સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 1 March 2016

કૃષિ ક્ષેત્રે ૪૪,૦૦૦ કરોડની ફાળવણી : ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય - ભાડે રહેતા લોકોને લાભ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

કૃષિ ક્ષેત્રે ૪૪,૦૦૦ કરોડની ફાળવણી : ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય

- દેવાના બોજ તળે દબાયેલા ખેડૂતોને પ્રમાણમાં રાહત

- એગ્રી-ક્રેડિટ ટાર્ગેટ ૯ લાખ કરોડ

આપણે ખેડૂતો પાસેથી ઘણુ લઇ રહ્યા છીએ માટે પરત કરવાની પણ ફરજ આપણી જ છે : જેટલી
૧૨ રાજ્યોમાં ખેડૂતો માટે પોર્ટલ બનાવાશે
(પીટીઆઇ)             નવી દિલ્હી તા. ૨૯
દેશમાં આત્મહત્યા કરી રહેલા ખેડૂતોની સંખ્યાનો ગ્રાફ દિવસે ને દિવસે વધી રહ્યો છે. આવી સ્થિતિમાં મોદી સરકાર પાસે ખેડૂતો આ બજેટમાં ઘણી આશા રાખીને બેઠા હતા, જોકે પ્રમાણમાં તેમની કેટલીક આશાઓ પુરી થાય તેવું આ બજેટ છે. નાણા પ્રધાન અરૃણ જેટલીએ કૃષી ક્ષેત્રે ૪૪,૦૦૦ કરોડ રૃપિયાની ફાળવણીની જાહેરાત કરી છે. ખેડુતોની આવક વર્ષ ૨૦૨૨ સુધીમાં વધીને બેગણી થાય તે હેતુથી આ સેક્ટરમાં આટલા નાણા ફાળવવામાં આવ્યા છે તેમ નાણા પ્રધાન જેટલીએ જણાવ્યું હતું.
દેશમાં ઘણી જમીન એવી છે કે જે પડતર છે, નાણા પ્રધાને દાવો કર્યો હતો કે આ નાણાકિય વર્ષમાં સરકાર ૮૬,૦૦૦ હેક્ટર જમીન કૃષી ક્ષેત્રે લાવશે. આ ઉપરાંત ૧૨ રાજ્યોમાં ખેડુતો માટે પોર્ટલ પણ બનાવવામાં આવશે જેથી ઇન્ટરનેટના ઉપયોગ વડે ખેડૂતો કૃષીથી વધુ માહિતગાર થાય.
જેટલીએ જણાવ્યું હતું કે પાંચ લાખ એકર ખેતરમાં બાગાયતી ખેતી પર ધ્યાન આપવામાં આવશે. જેટલીએ જણાવ્યું હતંુ કે આપણે ખેડુતો પાસેથી ઘણુ લઇ રહ્યા છીએ તેથી પરત કરવાની પણ ફરજ બને છે. સિંચાઇ યોજના માટે નાબાર્ડ ૨૦,૦૦૦ કરોડ રૃપિયા આપશે. આગામી ત્રણ વર્ષમાં કેમિકલ ખાતરથી ખેતીને મુક્ત કરવી દેવામાં આવશે. ખેડુતો પશુપાલન સાથે પણ સંકળાયેલા છે માટે પશુધન હાટના નામે એક ઇ પોર્ટલ પણ શરૃ કરવામાં આવશે.
નાણા પ્રધાન અરૃણ જેટલીએ આશા વ્યક્ત કરી હતી કે નાણાકિય વર્ષ ૨૦૧૫-૧૬માં કૃષી ક્રેડિટ ટાર્ગેટ ૮.૫ લાખ કરોડ હતો, જે નાણાકિય વર્ષ ૨૦૧૬-૧૭માં અત્યાર સુધીનો સૌથી ઉંચો ૯ લાખ કરોડ હશે. ખેડુતો પરથી લોનની ચૂકવણીનું ભારણ ઘટાડવા માટે સરકારે ૧૫૦૦૦ કરોડ રૃપિયાની જોગવાઇ આ બજેટમાં કરવામાં આવી છે.


૧૪ કરોડ ખેડૂતોને મળશે સ્વાસ્થ્ય કાર્ડ : કચરામાંથી ખાતર બનાવાશે
સરકારે ખેડુતોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મુદ્રા સ્વાસ્થ્ય કાર્ડ આપવાની જાહેરાત કરી છે. આશરે ૧૪ કરોડ ખેડુતોને આ કાર્ડ વર્ષ ૨૦૧૭ સુધીમાં આપવામાં આવશે. જેટલીએ જણાવ્યું હતું કે ખાધ્ય સુરક્ષા યોજનાને પહોંચી વળવા માટે દેશના ખેડૂતોનું મોટુ યોગદાન છે.  સાથે સરકારે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સફાઇ દરમિયાન જે કચરો ભેગો થાય છે તેમાંથી ખાતર બનાવવાની પણ જાહેરાત કરી હતી.

કૃષી ક્ષેત્રે વ્યાજ છુટ માટે ૧૫,૦૦૦ કરોડની ફાળવણી
ખેડુતો પર વ્યાજનો બોજ વધી રહ્યો છે જેને પગલે આ વખતના બજેટમાં કૃષી લોનને પણ આવરી લેવામાં આવી છે. સરકારે આ વખતે ૧૫,૦૦૦ કરોડ રૃપિયા કૃષી લોન પર વ્યાજની છૂટ માટે ફાળવ્યા છે. જ્યારે નવા પાક વીમા યોજના માટે ૫,૫૦૦ કરોડ રૃપિયાની ફાળવણી કરી છે. સાથે દાળના ઉત્પાદનને પ્રોત્સાહન માટે ૫૦૦ કરોડ રૃપિયા ફાળવવામાં આવ્યા છે.

એચઆરએ કપાતની મર્યાદા રૃ. ૬૦ હજાર કરાતાં ભાડે રહેતા લોકોને લાભ

- કરવેરા માળખું સરળ કરવા કુલ ૧૩ સેસ નાબૂદ

- પહેલીવાર ઘર ખરીદનારને રૃ. ૩૫ લાખ સુધીની લોન પર વાર્ષિક રૃ. ૫૦ હજારની રાહત

પ્રિઝમ્પ્ટિવ ટેક્સેશન સ્કિમ હેઠળ આવતા ઉદ્યોગોના ટર્નઓવરની મર્યાદા રૃ. એક કરોડથી વધારીને બે કરોડ કરાઈ
(પીટીઆઈ)      નવી દિલ્હી, તા.૨૯
નાણા મંત્રી અરુણ જેટલીએ વ્યક્તિગત કરદાતા માટે હાઉસ રેન્ટ એલાઉન્સની મર્યાદા પ્રતિ વર્ષ રૃ. ૬૦ હજાર સુધી કરી દીધી છે, જે અત્યાર સુધી રૃ. ૨૪ હજાર હતી. જેટલીએ જણાવ્યું હતું કે, આ બજેટમાં ૮૦જીજી હેઠળ ઘરના ભાડા માટે અપાતા ભથ્થાની મર્યાદા વધારાઈ છે, જેનાથી નાના-મોટા તમામ પગારદારોને ફાયદો થશે.
આ ઉપરાંત રૃ. ૩૫ લાખ સુધીની લોન પર વધારાના કરવેરાની રાહત પ્રતિ વર્ષ રૃ. ૫૦ હજાર સુધી કરાઈ છે. જોકે, આ નિયમ રૃ. ૫૦ લાખથી ઓછી કિંમતનું ઘર ખરીદનારા તેમજ પહેલીવાર ઘર ખરીદનારા કરદાતાઓને જ લાગુ પડશે. આ બજેટમાં ૮૭એ હેઠળ કરવેરા પરના વળતરની મર્યાદા રૃ. બે હજારથી વધારીને રૃ. પાંચ હજાર કરાઈ છે. એટલે કે, પાંચ હજાર સુધી કરવેરો ભરવાનો થતો હશે તો તે આપોઆપ માફ થઈ જશે.
નાણા મંત્રીએ રૃ. પાંચ લાખ સુધીની આવક ધરાવનારને રૃ. ત્રણ હજાર સુધીની જવાબદારીમાંથી રાહત આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અત્યાર સુધી આવકવેરા કાયદાની કલમ ૪૪એડી હેઠળ રૃ. એક કરોડનું ટર્નઓવર ધરાવતી તમામ કંપનીઓ આવી જાય છે, પરંતુ હવે આ મર્યાદા રૃ. બે કરોડ સુધીની કરાઈ છે. આ કારણોસર ૩૦ લાખ નાના ઉદ્યોગકારોને લાભ થશે. રૃ. ૫૦ લાખની ગ્રોસ રિસિપ્ટ ધરાવતા બિઝનેસ પ્રોફેશનલનો નફો ૫૦ ટકા ગણવામાં આવશે. સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સના 'ઓપ્શન' ૦.૦૧૭થી વધારીને ૦.૦૫ ટકા કરાયો છે.
આ બજેટમાં વિવિધ મંત્રાલયોએ લાદેલા કુલ ૧૩ સેસ નાબૂદ કરાયા છે કારણ કે, તેમાંથી માંડ રૃ. ૫૦ કરોડનું ભંડોળ મળતું હતું. બિનનિવાસી ભારતીયો માટે પાન કાર્ડ સિવાયના દસ્તાવેજોને મંજૂરી અપાઈ છે, જ્યારે આવકવેરા માટે ટીડીએસ પ્રોવિઝનનું સરળીકરણ કરવાનો પ્રયાસ કરાયો છે. આ ઉપરાંત આવકવેરાના રિટર્નનું રિવિઝન કરવાની સેન્ટ્રલ એક્સાઈઝ એસેસીઝને પણ સુવિધા કરી અપાઈ છે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment