સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday 25 April 2016

વધુ વરસાદી પાણી બચાવવા મોદીની દેશવાસીઓને અપીલ - આસામમાં પૂરના પાણી ફરી વળ્યા : ૪૫૦૦૦ લોકોને અસર

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

આ વર્ષે વધુને વધુ વરસાદી પાણી બચાવવા મોદીની દેશવાસીઓને અપીલ

- 'મન કી બાત'માં વડાપ્રધાને દુષ્કાળ મુદ્દે ચિંતા વ્યક્ત કરી

- ગંગા સ્વચ્છ કરવા સરકાર ગંભીર હોવાની મોદીએ ખાતરી આપી

નાના તળાવો બનાવીને પાણી સંગ્રહ કરવાની પદ્ધતિ મધ્યપ્રદેશના ખેડૂતોની પદ્ધતિ આવકારી : ગેસ સબસિડી સ્વેચ્છાએ છોડનારાની વડાપ્રધાને સરાહના કરી
(પીટીઆઈ)            નવી દિલ્હી, તા.૨૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'ની ૧૯મી આવૃત્તિમાં દુષ્કાળ, વરસાદ, પાણીની તંગી, સ્વચ્છ ગંગા, ગેસની સબસિડી અને શિક્ષણ જેવા પ્રશ્નોની ચર્ચા કરી હતી. આ વર્ષે ૧૧૦ ટકા વરસાદ થવાનો છે એવી વિજ્ઞાાનીઓની આગાહીને યાદ કરાવતા વડાપ્રધાને લોકોને જળસંગ્રહ પર ભાર મૂકવાની પણ અપીલ કરી હતી.
મોદીએ લાતુરમાં પાણી પહોંચાડવાના અભિયાનના વખાણ કરતા કહ્યું હતું કે, હું દેશવાસીઓને એક એક ટીપું બચાવવાની અપીલ કરું છું. દેશના અનેક ખેડૂતોએ પાણી બચાવીને સારો પાક લીધો છે. મધ્યપ્રદેશના દેવાસ ગામમાં નાના લોકો નાના નાના તળાવો બનાવીને પાણીનો સંગ્રહ કરી રહ્યા છે. આપણે ગામે ગામ પાણી બચાવવા આવા અભિયાનો કરી શકીએ છીએ.
મોદીએ કહ્યું હતું કે, આ વર્ષે ૧૧૦ ટકા વરસાદ થવાની હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે. જો આપણે આ પાણી વધુને વધુ બચાવવાનો આગ્રહ રાખીશું તો જળસંકટથી બચી જઈશું. મહારાષ્ટ્રમાં પાણીની તંગી છે તો ત્યાંના અહેમદનગર જિલ્લાના ખેડૂતોએ પાક લેવાની પદ્ધતિ બદલી નાંખી છે. અહીં શેરડીના પાકને વધારે પાણી જોઈતું હતું એટલે ખેડૂતો બીજા ફળોની ખેતી કરવા લાગ્યા.  
આ દરમિયાન મોદીએ ગંગા સફાઈની વાત કરતા કહ્યું હતું કે, ગંગા નદીને સ્વચ્છ કરવા સરકાર ખૂબ જ ગંભીર છે. ગંગા જીવનદાયિની છે અને લાખો લોકોને રોજી આપે છે. એ માટે પણ આપણે ગંગાને શુદ્ધ કરવા જાગૃત થવાની જરૃર છે.
ગેસ સબસિડી મુદ્દે મોદીએ કહ્યું હતું કે, મને ગર્વ છે કે દેશના એક કરોડ લોકોએ ગેસ સબસિડી છોડી દીધી છે, જેમાંથી ૮૦ ટકા લોકોએ વિતરકોના ત્યાં કાગળ લખીને આ સબસિડી છોડી દીધી છે. દર વર્ષે રૃ. બે હજારનો ખર્ચ ઊઠાવી શકે એ લોકો તેઓ સબસિડી કેમ લે? આ કારણસર જ કરોડો ગરીબોને રાંધણગેસ મળી શક્યો છે. ગેસ સબસિડી માટે મેં પ્રજા પર ભરોસો મૂક્યો હતો. આ પહેલાં સિલિન્ડર કેટલા મળશે એ એક ચૂંટણી મુદ્દો હતો, હવે નથી.
આ દરમિયાન મોદીએ પ્રાથમિક શિક્ષણ પર ભાર મૂકવાની જરૃરિયાત પર પણ ભાર મૂક્યો હતો. મોદીએ શિક્ષકોને અપીલ કરતા કહ્યું હતું કે, આપણે હવે સ્કૂલિંગ કરતા લર્નિંગ પર ભાર મૂકવો વધારે જરૃરી છે. બાળકો સાથે ખૂલીને વાતો કરો કારણ કે, શિક્ષણની સાથે કૌશલ્યો પણ જરૃરી છે. 

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/national-modi-man-ki-baat2195

આસામમાં પૂરના પાણી ફરી વળ્યા : ૪૫૦૦૦ લોકોને અસર

- ૧ હજાર હેક્ટરથી વધુનો ઊભો પાક નાશ પામ્યો

રાજ્ય, કેન્દ્રના આપત્તિ નિવારણ વિભાગો ઉપરાંત સેનાની પણ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી
(પી.ટી.આઈ.)    ગુવાહાટી, તા. ૨૪
પૂર્વ ભારતના આસામમાં નદીઓના પૂરના કારણે ચાર જિલ્લામાં ૪૫૦૦૦ લોકોને અસર થઈ છે. તેમ રાજ્યના 'ડિઝાસ્ટર મેનેજમેન્ટ' વિભાગે માહિતી આપી હતી. આસામમાં પૂરની આ પ્રથમ ઘટના ચાલુ વર્ષે બની છે.
રાજ્યમાં ૧૦૧૮ હેક્ટર જેટલા કૃષિ વિસ્તારમાં પણ પૂરના પાણી ફરી વળ્યા છે. જ્યારે બૃહદહિંગ, દેસાંગ અને નાગલામુરાંગા નદીઓ ભયજનક સપાટી પર વહી રહી છે. શિવસાગર ખાતે નદીઓનું જળસ્તર ભયજનક હદે વધ્યું છે.
જ્યારે લખિમપૂર, જોર્હટ શિવસાગર અને ચારાઈદુ જિલ્લામાં આશરે ૪૫૦૦૦ લોકો પૂરનો ભોગ બન્યા છે. નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ, સેના અને રાજ્ય ડિઝાસ્ટર રિલીફ ફોર્સને ચારાઈડેકો ખાતે સર્ચ અને રાહત ઓપરેશનમાં મૂકી દેવાયા છે. મુખ્ય સચિવ વી.કે. પિપરસેનિયાએ પૂરની સ્થિતિ અંગે તાકિદની બેઠક યોજીને તેમાં ભોગ બનનારા જિલ્લાઓના ડેપ્યુટી કમિશનરોને પણ વિડિયો કોન્ફરન્સ દ્વારા તત્કાલ લોકો માટે રાહત-બચાવકાર્ય હાથ ધરવા તાકીદ કરી હતી. 

Source :- http://gujaratsamachar.com/index.php/articles/display_article/national-storm-surge-flooding-in-assam



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment