સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday 8 April 2016

દુકાળ જેવા ગંભીર મુદ્દાને અવગણતા ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટે ઝાટકી - સૌરાષ્ટ્રમાં પાણીની વિકટ સ્થિતિ ડેમોમાં માત્ર ૧૦ ટકા જ પાણી

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

દુકાળ જેવા ગંભીર મુદ્દાને અવગણતા ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટે ઝાટકી

- પ્રજાના કામમાં બેદરકારી બદલ સુપ્રીમે ગુજરાત અને હરિયાણા સરકારને આડે હાથ લીધી

સ્થાનિક ચૂંટણીના કારણે મોડું થઈ ગયું એવા ગુજરાત સરકારના લૂલા બચાવ પછી સુપ્રીમ વિફરી : સપ્ટેમ્બરમાં જ દુકાળની સ્થિતિનો અંદાજ હતો તો પહેલી એપ્રિલે કેમ દુકાળ જાહેર કર્યો? : સુપ્રીમનો સવાલ
નવી દિલ્હી, તા.૭
દુકાળ મુદ્દે સુપ્રીમ કોર્ટે ગુજરાત અને હરિયાણા સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કરી હતી. કેન્દ્ર સરકારે રાજ્યોના દુકાળ મુદ્દે કરેલા સોગંદનામાની સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આકરા સવાલો પૂછતા કહ્યું હતું કે, ગુજરાત સરકારને દુકાળની સ્થિતિનો સપ્ટેમ્બરમાં જ અંદાજ આવી ગયો હતો તો પહેલી એપ્રિલે દુકાળ કેમ જાહેર કર્યો? શું તમે કહી શકો છો કે, આ દરમિયાન લોકોની હાલત શું થઈ હશે? આટલા ગંભીર મુદ્દે થોડી તો ગંભીરતા દાખવો.
દેશના કેટલાક રાજ્યોમાં દુકાળની સ્થિતિના કારણે કેન્દ્ર સરકારે સુપ્રીમમાં સોગંદનામું દાખલ કર્યું છે. આ સોગંદનામા પ્રમાણે, કેન્દ્ર એક અઠવાડિયામાં મનરેગા યોજના હેઠળ રાજ્ય સરકારોને રૃ. ૧૧,૦૩૦ કરોડ આપશે. આ રકમમાંથી રૃ. ૨,૭૨૩ કરોડ દસ દુકાળગ્રસ્ત રાજ્યોમાં મનરેગા અંતર્ગત કામ કરતા મજૂરોને આપવામાં આવશે. આ નિર્ણય લેવાનો હેતુ મજૂરોને વધુ ૫૦ દિવસ રોજગારી મળે એ છે. જોકે, આ રજૂઆત પછીયે અસંતોષ વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમ. બી. લોકુર અને એન. વી. રમણની ખંડપીઠે ગુજરાત અને હરિયાણા સરકારને આડે હાથ લીધી હતી.
સુપ્રીમની ટિપ્પણીનો ગુજરાત સરકારે લૂલો બચાવ કરતા કહ્યું હતું કે, સ્થાનિક ચૂંટણીઓના કારણે નિર્ણય લેવામાં વાર લાગી હતી! અમે પહેલી એપ્રિલ, ૨૦૧૬ના રોજ રાજ્યના ૫૨૬ ગામમને દુકાળગ્રસ્ત જાહેર કરી દીધા છે. આવી પાંગળી અને બિનતાર્કિક દલીલ પછી સુપ્રીમ કોર્ટ વિફરી હતી. સુપ્રીમે કહ્યું હતું કે, શું ચૂંટણીઓ આવે એટલે બધું કામ બંધ થઈ જાય! આ સ્થિતિ ગુજરાત સરકારની બેદરકારીથી જ સર્જાઈ છે કારણ કે, રાજ્ય સરકાર કેન્દ્રને અહેવાલ મોકલે એ પછી જ કેન્દ્ર સરકાર નિર્ણય લે છે. હવે તમે રાજ્યને દુકાળગ્રસ્ત જાહેર કર્યું છે એટલે કેન્દ્ર તેની ટીમ મોકલશે, પણ આ કામમાં ઘણી વાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં તમે છ મહિના પછી દુકાળ જાહેર કર્યો હોત તો શું થાત!
નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટ સામાજિક કાર્યકર્તા યોગેન્દ્ર યાદવની એ અરજી પર સુનવણી કરી રહી છે, જેમાં દુકાળગ્રસ્ત રાજ્યોના ખેડૂતોને આર્થિક રાહત આપવાની માગ કરાઈ છે. આ અરજીમાં મનરેગા એક્ટ પ્રમાણે ખેડૂતો અને અન્ય લોકોને વેતન ચૂકવવાની પણ માગ કરતા કહેવાયું છે કે, કેન્દ્રએ ગુજરાત, હરિયાણા, ઉ.પ્ર., મ.પ્ર. મહારાષ્ટ્ર, ઝારખંડ, બિહાર, હરિયાણા, છત્તીસગઢ, તેલંગાણા, કર્ણાટક અને ઓડિશા દુકાળનો સામનો કરી રહ્યા હોવા છતાં કેન્દ્રએ રાહતના પૂરતા પગલાં લીધા નથી. આ મુદ્દે કેન્દ્રએ કરેલા સોગંદનામાની સુપ્રીમમાં સુનવણી ચાલી રહી છે.

આપણે પિકનિકની વાતો કરવા ભેગા થયા છીએ?
હરિયાણા સરકારે અધૂરી માહિતી-આંકડા રજૂ કરતા સુપ્રીમનો ઉધડો
(પીટીઆઈ)    નવી દિલ્હી, તા.૭
કેન્દ્રના દુકાળ અંગેના સોગંદનામાની સુનવણી વખતે સુપ્રીમે હરિયાણા સરકારની પણ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. હરિયાણાને દુકાળગ્રસ્ત રાજ્ય જાહેર કેમ ના કરવું જોઈએ એ વિશે સરકારે કેટલીક માહિતી અને આંકડા રજૂ કર્યા હતા. જોકે, આ તથ્યો અધૂરા હોવાથી સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારને આકરો સવાલ પૂછતા કહ્યું હતું કે, દુકાળના કારણે હરિયાણામાં લોકો જાન ગુમાવી રહ્યા છે અને તમે અધૂરા ડેટા લઈને આવ્યા છો. શું આ તમારી ગંભીરતા છે? આપણે હરિયાણામાં પિકનિકની વાતો કરવા ભેગા નથી થયા.

સૌરાષ્ટ્રમાં પાણીની વિકટ સ્થિતિ ડેમોમાં માત્ર ૧૦ ટકા જ પાણી

- ભરઉનાળે રાજયભરમાં પાણીનું સંકટ સર્જાશે

- રાજ્યના ૨૦૨ ડેમોમાં કુલ ૨૯.૨૧ ટકા જ પાણી બચ્યું

પીવાના પાણીની સમસ્યાથી પ્રજાપીડિત ત્યારે ભાજપ સરકાર ઉત્સવોમાં મસ્ત
અમદાવાદ ,ગુરૃવાર
ગુજરાતમાં ભરઉનાળે પાણીનું સંકટ સર્જાય તેવા એંધાણ સર્જાયા છે કેમ કે, મોટાભાગના ડેમોના તળિયા દેખાવવા માડયાં છે. સૌરાષ્ટ્રમાં તો એવી વિકટ પરિસ્થિતી સર્જાઇ છેકે, ૧૩૭ ડેમોમાં માત્રને માત્ર ૧૦ ટકા જ પાણી બચ્યું છે. બીજી તરફ, ભાજપ સરકાર અછત જેવી સ્થિતીમાં પાણીની સંકટ સામે સજ્જ થવાને બદલે સ્થાપ્ના દિન,ગૌરવ રેલી જેવા ઉત્સવો ઉજાવવામાં મસ્ત બની છે.
ગુજરાતમાં અછતની સ્થિતી સામે પુરતા પગલાં લેવાના મુદ્દે સુપ્રિમ કોર્ટે પણ ભાજપ સરકારને ફટકાર આપી છે કેમ કે, ખુદ ગુજરાત સરકારે કોર્ટમાં એવો એકરાર કર્યો કે,ચૂંટણીને કારણે દુષ્કાળ જાહેર કરી શકાયો નહીં. આ કારણોસર સુપ્રિમે પણ નારાજગી વ્યક્ત કરી હતી.
રાજ્યમાં હાલમાં કુલ તમામ ડેમોમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ૧૨૨૬૩૫.૧૧ એમસીએમ છે જયારે અત્યારે ૨૦૨ ડેમોમાં માત્ર ૪૬૦૭.૨૭ એમસીએમ (મિલીયન ક્યુબિક મીટર) પાણીનો સંગ્રહ છે. ઉત્તર ગુજરાતના ૧૫ ડેમોમાં ૨૮.૪૪ ટકા પાણી, મધ્ય ગુજરાતના ૧૭ ડેમોમાં ૩૨.૧૨ ટકા પાણી , દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમોમાં ૩૪.૨૨ ટકા પાણી સંગ્રહાયેલું છે જયારે કચ્છમાં ૨૦ ડેમોમાં ૨૪.૫૭ ટકા પાણીનો સંગ્રહ છે. સૌથી વિકટ સ્થિતી સૌરાષ્ટ્રની છે કેમ કે,અહીં ૧૩૭ ડેમોમાં મોટાભાગના તળિયા દેખાયાં છે. ડેમોમાં માત્ર ૧૦.૬૧ ટકા પાણી સચવાયેલું છે. ઉનાળામાં કાળઝાળ ગરમીમાં રોજરોજ પાણી સૂકાઇ રહ્યું છે. ગુજરાતમાં ડેમોમાં કુલ મળીને ૨૯.૨૧ ટકા જ પાણી છે.
અમદાવાદ જેવા મોટા શહેરોમાં ય પાણીની ફરિયાદો એટલી વ્યાપક બની છેકે, કેટલાંય વિસ્તારોમાં ટેન્કરથી પાણી આપવું પડે છે. સૌરાષ્ટ્રના ઘણાં ગામડાઓમાં તો છકડાં પાણીના એક ટાંકાનો ભાવ રૃા.૨૦૦ બોલાઇ રહ્યો છે. દુરદુર સુધી લોકોને પીવાનું પાણી લેવા જવું પડે છે . કચ્છ,બનાસકાંઠા સહિતના સરહદી ગામડાઓમાં લોકોની વિકટ દશા થઇ છે.
આમ, પ્રજા પાણીની સમસ્યાથી પિડાઇ રહી છે છતાંયે ભાજપ સરકાર સ્થાપ્નાદિન, ગૌરવ રેલી, જનતા દરભાર ભરીને વિધાનસભાની ચૂંટણી જીતવા કાર્યક્રમોમાં રચીપચી રહી છે.

GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 


Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment