સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday 8 April 2016

આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભસવારે ૬:૨૬થી ઘટસ્થાપનનાં મુહૂર્ત - પાટીદારો માંડવે બેસી કાયદાની દીકરી '૧૪૪' સાથે લગ્ન કરશે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભસવારે ૬:૨૬થી ઘટસ્થાપનનાં મુહૂર્ત

- સતત બીજા વર્ષે એક નોરતું ઘટવાથી શુક્રવારે જ ચૈત્ર નવરાત્રિનું સમાપન થશે

અમદાવાદ, ગુરુવાર
માતાજીના પાવન પર્વ ચૈત્રી નવરાત્રિનો શુક્રવારથી પ્રારંભ થશે.  નવરાત્રિ એટલે જેને આપણે અંબા, જગદંબા, દુર્ગા એમ અનેક નામથી પૂજીએ છીએ તેવી મહાશક્તિની આરાધના કરવાનો શ્રેષ્ઠ અવસર. આવતીકાલે માતાજીના વાર એવા શુક્રવારથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે ઘટ સ્થાપન માટે સવારે ૬:૨૬થી બપોરે ૧:૦૬ દરમિયાન વિવિધ મુહૂર્ત છે. આ વખતે સતત બીજા વર્ષે પણ ચૈત્રી નવરાત્રિમાં નોરતું ઘટવાનું હોવાથી આવતા શુક્રવારે જ નવરાત્રિનું સમાપન થશે. આ વર્ષે નવરાત્રિમાં ત્રીજનો ક્ષય છે.
શાસ્ત્ર અનુસાર વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે, જેમાં મહા-ચૈત્ર-આસો અને અષાઢી નવરાત્રિનો સમાવેશ થાય છે. નવરાત્રિ પૂજનનો પ્રારંભ ઘટ સ્થાપન કર્યા બાદ થતો હોય છે. 'શુક્રવારે સવારે ૬:૨૬થી ૮:૦૦ ચલ, સવારે ૮:૦૦થી ૯:૩૪ લાભ, સવારે ૯:૩૪થી ૧૧:૦૮ સુધી અમૃત મુહૂર્ત છે. બપોરે ૧૨:૪૧થી ૧:૦૬ સુધી પણ અમૃત મુહૂર્ત છે. અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૬થી ૧:૦૬ સુધી છે. નવરાત્રિ દરમિયાન અનેક ભક્તો નવ દિવસ ઉપવાસ રાખતા હોય છે.  જે ભક્ત સમગ્ર નવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખી શકે તેમ હોય નહીં તે ત્રિરાત્રિ ઉપવાસ એટલે કે એકાંતરે ઉપવાસ કરી શકે છે. '
ચૈત્ર નવરાત્રિને શક્તિના સંચય માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ ઉપરાંત શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સાધના માટે સ્થળ અને કાળનું ખૂબ જ મહત્વ હોય છે. આ જ કારણે ચૈત્રી નવરાત્રિ આવા અનુષ્ઠાન માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ જ દિવસે ભગવાન નારાયણની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું હતું, જેમાંથી સૃષ્ટિના રચેતા બ્રહ્મદેવનું પ્રાગટય થયું હતું. આ જ કારણે આ દિવસને સૃષ્ટિના પ્રારંભનો દિવસ પણ કહેવામાં આવે છે.
ચૈત્ર નવરાત્રિ નિમિત્તે અંબાજી, પાવાગઢ, બેચરાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. અમદાવાદના ભદ્રકાળી મંદિર, માધુપુરા ખાતે આવેલા અંબાજી મંદિરમાં પણ પૂજનના વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે. આઠમના હવન માટે અત્યારથી જ તડામાર તૈયારીનો પ્રારંભ પણ થઇ ગયો છે.

ચાચર ચોકમાં ૭૬ વર્ષથી ઉભા પગે અખંડ ધૂન ગવાય છે
શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોકમાં છેલ્લા ૭૬ વર્ષોથી ચૈત્ર નવરાત્રિ દરમિયાન માઇ ભક્તો દ્વારા નવ દિવસ સુધી ઉભા પગે રહીને માં ની અખંડ ધૂન ગાવામાં આવે છે. ચૈત્ર અખંડ ધૂન મંડળના પાંચ ગામો અમદાવાદ, પલીયડ, સઇઝ, ઝુલાસણના ૧૫૦થી વધુ ભક્તોને  સતત ઉભા પગે ધૂન ગાવા છતાં કોઇ થાકનો અનુભવ થતો નથી. અંબાજીમાં શુક્રવારે સવારે ૧૦:૧૫ કલાકે ઘટસ્થાપન થશે. આ ઉપરાંત સવારની આરતી ૭:૩૦થી ૮:૦૦, સાંજની આરતી ૭:૦૦થી ૭:૩૦ દરમિયાન કરાશે.


ચૈત્ર માસમાં લીમડાનો રસ પીવાનું મહત્વ
આવતીકાલથી ચૈત્ર માસનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે લીમડો માતાના ધાવણની જેમ નિર્દોષ છે. લીમડો ૧૨૫ જેટલા કિટકો તથા વનસ્પતિ જન્ય જીવાણુઓને કાબૂમાં રાખી શકે છે. લીમડો જીવાણુ, વિષાણુ અને મધુપ્રમેહ વિરોધી ગુણ ધરાવે છે. ચૈત્ર માસમાં રોજ સવારે લીમડાનો મ્હોર કે પાનને વાટી પીવાથી બારે માસ તાવ આવતો નથી. ચૈત્ર માસમાં લીમડાના સેવન થકી અનેક રોગ શાંત થાય છે. લીમડો  પિત્તને શાંત કરીને ઠંડક આપે છે. ચૈત્રમાં અનુકૂળતા મુજબ લીમડાનું સેવન કરી શકાય છે.

પાટીદારો માંડવે બેસી કાયદાની દીકરી '૧૪૪' સાથે લગ્ન કરશે

- અબકી બાર,૧૭/૪ ,જેલભરો આંદોલનની રમૂજી કંકોતરી

- વોટ્સએપ,ફેસબુક પર કોમેન્ટોનો મારો શરૃ

સોશિયલ મિડિયામાં સરકાર અને પોલીસની ટીખળ ઉડાડતી કંકોતરી વાયરલ
અમદાવાદ ,ગુરૃવાર
ભાજપ સરકાર પાટીદારોને અનામત આપી શકે તેમ જ નથી પરિણામે સમાધાનની ફોર્મ્યુલાનું નાટક હવે વધુ ચાલી શકે તેમ નથી. પાટીદારો પણ ભાજપ સરકાર અને સરકાર તરફી પાટીદાર નેતાઓની રાજકીય ચાલને ઓળખી ગયા છે જેથી હવે આરપારની લડાઇ લડવા તત્પર બન્યાં છે. મહેસાણામાં જેલભરો આંદોલન અંગ સોશિયલ મિડિયામાં ભરપૂર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપ સરકાર અને ગુજરાત પોલીસની ટિખળ કરતી અનોખી કંકોત્રી સોશિયલ મિડિયામાં વાયરલ થઇ છે જેમાં પાટીદારોએ કાયદાની દિકરી ૧૪૪ સાથે લગ્ન સમારોહ આયોજિન કર્યો છે.
સોશિયલ મિડિયામાં વાયરલ થયેલી કંકોત્રીમાં એવુ દર્શાવાયું છેકે, ૧૭મી એપ્રિલે મહેસાણામાં લગ્ન સમારોહ યોજવામાં આવ્યાં છે જેમાં લગ્ન-ભોજન સમારોહ દાતા તરીકે ગુજરાત સરકારનું નામ લખવામાં આવ્યુંછે. લગ્ન સ્થળે પહોંચવા માટે ગુજરાત પોલીસે વાહન વ્યવસ્થા ગોઠવી હોવાનું જણાવાયું છે. એવુ લખવામાં આવ્યું છેકે, અમારી કુળદેવી ઉમા ખોડલની અસીમ કૃપાથી સરકાર અને કાયદાની દિકરી શ્રી ૧૪૪ના લગ્ન વિશ્વના બાપ અને ધરતીપુત્ર પાટીદાર સમાજ સાથે નક્કી કરાયા છે. શુભ સ્થળમાં અવસર પાર્ટી પ્લોટની બાજુમાં, મહેસાણા દર્શાવાયું છે. આમ, જેલભરો આંદોલન થકી પાટીદારો હવે ભાજપ સરકાર સામે શિંગડા ભેરવી જોરદાર શક્તિ પ્રદર્શન કરવાના મૂડમાં છે એટલે જ ભાજપ તરફી પાટીદારો આગેવાનો સમાધાનના સંદેશો પહોંચાડીને પાટીદારોનો રોષ ઠારવા પ્રયાસો કરી રહ્યાં છે.


Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment