સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday 20 May 2016

ઉત્તર ભારતમાં પ્રચંડ ગરમી યથાવત્ આસામમાં ભારે વરસાદ અને પૂરથી તારાજી - અમદાવાદમાં ૪૮ ડિગ્રી સાથે ગરમીએ સત્તાવાર રીતે ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડયો

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ઉત્તર ભારતમાં પ્રચંડ ગરમી યથાવત્ આસામમાં ભારે વરસાદ અને પૂરથી તારાજી

- રાજસ્થાનના ફલોદીમાં ૫૧ ડિગ્રી તાપમાન

આંધ્ર, ઓડિશા અને તેલંગાણામાં 'રોનુ' વાવાઝોડુ ત્રાટકવાની આગાહી : ૧૦૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશ : આંદામાન-નિકોબારમાં નૈઋત્યનું ચોમાસું બે દિવસ વહેલું ત્રાટકયું

(પી.ટી.આઈ.)    નવી દિલ્હી, તા. ૧૯
ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં પ્રચંડ ગરમીનું મોજું યથાવત રહ્યું હતું. રાજસ્થાનના ફલોદીમાં ૫૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દરમિયાન આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને ઓડિશામાં ભારે વરસાદ સાથે 'રોનુ' વાવાઝોડુ ત્રાટકવાની આગાહી કરાઇ હતી. જ્યારે આસામમાં ભારે વરસાદ અને પૂરો કારણે ૪૦૦૦ લોકો ઘર વિહોણા થયા હતા.

પાટનગર દિલ્હીનું મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રીએ શેકાયુ હતું. રાજસ્થાનનું ફલોદી દેશનું સૌથી ગરમ શહેર બન્યું હતું. જયાં ૫૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ચુરૃમાં ૫૦.૨, બિકાનેરમાં ૪૯.૫, ગંગાનગરમાં ૪૯.૧, જેસલમેરમાં ૪૯ અને કોટામાં ૪૮.૨ ડિગ્રી તાપમાન નોંધાયા હતા.

હરિયાણાના હિસ્સારમાં ૪૬ ડિગ્રી અને ચંડિગઢમાં ૪૩.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉત્તર પ્રદેશમાં પણ પ્રચંડ ગરમી હતી. વાદામાં ૪૭.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અલ્લાહાબાદમાં ૪૬.૭ અને ઝાંસીમાં ૪૬.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. લખનઉમાં પણ ૪૪.૪ ડિગ્રી તાપમાનને કારણે શાળાઓમાં વેકેશન જાહેર કરાયું હતું.

દેશના પૂર્વ કાંઠાના રાજ્યો આંધ્ર, તેલંગાણા અને ઓડિશામાં રોનું વાવાઝોડુ ત્રાટકવાની આગાહી સાથે હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી કરી હતી. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સે સંભવિત વાવાઝોડા માટે જવાનોને તૈનાત રાખ્યા હતા.

દરમિયાન અવનિગડ્ડામાં ૧૨૩ મી.મી. , ગુડ્ડુરમાં ૧૨૩ મી.મી. અને પાખારૃમાં ૧૧૨ મી.મી. વરસાદ નોંધાયો હતો. ઓડિશાના રોનુ વાવાઝોડુ સક્રિય થવાની આગાહી સાથે ૧૨ જિલ્લામાં એલર્ટ જાહેર કરાઇ હતી. ઓડિશાના દરિયાકાંઠે ૧૦૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શકયતા દર્શાવાઈ હતી. રાજ્ય સરકારે સંભવિત વાવાઝોડાનો સામનો કરવા તૈયારી કરી લીધી હતી. હાલમાં બંગાળના અખાતમાં સર્જાયેલું વાવાઝોડુ ૧૫ કિલોમીટરની ઝડપે ઓડિશા તરફ આગળ વધી રહ્યાનું જણાયું હતું.દરમિયાન નૈઋત્યનું ચોમાસુ સામાન્ય કરતાં બે દિવસ વહેલું આંદામાન અને નિકોબાર પર ત્રાટકયું હતું. પરંતુ બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા વાવાઝોડાને કારણે ચોમાસુ નબળું બનશે અને કેરળમાં મોડુ પ્રવેશ કરશે. તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/rain-heat-orissa-rajasthan-india

અમદાવાદમાં ૪૮ ડિગ્રી સાથે ગરમીએ સત્તાવાર રીતે ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડયો

- છેલ્લે ૨૭ મે, ૧૯૧૬ના દિવસે અમદાવાદમાં ૪૭.૮ ડિગ્રી ગરમી નોંધાઇ હતી

- હજુ બે દિવસ ભારે ગરમીથી એલર્ટ, ૨૪ મે બાદ પારો ૪૦ ડિગ્રીએ આવી જશે : હવામાન વિભાગઃ ગાંધીનગર- ડીસામાં પણ ૪૮ ડિગ્રી ગરમી : જોકે, મોબાઇલ એપમાં સતત બીજા દિવસે ગરમીએ ૫૦નો પારો બતાવ્યો

અમદાવાદ, ગુરુવાર
અમદાવાદ સહિત રાજ્યભરમાં 'અગનતાંડવ' જારી રહેતા ગરમી દિવસેને દિવસે નવા રેકોર્ડ તોડી રહી છે. આજે અમદાવાદમાં સરેરાશ મહતમ તાપમાન ૪૮ ડિગ્રી નોંધાયું હતું, જે છેલ્લા ૧૦૦ વર્ષમાં શહેરમાં સત્તાવાર રીતે નોંધાયેલી સૌથી વધુ ગરમી છે. છેલ્લે ૨૭ મે ૧૯૧૬ના ગરમીનો પારો ૪૭.૮ ડિગ્રી નોંધાયો હતો. આમ, અમદાવાદમાં ગરમીએ છેલ્લા ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડયો છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, ડીસામાં પણ રેકોર્ડબ્રેક ૪૮ ડિગ્રી ગરમી નોંધાઇ હતી અને રાજ્યના કુલ ૮ શહેરમાં સરેરાશ મહતમ તાપમાન ૪૭ ડિગ્રીથી વધુ નોંધાયું હતું.

અમદાવાદને કાળઝાળ ગરમીમાંથી હજુ આગામી ઓછામાં ઓછા બે દિવસ ગરમીમાંથી રાહત મળે તેની સંભાવના નથી. હવામાન ખાતાની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી દિવસ ૪૬ ડિગ્રી સુધી ગરમી નોંધાઇ શકે છે. આ અંગે હવામાન વિભાગ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર રાહતની વાત એ છે કે આવતા સપ્તાહ સુધીમાં ગરમીનું જોર ઘટવા લાગશે અને ૨૪ મે સુધીમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીએ આવી જશે.અલબત્ત, હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાયમેટની આગાહી અનુસાર અમદાવાદમાં હજુ મે મહિનાના અંત સુધીમાં ગરમીનો પારો ૪૪ ડિગ્રી સુધી રહેશે.

રાજ્યના અન્ય શહેરમાંથી રાજકોટમાં પણ છેલ્લા ૧૦ વર્ષની સૌથી વધુ ૪૬ ડિગ્રી ગરમી નોંધાઇ હતી. રાજકોટમાં ૧૩ મે ૧૯૭૭ના સરેરાશ મહતમ તાપમાનનો પારો ૪૭.૯ ડિગ્રીએ નોંધાયો હતો, જે છેલ્લા ૧૦૦ વર્ષમાં નોંધાયેલી સૌથી વધુ ગરમી છે. ઉતર ગુજરાતમાં બનાસકાંઠાના ડીસામાં ૪૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે છેલ્લા ૧૦૦ વર્ષમાં નોંધાયેલી સૌથી વધુ ગરમી છે. આ ઉપરાંત મહેસાણામાં ૪૮.૬, પાટણમાં ૪૬.૯, હિંમતનગરમાં ૪૫.૬ ડિગ્રી ગરમી નોંધાઇ હતી.

મોબાઇલ એપમાં સતત બીજા દિવસે અમદાવાદમાં ગરમીનો પારો ૫૦ ડિગ્રીએ પહોંચેલો દર્શાવતો હતો. અમદાવાદમાં સાંજે ૪ઃ૦૦ વાગે ૪૯, સાંજે ૫ઃ૦૦ વાગે ૫૦ ડિગ્રી ગરમીનો પારો હતો. આ અંગે હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે 'અમારા થર્મોમીટરમાં ગરમીનો પારો આજના દિવસમાં ક્યારેય ૫૦ ડિગ્રીએ પહોંચ્યો નથી.'

ગુજરાતમાં ગરમીનો કેર જારી, જનજીવન અસ્તવ્યસ્ત
ગુજરાતમાં ગરમીથી ત્રણનાં મોત ૮૦૦થી વધુ લોકોને લૂની અસર
અમદાવાદમાં VSમાં ૬૦ વર્ષીય વૃધ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ : સરકારી-ખાનગી હોસ્પિટલોમાં લૂના દર્દીઓ વધ્યા


અમદાવાદ ,ગુરૃવાર
છેલ્લા એકાદ સપ્તાહથી ગુજરાતમાં લોકો કાળઝાળ ગરમીના કહેરનો ભોગ બન્યાં છે. સવારથી આભમાંથી અંગારા વરસતા ગરમીનો લોકો અનુભવ કરી રહ્યાં છે . હજુય હવામાન વિભાગે ગુજરાતમાં હિટવેવની આગાહી કરી છે. ગરમીને વધુ ત્રણ લોકોના મોત નિપજ્યાં છે જયારે ૮૦૦થી વધુને લૂની અસર થઇ છે.અમદાવાદમાં વીએસ હોસ્પિટલમાં ગુરૃવારે હિટસ્ટ્રોકના ૯ કેસો નોંધાયા હતા જયારે સિવિલ હોસ્પિટલમાં ત્રણેક જણાને હિટસ્ટ્રોકની અસર થતા દાખલ કરાયાં હતા.

વીએસ હોસ્પિટલમાં વેજલપુરના એક ૬૦ વર્ષિય વૃધ્ધનું લૂને કારણે મૃત્યુ થયું હતું. છાતી-પેટમાં દુખાવો, ઉલ્ટી,ચક્કર આવવા, બેહોશ થવાની ફરિયાદો સાથે કુલ ૨૮૦ જણાંને અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન સહિતની હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં.કચ્છના નાના રણ પાસેના આડેસર ગામમાં પણ એક ભિક્ષુકનું લૂ લાગતા મોત થયું હતું. આ ઉપરાંત નડિયાદમાં રેલ્વેની ગોડાઇન પાસે અજાણ્યા આધેડનું લૂને લીધે મૃત્યુ થયું હતું. આમ, ગરમીને લીધે રાજ્યમાં ત્રણ લોકોના મોત થયા હતાં.ગુજરાતમાં હિટવેવને પગલે બપોર પડતાં જ લોકો ઓફિસ-ઘરમાં પુરાઇ રહેવાનું પસંદ કરી રહ્યાં છે. વેકેશન હોવા છતાંયે લોકો રજાનો આનંદ માણી શકતા નથી. મોડી સાંજે પણ ગરમ વાયરા ફૂંકાતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠયાં છે. બજાર સૂનસાન ભાસી રહ્યાં છે. આમ, કાળઝાળ ગરમીથી ગુજરાતમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

ગરમી વધતા વીજળીની ડીમાન્ડ ૧૪૭૫૩ મેગાવોટને આંબી ગઈ
(પ્રતિનિધિ તરફથી)    અમદાવાદ,ગુરૃવાર
ગુજરાતમાં આકાશમાંથી વરસતા અગનગોળાએ ગરમીના પારાને ૪૭થી ૫૦ ડિગ્રીની રેન્જમાં લાવી દીધો હોવાથી ઠંડક મેળવવા માટે ગુજરાતવાસીઓએ વીજળીનો વપરાશ વધારી દીધો છે. ૧૮મી મેએ ૪૭ ડિગ્રી ગરમી પડતાં વીજળીની ડિમાન્ડ વધી ૧૪૭૫૩ મેગાવોટ થઈ ગઈ હતી. વીજળીની જરૃરિયાત વધતા પશ્ચિમ ગુજરાત વીજ કંપનીએ સૌથી વધુ ૭૬.૨ મિલિયન યુનિટ એટલે કે ૭.૬૨ કરોડ યુનિટ વીજળીનો સપ્લાય આપ્યો હતો. તેની સામે ઉત્તર ગુજરાત વીજ કંપનીએ ૭.૬૩ કરોડ યુનિટનો સપ્લાય આપ્યો હતો.

અમદાવાદમાં કાળઝાળ ગરમી દરમિયાન સ્મશાનમાં આવતા મૃતદેહોની સંખ્યા વધી
હંમેશા સમયસર આવતી શબવાહિનીના કોલ વધી જતા એક- એક કલાક મોડી પડે છે ઃ સવારના ૨ કલાકમાં જ ૩૮ કોલ નોંધાયા


અમદાવાદ, ગુરૃવાર
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનો હીટ એક્શન પ્લાન કાગળ પર જ રહી ગયો છે. છેલ્લા એક સપ્તાહથી પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે ગરમીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. મોટી ઉંમરના લોકોને શ્વાસ ચડવો, ચક્કર આવવા, માથાનો દુઃખાવો જેવી ફરિયાદો મોટા પ્રમાણમાં વધી ગઈ છે. દરમ્યાનમાં આશ્ચર્યજનક બાબત એ છે કે મૃત્યુનું પ્રમાણ એકાએક વધી ગયું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ફાયર બ્રિગેડમાં નોંધાયેલી મૃતદેહને સ્મશાન લઈ જવા માટેની શબવાહિની સમયસર આવી જ જતી છે પરંતુ છેલ્લા ત્રણેક દિવસથી એક- એક કલાક, બે- બે કલાક મોડી આવે છે. ફાયરના એક અધિકારીએ જણાવ્યું કે, આજે સવારના ૨ કલાકમાં જ શબવાહિની માટે ૩૮ કોલ હતા બીજી તરફ ફાયરબ્રિગેડ પાસે કુલ ૧૭૮ વાહનો છે, તેની સામે ડ્રાઇવરોની ૧૦૧ જગ્યા ખાલી છ ૭૭ પૈકી એમ્બ્યુલન્સ અને શબવાહિનીમાં ૪૦ જેટલા ડ્રાયવરો ફરજ બજાવે છે આમ મર્યાદિત સ્ટાફ પણ આ માટે જવાબદાર છે. બીજી તરફ ક્યારેક શબવાહિની બોલાવી લીધા પછી મૃતકના કુટુંબીજનો વિનંતી કરતા હોય છે કે એક સગા આવી રહ્યા છે ૨૦- ૨૫ મિનિટ વાર લાગશે આમ એક જગ્યાએ વેઇટિંગ વધી જાય તો પાછળની આખી ચેઇન ખોરવાય છે. જો કે આ દિવસોમાં મૃત્યુનું પ્રમાણ વધવાને કારણે આ સ્થિતિ પેદા થઈ છે.

સ્મશાનમાં આવતા મૃતદેહો અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે, તા. ૧૦મીએ ૮૧ મૃતદેહો આવ્યા હતા તેની સામે ગઈકાલ તા. ૧૮મીએ ૧૬૫ મૃતદેહો સ્મશાનમાં આવ્યા છે. આ ઉપરાંત કબ્રસ્તાનના આંકડા તો બીજા અલગ જ હશે.
આમ ગરમીનો પારો ચડયો ત્યારથી સ્મશાનમાં પણ મૃતદેહોની સંખ્યા વધી છે. અમદાવાદમાં નાના મોટા ૧૨૩ જેટલા સ્મશાનગૃહ છે.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad-gujarat-recorded-48-degree-summer-heat



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment