સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday 28 September 2015

અનામત આંદોલનને પાટીદારોની ધાર્મિક સંસ્થાઓનો ટેકો ઃ અગ્રણીઓ મેદાને

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

અનામત આંદોલનને પાટીદારોની ધાર્મિક સંસ્થાઓનો ટેકો ઃ અગ્રણીઓ મેદાને

આર્થિક પેકેજ છતાંયે પાટીદાર સંસ્થાઓનો વિરોધ, સરકાર ચિંતામાં

સિદસર સહિતની ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓની કમિટી રચાશે

ઊંઝામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાટીદારોની બેઠક યોજાઇ
અમદાવાદ , રવિવાર
આગામી દિવસોમાં અનામતની લડાઇ લડવા હવે સિદસર સહિતની ધાર્મિક સંસ્થાઓના આગેવાનો મેદાને પડશે. આજે ઉંઝામાં પાટીદારોની એક બેઠક યોજાઇ હતી. અનામતની લડાઇની હવે નતાગીરી બદલાશે. યુવા આંદોલનકારી હાર્દિક પટેલ અને લાલજી પટેલ પણ પાટીદાર આગેવાનોની કમિટીના દિશાનિર્દેશ અનુસાર અનામતની લડાઇ લડશે. આજે સિદસર, ખોડલધામ,ઉંઝા ઇને સમસ્ત પાટીદાર સમાજે અનામત આંદોલનને ટેકો જાહેર કર્યો હતો.
ઉંઝામાં આજે ઉમિયાધામ હોલમાં બે હજાર પાટીદારોની ઉપસ્થિતિમાં એક બેઠક મળી હતી જેમાં અનામતની લડાઇ રણનીતિ અનુસાર લડાઇ લડવા વિવિધ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઇ હતી. હાલમાં પાટીદાર આંદોલન સમિતિ અને એસપીજી ગુ્રપ અનામતની લડાઇ લડી રહ્યાં છે.
આજે ઉંઝામાં પાટીદારોની બેઠકમાં સર્વાનુમતે એવું નક્કી કરાયું કે,સિદસર, ખોડલધામ,ઉંઝા , પાટીદાર સમસ્ત સમાજ સહિતની સંસ્થાના આગેવાનો એકઠા થઇને એક કમિટિની રચના કરશે. આ કમિટી હવે અનામત આંદોલનનું નેતૃત્વ કરશે. એટલું જ નહીં. હાર્દિક પટેલ અને લાલજી પટેલ પણ આ કમિટીના આદેશ મુજબ આંદોલનમાં જોડાશે. ધાર્મિક સંસ્થાઓ ફરી એકવાર સરકારે મેદાને પડી છે પરિણામે આંદોલનને વેગ મળે તેમ લાગી રહ્યું છે. અનામત આંદોલન વેગીલુ બને તેવા સંજોગો સર્જાતા સરકારની ચિંતા વધી ગઇ છે. સરકારે આર્થિક પેકેજની ઘોષણા કર્યા બાદ પણ પાટીદારોનો વિરોધ જારી રહેતાં સરકારની ઉંઘ ઉડી ગઇ છે. આજે ઉંઝાના પાટણરોડ સોસાયટીના પાટીદારોની સહાયથી તોફાનોમાં ઘાયલ અને મૃતકોને નાણાંકીય સહાય કરાઇ હતી તે પ્રસંગે એસપીજીના પ્રમુખ લાલજી પટેલ હાજર રહ્યાં હતાં.

કાયદાકીય લડત માટે વકિલોની ટીમ બનાવાશે
ઓબીસીમાં પાટીદારોને સમાવવા માટે હવે કાયદાકીય લડત લડવા માટે તૈયારી કરાઇ છે. લાલજી પટેલે જણાવ્યું કે,પાટીદારોને અનામતનો લાભ કેવી રીતે મળી શકે તે માટે કાયદાકીય લડત લડવા પાંચેય પાટીદાર સંસ્થાઓએ નાણાંકીય સહાય આપવા તૈયારી દર્શાવી છે.આગામી દિવસોમાં વકિલોની એક ટીમ પણ તૈયાર કરાશે.

ઉમેશ પટેલના બેસણાંમાંહાર્દિક-લાલજી પટેલ હાજરી આપશે
અનામતની માંગણી સાથે રાજકોટમાં પાટીદાર યુવાન ઉમેશ પટેલ આત્મહત્યા કરી હતી. રાજકોટમાં ઉમેશ પટેલના બેસણાં આંદોલનકારી હાર્દિક પટેલ અને લાલજી પટેલ હાજરી આપશે. પાટીદાર યુવાનોને અનામત ખાતર આત્મહત્યા ન કરવા ખોડલધામ સંસ્થાન તરફથી પણ અપીલ કરાઇ છે.



Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment