સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 13 August 2015

અનામતની માંગણી નહીં સંતોષાય તો વિધાનસભામાં મતરૃપી બોમ્બ ફોડાશે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

અનામતની માંગણી નહીં સંતોષાય તો વિધાનસભામાં મતરૃપી બોમ્બ ફોડાશે

જૂનાગઢમાં મહારેલી યોજીને પાટીદાર સમાજે ઠાલવેલો આક્રોશ

મેંદરડામાં કાલે પાટીદાર સમાજ તેમજ ઉનામાં ૧૭મીએ સવર્ણ સમાજોની મૌનરેલી

કાલાવડ, જેતપુર, ઉપલેટામાં પણ પાટીદાર સમાજે રેલી કાઢીને આપેલું આવેદનપત્ર, લાલપુર અને મોરબીમાં કારડીયા - રાજપૂત સમાજ મેદાને

(પ્રતિનિધિઓ દ્વારા)    રાજકોટ, બુધવાર
સૌરાષ્ટ્રમાં અનામત આંદોલનને આગળ ધપાવતા આજે પાટીદાર સમાજે જૂનાગઢ, કાલાવડ, જેતપુર અને ઉપલેટામાં મહારેલી યોજી હતી. હવે મેંદરડામાં ૧૪મીએ પટેલ સમાજ અને ઉનામાં ૧૭મીએ બ્રહ્મ, રઘુવંશી અને સોની સમાજ મૌનરેલી કાઢશે. આજે લાલપુરમાં ક્ષત્રિય સમાજ અને મોરબીમાં રાજપુત સમાજે મેદાને આવીને આવેદનપત્ર આપ્યું હતું.
જૂનાગઢમાં આજે પાટીદાર સમાજની મહારેલી સમયે સરદાર પટેલ સેવાદળનાં પ્રદેશ કન્વિનર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, અનામત આંદોલન પાટીદારો માટે છે. જો અનામતની માંગણી નહીં સંતોષાય તો વિધાનસભામાં મતરૃપી બોમ્બ ફોડવામાં આવશે. પછી જેઓ જવાબદાર હશે તેમણે પરિણામ ભોગવવા પડશે. આ આંદોલનની અવગણના કરવામાં આવશે તો સરકારે તેનું પરિણામ ભોગવવું પડશે. કમળને ખીલવી શકીએ તો ઉખાડી પણ ફેંકશું. હાલ સરકારમાં ૫૦ ધારાસભ્યો તથા મુખ્યમંત્રી પાટીદાર સમાજનાં છે. જો અમારી માંગણી ને ધ્યાને નહી લેવાય તો રાજીનામાની માંગણી કરશું. તા.૨૫નાં અમદાવાદમાં આંદોલન થશે. જેમાં ૪૦ લાખ લોકો ઉમટી પડશે.
ભાજપ અને કોંગ્રેસનાં ધારાસભ્યોને પણ આ મુદ્દે રજૂઆત કરાશે કે ભાજપ કોંગ્રેસ આજીવન તમારી સાથે નહી રહે સમાજ સાથે રહેશે. તેથી પાટીદાર ધારાસભ્યોને પણ અનામત આંદોલન અંગે સમર્થન આપવા માંગ કરાશે.
જૂનાગઢમાં આજે પાટીદાર અનામત મહારેલી યોજાઈ હતી. જે સવારે નવ વાગ્યે શિવમ પાર્ટી પ્લોટ ખાતેથી શરૃ થઈ હતી. આ રેલીમાં જિલ્લા ભરમાંથી ૧૫ હજારથી વધુ પાટીદારો જોડાયા હતાં. આ વિશાળ રેલી ગિરીરાજ રોડ, બસ સ્ટેન્ડ, વૈભવ ફાટક , તળાવ દરવાજા, સરદાર બાગ થઈ કલેકટર કચેરી ખાતે પહોંચી હતી. રેલીનાં લીધે સરદારબાગ, તળાવ દરવાજા, બસ સ્ટેન્ડ રોડ પર ટ્રાફીક સર્જાયો હતો. કલેકટર કચેરીએ રેલી પહોંચ્યા બાદ જયાં સરદાર પટેલગુ્રપનાં આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
* કાલાવડમાં પાટીદાર સમાજ અને સરદાર પટેલ ગુ્રપ દ્વારા સમસ્ત પટેલ સમાજને ઓબીસી કેટેગરીમાં સમાવી અનામતનો લાભ આપવાની માંગણી સાથે આજે વિશાળ રેલી નિકળી હતી. સવારે ૧૦ વાગ્યે ધોરાજી રોડ ઉપર બાપા સિતારામની મઢુલીથી નિકળેલી રેલી સિનેમા રોડ, ગ્રેઈન માર્કેટ રોડ થઈ સરદાર પટેલની પ્રતિમાએ પહોંચી હારતોરા કર્યા બાદ મામલતદાર કચેરીએ જઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ રેલી પહેલા આગેવાનોએ અનામત મુદ્દે આક્રોશ ઠાલવ્યો હતો.
* જેતપુરમાં લેઉવા પટેલ સમાજ અને સરદાર પટેલ ગુ્રપની આગેવાનીમાં આજે અનામતની માંગણી સાથે તાલુકાભરનાં પાટીદારોની વિશાળ રેલી નિકળી હતી. સરદાર ચોકથી શરૃ થઈ તિનબત્તી ચોક, કણકીયા પ્લોટ, જૂનાગઢ રોડ પર થઈ તાલુકા સેવાસદન ખાતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે આગેવાનોએ જરૃર પડયે જલદ આંદોલન છેડવા પણ ચીમકી ઉચ્ચારી હતી. આંદોલનને સુન્ની મુસ્લિમ જમાત અને બ્રહ્મસમાજે ટેકો જાહેર કર્યો હતો. આ ઉપરાંત આજે બ્રહ્મસમાજ દ્વારા પણ ભિક્ષાવૃત્તિ કરતા બ્રાહ્મણોને અનામત આપવાની માંગણી કરતું આવેદનપત્ર અપાયું હતું.
* ઉપલેટામાં અનામતની જોરદાર માંગણી સાથે આજે બપોરનાં અહિંનાં બસ સ્ટેન્ડ ચોકથી શહેર તેમજ તાલુકાનાં આજુ બાજુનાં ગામડાનાં અંદાજે ૨૦ હજાર પાટીદાર ભાઈ બહેનોની જંગી મેદની સાથે રેલી નીકળી હતી. જે શહેરનાં મુખ્ય મુખ્ય માર્ગો ઉપર ફરી મામલતદારને આવેદન પત્ર આપેલું હતું. આ રેલીમાં મહિલાઓની સંખ્યા નોંધપાત્ર  હતી.
* મેંદરડામાં પાટીદાર સમાજ અને સરદાર પટેલ ગુ્રપ દ્વારા તા.૧૪મીએ સવારે ૭ વાગ્યે પ્રથમ પટેલ સમાજ ખાતે વિશાળ સભા યોજવામાં આવશે. બાદમાં જંગી રેલી યોજીને મુખ્યમાર્ગો પરથી થઈ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવશે. આ તકે પાટીદાર સમાજ ધંધા - રોજગાર બંધ રાખીને સભા - રેલીમાં જોડાઈ અનામતની માંગને બુલંદ બનાવશે.
* ઉના શહેર અને તાલુકા બ્રહ્મસમાજ ઉપરાંત રઘુવંશી સમાજ, સોની સમાજ પણ અનામત આંદોલનમાં જોડાઈને આગામી તા.૧૭મીએ સોમવારે રોષભેર મૌન રેલી કાઢી પ્રાંત કચેરીએ જઈ આવેદનપત્ર આપશે. આ મહારેલીનાં આયોજન માટે ઉનામાં વિવિધ સવર્ણ સમાજનાં આગેવાનોએ હાજર રહીને મંતવ્યો વ્યક્ત કર્યા હતાં.
* લાલપુર તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા અનામતની માંગણી સાથે પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે, રાજવી ક્ષત્રિય સમાજે આઝાદીથી આજ સુધી અનેરી દેશભાવના બતાવી છે. અગણિત જમીનો અને સંપત્તિ સરકારને સોંપી છે. પરિણામે અત્યારે ક્ષત્રિય સમાજને પણ અનામતનો લાભ મળવો જોઈએ.
* મોરબીમાં અખીલ ગુજરાત રાજપુત યુવાસંઘ દ્વારા સનસીટીની માંગ સાથે આજે સવારે જીલ્લા કલેકટરે આવેદનપત્ર પાઠવાયું હતું. જેમાં જણાવ્યું હતું કે, વર્તમાન અનામત પ્રથાનાં કારણે રજપુત સમાજ તેમજ સામાન્ય શ્રેણીમાં આવતી તમામ જ્ઞાાતિઓને ઘોર અન્યાય થઈ રહ્યો છે. વ્યવસ્થાનો લાભ મેળવતા લોકો અનામત ઉપરાંત જનરલ કેટેગરીમાં આવતા હોય છે. આથી પ્રવેશ પ્રક્રિયા કે ભરતી પ્રક્રિયામાં જે વિદ્યાર્થી સામાન્ય શ્રેણીમાં આવી જાય તો અનામત શ્રેણીમાં અન્યને લાભ મળે છે. આથી વધુ અન્યાય થાય છે, જેનો ઉકેલ લાવવો જોઈએ.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment