સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 15 December 2015

આજે સરદાર પટેલની પૂણ્યતિથિ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

આજે સરદાર પટેલની પૂણ્યતિથિ

સરદાર પટેલ ની અમદાવાદની છેલ્લી મુલાકાત બીજી ડિસેમ્બર ૧૯૫૦ની હતી

કસ્તુરભાઈ લાલભાઈએ પૂછેલું કે, ફરી ક્યારે મળીશું સરદારનો જવાબ હતો ઇશ્વરની ઇચ્છા.

અમદાવાદ, સોમવાર
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આવતીકાલે મંગળવારે પુણ્યતિથિ મનાવાશે. ૧૫ ડિસેમ્બર, ૧૯૫૦માં તેમનું અવસાન થયું હતું. સરદાર સાહેબની અમદાવાદની છેલ્લી મુલાકાત બીજી ડિસેમ્બર, ૧૯૫૦ની હતી. તેઓ દિલ્હી પરત ફરી રહ્યા હતા તે પૂર્વે સ્વ. કસ્તુરભાઈ લાલભાઈની ટૂંકી મુલાકાત થયેલી. કસ્તુરભાઈએ પૂછેલું કે, ફરી ક્યારે મળીશું ? ત્યારે સરદાર સાહેબનો જવાબ હતો ઇશ્વરની ઇચ્છા.
આઝાદી પછી રજવાડાઓનું વિલિનીકરણ કરવામાં અને દેશને એકસૂત્રે બાંધવાની અજોડ કામગીરી કરનારા સરદાર પટેલ પોતાને ધરતીપુત્ર તરીકે ઓળખાવતા હતા અને સમર્થ- શક્તિશાળી નેતા હોવા છતાં એમના અગ્નિસંસ્કાર આમ આદમીની માફક ગિરગાંવ ચોપાટી પર કરાયા હતા. દેશમાં ક્યાંય પણ એમની 'સમાધિ' નથી. તેઓ પોતે પણ પોતાના નામે કોઈ સ્મૃતિ- સ્મારકો રચાય તેવું ઇચ્છતા નહોતા. એમના અવસાન પછી પ્યારેલાલજીએ સાચું કહ્યું હતું કે, એમને સાચી અંજલિ આપવી હોય તો ઇંટ- સિમેન્ટના સ્મારકો નહિ પરંતુ છેવાડાના માણસોના ઉદ્ધાર- વિકાસ માટેના સરદાર ઇચ્છિત કામો કરવા જોઈએ. સરદાર સાહેબ અમદાવાદમાં ૧૦૨ વર્ષ પહેલાં ૧૪ ફેબુ્રઆરી ૧૯૧૩માં આવેલા. અહીં વકીલાત કરી સાથોસાથ રાજકીય ક્ષેત્રમાં પણ આગળ વધ્યા હતા. જાહેર જીવનની પહેલી રાજકીય ચૂંટણી ૧૯૧૭માં લડેલા, માત્ર એક મતે જીતેલા. જો કે તે રદ થઈ હતી. ફરીથી ચૂંટણી યોજાઈ ત્યારે દરિયાપુર વિસ્તારમાંથી બિનહરીફ ચૂંટાયેલા.
પ્રારંભિક દિવસોમાં ગાંધીજીના વિચાર સાથે અસહમત એવા વલ્લભભાઈ ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી ગાંધીજીના વ્યક્તિત્વ સાથે અભિન્ન રીતે ભળી ગયા હતા અને છેક સુધી એ બન્નેનો સંબંધ અતૂટ રહ્યો હતો. ગાંધીજીની હત્યા થઈ તે દિવસે એમને બિરલા હાઉસમાં છેલ્લે મળનારાઓમાં સરદાર પટેલ જ હતા. અમદાવાદ એ રીતે ગૌરવ લઈ શકે છે કે એક કાળે શહેર સુધરાઈ સંસ્થાના કાઉન્સિલર અને પ્રમુખ બનેલા વલ્લભભાઈ દેશના નાયબ વડાપ્રધાનના હોદ્દે પહોંચ્યા હતા. જો કે, આજના શાસકો સરદારનું નામ લઈ શકે છે, સરદારની જેમ પ્રજાના દુઃખે દુઃખી બની શકતા નથી એ જુદી વાત છે.
આજે CM સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાફટનાં કોન્ક્રીટિંગનો પ્રારંભ કરાવશે
અમદાવાદ, સોમવાર
સરદાર સરોવર નર્મદા બંધ કેવડીયા ખાતે નિર્માણ થઈ રહેલી સરદાર સાહેબની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાફટનાં કોન્ક્રીટીંગનો મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ આવતીકાલે સવારે પ્રારંભ કરાવશે. સરદાર પટેલની વિશ્વની આ સૌથી ઊંચી પ્રતિમા (૧૮૨ મીટર) મુખ્ય બંધથી નીચવાસમાં ૩.૧ કિ.મી. દૂર સાધુ ટેકરી ઉપર નિર્માણ પામી રહી છે. આ પ્રતિમા નિર્માણમાં ૫૬૦૦ મેટ્રીક ટન સ્ટ્રકચરલ સ્ટીલ અને ૬૬૦૦૦ મેટ્રીક ટન સીમેન્ટ તથા ૧૯૦૦ મેટ્રીક ટન કાંસાનો ઉપયોગ થવાનો છે. કોન્ક્રીટીંગનો શુભારંભ કરાવ્યા બાદ મુખ્ય બંધ ઊંચો કરવાના તથા દરવાજાની કામગીરીનું નિરિક્ષણ પણ મુખ્ય મંત્રી નર્મદા નિગમનાં વરિષ્ઠ અધિકારીઓ સાથે કરશે.
સરદાર પટેલ ઓડિટોરિયમનું
આજે લોકાર્પણ
અમદાવાદ, સોમવાર
સરદાર વલ્લભભાઈ પટેલની પૂણ્યતિથિ નિમિત્તે તા. ૧૫મીને મંગળવારે અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે નવનિર્મિત 'સરદાર પટેલ ઓડિટોરીયમ'નું સંસ્થાના ચેરમેન દિનશા પટેલના હસ્તે સાંજે ૪થી ૬ કલાક દરમિયાન લોકાર્પણ યોજાશે. સંસ્થાના મહામંત્રી આર.એસ. પેટલને મ્યુઝિયમના નવનિર્માણમાં અદ્યતન ટેક્નોલોજી, ૩ડી ટેકનોલોજી શો સહિતની કામગીરી બદલ એવોર્ડ એનાયતવિધિ તેમજ સરદારશ્રીના સંસ્મરણો તેમની રમૂજવૃત્તિ પરના વ્યાખ્યાન સહિતના કાર્યક્રમો યોજાશે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment