્વારા હાઇકોર્ટમાં

- નવમી જૂને વધુ સુનાવણી

સરકારે કહ્યું હાર્દિકની ગતિવિધિ અને વર્તણૂક રાજદ્રોહી સ્વરૃપની છે
અમદાવાદ,ગુરૃવાર
પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલની જામીન અરજીનો રાજ્ય સરકારે ઉગ્ર વિરોધ કર્યો છે અને સરકારની દલીલો એક દિવસમાં પૂરી થઇ શકે તેમ નથી તેવી રજૂઆત કરી હાર્દિકની ગતિવિધિ અને વર્તૂણક સરકાર વિરોધી અને રાજદ્રોહી સ્વરૃપની હોવાનો આક્ષેપ કર્યો હતો. હાઇકોર્ટે જામીન અરજીની વધુ સુનાવણી વેકેશન પછી એટલે કે ૯મી જૂને નિયત કરી છે. પરિણામે હાર્દિકને હજૂ એક મહિનો જેલમાં જ રહેવું પડશે.
હાર્દિક પટેલે જામીન પર છૂટવા માટે આપેલી બાંયેધરી રાજ્ય સરકારને મંજૂર ન હોવાની રજૂઆત કર્યા બાદ આજે સરકારે સ્પષ્ટ રીતે જામીન અરજી ફગાવી દેવા માટે દલીલોનો પ્રારંભ કર્યો હતો. જસ્ટિસ એ.જે.દેસાઇ સમક્ષ આજે સુનાવણી દરમ્યાન પબ્લિક પ્રોસીક્યુટર મિતેશ અમીને રજૂઆત કરી હતી કે હાર્દિકની વર્તૂણક અને ગતિવિધિ પ્રારંભથી જ રાજદ્રોહી પ્રકારની રહી છે. હાર્દિકે આપેલી બાંયેધરીમાં લખેલા શબ્દોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આંદોલન ચાલુ રહેશે અને તે શાંતિપૂર્વક રહેશે તેવું લખ્યું છે પરંતુ ભૂતકાળ જોતા તે શાંતિપૂર્વકનું રહ્યું નથી અને રહેવાની સંભાવના પણ જણાતચી નથી. ૨૫મી ઓગસ્ટ ૨૦૧૫ ના રોજ હાર્દિકનું વર્તન હઠીલું હતું અને મુખ્યમંત્રીને ગ્રાઉન્ડ પર આવીને આવેદનપત્ર લઇ જવા માટે આગ્રહ રાખ્યો હતો તેના વર્તનના લીધે તેની અટકાયત થઇ હતી. આંદોલનમાં હિંસાના કારણે રૃા.૧૦૦ કરોડની માલમિલકતને નુૂકસાન થયું હતું. તેણે સુરતમાં વિપુલ દેસાઇ જેણે આત્મહત્યાની કોશીષ કરી હતી તેના ઘરે જઇ એવું કહ્યું હતું કે આત્મહત્યા કરવાની જરૃર નથી પોલીસોને મારી નાખો. તેણે આવા અનેક પ્રકારના નિવેદનો તેણે કર્યા છે.દલીલો એક દિવસમાં પૂરી થઇ શકે તેમ ન હોવાની સરકારની રજૂઆત હોઇ અને શનિવારથી ઉનાળું વેકેશન શરૃ થતું હોઇ જામીન અરજી પરની વધુ સુનાવણી ૯ મી જૂને રાખવામાં આવી છે. એટલે કે હાર્દિક માટે હજુ એક મહિનો જેલમાં રહેવાની સ્થિતિ સર્જાઇ છે.

૧૦ ટકા અનામતનો મુદ્દો હાઇકોર્ટની પૃચ્છા
સરકારી વકીલ મિતેશ અમીને એવી પણ રજૂઆત કરી હતી કે સરકારે વટહુકમ બહાર પાડીને ૧૦ ટકા આર્થિક અનામતની જોગવાઇ કરી છે. હાઇકોર્ટે એક તબક્કે પૂછ્યું હતું કે સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબ ૫૦ ટકાથી અનામત વધવી ન જોઇએ તે અંગે સરકાર કેવી રીતે આ બાબતને સમાવેશ કરશે. તેમણે કહ્યું હતુ કે વટહૂકમને પડકારવાની બાબત ખૂલ્લી છે.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-hardik-patel-in-jail

કુંભ મેળામાં વાવાઝોડાને કારણે તંબુ તૂટી પડતા ૭ શ્રદ્ધાળુના મોત, ૧૦૦ ઇજાગ્રસ્ત

- મધ્ય પ્રદેશની ભાજપ સરકારની નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી

- વીજળી પડતાં એક મહિલાનું મોત : મૃતકોના પરિવારને બે લાખના વળતરની જાહેરાત

ઉજ્જૈન તા. ૫
મધ્ય પ્રદેશની ધાર્મિક નગરી ઉજ્જૈનમાં યોજાયેલા સિંહસ્થ કુંભ મેળા પર ભારે પવન સાથે આવેલા વરસાદે પ્રકોપ વર્તાવ્યો હતો. વાવાઝોડા વચ્ચે વિજળી પડતા અત્યાર સુધીમાં મેળામાં આવેલા શ્રદ્ધાળુ પૈકી સાતના મોત નિપજ્યા છે, જ્યારે ૧૦૦થી વધુને ઇજા પહોંચી છે. પ્રશાસને જણાવ્યું હતું કે વાવાઝોડા અને વરસાદને પગલે તંબુઓ પડી જવાની ઘટનાઓ સામે આવી હતી, જ્યારે સાથે વીજળી પણ પડી હોવાથી આ જાનહાની સર્જાઇ હતી.
બીજી તરફ જ્યાં આ મેળો ભરાયો છે ત્યાં પાણી અને કીચડ ભરાઇ ગયા છે. ગુરૃવારે પંચકોશી પરીક્રમા કરી રહેલા શ્રદ્ધાળુ બપોરના સમયે અહીંનાં તુંબઓમાં આરામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ભારે પવન સાથે વરસાદ આવ્યો, વાવાઝોડાની સ્થિતિ સર્જાતા તંબુઓ એકા એક પડી ગયા જેને પગલે પાંચ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા હતા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ તંબુમા આરામ કરી રહ્યા હોવાથી જ્યારે તે અચાનક પડયા કે તુરંત ભાગદોડ  મચી જવા પામી હતી, જેને પગલે આ જાનહાની સર્જાઇ હતી.   જ્યારે વિજળી પડવાની પણ એક ઘટના ઘટી હતી, જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં ચાર લોકો અતીં ગંભીર અવસ્થામાં હોવાથી મરનારાની સંખ્યા વધી શકે છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમા પહોંચાડવામાં આવી રહ્યા છે પણ ઠેરઠેર કાદવ ભરાઇ ગયો હોવાથી અનેક પ્રકારની અડચણો સામે આવી રહી છે.
હજુ પણ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે જેને પગલે કુંભ મેળામાં ઠેર ઠેર પાણી અને કાદવની સ્થિતિ પેદા થઇ ગઇ છે. કુંભ મેળામાં સુરક્ષાના અનેક દાવા થઇ રહ્યા છે પણ આ ઘટના બાદ આ દાવા હવે ખોટા ઠરી રહ્યા છે. સીવર લાઇનનું ગંદુ પાણી પણ સીધુ ક્ષિપ્રા નદીમાં જઇને ભળી ગયું છે. આ એ નદી છે કે જ્યાં લોકો પવીત્ર સ્નાન કરતા હોય છે. આમ મધ્ય પ્રદેશની ભાજપ સરકારની પોલ ખુલ્લી પડી ગઇ છે. બીજી તરફ રાજ્ય સરકારે જે લોકો આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે તેઓના પરિવારને બે લાખ અને ઇજાગ્રસ્તોને ૫૦ હજાર રૃપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

Source:-http://gujaratsamachar.com/index.php/articles/display_article/national-7-pilgrims-killed-falling-down-the-tent



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment