સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 20 April 2016

સૌરાષ્ટ્રને સાડાચાર મહિના ચાલે તેટલું નવું પાણી નર્મદામાં આવ્યું - નવો ‘હાર્દિક’ પત્ર: ગુર્જર અને જાટ આંદોલનની હિંસાના આંકડા સરખાવ્યા - 14 રાજ્યમાં પારો 40 ડીગ્રીને પાર; લાતુરમાં વધુ એક ટ્રેન પાણી લઈને પહોંચી

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

સૌરાષ્ટ્રને સાડાચાર મહિના ચાલે તેટલું નવું પાણી નર્મદામાં આવ્યું 

ભરૂચ: દેશભરમાં એક બાજુ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે દુષ્કળના ડાકલાં વાગી રહ્યાં છે. નદી-નાળા કોતરો સુકાભઠ્ઠ બની રહ્યા છે. તો સાથે સાથે ડેમના જળસ્તરોમાં પણ ઘટાડો થઇ રહયો છે. ત્યારે બીજી બાજુ કેવડિયા ખાતે આવેલા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ભર ઉનાળે એક મહિનામાંજ 1.54 મીટર સપાટીમાં વધારો થયો છે. 
 
- નર્મદા ડેમની જળ સપાટીમાં 1.5 મીટરનો વધારો, MPનાં ડેમમાં વીજ ઉત્પાદન શરૂ
- એક બાજુ દેશ ભરમાં દુકાળના ડાકલાં વાગી રહ્યાં છે ત્યારે બીજી બાજુ નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી  બની
 
ઉપરવાસમાંથી થઇ રહેલી પાણીની આવકને પગલે નર્મદાડેમની સપાટીમાં વધારો થતાં આ જથ્થો સમગ્ર રાજકોટની પ્રજાને અઢી વર્ષ પાણી પહોંચાડી શકે છે . એટલું જ નહીં જો સમગ્ર સૌરાષ્ટ્રને પાણી આપવામાં આવે તો સાડાચાર મહિના પાણી પહોંચાડી શકે તેમ છે.
નર્મદા ડેમમાં પાણીની આવક, જળસ્તર અને પાણીનો જથ્થો ઘટવાને બદલે વધવા પાછળ ઉપરવાસમાં આવેલા ઇન્દીરાસાગર અને બર્ગી ડેમ ઉદ્દીપકની ભૂમિકા ભજવી રહ્યાં છે. ઇન્દિરાસાગર અને બર્ગી ડેમનાં જળવિદ્યુત મથકોમાં થઇ રહેલા વીજ ઉત્પાદનનાં કારણે ડિસ્સાર્જ થઇ પાણીનો જથ્થો સરદાર સરોવરમાં આવતા 1 મહિનામાં નર્મદા ડેમની સપાટીમાં 1.54 મીટરનો વધારો થયો છે.
 
દોઢ મીટર નર્મદા ડેમની સપાટી વધતા સરદાર સરોવરમાં પાણીનો 209.66 મિલિયન કયુબિક મીટર એટલે કે 2,09,660 એમએલડી નવો પાણીનો જથ્થો ઠલવાયો છે.  સામાન્ય રીતે જોવા જઇએ તો રાજકોટની રોજિંદી પાણીની જરૂરિયાત 220 એમએલડી છે. અને તે જોતા આ પાણીનો જથ્થો રાજકોટને અઢી વર્ષ સુધી પાણીની  જરૂરિયાત પુરી પાડી  શકે છે. અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો તેની જરૂરિયાત 1500 એમએલડીની છે તે જોતાં સમગ્ર સૌરાષ્ટ્રને સાડાચાર મહિના સુધી પાણી પુરી પાડી શકે તેમ છે.

18 માર્ચ અને 18 એપ્રિલની નર્મદા ડેમની સ્થિતિ

ડેમ 18 માર્ચ 18 એપ્રીલ
સપાટી 113.83 115.37 (મીટરમાં)
પાણીનો જથ્થો 342 551 (મિલિયન કયુબિક મીટર)
જીવંત ક્ષમતા 24 ટકા 29 ટકા
 
ન્યુમેરિક

- 15793 કયુસેક ઉપરવાસમાંથી પાણીની આવક
- 3121 કયુસેક કેનાલમાં છોડાતુ પાણી
- 640 કયુસેક ગોડબોલે ગેટમાંથી નદીમાં ઠલવાતો પાણીનો જથ્થો
- 470 કયુસેક પાણી બાષ્પીભવનમાં ઉડી જાય છે
- 4231 કયુસેક કુલ જાવક
- 11562 કયુસેક ડેમમાં થઇ રહેલો જળસંગ્રહ
  (ડેમની સપાટી મીટરમા, જીવંત જથ્થો અને ઘટાડો મિલિયન કયુબિક મીટરમાં)

 નોલેજ પ્લસ

- જળાશયોમાં પાણીનાં જથ્થાને મિલિયન કયુબિક મીટર (એમ.સી.એમ.)માં મપાઇ છે
- શહેરોમાં અપાતા પાણીનાં જથ્થાને મિલિયન લીટર પર ડે (એમ.એલ.ડી.)માં ગણતરી થાય છે
- 1 એમ.એલ.ડી. (10 લાખ લીટર) એટલે 1000 કયુબિક મીટર
- ડેમમાં 1 મહિનામાં 209.66 મિલિયન કયુબિક મીટર પાણીનો વધારો થયો
- એટલે કે 209600 એમ.એલ.ડી. પાણી થયું
- રોજકોટની દૈનિક જરૂરીયાત 220 એમ.એલ.ડી. છે
- જે જોતા 953 દિવસ આટલુ પાણી પુરુ પાડી શકાય
 
મ.પ્ર.ની વીજળી જરૂરિયાતથી ગુજરાતને લાભ

નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ગુજરાત અને રાજસ્થાનને અાપવાનો પાણીનો જથ્થો નિયત કરેલો છે. ગુજરાત અને રાજસ્થાનનાં પાણીની જરૂરીયાતને ધ્યાને લઇ એન.સી.એ. એ લીધેલા નિર્ણયથી બન્ને રાજયોનાં ભાગનું પાણી આપવાનું નક્કી કરાતા બર્ગી અને ઇન્દીરાસાગરનાં જળવિદ્યુત મથકો શરૂ કરતા તે થકી ડિસ્ચાર્જ થઇ હાલ નર્મદા ડેમમાં પાણી આવી રહ્યું છે. તેમ ડેમ સત્તાધિશોએ જણાવ્યું હતું.

Source :- http://www.divyabhaskar.co.in/news-ht/DGUJ-BHA-OMC-narmada-dam-water-level-rise-of-1-5303855-PHO.html

નવો ‘હાર્દિક’ પત્ર: ગુર્જર અને જાટ આંદોલનની હિંસાના આંકડા સરખાવ્યા 

સુરતઃ લાજપોર જેલમાં બંધ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ દ્વારા વધુ એક પત્ર મીડિયાને સંબોધીને લખવામાં આવ્યો હતો. પત્ર તેના કાકાના છોકરા રવિ પટેલને આપવામાં આવ્યો હતો. પત્રમાં હાર્દિકે રાજસ્થાનના ગુર્જર આંદોલન અને હરિયાણાના જાટ આંદોલનમાં થયેલી હિંસાના આંકડા હાર્દિકે દર્શાવ્યા હતા અને તેની સરખામણીમાં પાટીદાર અનામત આંદોલન સાથે કરી છે.
 
હાર્દિકે જણાવ્યું હતું કે, આ માહિતી તેણે હિંદી સમાચાર માધ્યમ અને મેગેઝીનમાંથી મેળવી છે

ગુર્જર અનામત આંદોલન

માગઃ અલગથી અનામત આપો
મર્યાદાઃ 8 વર્ષ
સરકારી મિલકતનું નુકસાનઃ 56 હજાર 748 કરોડ રૂપિયા
કુલ મૃત્યુઃ 76 -68 ગુર્જર 6 પોલીસ
ગુર્જર અને પોલીસ વચ્ચે 8 દિવસ ગોળીબાર
કુલ કેસઃ 17(3 પોલીસ હત્યાના 11 રાયોટીંગ અને તોડફોડના)

જાટ અનામત આંદોલન

માગઃ ઓબીસીમાં અનામત
આંદોલનની મર્યાદાઃ 1 મહિના 17 દિવસ
સરકારી મિલકતનું નુકસાનઃ 36000 કરોડ, આર્થિક તંત્રનું 11000 કરોડ
કુલ મૃત્યુઃ 22 જાટ, 16 બિનજાટ, 4 પોલીસ, મિલેટ્રી 1-1
કુલ કેસઃ 8(5 કેસ બિનજાટ મહિલા પર થયેલા બળતાકારના જાટનો કોઈ નેતા જેલમાં નથી)

પાટીદાર અનમાત આંદોલન

માગઃ પટેલ સમાજને ઓબીસીમાં સમાવવાની માગ
આંદોલનઃ છેલ્લાં 9 મહિનાથી ચાલી રહ્યું છે
સરકારી મિલકતને નુકસાનઃ 200 કરોડ
પોલીસે કરેલા પાટીદારોનું નુકસાનઃ 56 હજાર કરોડ
કુલ મૃત્યુઃ 13 ( 9 પાટીદાર યુવાનની પોલીસ દ્વારા હત્યા, 3ની આત્મહત્યા અને એક પોલીસ જવાનનું મોત)
કુલ કેસઃ 1607 (9 પર રાજદ્રોહના કેસ, 19 યુવાનો તડીપાર અને 4 પર હત્યાનો ગુનો)

ગુર્જર અને જાટ આંદોલનથી જે નુકસાન થયું તેના કરતાં ઓછું નુકસાન ગુજરાતમાં થયું

સુરત પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર ધાર્મિક માલવિયાએ આજે આ પત્ર મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો. પત્રમાં હાર્દિકે જણાવ્યું હતું કે, હું ફક્ત ગુજરાત રાજ્યના લોકોને જણાવવા માંગુ છું કે છેલ્લાં આઠ મહિનામાં ભારતમાં ગુર્જર અને જાટ આંદોલનો પણ અનામત માટે થયા છે. આંદોલનને કારણે જે નુકસાન થયું છે તેના કરતાં ઓછું નુકસાન ગુજરાતમાં થયું છે, તેમ છતાં પણ પાટીદાર અનામત આંદોલન એક માત્ર એવું છે, જેના નેતાને રાજદ્રોહના કેસમાં જેલમાં રાખવામાં આવ્યો છે.

પટેલ સમાજ ગરીબ અને નિર્દોષ હોવાથી સહન કરી રહ્યો છે
 
હાર્દિક પટેલ દ્વારા રાજ્યમાં અન્ય જગ્યાએ સરકાર ઉથલાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા તે અંગેના ઉદાહરણો ટાંકવામાં આવ્યા છે. રાજકીય નેતાઓને રાજદ્રોહમાં ફસાવવામાં નથી આવ્યા તે અંગેની પણ વિગત પત્રમાં જાહેર કરવામાં આવી છે. હાર્દિકે પત્રમાં લખ્યું છે કે, ઘણાં ઉદાહરણો છે છતાં પણ પટેલ સમુદાય પર થયેલા અમાનવીય અત્યાચાર માનવ અધિકાર આયોગ બંધ આંખે નજારો જોઈ રહ્યો છે. પટેલ સમાજ ગરીબ અને નિર્દોષ હોવાથી સહન કરી રહ્યો છે. અને અન્યાય સામે લડી રહ્યાં છે. ન્યાય માટે અમે અવિરત લડતા રહીશું.

હાર્દિકે મીડિયાનો પત્રમાં કર્યો પહેલીવાર ઉલ્લેખ
 
આ સાથે હાર્દિકે મીડિયાનો પણ ઉલ્લેખ પહેલીવાર પત્રમાં કર્યો હતો. હાર્દિકે જણાવ્યું હતું કે મીડિયાએ હંમેશા ગરીબ, બાળક અને મહિલાઓને ન્યાય મળે તે માટે કામ કર્યું છે. રાજ્યની મીડિયા દ્વારા પાટીદાર અનામત આંદોલનમાં યથા યોગ્ય અને સાચી વાત સમજીને સહયોગ આપવામાં આવ્યો છે. મીડિયાને વિનંતી કરી હતી કે આ અવાજને દેશભરમાં બુલંદ બનાવવામાં મદદ કરે. અમારી આ લડાઈ ભ્રષ્ટાચાર, ગરીબી, બેરોજગારી, તથા કિશાનની આત્મહત્યા રોકવામાં મદદ કરશે. આ સાથે જ હાર્દિકે છેલ્લે એક કવિતા પણ પત્રમાં લખી હતી.

Source :- http://www.divyabhaskar.co.in/news-ht/DGUJ-SUR-c-99-806021-NOR.html


14 રાજ્યમાં પારો 40 ડીગ્રીને પાર; લાતુરમાં વધુ એક ટ્રેન પાણી લઈને પહોંચી


નવી દિલ્હી: દેશમાં ગરમી અને દુષ્કાળના કારણે સ્થિતિ ખરાબ થતી જઈ રહી છે. દેશમાં 33 કરોડ લોકો દુષ્કાળનો ભોગ બની રહ્યા છે. 14 રાજ્યોમાં ટેમ્પરેચર 40 ડિગ્રી કરતા વધારે છે. હૈદરાબાદ શહેરના ચાર રિઝર્વવોયર 30 વર્ષમાં પહેલી વાર સુકાઈ ગયા છે. તેના કારણે વોટર ઈમરજન્સી લાદવામાં આવી છે. જ્યારે મંગળવારે મહારાષ્ટ્રના બીડમાં એક 12 વર્ષની બાળકીનું ગરમીના કારણે મૃત્યુ થઈ ગયુ છે. માનવામાં આવે છે કે, 42 ડિગ્રી ટેમ્પરેચરમાં હેડપંપ ચલાવતી હતી. તે દરમિયાન જ તેને હાર્ટ એટેક આવી ગયો. તો બુધવારે સવારે 25 લાખ લિટર પાણી સાથે 50 વેગનની 'જલદૂત એક્સપ્રેસ' લાતુર પહોંચી હતી. જેને શહેરના મેયર શેખ અખ્તરે પુષ્પગુચ્છથી આવકારી હતી. આવતા અઠવાડિયે રેલવેપ્રધાન સુરેશ પ્રભુ લાતુર જશે. સમગ્ર દુનિયામાં બદલાયુ વાતાવરણ, ગરમીથી છે બધા પરેશાન....
 
- પૂર, વાવાઝોડુ, ખૂબ જ ઠંડી અને સખત ગરમીના કારણે સમગ્ર દુનિયા પરેશાન છે. અમેરિકામાં ભારે વરસાદ, વાવાઝોડુ અને બરફ પડવાના કારણે લોકો પરેશાન છે.
- જ્યારે બ્રિટનમાં આ સિઝનમાં બરફ પડવાના કારણે સૌ પરેશાન છે. એશિયામાં અફઘાનિસ્તાન, પાકિસ્તાનમાં વરસાદના કારણે આ મહિનામાં 150 લોકોના જીવ ગયા છે.
ભારતમાં દુષ્કાળના કારણે 33 કરોડ લોકો પરેશાન

- કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, ભારતમાં દુષ્કાળના કારણે 10 રાજ્યોના 256 જિલ્લાઓમાં અંદાજે 33 કરોડ લોકો પરેશાન છે.
- માત્ર ઉત્તર ભારતમાં જ 10 કરોડ લોકો પરેશાન છે.
- દુષ્કાળગ્રસ્ત 10 રાજ્યોમાં આ સ્થિતિને સુદારવા માટે મનરેગા અંર્તગત રૂ. 38,500 કરોડમાંથી 19,555 રિલીઝ કરી દેવામાં આવ્યા છે. 
 
આ 14 રાજ્યોમાં ટેમ્પરેચર 40 ડિગ્રી કરતા પણ વધારે

- ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, પંજાબ, યુપી, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુના ઘણાં વિસ્તારોમાં ટેમ્પરેચર 40 ડિગ્રી કરતા વધારે છે.
- હવામાન ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે અલનીનો અને ગ્લોબલ વોર્મિંગને કારણ બતાવવામાં આવી રહ્યું છે. બે વર્ષથી ઓછા વરસાદના કારણે પણ ગરમી વધારે પડતી હોવાનું માનવામાં આવે છે.
- હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વર્ષે એપ્રિલમાં છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં સૌથી વધારે ગરમી છે. આગામી સમયમાં હજુ પણ ગરમી વધવાની શક્યતા છે. વધતી ગરમીની અસર અન્ય રાજ્યોમાં પણ જોવા મળશે.
માર્ચની ગરમીએ તોડ્યો 100 વર્ષનો રેકોર્ડ
- ધરતીનું તાપમાન સતત વધી રહ્યું છે. તેનો વધુ એક પુરાવો આ વર્ષે માર્ચ મહિનામાં મળ્યો છે.
- જાપાનના હવામાન વિભાગે આ વિશે તાજેતરમાં જ એક રિપોર્ટ રજૂ કર્યો છે.
- આ રિપોર્ટ પ્રમાણે માર્ચ- 2016માં છેલ્લા 100 વર્ષની સરખામણીએ એવરેજ તાપમાન 1.070 ડિગ્રી વધારે ગરમ રહ્યું છે.
 
શું છે ચેતાવણી?

- હવામાન વિશે રિસર્ચ કરનારનું કહેવું છે કે, ક્લાઈમેટ ચેન્જને રોકવા માટે કડક નિયમ બનાવવામાં નહીં આવે તો સમગ્ર દૂનિયાને તેની બહુ ભારે કિંમત ચૂકવવી પડશે.
- 2016 સૌથી ગરમ વર્ષ રહ્યું છે. 1880માં શરૂ થયેલા રેકોર્ડ પ્રમાણે 2015માં એવરેજ તાપમાન 0.90 ડિગ્રી વધારે હતું.
 
લાતુરમાં વધુ એક ટ્રેન પહોંચી પાણી લઈને

કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક ટ્રેન 25 લાખ લીટર પાણી લઈને લાતુર પહોંચી છે. આ ટ્રેનમાં 50 વેગન છે. પાણી લઈને પહોંચેલી આ ટ્રેનને જલદુત એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ પહેલાં પણ એક ટ્રેન 50 લાખ લીટર પાણી લઈને લાતુર પહોંચી હતી. 

Source :- http://www.divyabhaskar.co.in/news-ht/NAT-weather-conditions-all-over-the-world-and-india-affected-from-drought-5304314-PHO.html

GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment