સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 10 May 2016

ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા પાટીદારો મક્કમ -

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા પાટીદારો મક્કમ

- અખાત્રીજના દિવસે ઉનાળાના ધોમધખતા તાપમાં

- હિંમતનગરની એકતાયાત્રામાં પાટીદારો ઉમટયાં

એકતા યાત્રાનો તંત્ર દ્વારા રૃટ બદલવામાં આવતા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ ન કરી શકાતાં કચવાટ
પાટીદારોની અવગણના આગામી સમયમાં સરકાર માટે નુકશાનકારક બનશે તેવી ચિમકી

હિંમતનગર, તા.૯
આજે હિંમતનગર ખાતે પાસ ધ્વારા આયોજિત એકતા યાત્રામાં ન્યાય નહી મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે નો હૂંકાર કરવામાં આવ્યો હતો ધોમ ધખતા તાપમાં પાટીદારોએ જય સરદારના નારા સાથે એકતા યાત્રાનો પ્રારંભ કર્યા બાદ તંત્ર ધ્વારા રૃટ બદલવામાં આવતા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ ન કરી શકાતાં કચવાટ જોવા મળ્યો હતો એકતાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા બાદ સભા સ્થળે પાસ અગ્રણીઓ ધ્વારા સમાજના સંગઠન અને આંદોલન ચાલુ રહેશે તે બાબતે સ્પષ્ટતા કરી હતી અને પાટીદારોની અવગણના અગામી સમયમાં સરકાર માટે નુકશાન કારક બની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
આ અંગે મળતી વિગત અનુસાર આજે સવારે દસેક વાગ્યાના સુમારે સહકારી જીન વિસ્તારમાં આવેલ મોડાસીયા કડવા પાટીદાર સમાજવાડીમાં પાંચેક હજારની સંખ્યામાં એકત્ર થયેલ પાટીદાર મહિલાઓ યુવાનોએ જય સરદાર, પાટીદાર એકતાના નારા સાથે એકતા યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ શરૃ થયેલ એકતાયાત્રાનો તબકકાર રૃટ ચેન્જ કરવામાં આવ્યો હતો નકકી થયા મુજબ ટાવર ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી સભા સ્થળે જવાનુ હતુ પરંતુ તંત્ર ધ્વારા રેલીના આયોજકોને રૃટ બદલવા મનાવી લેવાયા હતા. ધોમ ધમતા તાપમાં ચોરક કિ.મી. સુધી ચાલેલી એકતા યાત્રા અંતે સભામાં ફેરવાઈ ગઈ હતી. એકતા યાત્રામાં બોટાદના સંગઠન મંત્રી દીલીપભાઈ સાબવા, સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર લલીત વસોયા, સૂરત કન્વીનર નીખીલ સવાણી, અમદાવાદ મહિલા કન્વીનર રેશ્મા પટેલ, પાસ પ્રવકતા રવિ પટેલ, ગીતા પટેલ પ્રવકતા ગુજરાત વગેરે હાજર રહયા હતા. એકતાયાત્રામાં કેટલીક જગ્યાએ સરકાર વિરોધી અને મોદી વિરોધી નારા પણ લગાવાયા હતા. દિલીપ સાબવાએ જણાવ્યુ હતુ કે સરદાર પટેલનુ અધૂરૃ કામ પૂર્ણ કરવા પાટીદાર સમાજ પ્રયત્નશીલ થઈ ગયો છે. આવનારા સમયમાં સરકારને પાટીદારોને અવગણના ભારે પડશે. અલગ અલગ સમાજના પાટીદારોએ સંગઠિત થવાનો સમય પાકી ગયો છે. લલિત વસોયાએ જણાવ્યુ હતુ કે જે પાટીદાર અગ્રણીઓને સિંહ ગણ્યા હતા તે ગધેડા નીકળ્યા છે ૧૦ ટકા અનામતની જાહેરાત કરીને સરકારે લોલીપોપ આપી છે. પાટીદાર સમાજને ન્યાય નહી મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે. ઉ.ગુ. પાસ પ્રવકતા રવિ પટેલે જણાવ્યુ હતુ કે પાટીદારોની માંગણી સંતોષાઈ નથી અગામી સમયમાં તબક્કાવાર કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે તથા સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં ગામે ગામ પાટીદાર સ્કવોડની રચના કરી પાંચ વડીલ, પાંચ મહિલા અને પાંચ યુવાનોની ટીમ બનાવવામાં આવશે જે પાટીદારોની દરેક સમસ્યાનો હલ કાઢવા પ્રયત્ન શીલ રહેશે. જન જાગૃતિ માટે આયોજિત એકતાયાત્રા અનામત આંદોલનનો પર્યાપ બની રહી હતી. પાટીદાર અગ્રણી સી.કે.પટેલ હાર્દિક પટેલના ર૭ મુદ્દા અને લાલજી પટેલના ર૯ મુદ્દા અંતર્ગત સીત્તેરથી પંચોતેર ટકા બાબતોમાં સરકાર સાથે સમાધાન થઈ ગયુ હોવાનુ નિવેદન કરી સૌને ચોંકાવી દીધા હતા. સહકારી પાટીદાર માંઘાતાઓ પાટીદાર આંદોલનને સહકાર ન આપી રહયા હોવાનો તથા બેહૂદા જવાબ આપતા હોઈ તેમનો બહિષ્કાર કરવાનુ સ્ટેજ ઉપરથી આહવાન કરવામાં આવ્યુ હતુ. પાટીદાર એકતા યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ જતાં તંત્ર સહિત સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો. એકતા યાત્રામાં જોડાયેલ તમામ પાટીદારો અને સુરક્ષાકર્મીઓને ગરમીએ પરસેવે રેબઝેબ કરી દીધા હતા.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/north-gujarat-patidar-ekta-yatra2804

ઝારખંડમાં વીજળી પડતાં ત્રણનાં મોત, રાજસ્થાનના ફલોદીમાં ૪૮ ડિગ્રી તાપમાન

- આગઝરતી ગરમી, વરસાદી ઝાપટાં અને તીવ્ર પવનથી દેશમાં વિચિત્ર વાતાવરણ

- ઉત્તર પ્રદેશનું આગ્રા ૪૨ ડિગ્રી તાપમાનમાં શેકાયું

તાજમહેલના પ્રવાસીઓમાં ઘટાડો : ઝારખંડ-બિહારના કેટલાક સ્થળોએ વરસાદ
નવી દિલ્હી, તા. ૯
વરસાદી ઝાપટા, આગઝરતી ગરમી અને તીવ્ર પવન ફૂંકાતા દેેશનું વાતાવરણ વિચિત્ર બની ગયું હતું. ઝારખંડમાં વરસાદી ઝાપટા પછી વીજળી ત્રાટકી હતી, જેમાં ૩ લોકોના મોત થયા હતા. તો બીજી તરફ રાજસ્થાનના ફલોદીમાં દેશનું સર્વાધિક ૪૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ઝારખંડમાં કેટલાક સ્થળોએ વરસાદી ઝાપટાં પડયા હતા અને પછી વરસાદી વાતાવરણ વચ્ચે વીજળી ત્રાટકી હતી, જેમાં એક મહિલા, એક પુરુષ અને એક ૧૩ વર્ષના છોકરાનું મૃત્યુ થયું હતું. ઝારખંડમાં પણ મિશ્ર વાતાવરણ રહ્યું હતું. કેટલાક સ્થળોેેએ ૩૮-૩૯ ડિગ્રી તાપમાન રહ્યું હતું. તો બિહારમાં પણ ઘણા સ્થળોએ વરસાદી ઝાપટા પડયા હતા અને તાપમાનનો પારો પણ ઊંચો રહ્યો હતો.
હવામાનખાતાએ જણાવ્યા પ્રમાણે ઉત્તરાખંડના ઊંચાઈવાળા સ્થળોએ, ઓડિશા, પશ્વિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, છત્તીસગઢ, મધ્યપ્રદેશમાં વરસાદી છાંટાં પડયા હતા. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં પણ વરસાદી છાંટા પડયા હતા. એક તરફ વરસાદી છાંટા, ગાજવીજ અને સૂસવાટા મારતો પવન ફૂંકાયો હતો તો બીજી તરફ દેેશના ઘણા રાજ્યોમાં આકરા તાપનો અનુભવ પણ લોકોએ કર્યો હતો.
દેશનું સર્વાધિક તાપમાન રાજસ્થાનના ફલોદીમાં નોંધાયું હતું. ફલોદીમાં તાપમાનનો પારો ૪૮ ડિગ્રીને આંબી ગયો હતો. જેસલમેર, બાડમેર, જયપુર, અજમેરમાં પણ તાપમાનનો પારો ૪૨થી ૪૪ ડિગ્રી સુધી પહોંચ્યો હતો. ઉત્તર પ્રદેશમાં કેટલાક સ્થળોએ ભલે  વરસાદ પડયો હોય, પણ આગ્રા સહિતના કેટલાક શહેરો તો આગમાં શેકાયા હતા. આગ્રાનું તાપમાન ૪૨ ડિગ્રી નોંધાયું હતું. આગ્રામાં છેલ્લા કેટલાક દિવસની ગરમીના કારણે તાજમહેલની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઓડિશાના ૮ સ્થળોનું તાપમાન ફરીથી ૪૦ ડિગ્રીને પાર થતાં લોકોએ તીવ્ર ગરમીનો અને લૂનો અનુભવ કર્યો હતો.
પંજાબ હરિયાણામાં બે દિવસથી વરસાદી માહોલ હતો, પણ આજે વાતાવરણ અચાાનક બદલાઈ ગયું હતું. સવારથી સૂર્યનારાયણે તાપ વરસાવ્યો હતો. હિસારનું તાપમાન ૪૨.૭ ડિગ્રી રહ્યું હતું. અમૃતસરનો પારો ૪૦ ડિગ્રી દર્શાવતો હતો. તેલંગણા પણ ફરીથી તાપમાં સપડાયું હતું. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી દિવસોમાં દેશના કેટલાક ભાગોમાં હજુ પણ વરસાદી ઝાપટા પડશે અને અમુક ભાગોમાં ગરમી યથાવત રહેશે.

Source:-http://gujaratsamachar.com/index.php/articles/display_article/national-vijli-fell-down



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

1 comment: