સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 5 May 2016

લાલજી પટેલ તોફાનોનો સૂત્રધાર:પોલીસ, પાંચ દિવસના રિમાન્ડ પર મોકલાયા - કેનેડામાં આગથી 80,000નું સ્થળાંતર, શહેરમાં ગુજરાતીઓની મોટી સંખ્યા

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

લાલજી પટેલ તોફાનોનો સૂત્રધાર:પોલીસ, પાંચ દિવસના રિમાન્ડ પર મોકલાયા

મહેસાણા:મહેસાણામાં જેલભરો આંદોલન સમયે થયેલા તોફાનોમાં ધરપકડ કરાયેલા સરદાર પટેલ ગ્રૂપ (એસપીજી)ના અધ્યક્ષ લાલજી પટેલને બુધવારે સાંજે મહેસાણા જ્યુડિશિયલ કોર્ટ સમક્ષ રજૂ કરી 11 મુદ્દાઓ સાથે રિમાન્ડ માંગનાર  પોલીસે તેને તોફાનોનો મુખ્યસુત્રધાર ગણાવ્યો હતો.કોર્ટે લાલજી પટેલના આગામી 9 મે,સાંજે 5 કલાક સુધીના રીમાન્ડ મંજૂર રાખ્યા હતા.જેલભરો આંદોલન દરમિયાન મોઢેરા રોડ પર થયેલા બહુચર્ચિત તોફાન કેસમાં ધરપકડના બીજા દિવસે એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ  લાલજી પટેલને બુધવારે સાંજે 5 કલાકે મહેસાણા જ્યુડીશિયલ  જજ એસ.સી.મકવાણા સમક્ષ રજૂ કરાયા હતા.
 
-એસપીજી અધ્યક્ષને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલાયા
-મહેસાણા જ્યુડિશિયલ કોર્ટમાં હાજર કરાયા
 
 
વીજ થાંભલા તોડવામાં કોઇ અક્ષપર્ટની મદદ લીધી 
 
વકીલોથી ભરચક કોર્ટમાં સરકારી વકીલ એફ.વાય.અંછવાએ પોલીસ તરફથી રિમાન્ડ મેળવવા 11 મુદ્દાઓ રજૂ કર્યા હતા.જેમાં તેમને તોફાનોના લાલજી પટેલનું એફઆઇઆરમાં નામ હોવાની સાથે મુખ્યસુત્રધાર હતા.આંદોલન દરમિયાન વીજ થાંભલા તોડવામાં કોઇ અક્ષપર્ટની મદદ લીધી હોવાની સાથોસાથ તોફાનોમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ઓળખ અને તેમની ધરપકડ કરવાની બાકી હોઇ 14 દિવસના રીમાન્ડની માંગણી કરી હતી.જ્યારે સામે પક્ષે લાલજી પટેલના વકીલ કમલેશભાઇ પટેલ,સુધિરભાઇ પટેલે કોર્ટ સમક્ષ લાલજી પટેલને પોલીસે સ્થળ પરથી જ પકડી લીધા હતા અને ત્યારથી અત્યાર સુધી પોલીસની નજર કેદમાં હતા.તેમને કોઇને મળવા દીધા નથી સાથોસાથ તેમનો મોબાઇલ  કબ્જે લઇને તપાસ કરનાર પોલીસને રીમાન્ડની જરૂરીયાત નથી. લાલજી પટેલને ફરિયાદ આપવી હતી તે પોલીસે લીધી ન હોવાની દલિલ કરી હતી.બન્ને પક્ષોની દલિલોને સાંભળ્યા બાદ કોર્ટે લાલજી પટેલના આગામી 9મી મે, સાંજે પાંચ કલાક સુધીના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા.
 

 પોલીસે રિમાન્ડ મેળવવા આ કારણો આગળ ધર્યા
 
1. FIRમાં આરોપીનું નામ અને મુખ્ય સૂત્રધાર છે.
2. લાલજી પટેલ એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને 2004માં તેની સ્થાપના થઇ છે ત્યારે તેની નોંધણી કરાયેલી છે કે કેમ, કમિટીમાં કોણ છે, ગૃપ કયા વિસ્તારમાં સક્રિય છે, નાણાકીય ભંડોળ કોણ પૂરું પાડે છે, લાલજી પાછળ અન્ય કયા વ્યક્તિઓની સંડોવણી છે.
3. એસપીજી અને પાસ સંસ્થા વચ્ચેનું સંકલન કેવા પ્રકારનું છે અને અન્ય કોણ આગેવાન છે.
4.જેલભરો અને અનામતનો ઉદેશ નહીં, પરંતુ પોલીસ પર હુમલો અને સોશિયલ મીડિયાનો દૂરુપયોગ કરાયો છે. તેમાં કોનો સહકાર મેળવ્યો અને શું જવાબદારી છે.
5. આંદોલનમાં સભા, ચા-નાસ્તો, વાહન પાર્કિગની વ્યવસ્થામાં કોણે મદદ કરી, વાેકીટોકી ક્યાંથી લાવ્યા, ટાવર ક્યાં ઊભું કરાયું હતું.
6. ટી શર્ટ, ટોપી ક્યાં તૈયાર કરાવી અને તેનો ખર્ચો કોણે આપ્યો
7. રાષ્ટ્રધ્વજ સાથે ચેડાં કરી તૈયાર કરાયેલા 10 ધ્વજ ક્યાં છે, તે રિકવર કરવાના છે.
8. સોશિયલ મીડિયાના ગૃપ અને તેના અેડમીનની સાથે સભ્યોએ કરેલા સંદેશા વ્યવહાર બાબતે પૂછપરછ.
9. લૂંટમાં ગયેલો હેન્ડી કેમેરા અને લેપટોપની રીકવરી કરવાની છે.
10. ઇલેકટ્રીક થાંભલા નીચે ફેંકી વીજ વાયરો કાપી રોડ પર કોણે નાખ્યા.
11. શોપિંગ સેન્ટરોમાંથી મેળવેલા ફૂટેજ બતાવીને અન્ય આરોપીઓની ઓળખ નક્કી કરવી.
 
લાલજી પટેલની ગઈકાલે ડ્રામા બાદ પોલીસે ધરપકડ કરી હતી

મહેસાણામાં સરદાર પટેલ ગ્રૂપના જેલભરો આંદોલન દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા લાલજી પટેલની ગઈકાલે ડ્રામા બાદ પોલીસે ધરપકડ કરી હતી. 15 દિવસની સારવાર બાદ સ્વસ્થ બનેલા એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે મંગળવારે સવારે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, સતત 12 કલાક સુધી ચાલેલા ડ્રામાથી કંટાળેલાં લાલજીની પત્નીએ મચાવેલા હંગામાને પગલે આખરે રાત્રી સમયે પોલીસ કાફલો દવાખાનામાં દોડી ગયો હતો. સિવિલના તબીબના રિપોર્ટના આધારે પોલીસે લાલજી પટેલનું નિવેદન લીધું હતું ત્યાર બાદ આખરે પોલીસે લાલજી પટેલની ધરપકડ કરતાં લોકો હોસ્પિટલ કમ્પાઉન્ડમાં દોડી આવ્યા હતા.
 
 
સમાધાનના પ્રયાસો વચ્ચે લાલજીની ધરપકડથી અનેક તર્ક-વિતર્ક
 
મહેસાણામાં પાટીદારો દ્વારા આયોજીત જેલભરો આંદોલનમાં થયેલા તોફાન સમયે થયેલી ઇજાને કારણે લાયન્સ હોસ્પિટલમાં ખસેડાયેલા એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલને માથામાં 6 ટાંકા આવ્યા હતા. એસઆરપી અને સ્થાનીક પોલીસના જાપ્તા હેઠળ નજરકેદ રખાયેલા લાલજી પટેલની સપ્તાહ પૂર્વે તબિયત લથડતાં આઇસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ચાર દિવસ પૂર્વે તબિયતમાં સુધારો આવતા પુન: સ્પેશ્યલ વોર્ડમાં ખસેડાયેલ લાલજી પટેલે ધરપકડ ટાળવા પોલીસ સમક્ષ મંગળવારે સવારે 10 કલાકે હાજર થવાનું જાહેર કરતાં જ પોલીસ કાફલો હોસ્પિટલમાં દોડી ગયો હતો. જોકે, એક તરફ સરકાર પાટીદારો સાથે સમાધાન કરી રહી છે ત્યારે જ લાલજીની ધરપકડ કરવામાં આવતા લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે હવે શું થશે?
 
હું જામીન નહીં લઉં : લાલજી
 
મંગળવારે મોડીરાત્રે પોલીસે ધરપકડ કર્યા બાદ લાલજી પટેલે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, પોલીસે પાટીદારો પર ખોટા કેસો કર્યા છે. એટલે હું જામીન લેવાનો નથી.
 
જેરામબાપા મહેસાણામાં:લાલજી વહેલી તકે બહાર આવે તે માટે સરકાર સાથે વાટાઘાટો  હાથ ધરાઇ છે
 
મહેસાણા કોર્ટમાં રજૂ કરાયેલા લાલજી પટેલને મળ્યા બાદ ઉમિયાધામ સીદસરના ટ્રસ્ટી જયરામભાઇ પટેલ અને પાટીદાર અગ્રણી વાસુદેવ પટેલે લાલજી પટેલ વહેલી તકે બહાર આવે તે માટે સમાજના આગેવાનો સરકાર સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ અને તેમને બહાર આવવામાં વધુ સમય નહીં લાગે. અમે લાલજીને જામીન અરજી મૂકવા સમજાવીશું. રાજ્ય સરકારે 10 ટકા અનામત આપી છે તેની પાસ, એસપીજી અને મધ્યસ્થીઓની ટીમની બનેલી કમિટી સાથે ચર્ચા બાદ નિર્ણય લેવાશે. તમામને સાથે રાખીને આંદોલન શાંતિપૂર્વક પૂર્ણ કરીશું.

હોસ્પિટલમાં જ 12 કલાકનો હાઇવોલ્ટેજ ડ્રામા ભજવાયો જેનો ઘટનાક્રમ
 
સવારે 9 થી 12: સ્વસ્થતાનો રિપોર્ટ, બહાર જવા પર પાબંધી
 
એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે પોતે સ્વસ્થ હોવાનું કહી મંગળવારે સવારે 10 કલાકે પોલીસ સમક્ષ આત્મસમર્પણની વાત કરેલી હોઇ મહેસાણા લાયન્સ હોસ્પિટલના સુપ્રિટેન્ડન ધરમસિંહ દેસાઇએ તેમનું મેડિકલ ચેકઅપ કર્યુ હતું.જેમાં તે સ્વસ્થ હોવાનું જણાતા લાલજી પટેલની મંજૂરીથી રજા આપવા સંબધે જિલ્લા પોલીસવડા,એલસીબી અને સીવીલ સર્જનને જાણ કરી હતી.જોકે, 9 થી 12 દરમિયાન પોલીસની નજર કેદ હેઠળ રખાયેલા લાલજી પટેલને રૂમની બહાર નીકળવા પર પણ પ્રતિબંધ મુંકાયો હતો. આ સમય દરમિયાન પાટીદાર સમાજમાં વાયુવેગે વાત પ્રસરતાં પાટીદાર યુવાનોના ટોળા હોસ્પિટલની બહાર એકઠા થવા માંડ્યા હતા. જેના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓની ચિંતા બેવડાઇ ગઇ હતી. જોકે, આ સમયમાં ઉત્તેજના પૂર્ણ માહોલ હોવા છતાં કોઇ અનિચ્છનિય બનાવ બન્યો ન હતો.
 
બપોરે 12 થી 5: ધરપકડ માટે રજૂઆત, 45 મિનિટ ચર્ચા
 
એસપીજીના જિલ્લા મહામંત્રી મનીષ પટેલે બપોરે 12 કલાક બાદ મિડિયા તેમજ હાજર પોલીસ સમક્ષ લાલજી પટેલ સ્વસ્થ છે તેમના વિરૂધ્ધ નોંધાયેલી પોલીસ ફરિયાદ અંતર્ગત ધરપકડ કરાવવા સામેથી કહી રહ્યા છે તો પછી પોલીસ ધરપકડ કેમ કરતી નથી તેવુ નિવેદન આપ્યું હતું. લાલજી પટેલે બે ત્રણ વખત રૂમમાંથી બહાર આવવાનો પ્રયાસ કર્યો હતો. ડીવાયએસપી રાજેશ ગઢીયાએ બંધ બારણે લાલજી સાથે ચર્ચા કરી હતી, જે 45 મીનીટ સુધી ચાલી હતી.લાલજીને મળીને બહાર નીકેળેલા ડીવાયએસપી ગઢીયાએ લાલજીનો મેડિકલ ચેકઅપ સીવીલ સર્જન કરશે અને તેમના રિપોર્ટના આધારે ધરપકડનો નિર્ણય લેવાશે તેવું સ્પષ્ટ પણે જણાવ્યું હતુ.જ્યારે બીજીબાજુ સિવિલ સર્જને પણ કલેકટરના લેખિત આદેશ બાદ જ લાલજીના સ્વાસ્થયની ચકાસણી કરવાનો નિર્ણય લીધો હોવાની શરૂ થયેલી ચર્ચાઓ વચ્ચે  બપોરે 3 વાગી ગયા હતા અને લાલજીની ધરપકડ લંબાઇ હતી.

સાંજે 5 થી 10:  લાલજીને રૂમમાં ધકેલતાં પત્નીનો હંગામો
 
દર 2 કલાકે રિપોર્ટ કરનાર લાયન્સના ર્ડો ધરમસિંહ દેસાઇએ 3 કલાક બાદ લાલજીનું બીપી 120થી વધુ હોવાનું નિદાન કર્યુ હતું. આશરે 4.45 કલાકે સીવીલના સિનિયર ર્ડો. સેલવાડ આવ્યા અને લાલજીના તમામ મેડિકલ રિપોર્ટ લીધા બાદ રિપોર્ટ પોલીસવડાને આપવાનું કહીને નીકળી ગયા. રાત થવા છતા ધરપકડ સંબધે કોઇ નિર્ણય ન લેવાતા લાલજીએ સવાલો ઉઠાવ્યા હતા. દરમિયાન સીવીલ સત્તાવાળાઓએ રિપોર્ટ મેળવી લેવા કરેલી જાણ થતા પોલીસના પેટનું પાણી પણ ન હાલતા રાત્રે 9 કલાકે લાલજી પોલીસ બદોબસ્ત છતા રૂમની બહાર આવી ગયો હતો. જોકે, પોલીસે તેને પરત રૂમમાં મોકલતા તેમની પત્ની રંજનબહેને પિત્તો ગુમાવ્યો હતો અને અડધો કલાક...અડધો કલાક...કહીને 12 કલાક પસાર કર્યા છતા ધરપકડ કેમ કરતા નથી તેમ કહી  હંગામો મચાવતાં રાત્રે લાલજી પટેલનું લગભગ બે કલાકથી વધુ સમય સુધી બંધ બારણે નિવેદન લઇ ધરપકડનો તખ્તો તૈયાર થયો હતો.
 
સમાજને અમારે જવાબ આપવાનો છે : રંજન પટેલ
 
છેલ્લા 15 દિવસથી પોલીસની નજર કેદમાં રખાયેલા પતિ જ્યારે હાજર થવાની વાત કરી રહ્યા છે ત્યારે અડધો કલાક..અડધો કલાક તેમ કહીને 12 કલાક કાઢી નાખ્યા, તેમ કહીને પોલીસ સામે વિફરેલા લાલજી પટેલનાં પત્ની રંજનબહેને રોષ ઠાલવ્યો હતો કે, ‘સમાજ કહે છે કે તમે રૂમમાં આરામ કરો છો. અમારે સમાજને જવાબ આપવાનો છે. રિપોર્ટ સીવીલમા તૈયાર છે પરંતુ કોઇ લેવા જવા તૈયાર નથી.સવારે 10થી રાત્રે 9 વાગ્યા સુધી ધરપકડની રાહ જોઇને બેસી રહ્યા છીએ અને પોલીસ અમારી ધરપકડ કરતી નથી.આ કઇ રીત છે તે અમને ખબર પડતી નથી.આવો અત્યાચાર ન હોય.તેમને કોઇ હત્યા કે મોટો ગુનો કર્યો નથી કે તમે આ રીતે સજા આપી રહ્યા છો.’ મહેસાણામાં પાટીદારો દ્વારા આયોજીત જેલભરો આંદોલનમાં થયેલા તોફાન સમયે થયેલી ઇજાને કારણે મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં ખસેડાયેલા એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલને માથામાં 6 ટાંકા આવ્યા હતા.
 
લાલજીની તબિયત સારી છે : તબીબ

15 દિવસમાં લાયન્સ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા એસપીજી અધ્યક્ષ લાલજી પટેલની તબિયત સારી હોવાનું કહેતા ડૉ. ધરમસિંહ દેસાઇએ જણાવ્યું કે, લાલજી પટેલના માથામાં આવેલા 6 ટકા તાજેતરમાં તોડયા હતા. હાલમાં તેમની તબિયત સારી છે અને તેમને ખુદે જ રજા લેવાની ઇચ્છા દર્શાવી છે.

લાલજીને મળવા આવેલા SPGના ગૌરાંગ પટેલને પકડી લેવાયા
 
જેલભરો આંદોલનમાં થયેલા તોફાનો સંદર્ભે મહેસાણા એલસીબી પોલીસે સોમવારે રાત્રે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા  લાલજી પટેલની ખબર પૂછવા આવેલા એસપીજીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ગૌરાંગ પટેલની ધરપકડે ગરમાવો સર્જયો છે. તોફાન કેસમાં નોંધાયેલી ફરિયાદમાં ગૌરાંગના નામનો ઉલ્લેખ થયેલો ન હોવા છતાં થયેલી ધરપકડના મુદ્દે તેના વકીલ એલસીબી કચેરી પહોંચી ગયા હતા.
 
જેલભરો આંદોલન ઇજા પામેલા એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલના ખબર અંતર પુછવા સોમવારે રાત્રે લાયન્સ હોસ્પિટલ પહોચેલા એસપીજીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ  ગૌરાંગ પટેલની મહેસાણા એલસીબીએ ધરપકડ કરી હતી. જેને પગલે ઉત્તેજના છવાઇ ગઇ હતી.
 
જેલભરો આંદોલનમાં થયેલા તોફાન કેસમાં ધરપકડ કરાયેલા ગાંધીનગરના ગૌરાંગ પટેલનું ફરિયાદમાં નામ ન હોવા છતા તેની ધરપકડના મુદ્દે ઉઠેલા સવાલો વચ્ચે તેના વકીલ એલસીબી કચેરીમાં દોડી ગયા હતા અને તેની મુક્તિ માટે  પોલીસ અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી.ઉલ્લેખનીય છે કે, જેલભરો આંદોલનમાં થયેલા તોફાન કેસમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ 23 વ્યક્તિઓની ધરપકડ કરી ચૂકી છે.

Source :-http://www.divyabhaskar.co.in/news-ht/UGUJ-MEH-OMC-mehsana-in-lalji-patel-will-appear-before-the-police-get-a-discharge-from-hospit-531422.html?seq=1

કેનેડામાં આગથી 80,000નું સ્થળાંતર, શહેરમાં ગુજરાતીઓની મોટી સંખ્યા 

મેકમુર્રેઃ કેનેડાના આલ્બર્ટા રાજ્યમાં આવેલા ફોર્ટ મેકમુર્રે શહેરને અડીને આવેલા જંગલમાં લાગેલી ભયાનક આગને પગલે 80,000 શહેરીજનોને શહેર છોડી સલામત જગ્યાએ જતા રહેવાના આદેશ અપાયા છે.
ફોર્ટ મેકમુર્રેઃ કેનેડાના આલ્બર્ટા રાજ્યમાં આવેલા ફોર્ટ મેકમુર્રે શહેરને અડીને આવેલા જંગલમાં લાગેલી ભયાનક આગને પગલે 80,000 શહેરીજનોને શહેર છોડી સલામત જગ્યાએ જતા રહેવાના આદેશ અપાયા છે. કેનેડાના આ શહેરમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહે છે. આગને કારણે કોઇ ગુજરાતીની નુકસાન પહોંચ્યું નથી. જોકે, ફોર્ટ મેકમુર્રેમાં રહેતા અજય રાણાના જણાવ્યા અનુસાર પરિસ્થિતિ ભારે ભયાનક છે. આગને કારણે લોકોને કરવું પડી રહેલું પલાયન આલ્બર્ટા રાજ્યાના ઇતિહાસનું સૌથી મોટું પલાયન મનાઇ રહ્યું છે.

ફરજિયાત ઇવેક્યુએશનનો આદેશ

તંત્ર દ્વારા શહેરના તમામ લોકોને ફરજિયાત ઇવેક્યુએશન(પલાયન) અંગેનો આદેશ જાહેર કરાયા છે અને નોર્થમાં આવેલા નોરાલ્ટામાં જતાં રહેવા જણાવાયું છે. જેને પગલે નોરાલ્ટામાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થયા છે. સ્થિતિ એટલી કથળી ગઇ છે કે અહીં જગ્યાની અછત સર્જાઇ છે.

આગ વધુ પ્રસરવાની આશંકા

બુધવાર દરમિયાન આ વાઇલ્ડ ફાયર વધુ ભયાનક બને એવી આગાહી કરાઇ છે. બુધવારે પવન પોતાની દિશા બદલી 50 km/Hની ઝડપે ફુંકાય એવું અનુમાન પણ લગાવાયું છે. જેને કારણે આગ વધુ વકરશે. આગને કારણે વાતાવરણ 32 C પહોંચી ગયુ હતું અને હ્યુમિડિટી(આર્દ્રતા) 15 ટકા કરતા પણ ઘટી ગઇ હતી. આલ્બર્ટાની પ્રીમિયર રેશલ નોટલીએ આ આગને ‘સ્લેવ લેક કરતા મોટી’ ગણાવી છે. ઉલ્લેખનીય છે કે સ્લેવ લેક એ આલ્બર્ટાનું એક સ્મોલ ટાઉન છે. જ્યાં 2011માં લાગેલી આગને કારણે 9,000 લોકોને ઇવેક્યુએટ કરવું પડ્યું હતું.

ઘરો રહેશે સલામત?
 
રવિવારે લાગેલી આ આગને શહેરને ઝપેટમાં લઇ રહી છે અને નાગરિકોને આશંકા છે કે પરત ફરતી વખતે તેમના ઘરો સલામત રહેશે કે કેમ? હાલમાં શહેરની કેટલીક ઇમારતો અને રિસોર્સીઝ આગની લપેટમાં આવી ગયાં છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝાડ, ઇમારતો સળગતી જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં ટ્રક્સ, કાર્સ, મોટરસાયકલ્સ અને મોબાઇલ હોમ શહેર છોડીને જતાં જોવા મળ્યાં છે. લોકોમાં ભયનો માહોલ સર્જાયેલો છે. પોલીસ ઓફિસર્સ માસ્ક પહેરીને મહામુશ્કેલીઓ પોતાની ડ્યુટી કરી રહ્યાં છે.

Source :-http://www.divyabhaskar.co.in/news-ht/INT-AME-fort-mcmurray-fire-80000-people-ordered-to-evacuate-the-town-5315626-PHO.html



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment