સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 12 May 2016

ગુજરાત બોર્ડની ગુજરાતી સ્કૂલો ખતમ થશે - દુષ્કાળ અંગે ગુજરાત સરકારની બેફિકર નફ્ફટાઇ : સુપ્રીમ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ગુજરાત બોર્ડની ગુજરાતી સ્કૂલો ખતમ થશે : વિદ્યાર્થીઓ CBSE તરફ વળશે

- મેડિકલ-ડેન્ટલ માટે NEETઆવતા

મેડિકલ-ડેન્ટલ માટે નીટ આવતા  ગુજરાતી સ્કૂલો ખતમ થશે

Source :-http://gujaratsamachar.com/

દુષ્કાળ અંગે ગુજરાત સરકારની બેફિકર નફ્ફટાઇ : સુપ્રીમ

- ઓકટોબર-૨૦૧૫થી ગુજરાતની પરિસ્થિતિ વિકટ છે

- કેન્દ્ર સરકારની પણ જવાબદારી છે : આટલી ગંભીર પરિસ્થિતિમાં શાહમૃગ નીતિ ન ચાલે  દુષ્કાળની સ્થિતિને પહોચી વળવા કેન્દ્રએ રાષ્ટ્રીયસ્તરનો પ્લાન કેમ નથી ઘડયો ? : સુપ્રીમ

નવી દિલ્હી તા. ૧૧
દેશમાં અનેક રાજ્યોમાં દુષ્કાળની સ્થિતિ છે છતા કેન્દ્રની મોદી સરકારે રાષ્ટ્રીય સ્તરનો કોઇ જ એક્શન પ્લાન તૈયાર ન કર્યો હોવાથી સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટણી કાઢી હતી. સાથે ગુજરાત સરકાર પણ દુષ્કાળને પહોંચી વળવામાં નિષ્ફળ રહી હોવાની ટકોર કરી હતી. એક જાહેર હિતની અરજીની સુનાવણી વેળાએ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ૨૦૧૫માં જ ગુજરાતમાં અનેક જિલ્લા દુષ્કાળના ભરડામાં આવી ગયા હોવાનું તારણ બહાર આવ્યું હતું, તેમ છતા પરિસ્થિતિને પહોંચી વળવા માટે કોઇ જ યોગ્ય પગલા લેવાયા હોવાનું જણાતુ નથી. મોડા મોડા ૯૯૪ ગામડાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા.

ગુજરાતમાં દુષ્કાળને માપવા માટેની જે સિસ્ટમ છે તેમાં પણ અનેક ખામી હોવાનું કોર્ટે નોંધ્યું હતું, સુપ્રીમે જણાવ્યું હતું કે જે ગાઇડલાઇન દુષ્કાળની માપણી માટેની સિસ્ટમ અંગે જાહેર કરવામાં આવી છે તેનું પાલન યોગ્ય પ્રમાણમાં ગુજરાત સરકારે નથી કર્યું, અને જે સિસ્ટમ અપનાવાઇ રહી છે તેમાં પણ અનેક ખામીઓ છે. કોર્ટે નોંધ્યું કે ગુજરાત સરકારે ૧ એપ્રીલના રોજ ૫૨૬ અને બાદમાં ૪૬૮ ગામડાને દુષ્કાળ પ્રભાવીત જાહેર કર્યા. પણ ગાઇડલાઇન પ્રમાણે તો સરકારે આ ગામડાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં બહુ મોડુ કરી દીધુ. ઉપરાંત હજુ પણ વધુ વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિ હોઇ શકે છે.

ગુજરાત સરકારને સવાલ કર્યો હતો કે માસિક મોનિટરિંગ પ્લાનને પણ કેમ ધ્યાન પર નથી લઇ રહ્યા? કોર્ટે બાદમાં કેન્દ્રને આદેશ આપ્યો હતો કે ગુજરાત, બિહાર, હરિયાણા રાજ્યોની સાથે ઇમર્જન્સી બેઠક એક સપ્તાહમાં યોજવામાં આવે અને દુષ્કાળની સંપૂર્ણ માહિતી એકઠી કરાય. બાદમાં કેન્દ્રની મોદી સરકારની પણ ઝાટકણી કાઢતા સવાલ કોર્ટે કર્યો હતો કે દેશમાં હાલ દુષ્કાળની સ્થિતિ છે તેમ છતા કેન્દ્ર સરકારે હજુસુધી કોઇ જ રાહત બચાવ માટે રાષ્ટ્રીયસ્તરનો એક્શન પ્લાન કેમ તૈયાર નથી કર્યો ?

સુપ્રીમે આદેશ આપ્યો હતો કે દેશમાં જ્યા પણ દુષ્કાળની પરિસ્થિતિ છે તેને પહોંચી વળવા માટે એક વિશેષ રાહત ફંડ અલગથી જારી કરવામાં આવે. એક પીઆઇએલની સુનાવણી વેળાએ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં એક વિશેષ ટીમ પણ ગઠીત કરવામાં આવે કે જે દુષ્કાળ પ્રભાવિત વિસ્તારોમાં કામ કરશે. કેન્દ્ર સરકાર આ માટે અલગથી ફંડની વ્યવસ્થા કરે. આપમાંથી અલગ પડેલા યોગેન્દ્ર યાદવના સ્વરાજ અભિયાન દ્વારા આ અરજી દાખલ થઇ હતી. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને એવી જાણકારી આપી હતી કે ભારતમાં દુષ્કાળને કારણે ૧૦ રાજ્યોના આશરે ૨૫૪ જિલ્લાના મળી લગભગ ૩૩ કરોડ લોકો પ્રભાવીત છે. માત્ર ઉત્તર પ્રદેશમાં જ ૧૦ કરોડ લોકોને અસર છે. આ લોકોને રાહત માટે એક વિશેષ ફંડ જારી કરવાનો આદેશ હવે સુપ્રીમ કોર્ટે આપ્યો છે.

ગુજરાત, હરિયાણા, બિહારમાં ખેડુતોની દયનીય સ્થિતિ
સ્વરાજ અભિયાને માગ કરી હતી કે ગુજરાત, હરિયાણા, બિહાર રાજ્યોને પણ દુષ્કાળ પ્રભાવીત રાજ્યોમાં આવરી લેવાય કેમ કે આ રાજ્યોના ખેડુતોની સ્થિતિ અતી દયનીય છે અને જો મોડુ થશે તો તેમને વધુ અસર થશે, આ માગને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આ ત્રણ રાજ્યો સાથે કેન્દ્રિય કૃષી મંત્રાલયને બેઠક કરવા અને સમગ્ર સ્થિતિનો રિપોર્ટ આ રાજ્યોના મુખ્ય સચિવ કેન્દ્રને આપે તેવો આદેશ કર્યો છે. એક સપ્તાહની અંદર આ બેઠક થઇ જવી જોઇએ તેમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી.

ખેડુતોના દેવાને માફ કરવાની માગ મોદી સરકારે ફગાવી : વધુ બે ખેડુતોની આત્મહત્યા
એક તરફ વિજય માલ્યા જેવા ઉદ્યોગપતિઓ કરોડો રૃપિયાની લોન ચૂકવ્યા વગર ભાગી રહ્યા છે અને સરકારની તિજોરીને મોટા પાયે નુકસાન પહોંચાડી રહ્યા છે ત્યારે બીજી તરફ સરકારને ગરીબ અને દુષ્કાળ પ્રભાવીત ખેડુતોને આપેલી લોન વસુલ કરવામાં વધુ રસ છે. આ ખેડુતોના દેવાને માફ કરવાની માગણી મોદી સરકારે ફગાવી દીધી છે. દરેક વિપક્ષોએ એક થઇને માગણી કરી હતી કે હાલ દેશમાં દુષ્કાળની સ્થિતિ છે, જેને પગલે પ્રભાવીત ખેડુતોના દેવાને માફ કરી દેવું જોઇએ, અને આ માટે એક વિશેષ યોજના ઘડવી જોઇએ. જોકે મોદી સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે હાલ તે દેવુ માફ કરવા અંગે વિચારી રહી નથી, કે ન તો આ માટે કોઇ યોજના ઘડવામાં આવી રહી છે. નોંધનીય છે કે દેશમાં સૌથી વધુ ખેડૂતો દેવુ વધી જવાને કારણે આત્મહત્યા કરી રહ્યા છે. પંજાબના ફિરોઝપુરમાં વધુ બે ખેડૂતોએ દેવુ વધી જવાથી આત્મહત્યા કરી લીધી હતા. આ વર્ષે ત્રણ મહિનામાં જ ૧૨૦થી વધુ ખેડુતો આત્મહત્યા કરી ચૂક્યા છે.

ખેડુતોની આત્મહત્યા, નબળી સ્થિતિને અવગણો નહીં : સુપ્રીમ
યોગેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપેલા પોતાના આદેશમાં જણાવ્યું છે કે જ્યારે કોઇ રાજ્યને દુષ્કાળ પ્રભાવીત જાહેર કરવામાં આવે ત્યારે સાથે એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવે કે આ રાજ્યમાં કેટલા ખેડુતોએ આત્મહત્યા કરી છે અને ખેડુતોની સ્થિતિ શું છે. ખેડુતોની આત્મહત્યા, નબળી સ્થિતિને સરકારો અવગણી શકે નહીં.

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/the-supreme-court-of-india-gujarat-drought



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment